સોમવાર, 24 જાન્યુઆરી, 2022

અગ્નિસંસ્કાર પછી શમશાન ઘાટ તરફ પાછું વળીને કેમ ના જોવું જોઈએ.shamshan ghat ma pachhu vadine kem na jovu joie

 અગ્નિસંસ્કાર પછી શમશાન ઘાટ તરફ પાછું વળીને કેમ ના જોવું જોઈએ.

shamshan ghat ma pachhu vadine kem na jovu joie


નમસ્કાર મિત્રો ,

મિત્રો ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ ગરુડજીને પ્રાણીઓનું મૃત્યુ,અગ્નિસંસ્કારના નિયમો,યમલોક યાત્રા,નર્ક યોનિઓ ,સદગતિ, જેવા વિષય સંબંધિત અનેક રહસ્યમયી પ્રસ્નોનાં સચોટ અને સવિસ્તાર જવાબ આપેલા છે

ગરુડ પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ ના અગ્નિસંસ્કાર કર્યા પછી એના સંબંધીઓએ સમશાનઘાટ તરફ ક્યારેય પાછું વળીને ના જોવું જોઈએ. આખરે શું છે એનું ધાર્મિક કારણ, એજ જાણીશું અપને આજે આમા,

ગરુડ પુરાણને 18 મહાપુરાણોમાંથી એક માનવામાં આવે છે. આમાં વ્યક્તિનું પુણ્ય, નીતિ, યજ્ઞ, જપ, તપ,વૈરાગ્ય વગેરે વિશે જણાવવામાં આવ્યું છે તેમજ મૃત્યુના નિયમો અને મૃત્યુ પછીની સ્થિતિઓ પણ જણાવવામાં આવી છે.

ગરુડ પુરાણમાં કહેવાયું છે કે વ્યક્તિના શરીરના નાશ પછી પણ તેની આત્માનો નાશ થતો નથી. કારણ કે ભગવદગીતા ના બીજા અધ્યાય ના 23મા શ્લોક માં જણાવેલું છે કે 

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः।

न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः।।2.23।।

મતલબ કે આત્મા ને શસ્ત્ર કાપી ના શકે, અગ્નિ સળગાવી ના શકે ,પાણી ડુબાળી ના શકે, વાયુ સુકવી ના શકે,

વ્યક્તિના મૃત્યુ પછી, તે આત્મા સૂક્ષ્મ શરીર ગ્રહણ કરીને અન્ય લોકમાં જાય છે અને તેના પાપ અથવા પુણ્યના કાર્યો ભોગવે છે અને જ્યારે સમય આવે છે,ત્યારે તે અન્ય શરીર ધારણ કરે છે. ગરુડ પુરાણ અનુસાર, મૃત્યુ પછી, આત્મા પોતાની આંખોથી તેના શરીરને ભસ્મ થતો જુએ છે.

ગરુડ પુરાણ અનુસાર,મૃતદેહ ના શરીરને બાળી નાખ્યા પછી પણ, તેમના સંબંધીઓ સાથે આત્માની આસક્તિ સમાપ્ત થતી નથી અને તે ફરીથી તેમની પાસે પાછો ફરવા માંગે છે. આવી સ્થિતિમાં, સ્વજનો જો પાછું વળીને જોવે,તો આત્માને લાગે છે કે સ્વજનોને હજી પણ તેના પ્રત્યે લગાવ છે. આવી સ્થિતિમાં,મોહ બંધનમાંથી મુક્ત થવું આત્મા માટે વધારે મુશ્કેલ થઇ પડે છે. તેથી, મૃતદેહના અગ્નિસંસ્કાર પછી, પાછળ જોયા વિના,તેને એટલોજ સંદેશ આપવામાં આવે છે કે હવે તે આત્માનો મોહ બંધનમાંથી મુક્ત થવાનો સમય આવી ગયો છે. તેથી હવે મૃતાત્માને પોતાના પરિવારની આસક્તિ છોડીને આગળ વધવું જોઈએ.  

આ સિવાય એવી પણ માન્યતા છે કે શરીરને બાળી નાખ્યા પછી પણ આત્મા તેના સ્વજનોની પાછળ આવે છે અને શરીર મેળવવા માંગે છે. એવું માનવામાં આવે છે કે પાછું વળીને જોવા પર આત્મા તેના પ્રત્યે તમારો લગાવ જુએ છે અને તે આવા વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે અને તેમને ત્રાસ આપવાનું શરૂ કરે છે. મોટાભાગના આત્મા બાળકો અથવા નબળા હૃદયવાળા લોકોને પકડવાનો પ્રયાસ કરે છે. તેથી, આવા લોકોને સ્મશાનમાંથી પાછા ફરતી વખતે સૌથી આગળ રાખવા જોઈએ. 

 

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે,આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.) 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...