બુધવાર, 28 સપ્ટેમ્બર, 2022

ધના ડોશી ની મેલડીનો પરચો ,માં મેલડીએ મુસલમાનના પેટમાંથી બકરો બહાર કાઢ્યો

માં મેલડીએ મુસલમાનના પેટમાંથી બકરો બહાર કાઢ્યો,

ધના ડોશી ની મેલડીનો પરચો 

ધના ડોશી ની ધાવડી માં 

 

નમસ્કાર મિત્રો,  આજે આપણે ધનબાની ધાવડી મેલડીમાના પરચા ની વાત કરીશું, ધંધુકાથી અમદાવાદ તરફ જતા રાયકા ગામની પહેલા રેલવે ફાટક પાસે નાનકડું એવું ધાવડીમાં નું મંદિર છે, જ્યાં હિન્દૂ નહિ પણ મુસલમાન માં ધાવડીનો તાવો કરે છે,

એની પાછળના ઇતિહાસ ની વાત કરીએ તો ઘણાય વર્ષો પહેલા અંગ્રેજોના શાસનકાળ ના સમયમાં ધંધુકાની બાજુમાં આવેલા ખડોલ ગામમાં ચેખલીયા દેવીપૂજકોનો વસવાટ હતો , તેમના નેહડામાં એક ધના ડોશી રહેતા હતા , આ ધનાબા લગ્ન કરીને આવ્યા ત્યારે પિયરમાથી બાપદાદાની દેવી એવી ભગવતી માં મેલડીનો એક કરંડિયો સાથે લઈને આવેલા, અને મેલડીમાની રોજ ધૂપ દીપ કરીને સેવા પૂજા કરતા, ધના ડોશી મેલડીમાં ને લાડથી ધાવડીમાં કહેતા , સમય જતા ધનાબા તેમની શેર માટીની ખોટ પુરી કરવા ધાવડી માને અરજ કરે છે અને બુટીઓ બોકડો માતાજીના આંગણે રમતો મુકવાની માનતા રાખે છે, અને સમય થતા ધાવડી માં ધનાબા ને દેવ જેવો દીકરો આપે છે, અને માનતા પ્રમાણે ધનાબા એક બુટીઓ બોકડો ,જેનું નામ જમનીયો હતું એને માતાજીના આંગણે રમતો મૂકે છે,

પછીતો જગદંબા માં મેલડીને "ધનાબાની ધાવડીમાં " એવું જગતમાં નામ અમર રાખવું હશે અને પરચા પૂરીને જગતમાં એમનો મહિમા વધારવો હશે એટલે માતાજી લીલાઓ કરે છે, એ સમયમાં અંગ્રેજોના શાસનકાળ માં લીમડી સ્ટેટ માં ઠાકોરસાહેબના તાંબાની અંદર બે મુસલમાન જમાદાર નોકરી કરતા હતા, એક દિવસ એમની રાતની ચોકી હતી, અને ઘોડા લઈને ફરતા ફરતા તેઓ ખડોલ ગામના પાદરમાંથી નીકળે છે, બરોબર એજ સમયે અડધી રાત્રે ધનાબાની ધાવડીમાંનો જમનીઓ બુટીયો છૂટો થઇને રમતો રમતો ગામના પાદરે પહોંચી જાય છે, એવામાં પસાર થઇ રહેલા મુસલમાન સિપાઈઓની નજર આ જમનીયા બુટીયા પર પડી અને એમની દાનત બગડી, અને લઇ જઈને રાંધીને ખાવાનો વિચાર કર્યો, પછીતો બોકડાને ઉપાડીને ધંધુકાની સીમમાં લઇ ગયા જ્યાં આજે માતાજીની મંદિર છે, ત્યાં પહેલા વેરાન વગાડો હતો , ત્યાં લઇ જઈને બોકડાને કાપ્યો , અને રાંધીને સાત આઠ જણા ભેગા થઈને ભોજન કરી ગયા,

બીજે દિવસે ધના ડોશી જાગ્યા અને આંગણા માં જોયું તો જમનીયો દેખાતો નથી, આખા ગામમાં ફર્યા પણ જમનીયો બુટીઓ ક્યાંય જડતઓ નથી, આમને આમ દિવસ આથમી ગયો, થાકીને ઘરે આવ્યા અને માતાજીના મઢ પાસે જઈને બે હાથ જોડીને બોલ્યા કે "હે ધાવડીમાં ,મારા બાપના ધર્મની દેવી, માતાજી આજે તારો બુટીઓ ક્યાં ગયો, એને કોણ લઇ ગયું હશે, હું કાળી વૅલ ની દીકરી તને પોકાર કરૂ છું,  હે માં એ બુટીઓ તારો હતો ,મારો નહિ, મેં તો તારા આંગણે એને રમતો મુક્યો હતો, માં મારી વ્હારે આવો ,માં ધાવડી મારી ધા સાંભળીને ઝટ વ્હારે આવો,"

પછીતો ધનાબા જમનીયા બુટીયાના વિરહમાં ને વિરહમાં માતાજીને ઠપકો આપે છે અને કહે છે કે "માતાજી તું તારો બુટીઓ ના સાચવી શકી?, હવે તો તારા મઢે તાળા દેવા પડશે, નહીતો મારા બાપની દેવીને રાત્રે કોક ઉપાડી જશે, મારી દેવી આંધળી થઇ ગઈ છે,"  આ બધું સાંભળી તેમની નાતના લોકો બોલ્યા કે ધનાબા માતાજીને આવું મેણું ના મરાય, માતાજીતો દયાળુ છે, ધના દોશી બોલ્યા કે "માતાજી ભલે દયાળુ હોય પણ મને લાગે છે કે અત્યારે કોઈ મેલી સાધનાનો સાધેલ વાદીળો મોરલીના તાલે મારી દેવીને લઇ ગયો લાગે છે કાંતો જુનાગઢનો કોઈ જોગીડો ચલમ પિતાની સાથેજ એને ઉતારી ગ્યો લાગે છે, જ્યાં સુધી મારો જમનીયો ઘરે પાછો નહિ આવે ત્યાં સુધી હું અન્નપાણી નહિ લઉં," 

આમ કરતા કરતા ત્રણ દિવસ થઇ ગયા પણ જમનીયો ક્યાંક જડતો નથી , એટલે ધનાબા ને મનમાં વિચાર આવ્યો કે જો જમનીયો આ જગતમાં જીવતો હોત તો ઘરે પાછો આવ્યા વગર ના રહે, એટલે ધનાબાએ મઢમાં પાટ માંડીને હાથમાં મુઠી દાણા લઈને કહ્યું કે "હે માં ધાવડી જો જમનીયો બુટીયો જીવતો ના હોય અને જગતનો કોઈ માનવી એના ગળા માથે સરી માંડી ગયો હોય તો આ મુઠી જારના દાણા નાખું છું, અને પડતાજ 16,33 અને  51 આપે ને તો હું માનું કે ધનાની ધાવડી બોલી હતી," આમ ત્રણ ચપટી નાખી ત્યાં 16,33,51 એ માતા ઉભી રહી, માતાજીએ કહ્યું કે આનો જવાબ હું તને કાલે આપીશ, પછીતો રાત્રે ધનાબાના સપનામાં ધાવડીમાં આવ્યા અને ધનાબા બોલ્યા કે  "માંડી તારા બુટીયાને કોઈક હજમ કરી ગ્યું લાગે, આનો મને જવાબ દે માંડી, " ધાવડી માં બોલ્યા કે "હા ધના ડોશી ,જમનીયા બુટીયાને જમાદાર જમી ગયા છે, એને મારી નાખ્યો છે, પણ એ બુટીયો હું એમને હજમ થવા દઉં તો હું ધાવડી નહિ, ત્રણ દિવસમાં હું એમના પેટમાંથી બુટીયાને ઓકાવી નાખું તો જાણજે કે ધના ડોશીની ધાવડી બોલી હતી , હે ધના ડોશી બુટીયા પ્રત્યેનો તારો આટલો બધો વટ જોઈને હું ધાવડી તારી પર રાજી થઇ છું, "

પછી તો  જગદંબાએ લીલા કરી અને જે સાત જણા બુટીયા ને હજમ કરી ગયેલા એમને માતાજીએ અડધી રાત્રે ખાટલામાંથી નીચે પછાડ્યા ,સાતેયને પેટમાં પીડા ઉપડી અને ઓકવા લાગ્યા ,સવાર પડતાજ સાતેય જણા ધના ડોશીની પાસે આવ્યા અને કરગરવા લાગ્યા ,ધનાબા બોલ્યા કે જમાદાર તમે બહુ મોટી ભૂલ કરી છે, માતાજીનો બુટીયો માર્યો છે એટલે આજે આ ધાન ઓકવાનો વારો આવ્યો છે, "સાતેય જણ માં ધાવડીના શરણે પડે છે અને બે હાથ જોડી માફી માગે છે અને માતાજી જેમ કહેશે તેમ કરવા તૈયાર થાય છે, "

ત્યાંતો ધનાબા ના કોઠે સોળેય કળાએ માં ધાવડી ધુણવા આવે છે અને સાતેય જણાને માફ કરતા કહ્યું કે જ્યાં તમે બુટીયો વધેર્યો હતો ત્યાં મારુ સ્થાપન કરી મંડાણ માંડજો , અને મારી પૂજા કરીને પાટ માંડજો ,તમારે સાતેય જણાએ વરસમાં સાત વાર મારા તાવા કરવા આવવું પડશે , હું કોણ ,હું મેલડી બોલું, ધના ડોશીની ધાવડી બોલું, "

આમ સાતેય જણાએ માફી માંગી અને માતાજીએ કહ્યા પ્રમાણેજ કરવાની હા પાડી,

આમ જગદંબાએ પરગટ પરચા પૂર્યા, અને બુટીયાને સજીવન કર્યો ,


 

 

શનિવાર, 24 સપ્ટેમ્બર, 2022

ઇકબાલ ની ની વાર્તા ,Ikbal ni meldi maa no itihas

 ઇકબાલ ની  ની વાર્તા ,Ikbal ni meldi maa no itihas 

નમસ્કાર મિત્રો ,આજે આપણે એક મુસલમાન એવા ઇકબાલ ની માં મેલડી ના ઇતિહાસની વાત કરીશું, મિત્રો જગદંબા માં મેલડી માત્ર હિન્દુઓંનીજ દેવ છે એવું નથી ,આ જગત માં એવા ઘણાય પરચા માં મલેડીએ પૂર્યા છે અને સાબિત કરી દીધું કે મેલડી માં હિન્દૂ હોય કે મુસલમાન ,તે તો આખાય જગતની માં છે, 

એવાજ એક પરચાની વાત કરીએ તો રાજકોટ માં આવેલા પારેવડી ચોકમાં ઇકબાલ નામનો મુસલમાનનો દીકરો તેની પત્ની અને ત્રણ બાળકો સાથે એક નાનકડી ઓરડી માં રહેતો હતો, સંતાનમાં તેને બે દીકરીઓ અને સૌથી નાનો એક પાંચેક વર્ષ નો દીકરો હતો, તેને માથે 70 એક લાખ નું દેવું થઇ જાય છે અને લેણદારો મારુ મારુ કરી રહ્યા હોય છે, અને દિવસે દિવસે ઘરમાં ગરીબાઈ વધતી જાય છે, એટલે તેઓ પારેવડી ચોક છોડી ભગવતી પુરામાં રહેવા જતો રહ્યા,

 એક દિવસ એવું બન્યું કે તેના એકના એક દીકરા ને ધગધગતો તાવ ચડે છે, એટલે તેની પત્ની બોલી કે લેણદારો તો તમને જયારે મળશે ત્યારે તમને મારશે પણ જો આ દીકરાને દવાખાને નઈ લઇ જઈએ તો તે જરૂર મરી જશે, આમ કહી માથે મીઠાના પાણીના પોતા મૂકીને જેમતેમ રાત નીકાળી અને બીજે દિવસે સવારે તેની પત્ની અને દીકરાને સાયકલ પર લઈને લેણિયાતથી છુપાઈને સરકારી દવાખાને જઈ રહ્યો હોય છે ,ત્યાં તો તેના લેણદારોએ તેને જોઈ ગયા અને એને પકડીને પૂછ્યું કે "તું પૈસા ક્યારે પાછા આપવાનો છે બોલ, અમે પૈસા લીધા વગર તો તને નહીંજ છોડીએ ઇકબાલ"  એટલું સાંભળીને ઇકબાલ અને એની પત્ની લેણદારોના પગમાં પડીને અરજ કરતા કહે છે કે "અમે તમારા પૈસા જરૂર આપી દઇશુ, પણ આજે અમારો દીકરો સખત બીમાર છે, એને ધગધગતો તાવ ચડ્યો છે, જો એને  દવા નહિ કરાવીએ તો એ મરી જશે,એટલે મહેરબાની કરીને અમને પહેલી તારીખ સુધીનો સમય આપો ,અમે તમને બધા પૈસા ચૂકવી દઈશું," 

એટલું સાંભળતા લેણદારો માંથી એક ભાઈ બોલ્યો કે "એને જવા દો, આજે એનો દીકરો બીમાર છે, પહેલી તારીખ સુધીનો સમય આપી જુઓ એને, " આમ કહી એણે દીકરાની દવા કરાવી અને ઘરે ગયો,

આમ ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા , ઇકબાલના ઘરે ગરીબાઈએ ભરડો લઇ લીધેલો ,અને રોજ ઇકબાલ મનમાં ને મનમાં ચિંતા કરવા લાગ્યો કે આટલાં બધાં રૂપિયા લાવીશ ક્યાંથી,"

એવામાં એક રાત્રે ઇકબાલના મનમાં વિચારે છે કે લેણદારો ના હાથે મરવું એના કરતા હું જાતેજ મારી જિંદગી ટૂંકાવી દઉં, આમ મરી જવાનો વિચાર કરે છે, અને ઉઠીને તેની પત્ની અને બાળકોને જોઈને રડી પડ્યો અને રડતી આંખે ઝુંપડીની બહાર નીકળી ચાલતો થઇ ગયો, ચાલતા ચાલતા પારેવડી ચોક પહોંચે છે, આ પારેવડી ચોકની વચ્ચે માં મેલડીની નાનકડી એક દેરી હતી, અંદર મેલડીમાંનો ફોટો રાખેલો હતો, ઇકબાલ આ દેરી પાસે આવીને માં મેલડી સામે જોઈને રડતા રડતા બોલ્યો કે "હે માંડી, તું હિન્દુઓની માતા છો, માં તું હિન્દુઓના તો કામ કરેજ છે, પણ આજે માંડી તારે આ મુસલમાનનું કામ કરવાનું છે, માંડી  હિંદુઓ કેવી રીતે પગે લાગે એતો મને નથી આવડતું ,આખીય જિંદગી મેં સલામજ કરી છે, "

આમ બે હાથ જોડી એટલું બોલ્યો કે "હે માંડી હું એક દેવાદાર થઇ ગયો છો, હુ ભિખારી બની ગયો છું ,અને હમણાંજ થોડાજ સમયમાં હું મરી જઈશ, હું મરવા જય રહ્યો છું, પણ મારી ઝૂંપડીમાં મારા નાના ત્રણ બાળકો અને મારી પત્ની છે એનું તું ધ્યાન રાખજે માંડી, મારુ દેવું ભરી દે એવું તો હું નથી કહેતો પણ મારી પત્ની બાળકોને લઈને આ રસ્તેથી નીકળે તો ખાલી એમનું ધ્યાન રાખજે માંડી, આટલું કહી ઇકબાલ ચાલતો ચાલતો હાજી ડેમ પર જઈને ચારેક ફૂટની ડેમના દરવાજાની દીવાલ પર ચડીને ખુદાને યાદ કરીને અંદર ઝંપલાવ જ્યાં જાય છે ત્યાં તો કોઈકે પાછળથી એનો કાંઠલો પકડ્યો ,ઇકબાલે તરતજ પાછળ વળીને જોયું તો 80 વરસ ના એક ડોશીમાં હાથમાં લાકડી લઈને ઉભા હતા, ઇકબાલે પૂછ્યું કોણ છો ડોશીમાં તમે,?, ડોશીમા બોલ્યા કે ઇકબાલ તે પારેવડી ચોકમાં માં મેલડીની દેરી પાસે આવીને કીધેલુને કે મારા બાળકોનું ધ્યાન રાખજે, હું એજ પારેવડી ચોકની મેલડી છું દીકરા ઇકબાલ હિન્દૂ હોય કે મુસલમાન હોય પણ મર્યા પહેલા જો એ એના  પરિવારને મારા ખોળામાં નાખે ,તો એને કમોતે મરવા દઉં તો હું મેલડી ના કહેવાઉં, ઇકબાલ તું ઘરે પાછો જા અને કાલે સવારે બજારમાંથી એક શ્રીફળ અને ચુંદળી લઈને મારા નામના ચાંદલા કરીને એક ગોખલામાં બેસાડજે અને મારૂ સ્મરણ કરીને દિવો અને અગરબત્તી કરજે દીકરા, મારા બેસણા તારા ઘરે થાય પછી જો તું પારેવડી ચોકમાં જાય અને કોઈ લેણદાર જો તારી સામે આંખ ઊંચી કરે તો હું એની આંખના લોચન ના છીનવી લૌને તો હું મેલડી નહિ,

બુધવાર, 7 સપ્ટેમ્બર, 2022

 

 

નમસ્કાર મિત્રો ,આજે આપણે સિંધની સધીમાની પ્રગટયકથા ની વાત કરીશું, આશરે ઘણાય વર્ષો પહેલાની આ વાત છે,જયારે ભારત અને પાકિસ્તાન ના ભાગલા પડ્યા ન હતા, ત્યારે ભારત ,પાકિસ્તાન ,બાંગ્લાદેશ આ બધા પ્રદેશ મળીને હિન્દુસ્તાન કહેવાતો હતો એ વખતની આ વાત છે, હાલનું જ્યાં પાકિસ્તાન આવેલું છે પહેલાના સમયમાં એ સિંધ પ્રદેશ કહેવાતો હતો, એ સિંધ મલકમાં હમીર સૂમરો નામનો મુસલમાન રાજા રાજ કરતો હતો, એ ઘણોજ અધર્મી ,અન્યાયી અને પાપી હતો, માલધારીઓની ગાય ભેંસો ને લૂંટતો અને લોકોને મારી નાખતો, આ ખૂંખાર હમીર સુમરોનું કોઈ નામ જ ના લેતું, 

એવામાં સિંધ મલકમાં એક સાઠેક વર્ષની વિધવા બાઈ રહેતી હતી, જેનું નામ લાલબાઈ હતું ,જેની પાસે ઘણી ગાયો અને ભેંસો હતી ,એને રોજ ચરાવવા જતી અને પોતાનું ગુજરાન ચલાવતી, એક દિવસ ગુજરાતના સૌરાષ્ટ્ર માંથી વરૂડીમાં સ્વયં આ સિંધ પ્રદેશમાં સાત વર્ષની દીકરીનું રૂપ લઈને આવે છે, અને આ લાલબાઈ ને મળે છે, અને કહ્યું કે "હે માજી મને સાચવશો?," લાલબાઈએ પૂછ્યું કે "દીકરી તું કોણ છે અને ક્યાંથી આવી છે, " ત્યારે દીકરી બોલી કે "હું વરૂડીમાતા ,ગુજરાતના સૌરાષ્ટ્ર માંથી આવું છું, તારી ગયો ભેંસોને હું સાચવીશ ,પરંતુ તારે મને સાચવવી પડશે," 

 અને કહેવાય છે કે માતાજી બાજુમાં પડેલા એક લાલ પથ્થરમાં અંતર્ધ્યાન થઈને સમાઈ ગયા અને કહ્યું કે હે લાલબાઈ મારી વરૂડીનો પથરો છે આ, તું રોજ અહીંયા આવીને મારા નામની અગરબત્તી કરીને દીવો કરજે, જા આ સિંધ પ્રદેશમાં આજથી હું સિંધની સધી થઈને પુજાઇશ,

પછી તો એક દિવસ હમીર સૂમરોના સાત સિપાઈઓ આ લાલબાઈની 150 ગાયો ચોરીને લઇ જતા હતા , ત્યારે લાલબાઈએ દીવો કરીને માતાજીને એટલુંજ કહ્યું કે હે મારા સિંધની સધી આજે મારી 150 ગાયો આ પાપી હમીર સુમરોના સિપાઈઓ લઇ જાય છે, તું તો કહેતી હતી કે હું કાઠિયાવાડથી સિંધમાં સધી થઈને આવી છું, તો હે માં સધી બતાવી દે આ હમીર સુમરોને તારો પાવર," અને આટલું બોલતાંજ સિંધની સધી પ્રગટ થઇ અને સાત વર્ષની નાની દીકરી નું રૂપ લઇ, હાથમાં લાકડી લાઈને સાતેય સિપાઇઓની સામે આવી, અને 6 સિપાઈઓને મારીને 1 જણાને જીવતો છોડી મુક્યો અને એને કહ્યું કે જા તારા હમીર સૂમરો ને કહેજે કે આ લાલબાઈની ગાયો લેવી હોયને તો પોતે ઘોડે ચડીને આવે, હું પણ જોઈ લઉ એનામાં કેટલું પાણી છે,

પછી તો સિપાઈ હમીર સુમરોને જઈને વાત કરી ,કે તમે ઘણા મંદિરો તોડ્યા હશે ,અને ઘણી માતા જોઈ હશે, પણ આ લાલબાઈ પાસે જે માતા છે એ તો બૌ જબરી અને જોરાવર છે, એને તમને કહ્યુંછે કે જો આ હમીર માં પાણી હોય તો ગાયો લેવા પોતે આવે, 

પછી હમીર સૂમરો 60 ઘોડેસવાર ને લઈને લાલબાઈની ગાયો લૂંટવા આવ્યો, એ વખતે કહેવાય છે કે માતા સધીએ જ્યાં આંખ ઊંચી કરી ત્યાં આંખમાંથી અગન ગોળાનો વરસાદ વરસવા લાગ્યો અને હાથમાં તલવાર લઈને હમીર સુમરાને જ્યાં મારી નાખવા જાય એ જ ક્ષણે હમીર સૂમરો પોતાની પાઘડી ઉતારીને માતાજીના પગમાં પડી ગયો, અને કહ્યું કે હે માં મને ક્ષમા કરજે, મને માફ કરી દેજો, તમે કોણ છો, ત્યારે માતાજીએ કહ્યું કે હું વરુડી , સિંધની સધી થઈને આવી છું, ત્યારે હમીર સૂમરો માતાજીને કહે છે કે હે માં તારા પગમાં પાઘડી ઉતારીને તને પગે લાગુ છું, કે આ લાલ પથરા ની અંદર ના બેસ, માંડી હું અને મારી સિંધણ કકુ તને પૂજીશું, હાલ માંડી મારા મહેલના કાંગરે બેસાડું, અને એ દિવસે માતા સધીએ ખમ્મા કીધી ,અને હમીર સુમરોને કહ્યું કે હું તારા મહેલમાં તો આવું પણ એક શરતે, જે દિવસે તું પાપમાં પગલાં માંડીશ એ દિવસે હું સધી તારી પાસે નહિ રહુ ભઈ" 

પછી કહેવાય છે કે માતાજી મહેલ માં બેઠા, હમીર અને એની પત્ની કકુ બંને સધીમાની રોજ ધૂપ દીપ કરીને સેવા પૂજા કરવા લાગ્યા, હમીર માતાજીનો ભુવો બન્યો અને માતાજી સાથે વેણે વાતો કરવા લાગ્યો, હમીર સૂમરાએ પાપ અને અધર્મ નો રસ્તો છોડી ધર્મ ના માર્ગે વાળ્યો, હમીર ભુવો બન્યા પછી જ્યાં પણ બાધા આપવા જતો ત્યાં બાધા પુરી થયા પછી ત્યાંથી એક ભેંસ લઈને આવતો, એમ કરતા કરતા હમીર કકુ પાસે 150 ભેંસો હતી, આ 150 ભેંસોની રખેવાળી માં સધી પોતે કરતી હતી, પછી માતાજીને પરચા પૂરીને ક્યાંક બેસણા કરવા હશે એટલે પાટણનો રાજા સિદ્ધરાજ આ હમીર કકુ ની 150 ભેંસો ચોરીને પાટણ માં આવે છે, પછી તો માતાજી

રવિવાર, 4 સપ્ટેમ્બર, 2022

ગદાધારી ભીમમાં કેમ હતું 10 હજાર હાથીઓનું બળ? gadadhari bhim ma kem hatu 10000 hathi jetlu bal?

ગદાધારી ભીમમાં કેમ હતું 10 હજાર હાથીઓનું બળ? 

gadadhari bhim ma kem hatu 10000 hathi jetlu bal? 

 

નમસ્કાર મિત્રો, આજે આપણે મહાભારત કાળના બાળવાન એવા ગદાધારી ભીમ ના બળ વિશે જાણીશું, શું તમે જાણો કે આ ગદાધારી ભીમમાં 10 હાજર જેટલા હાથીઓનું  બળ કેવી રીતે આવ્યું?

મિત્રો હસ્તિનાપુર નરેશ એવા પાંડુરાજાને પાંચ પુત્રો હતા જેને પાંડવ કહેવાતા હતા, આ પાંચેય પાંડવ ભાઈ ધર્મ અનુસાર તો પાંડુરાજાના જ પુત્રો હતા પરંતુ આ બધાય ભાઈઓ અલગ અલગ દેવતાઓના સંતાન હતા, જેમાં યુધિષ્ઠિર ભગવાન ધર્મરાજા ના પુત્ર હતા, અર્જુન દેવરાજ ઇન્દ્ર ના પુત્ર હતા, નકુલ સહદેવના અશ્વિનીકુમાર ના સંતાન હતા, અને ભીમ ભગવાન વાયુદેવના પુત્ર હતા,

મિત્રો ભીમ ના બળ વિશેની જાણ તો તેમના બાળપણથીજ થઇ ગયેલી, જયારે ભીમ 2-3 મહિનાના હતા ત્યારે તેમની માતા દેવી કુંતી તેમને ખોળામાં લઈને પાંડુરાજા સાથે કુટિરની બહાર બેઠા હતા,  એવામાં અચાનકજ ત્યાં એક ભયાનક વાઘ આવી ગયો, દેવી કુંતી વાઘને જોઈને ગભરાઈ ગઈ અને ભાગવા લાગી, અને ઉતાવળને કારણે ખોળામાં રહેલો ભીમ નીચે એક મોટા પથ્થર પર પડ્યા, અને પડતાની સાથેજ મોટા પથ્થરના નાના નાના ટુકડા થઇ ગયા અને ભીમને કાંઈ જ વાગ્યું નહિ,અને આ જોઈને દેવી કુંતી અને પાંડુરાજા અચરજ પામી ગયેલા, 

પાંડુરાજાના અવસાન બાદ દેવી કુંતી પાંચેય પાંડવોને લઈને હસ્તિનાપુર જાય છે, અને ત્યાં રમત રમતમાં ભીમ બધાય કૌરવ સાથે ખુબ મારપીટ કરતા અને એકેય કૌરવ આ ભીમનો સામનો ના કરી શકતા, એટલે બધાય કૌરવો કંટાળી ગયા અને દુર્યોધને એક દિવસ છુપાઈને ભીમના ભોજનમાં ઝેર નાખી દીધેલું, ઝેર વાળું ભોજન ખાવાથી ભીમ મુર્શિત થઇ ગયા અને દુર્યોધને ભીમને બાંધીને ગંગા નદીમાં નાખી દીધો, 

ભીમ બેભાન અવસ્થામાંજ નીચે નાગલોક પહોંચી ગયો અને ત્યાંના સાંપો ભીમને મારી નાખવા માટે ડંખ મારવા લાગ્યા, સાંપો ના દાખથી ભીમમાં શરીરમાં રહેલા ઝેરની અસર ખતમ થઇ ગઈ અને ભીમ હોશમાં આવ્યા, અને ચારેય બાજુ જોઈને બધા સાંપો ને મારવા લાગ્યો, સાંપો ગભરાઈને ભાગી ગયા અને જઈને બધી વાત નાગરાજ વાસુકિને કરી , પછી નાગરાજ વાસુકી તેમના સાથીઓ સાથે ભીમ પાસે આવ્યા, નાગરાજ વાસુકીનો એક આર્યક નામનો સાથી ભીમને ઓળખી ગયો, કેમકે આર્યક નાગ એ ભીમ ના નાના નો નાના હતો,એટલે આર્યકે નાગરાજને રોક્યા અને તેમની વિનંતીથી ભીમને નાગલોકના એ કુંડ નો રસ પીવડાવ્યો જે પીવાથી 10 હાજર હાથી જેટલું બળ પ્રાપ્ત થતું હતું, આ રીતેજ મહાબલી ભીમને 10 હાજર હાથી જેટલું બળ મળી ગયેલું,

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...