રવિવાર, 30 જુલાઈ, 2023

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિહત મેલડી ના ઇતિહાસની વાત કરીશુ.  મહેસાણા જિલ્લા ના કડી તાલુકામાં ચુંવાળ પંથકમાં આવેલું ચારોલ ગામ કડી થી 12 km અને મહેસાણાથી આશરે 50 km ના અંતરે આવેલું છે, અહીંયા ભગવતી માં વિહત મેલડીએ ગોપી પટેલને પ્રગટ પરચો આપેલો, 
 
વિહતમાં ના ઈતિહાસ ની વાત કરીએ તો આશરે 450 વર્ષ પહેલાની આ વાત છે, કે જયારે ગોપી પટેલના મઢે માં ભગવતી વિહત મેલડીને બેસાડવાનાં હતા ત્યારે ગોપી પટેલે કહ્યું કે હે માં તું મારા મઢે બેઠી છો, એનું પરમાણ આપજે, ત્યારે માંએ કીધું હતું કે હું તમારા મઢે આવીને બેશુ , એનું પ્રમાણ હું તમને આપું છું, કે હે ગોપી પટેલ અષાઢનો મેહ વરશે અને તમે વાવણી કરવા જાઓ,ત્યારે તેમાં એક ઓરીયું ખાલી રાખજો, તેમાં વાવણી હું કરીશ, અને ગોપી પટેલ તમારું વાવેલું કદાચ આછું આછું ઉગી શકે પણ મારુ વિહતનું વાવેલું કદાચ એકધારું ઉગેને તો માનજો કે હું વિહત મેલડી તારા મઢે બેઠી છું, 
અને કહેવાય છે કે બરોબર અષાઢ નો મેહ વર્ષ્યો અને ખેતરમાં વરાપ થતા ગોપી પટેલ ખેતર ખેડીને વાવણી કરવા ગયેલા અને એમાં એક ઓરીયું બંધ કરી દીધેલું કે જેમાં માં વિહત મેલડીને વાવણી કરવાની હતી, અને પછીતો ખેતરમાં જે અનાજ વાવેલું એની કુંપણો ફૂટે છે, અને માં વિહત મેલડીએ જે અનાજ વાવેલું એ હતી સફેદ તુવેર, અને કહેવાય છે કે આ સફેદ તુવેર સૌપ્રથમ ધરતી પર જો કોઈ લાવનાર હોય તો એ આ મારી વિહત મેલડી માં છે, જેનો ઇતિહાસ સાક્ષી પુરે છે,
ચારોલની માં વિહત મેલડીના બીજા એક પરગટ પરચાની વાત કરીએ તો એ સમયમાં વિરમગામ તાલુકાના પાટડીબજાણા ગામમાં એક ઉડણસિંહ બજાણીયા રહેતો હતો, જે કામરૂદેશની મેલી વિદ્યાનો જાણકાર હતો, પરંતુ એને કોઈ સંતાન ના હતું, તે માં મેલડીનો પણ પરમ ઉપાસક હતો, અને માં મેલડી તેની સાથે પડદે વાતો કરે, પાટડીબજાણા માટેતો ઠીક પણ અજુબાજુનાં ગામમાં જો કોઈ દુઃખ દર્દથી પીડાતું હોય અને એ આ ઉડાનસિંહ ભુવા પાસે આવે તો તેનું દુઃખ દર્દ મટી જાય, પોતે જાતનો બજાણીયો એટલે ગામે ગામ ફરીને રમતો રમે અને જે દાણા પાણી મળે એનાથી ગુજરાન ચલાવતો.
 એને ઘરમાં સાત સાત બૈરાં હતા છતાં પણ તેને શેર માટીની ખોટ હતી.
સમય જતા એક દિવસ તે મઢમાં બેસીને માં મેલડીને અરજ કરે છે કે હે માં મેલડી મારે સાત સાત બૈરાં છે ઘરમાં છતાં પણ મારે કોઈ સંતાન સુખ નથી, માં મારી પર દયા કર, મારુ વાંઝિયામેણું ભાગ માંડી, ત્યારે કહેવાય છે કે માતાજીના દેરા માંથી વાચા ફૂટી અને માં બોલ્યા કે "દીકરા ઉડનસિંહ, આ ધરતી તને જાકારો આપે છે, કાલે સવારે તું અહીંથી ચુંવાળ પંથકમાં જા, ચારોલ ગામમાં તારું વાંઝિયામેણું ભાગશે, "   
આમ માતાજીએ કહ્યા પ્રમાણે બીજો દિવસ ઉગતાજ ઉડણસિંહ કુટુંબ કબીલા ને ગાડાંમાં લઈને ત્યાથી ચુંવાળ પંથક તરફ હાલી નીકળે છે, રસ્તામાં ગાડું ધીમે ધીમે આગળ ચાલ્યું જાય છે ,ત્યાં આ બાજુ માતા મેલડીને એમ થયું કે મારો ઉડણસિંહ મને જાણે છે કે નહિ, લાવને હું જઈને જોઉં તો ખરી કે એને મારી પર શ્રદ્ધા ને વિશ્વાસ છે કે નહિ. આમ વિચારી માં મેલડી તે દિવસે ઉડણસિંહ બજાણીયાનું પારખું કરવા માતાજી એક 80 વર્ષની ડોશીમાનું રૂપ લઈને હાથમાં એક લાકડી લઈને ડગુમગુ થાતાં ઉડણસિંહ નું ગાડું રોકે છે અને કહે છે કે ઓ ભાઈ ગાડાવાળા તારું ગાડું જરાક ઉભું રાખલે બાપલીયા, મને ચારોલ ગામ સુધી બેસાડી લેને દીકરા," ત્યાંતો ઉડણસિંહ બોલ્યા કે ડોશી આ મારા ગાડાંમાં મારા સાત બૈરાં અને ઘણોબધો સામાન ભરેલો છે,  તમને બેસાડવા માટે ગાડાંમાં જરાય જગ્યા નથી, હાલો હાલો ગાડાં આગળથી ખસી જાઓ મારે જવાનું મોડું થાય છે, આમ કહીને ઉડણસિંહએ ડોશીને બેસાડ્યા નહિ અને ત્યાંથી આગળ ગાડું હંકારી દીધું, અને માતાજી ત્યાંથી અલોપ થઇ ગયા, 
પછી તો આગળ જઈને માતાજીએ એક 16 વર્ષની સુંદરી નું રૂપ લીધું અને વિચાર્યું કે  જો આજે મને ઉડણસિંહ ઓળખી જાય તો એ માંગે એ એને આપી દઉં, આમ એકસુંદરીનું રૂપ લઈને માતાજી ઉડણસિંહના ગાડાં ની આગળ આવીને બોલ્યા કે "ઓ ભાઈ મારે આમ ચારોલ ગામ સુધી જાઉં છે તો મને તમારા ગાડાંમાં બેસાડોને," એટલું સાંભળતા ઉડણસિંહએ ગાડું ઉભું રાખ્યું અને કહુય કે લ્યો બેસી જાઓ ત્યારે ,પણ જોજો સરખા બેસજો નહીતો ગાડું ઉલળી જશે, આટલું સાંભળતા માતાજી અસલી રૂપમાં આવી ગયા અને ક્રોધે ભરાઈને બોલ્યા કે અલ્યા ઉડણસિંહ તે મને ઓળખી નહિ? હું માતા મેલડી છું, આજે તે મારી મશ્કરી કરીને મને જાકારો આપ્યો છે, એટલે આજથી મારા ને તારા અન્નજળ પુરા થયા, હું અહીંથી પાછી પાટડીબજાણા પછી જાઉં છું, પણ વાંઝિયામેણું ભાંગવાનું મારુ આપેલું તને વચન ચારોલ માં બેઠેલી માતા વિહત પૂરું કરશે, આમ ઉડણસિંહતો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને બે હાથ જોડીને માતાજીને મનાવવા લાગ્યો પણ માતાજી તો ત્યાંથી અદૃશ્ય થઇ ગયા, 
પછી તો ત્યાંથી આગળ ચાલતા ચાલતા ડોલણ તલાવડી પાસે આવે છે ને ત્યાં તેના બળદગાડાં નું ધોંશરૂ તૂટી ગ્યું. કુટુંબ કબીલો અને માલ સામાન ત્યાં તળાવની પારે ઉતારીને ગાડું ખાલી કર્યું અને ઉડણસિંહ ચારોલ ગામમાંથી નવું ધોંસરું લઇ આવ્યા અને બદલ્યું, અને જુના ધોંસરાનો ત્યાં તલાવડીની પારે ઘા કર્યો અને તે ધોંસરું ત્યાં પાર પર ખૂંચી રહ્યું , હવે માં વિહતને કૈક પરચા પૂરીને જગતમાં એમનો મહિમા વધારવો હશે .
આમ કરતા કરતા તેઓ ચારોલ ગામ આવ્યા અને ત્યાં તેમની બજાણીયા ની રમત શરુ કરી,પછી તો એણે ચારોલ ના ગોપી પટેલને અરજ કરી કે બાપા મારે સાત સાત બૈરાં છે તો પણ મારે એકેય સંતાન નથી, તમે ચારોલ ની માતા વિહતને અરજ કરીને કહોને કે અમારું વાંઝિયામેણું ભાંગે, અમે મોટી આશા લઈને તમારે શરણે આવ્યા છીએ બાપા, 
આમ બાષા ભેગા થઈને માતા વિહતના મઢ માં આવીને પાટ માંડે છે, અને ગોપી પટેલના કોઠે હાકોટા કરતી માતા વિહત આવે છે, ઉડણસિંહ અને એના સાત બૈરાં સૌ સાથે મળીને માતાજીને અરજ કરે છે એટલે માતાજી બોલ્યા કે ખમ્મા દીકરા ઉડણસિંહ, જ હું તને એક નહિ પણ તારી સાતેય બાઈઓને એક એક દીકરો ના આપું તો હું ગોપી પટેલની માતા વિહત નહિ, "ત્યાંતો સભામાં બેઠેલા લોકો બોલ્યા કે પરંતુ માંડી એનું કંઈક પરમં આપો માંડી, એટલે માતા વિહત કહે છે કે તારા ગાડાંનું ભાંગેલું ધોંસરું જે ડોલણ તલાવડીની પારે ફેંક્યું છે એ કાલે સવારે જઈને જોજે એમાં વડની કુપણું ફૂટી હોય તો જાણજે કે માતા વિહત બોલી હતી, 
પછી તો કહેવાય છે કે બીજા દિવસે સવારે ઉડણસિંહ ડોલણ તલાવડીની પારે જઈને જુએ છે તો સૂકા ભઠ ફેંકેલા ધોંસરા માં વડની કુંપણો ફૂટી છે, આ જોઈને તેને હરખનો પાર ના રહ્યો, અને ત્યારથી માં વિહત ધોંહરિયા વડ વાળી વિહત તરીકે ઓળખાઈ, 
અને સમય થતા ઉડણસિંહને ઘેર એક પછી એક સાતેય બાઈઓને સાત દિરકાઓ જન્મ્યા, આમ પટેલના મુખેથી માં વિહત બોલ્યા એ વાણી સાચી પડી અને  ઉડણસિંહના ઘરે સોનાનો સૂરજ ઉગ્યો, પછી તો દીકરાઓ થોડા મોટા થયા એટલે ઉડણસિંહએ માતાજી ના મઢે આવીને માતાજી ના નૈવેદ્ય કર્યા, જાતર કરી અને જગદંબાના ગુણ ગવાયા. 
તો આ હતો ચરોલની ગોપી પટેલની વિહતમાં, ધોંહરિયા વડવાળી વિહતમાંનો પ્રગટ પરચાનો ઇતિહાસ.  

ગુરુવાર, 27 જુલાઈ, 2023

ઇન્દ્રોડા ની માં વિહત મેલડી નો ઇતિહાસ

 ઇન્દ્રોડા ની માં વિહત મેલડી નો ઇતિહાસ 

નમસ્કાર મિત્રો ,આજે આપણે ઇન્દ્રોડા ગામના માં વિહતમાંના ઇતિહાસ વિષે વાત કરીશું, 

ઘણાય વર્ષો પહેલાની આ વાત છે, એ સમયે ગાંધીનગર ના પીપળજ ગામમાં દેઉસણા ના બાર શાખ ના રબારીઓ આવીને વસવાટ કરેલો, અને તે વખતે દેઉસણા ના જીવણ બારની માતા વિહત મેલડી પણ તેમની સાથે આવ્યા અને પીપળજ ગામમાં આવીને વસ્યા,

સમય જતા પીપળજ ગામના બાર રબારી ને ઘેર એજ દીકરી હતી એ દીકરીનું સગપણ ગાંધીનગર પાસે આવેલા બોરીજ ગામના લુણી શાખના રબારી ના ઘરમાં કરેલું, સામી થતા દીકરીના લગ્ન કરીને એને બોરીજ ગમે વળાવી.તે દિરકી માતા વિહત મેલડી ની જયોત સાથે બોરીજ ગામ લઇ ગઈ અને  માતાજીની સેવા પૂજા કરવા લાગી, સમય જતા માતાજીએ લૂણી રબારીઓને ઘણા પરચા આપ્યા , પછી તો કહેવાય છે કે બોરીજ માં લૂણી રબારીઓએ માતા વિહત મેલડી ની સ્થાપના કરી લૂણી રબારીઓના ધાર્યા સૌ કામ માં પાર પાડવા લાગી, 

સમય જતા એમના બે દીકરામાંથી એક દીકરો જીવરાજ લૂણી બોરીજમાંથી ઇન્દ્રોડા આવીને વસ્યા અને એમની સાથે માં વિહત મેલડી બોરિજથી ઈન્દ્રોડા આવીને વસ્યા, જીવરાજ લૂણી ના દીકરા ભગવાન લુણી, અને ભગવાન લૂણી ના દીકરા માધા લૂણી ને માતા વિહત મેલડી ધુણવા આવે છે,

એક વખતની વાત છે , મધ લૂણી અને એમના ભાઈબંધ લાલો લૂણી વિચારે છે કે ચાલો આપણે ઇડરવાડ માં ભુવાપણી કરવા જઈએ, અને ઇડરવાડમાં મેઢાસરમાં ભુવાપણી કરવા ગયા, આખી રાત ડાક ડમ્મર વાગ્યા અને ધૂણ્યાં, ઘડીક આરામ કર્યો  અને પરોડીએ ઉઠીને લાલા લુણી હાથમાં લોટો લઈને ગામના પાદર તરફ જાય છે, વચ્ચે એક દરબારનું ઘર હતું, એ દરબાર લાલા લુણી ને ઘરમાં લઇ જઈને કહ્યું કે લાલા લુણી તમારા માતા ને બતાઓ તો આ ઘરની બહાર નીકળવા દઉં, આમ માથાભારે દરબારે લાલા લુણી ને ઘરમાં પૂર્યા, પછી દરબારે બાજુમાં પડેલી એક સાંકળ ના આંકડા છુટા કરી દીધા અને લાલ લુણીને આપી અને કહ્યું કે તારી માતા જબરી હોય તો આ સાંકળ ના આંકડા મેં તોડી નાખ્યા છે એ બધા સરખા કરી દે અને પહેલા જેવી સાંકળ થઇ જાય તો તમારી માતા સાચી ,નહીતો હું આજે તમને છોડવાનો  નથી,પછી તો લાલા ભુવા ને માથે પરસેવો વળ્યો અને માં વિહત મેલડી નેબે હાથ જોડીને અરજી કરી કે હે માં ,મારા દેઉસણા ના જીવન બારની વિહત જો સમયસર નહિ આવે તો   મને આ દરબાર જીવતો નહિ મેલે, 

આમ તે દિવસે લાલા લુણી ની વાત સાંભળી માતા એના કોઠે હાકોટો કરીને ધુણવા આવી અને સાંકળ ના આંકડા હાથમાં પકડે ત્યાંતો એક પછી એક  ફટોફટ જોડાવા લાગ્યા અને સાંકળ દરબાર તરફ છૂટી ફેંકી અને કહ્યું કે અલ્યા દરબાર હું વિહત બોલું છું, લે લે આ સાંકળ તારી છે કે બીજી છે, તે દિવસે માં દરબાર ને હાકોટો કરીને બોલી કે દરબાર હું તને મેલું નહિ, અને મેલું તો દેઉસણા ના પાદરનું દેરું નહિ,પછી તો દરબાર બે હાથ ને ત્રીજું માથું નમાવીને કગરી પડ્યો કે માં મારી ભૂલ થઇ ગઈ, આજ પછી હવે કોઈ દેવ કે ભુવાનું પારખું નહિ લઉ,

પછી માં બોલી કે હે દરબાર આજથી તું મને એક વેણ આપ કે આજથી કોઈ રબારી કે ગમે તે દેવના ભુવાનું  પારખું નહિ લે, કોઈ દેવની મશ્કરી કરે નહિ એવું મને વેણ આપજે.

સમય જતા માધા લૂણી ને એક દીકરો હતો , જેનું નામ કાળો હતું, 

માતાજીની અસીમ  કૃપાથી કાળાભાઈ ને બે દીકરા થયા ,ગફુલભાઈ અને બળદેવભાઈ ,જેમાં બળદેવભાઈ મોટા .  એક વખત કાળા લૂણી ને ધુણવા બેસાડયા ,પરંતુ માતાજી એમના કોઠે ના આવતા એમના દીકરા બળદેવ લુણી ના કોઠે માતા વિહત ધુણવા આવી, અને માતાજીએ કહ્યું કે હું માધા લુણી ની વિહત આવી છું, હું દેઉસણા ના બારનું દેરું બોલું છું લ્યા, પછી તો બળદેવભાઈને ગાદીમાં લાવીને બેસાડ્યા, અને ત્યાં સભામાં લાલા લુણી પણ બેઠા હતા તેઓ બોલ્યા કે હે માં જો તું મારી લુણી ની વિહત બળદેવને ધૂણવા આવી હોય તો હું માંગુ એ ધીજ આપવી પડશે, તોજ તને જાણશું, ત્યારે માં વિહત કહે છે કે જાઓ તમે કોઈ એક નદીનું નામ વિચારો અને હું ના કહી દઉં તો હું માધા લુણી ની વિહત ના કહેવાઉં લ્યા, "

પછી તો સભામાંથી બે લોકો બહાર જઈને મહીસાગર નદીનું નામ નક્કી કરે છે, અને સભામાં આવીને બેઠા, ત્યાંતો બળદેવના કોઠે ધુણતા માં વિહત બોલ્યા કે રબારીઓ મને મહીસાગર નદી દેખાય છે, આમ ત્યારે બલદેવ લુણીને પ્યાલો પાયો, અને ત્યારથી બલદેવ લૂણી ની ભુવાપણી ચાલુ થઇ, 

એક વખતની વાત છે, બલદેવ લૂણી ભુવાપણી કરવા વાણીયાની સાથે ઢેબર તળાવે જાય છે, તેમની સાથે શેડફા ના કનુ ભુવાજી પણ હતા , ત્યાં એક બાઈ રહેતી હતી જે કામરૂદેશ ની મેલી વિદ્યાની પારંગત હતી, તે જાતની કુંભાર હતી,  આમ આ ત્રણેય જણા ઢેબર તળાવે ઉતર્યા , એટલે પેલી કુંભાર ની બાઈ ત્યાં આવીને બલદેવ ભુવાને કહ્યું કે ભુવાજી ચેતન થઈને ઉંઘજો, રાત્રે જેટલું ચેતવું હોય એટલું ચેતજો, રાત્રે હું તમારી જીભ કાપી લેવાની છું, પરંતુ બલદેવ ભુવાને મનમાં વિશ્વાસ હતો કે વડની દેવી વિહત જો મારી સાથે આવી હશેને તો મને આંચ આવવા દેશે નહિ, એમ કહીને ત્રણેય ત્યાંજ રાતવાસો કરે છે, રાત્રે પેલી બાઈએ કામરૂદેશની મેલી વિદ્યાથી બળદેવ ભુવા પર જાદુ કર્યો અને એમની જીભ બંદ થઈ ગઈ,પછી તો એમનાથી કઈ બોલાયું નહિ એટલે ત્રણેય જણા ગભરાઈ ગયા, પછી બલદેવ ભુવા મનમાં માં ને અરજ કરે છે કે હે મારી દેઉસણા ના પાધરની દેવી મારી રક્ષા કરજો, અને કહેવાય છે કે એ દિવસે વિહતમાં બળદેવ ભુવાની સન્મુખ આવેલા અને કહ્યું કે બળદેવ તમે શુખ શાંતિથી ઊંઘી રહો, હું પોહંચુ છું પેલા કુંભારની બાઈ ના ઘેર, અને દિવસ ઉગે ને એને કગરતી લઈને તારા પગે પાડું તો એની પાસે એક વેણ લઇ લેજો કે જગતમાંથી કોઈ ભુવા આ ઢેબરે આવે તો કોઈ પર આવી મેલી વિદ્યા ના કરતી, 

આમ કહી વિહત માં બાઈ ના ઘેર જાય છે અને આખી રાત એ બાઈને ધૂણાવી અને આખી રાત એને ઊંઘવા દીધી નહિ , દિવસ ઉગતા એ બાઈ બળદેવ ભુવા પાસે આવીને કગરી પડી, અને ભુવાજીએ કહુય કે તું મને એક વેણ આપ કે હવે પછી ક્યારેય આવી મેલી વિદ્યા નહિ કરે, આમ એ બાઈને વચને બાંધી દીધી ને માફ કરી, 

હાલમાં માં વિહતના મઢમાં બળદેવ ભુવાજીની ભુવાપણી ચાલુ છે,      

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...