શનિવાર, 22 જાન્યુઆરી, 2022

toraniya limbada vadi kaniya jogi ni meldi maa ni lokvarta

toraniya limbada vadi kaniya jogi ni meldi maa ni lokvarta

તોરણીયા લીંબડા વાડી કાનીયા જોગીની મેલડી માંની લોકવાર્તા


નમસ્કાર મિત્રો,

 આજે આપણે તોરણીયા લીંબડા વાળી કાનીયા જોગીની મેલડી માં ના ઇતિહાસ ની વાત કરીશું.

ઘણા વર્ષો પહેલાની આ વાત છે, જયારે ધોળકા શહેર પર ખાન વજીર નું રાજ ચાલતું હતું. એક દિવસ ખાન વજીર પોતાની રાજસભા માં હુકમ કરે છે, કે જાઓ મારા ધોળકા શહેર ની આજુ બાજુમાં , કોઈના આંગણા માં પાકી ગયેલો લીંબડો હોય તો લઇ આવો. મારા રજવાડા માં મારે નવો ઘાટ બદલવો છે. બાદશાહનો હુકમ થતાંજ ઘોડા પર સિપાઈઓ પાકી ગયેલો લીંબડો શોધવા નીકળે છે . માં ને કંઈક પરચો કરવો હશે કે માને ક્યાંક બેસણા કરવા હશે. એટલે ગામે ગામ ફરતા ફરતા અમુક સિપાઈઓ ધોળકા ની બાજુમાં હાલનું જે ચીયાડા ગામ છે ત્યાં આવી પહોંચે છે .એ સમયમાં આ ગામ સિયાવાળા ના નામથી જાણીતું હતું.

 સિયાવાળા ગામ માં કાનીયા જોગી નામનો મેલડી માં નો દેવી પૂજક ભગવો વેશ પહેરીને માની અખંડ ધૂણી ધખાવીને માં મેલડી નો જાપ કરી રહ્યો છે -"તું હી મેલડી "- "-"તું હી મેલડી "-"તું હી મેલડી "

ત્યાં પાછળથી આવીને એક સિપાઈ આવીને કાનીયા જોગીના ખભે થડાક કરતો હાથ મૂકે છે.ત્યાંતો કાનીયા જોગીના હાથમાં રહેલી માં ની માળા ધૂળના ધડિમલે પડી જાય છે. અને પાછું વળીને જુએ છે ત્યાંતો હાથમાં ભમ્મરિયા ભાલા અને તલવાર સાથે ત્રણ ચાર સિપાઈઓને ઉભા છે. કાનીયો જોગી પૂછે છે કે તમે કોણ છો ? અને ક્યાંથી આવો છો?  સિપાઈઓ કહે છે, તારું નામ શું છે . મારુ નામ કાનીયો જોગી છે. અમે ધોળકા ના સિપાઈઓ છીએ. આ લીંબડો કોનો છે. આ લીંબડો તો મારી મેલડી નો છે.સિપાઈઓએ કહ્યું તો સંભાળ કાનીયા આ લીંબડા ની ડાળે જે પણ શ્રીફળ અને ચૂંદડી તે બાંધ્યા છે એ બધું ઉતારી લેજે કેમકે કાલે ધોળકા માંથી સિપાઈઓ આવીને આ લીંબડો કાપી જશે.આમ કહી સિપાઈઓ જતા રહ્યા.

કાનીયા જોગી ને લીંબડા ની ચિંતા માં રાત્રે ઊંઘ નથી આવતી

 એટલે રાત્રે એક વાગ્યે ધૂપ દીપ કરીને માં મેલડી ને પોકારે છે. માં મેલડી ને બધી વાત કરે છે. માં મેલડી કહે છે કે "કાલે સવારે ધોળકા ના સિપાઈઓ આવીને જયારે લીંબડો કાપવા જાય ત્યારે તું કાંઈ બોલતો નહિ પણ માનતાના જુના માટીના તાવનો ઢગલામાંથી એક ખંડિત તાવો કે જેનો કાંઠો તૂટેલો હોય એ તાવો લઇ થોડેક દુએ ઉભો રહેજે.પછી સિપાઈઓ જયારે એક ઘા કરે,બીજો ઘા કરે , ત્રીજો ઘા જયારે કરવા જાય ત્યારે લીંબડા ની સૌથી ઊંચી ડાળ પર નજર કરજે અને આ ખંડિત તાવો જમીન પર ઊંધો ઢાંકી દેજે, તાવો ઊંધો ઢાંકતા જ આખા લીંબડા ને સિપાઈઓ સાથે જમીન માં ઉભે ઉભો ઉતારી ના દઉં ને તો તો તારી મેલડી નઈ કાનીયા."

હવે બીજે દિવસે સવારે ધોળકાના સિપાઈઓ લીંબડો કાપવા આવે છે. સિપાઈઓ કાપવા નું ચાલુ કરે છે. અને માં મેલડી એ કહ્યા પ્રમાણે કાનીયો થોડેક ખંડિત તાવો લઈને ઉભો રહી જાય છે.સિપાઈઓ એક ઘા, બીજો ઘા, અને ત્રીજો ઘા જ્યાં કરે છે ત્યાંતો કાનીયા જોગી લીંબડાની સૌથી ઊંચી ડાળ પર નજર કરી તાવો ઊંધો ઢાંકી દે છે, ત્યાંતો અખોયલીંબડોઃ સિપાઈઓ ને લઈને જમીન માં ઉતારી જાય છે અને જમીન હતી એવી થઇ જાય છે,આ બધું જોઈ બીજા સિપાઈઓ ડોલક તરફ ભાગવા લાગે છે. અને કાનીયો જોગી માં ને સમરણ કરે છે કે આ સિપાઈઓ ધોળકા જઈને ખાન વજીર ને વાત કરશે તો મને જેલ માં પુરી દેશે. માં મેલડી બોલ્યા કે"સંભાળ કાનીયા ખાન વજીર ને આવતા પહેલા આખો લીંબડો પાછો ઊબો કરી દઉં તો હું તારી મેલડી.

પાંચ ગયેલા સિપાઈઓ એ ખાન વજીર ને આ વાત ની જાણ કરી કે કાનીયો કોઈ જાદુગર લાગે છે. લીમડા ને સિપાઈઓ સાથે આખો જમીન માં ઉતારી દીધો ,આ સાંભળી ભરી ભધુંકે ખાન વજીર કાનીયા જોગીને ત્યાં આવે છે. આવીને જયારેસિપાઈઓ અને ખાન વજીર જોવે છે તો લીલો છમ લીંબડો ઉભો છે. કોઈને માન્ય માં નથી આવતું એટલે કાનીયો જોગી કોઈ જાદુગર હોય એવું લાગે છે. ખાન વજીર એને બંધક બનાવીને કારાગુહઃ માં પુરી દે છે અને કહે છે કે જો દિવસ ઉંઘે તે પહેલા તારી મેલડી તને છોડાવી જાય તો તારી મેલડી સાચી છે એમ માનીયે. નહીતો તારી ચાંબળી ઉતારી દઈશ. પછી તો કહેવાય છે કે રાત્રે બાર વાગતા કાનીયો જોગી માં મેલડી ને કારાગૃહ માથી પોકાર કરે છે, એટલે માં મેલડી સવા વેંત ની નાગણી બની ખાન વજીર ની બેગમો જ્યાં સૂતી હતી ત્યાં રાણી વાસ માં આવે છે ,અને બધી બેગમો ધુણવા લાગે છે. પછી કોઈ સૈનિકે જઈને ખાન વજીર ને વાત કરી, ત્યાંતો ખાન વજીર ખુલ્લી તલવાર લઈને આવે છે. આવીને જોવે છે તો બધી રાણીઓ ધુણતા ધુણતા બોલે છે કે હું કાનીયા જોગીની મેલડી ,હું કાનીયા જોગી ની મેલડી , ત્યાંતો બીજા સૈનિકો આવીને કહે છે કે આપણા ઘોડા અને હાથીઓ પણ ધૂણે છે. માં મેલડીએ ધોળકા માં રમત માંડી છે, આટલું બાકી હતું ત્યાંતો ઘોડિયા માં સુતેલા 6-6 મહિના ના બાળકો પણ ધુણવા લાગે છે.

એટલે  ખાન વજીર સમજી ગયો કે આ બધું કાનીય જોગી ને લીધે થયું છે.કારાગૃહ માં આવીને એણે કાનીયા જોગીને કહ્યું કેતારી દેવ ને તું પછી વાળી લે. એટલે કાનીયો જોગી બોલ્યો કે"મહારાજ એમ હવે મારી મેલડી પછી ના વડે ,તે કહે તેમ તમારે કરવું પડે,નહીંતર પાછી ના વડે, ત્યારે ખાન વજીર કાનીયા ઓઆસે બેસી ગયા અને બોલ્યા કે "આજે તું કહે અને તારી મેલડી કહે તેમ હું કરવા તૈયાર છું,આ ધુણવાનું બંધ કરાવ ,ત્યાં તો કાનીયા જોગીના કોઠે માં મેલડી આવી ને બોલ્યા કે"હે ધોળકા ના ધણી ,જો બધાંયને ધુણતા બંધ કરાવા હોયતો મને માં મેલડી ને તારા ધોળકા માં બેસાડ , "પછી તો ખાન વજીર માં મેલડી ને ધોળકા માં બેસાડે છે અને અને ધૂપ દીપ ભક્તિ કરે છે.

 

આવા ઇતિહાસ જોવા અમારી યૂટ્યૂબ ચૅનલ

 A ONE GUJARATI 

                                           પર વિઝિટ કરો

 

 








ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...