રવિવાર, 27 નવેમ્બર, 2022

લાલવાદી ફૂલવાદી અને ભુજીયાનાગનો ઇતિહાસ

 લાલવાદી ફૂલવાદી અને ભુજીયાનાગનો ઇતિહાસ 

નમસ્કાર મિત્રો, આજે આપણે તંત્ર મઁત્ર ની વિદ્યા થી ભરેલા એવા લાલવાદી અને ફુલવાદી ની વાત કરીશું કે જેનો સામનો નાગલોક સાથે કેવી રીતે થયો અને ભુજીયા ડુંગર પર બિરાજમાન ભુજીયા નાગ ના ઇતિહાસની વાત કરીશ,

આશરે 700-800 વર્ષ પહેલાની આ વાત છે, હાલના અમદાવાદમાં એ સમયે એક એરિયા હતો કે જે પોપટિયા વડ તરીકે ઓળખાતો હતો. તેમાં 7-8 ખત્રી પરિવાર વસવટ કરતા હતા. તેઓની તંત્ર મંત્ર ની કાળી વિદ્યાનો જાદુ હતો, 

એવામાં એક વખત એવું બન્યું કે અમુક વાદીડા ફરતા ફરતા અમદાવાળમાં આવે છે, માથે ફુલડાવાળી પાઘડી, ઘભે કંડીયા અને કંડિયામાં નાગ રમતા હતા, સાથે મોરલી વગાડતા વગાડતા આવે છે, ફરતા ફરતા અમદાવાદના હાલનું જે થલતેજ છે ત્યાં આવીને ઉતર્યા અને તંબુ તાણ્યાં, વાદીડા મેલી વિદ્યા ના જાણકાર હતા, એક દિવસ ની રાતે લાલવાદી ફૂલવાદી ને કહે છે કે "ફૂલ ચાલને વેજલપુરના વગડામાં ધોળી ચણોઠી લેવા જઈએ," 

મિત્રો હાલનું વેજલપુર એ સમયે વગડો હતો ને ત્યાં ધોળી ચણોઠી થતી, જેનો ઉપયોગ તંત્ર મન્ત્ર ના ઉપાસક મેલી વિદ્યા માં કરતા હતા.  

ફૂલવાદીએ પૂછ્યું કે "ધોળી ચણોઠી શું કરવી છે? "

તો લાલવાદી બોલ્યો કે "સાંભળ્યું છે કે પોપટિયાવડ માં ખત્રી પરિવાર નો પાવર ખુબ વધી ગયો છે, તેઓ મેલી વિદ્યાના જાણકાર છે, તો ચાલને એક વખત એનો અખતરો કરી લઈએ, આજે તો એમનેય બતાવી દેવું છે કે મન્ત્ર તંત્ર શું છે."

આમ બંને ભાઈઓ વેજલપુરના વગડેથી ધોળી ચણોઠી ભેગી કરીને ખત્રી પરિવારના કબીલા તરફ જાય છે , ધોળી ચણોઠી ની સાથે થોડા લીંબુ, કાળા તલ અને અળદ લીધા હતા, ચાલતા ચાલતા આ બધુંય બજારમાં ઉછાળતા જતા હતા. આમ કરતા કરતા પોપટિયા વડે પોંહચીને ત્યાં આસાન જમાવ્યું, કુંડાળું કરીને ચોકી બાંધીને બંને ભાઈઓ બેઠા. એક ભાઈ લાકડી લઈને બેઠો અને એક ભાઈ મોરલી ના સુરે મંત્ર વિદ્યા કરતો હતો, ખત્રી પરિવાર મોરલી સાંભળીને ઘરની બહાર આવ્યા અને લાલવાદી અને ફૂલવાદી ને જોયા અને ખત્રી પરિવારે તો ઘરના બારણાં બંધ કરી દીધા, આ બાજુ મોરલી વાગી રહી છે ત્યાં તો પોપટિયા વડની નીચે 300 વર્ષ જૂનો રાફડો હતો અને એ રાફડામાં 5 ફેણ વાળો મૂછાળો દેવાસી નાગ રહેતો હતો એ મોરલી ના તાલે ફૂંફાડા મારવા લાગ્યો, આ દેવાસી નાગે એક બે વાર રાફડાની અંદર બહાર કર્યું ત્યાંતો બંને ભાઈઓની નજર આ નાગ પર પડી અને લાલવાદીએ ફૂલવાદીને કહ્યું કે ખત્રી પરિવરને બાજુમાં મૂક આ જો દેવાસી નાગ 5 ફેણ વાળો છે, નક્કી આ મણિ વાળો નાગ લાગે છે આને આપણે પકડીએ તો,

આમ મોરલી વગાડે છે અને જેવો નાગ બહાર આવ્યો ત્યાંતો એણે સીધો ફૂલવાદી ના કપાળે ડંખ માર્યો અને પાછો રાફડાની અંદર જતો રહ્યો, નાગનો ડંખ એટલો ઝેરી હતો કે તરતજ ફૂલવાદી ના મોઢામાંથી ફીણ નીકળી ગયું. 

બીજી બાજુ મોતલી વાદણ રોટલા ઘડતી હતી, રોટલા ઘડતા ઘડતા એના બંને હાથની ચુડલી તૂટી ગઈ, અને એને ખબર પડી ગઈ કે માનો ના માનો કોઈ દાદો એના વાદીને ભેટી ગયો લાગે છે,  

આ બાજુ ફૂલવાદી ના મડદા ને મૂકીને લાલવાદી  એકલો પોતાના તંબુ પર આવે છે, કહેવાય છે કે વાદી પાસે વિદ્યા ના હોય એટલી વિદ્યા વાદણ પાસે હોય, 

મોતલી વાદણે લાલવાદીને પૂછ્યું કે લાલવાદી મારો ફૂલ ક્યાં, લાલવાદી બોલ્યો કે એતો પોપટિયા વડે મડદું થઈને પડ્યો છે, 5 ફેણ વાળો મૂછાળો નાગ એને ભરખી ગયો, 

 એટલું સાંભળતા મોતલીએ મોરલી લીધી અને પોપટિયા વડ પાસે આવી, અને નિશ્ચય કરે છે કે જો આ નાગને હું વસ માં ના કરી દઉં તો હું મોતલી વાદણ નહિ . રાફડે પહોંચીને વાદણે એક જાર નો દાણો લઈને નીચે ધરતી પર નાખ્યો, પછી હાથમાં પાણી લઈને એની પર અંજલિ છાંટી ત્યાંતો ઘડીકવારમાં જારનો છોડ ઉભો થયો, બીજી અંજલિ નાખી ત્યાંતો ત્રણ હાથનો જારનો છોડ થઇ ગયો અને એની પર ડૂંડું આવી ગયું ,પછી દાતરડું લીધું અને કહ્યું કે નાગ રાફડામાંથી નીકળ ને મારા વાદી નો ડંખ ચૂસી લે નહીતો આ દાતરડું લઇ જારનું ડૂંડું વાઢી નાખુંને એટલે તારી ફેન વઢાઈ ગઈ સમજજે ,હું વાદણ છું બાપ, નાગ બહાર નથી આવતો ,પછીતો વાદણ ખોડો પાથરીને અરજ કરે છે પણ નાગ બહાર નથી આવતો , નાગતો હઠે ભરાયો છે, તે પકડાવા માંગતો નોહ્તો એટલે નાગ બહાર નીકળીને વાદી અને વાદણની નજર ચૂકવીને મૂછ વાળો નાગ તે દિવસે ઉડ્યો અને ઉડીને થોડેક દુર જઈને નીચે ઉતરીને ચાલતો થયો,

આબાજુ  મોતલી વાદણ પણ અરજ કરતા થાકતી નથી, વાદણે વિદ્યા વાપરી ને નાગનું પગેરું તપાસ્યું, નાગના લિસોટે લિસોટે વાદી અને વાદણ ચાલતા થયા, રસ્તામાં ભરવાડ ભેંસો ચરાવતો હતો, એમાં એક પાડો જોયો, વાદણ જાણી ગઈ કે આ પાડો બીજું કોઈ નથી પણ એ અમદાવાદના રાફડાનો નાગ છે, પડાએ વાદણને જોઈ ત્યાંતો પાડામાંથી નાગ થઈને ભાગ્યો, ભાગીને વિરમગામ જઈને મુનસર તળાવમાં પાસો પાડાનું રૂપ લઈને બેસી ગયો,  ત્યાંથી નાગ ભાગ્યો અને ભાગતા ભાગતા ડીસા પાલનપુરની બાજુમાં રાધનપુર ના સીમાડામાં બેઠો, ત્યાં વાદણે નાગને પકડ્યો અને પકડીને કંડિયામાં પૂરીને અમદાવાદ લાવ્યા, વાદણે ડંખ ચુસ્વાનું કહ્યું ,નાગ ડંખ ચૂસવા જાય છે ત્યાંતો ફરીથી ઝડપભેર ઉડ્યો અને ઉડીને સીધો કચ્છની અંદર ભુજના ડુંગરે જઈને બેઠો. ફરી વાદણે વિદ્યા વાપરીને જોયું તો નાગ કચ્છમાં ભુજના ડુંગરે જઈને બેઠો છે, વાદણ શોધતી શોધતી કચ્છમાં આવે છે, આ બાજુ નાગ એક સાત વર્ષના બાળકનું રૂપ લઈને ભુજના દરબારગઢમાં પ્રવેશે છે, ભુજના દરબાર તેને જોતાજ સમજી જાય છે કે નકી કોઈ દેવી શક્તિ લાગે છે, નાગ બોલ્યો કે દરબાર મારે આશરો જોઈએ છે, હું મારી ઓળખાણ કરીશ તો કદાચ તમે ડરી જશો, હું સવા સો વર્ષનો વાસુકી નાગ છું, એક વાદી અને વાદણ મારી પાછળ પડ્યા છે ,મારી વિદ્યા કરતા આ વાદણ નું સત વધારે છે,મારે એની વાત માનવી નથી, 

દરબાર નાગની વાત નથી માનતા એટલે નાગ તેના અસલ રૂપ માં  આવી જાય છે, અને દરબારના સૌ લોકો પાઘડી ઉતારીને નમન કરે છે, પછી તો નાગ સોનાનો હાર બનીને રાણીના ગળામાં બેસી જાય છે. 

 વાદણ ત્યાં પહોંચી જાય છે અને મોરલી વગાળે છે, એને ખબર પડી જાય છે કે નાગ હાર બનીને રાણીના ગાળામાં બેઠો છે, મોરલીના સુરથી દરબાર ખુશ થઈ જાય છે, અને વાદણને ઇનામ માંગવાનું કહે છે, વાદણ રાણીના ગાળામાં રહેલા સોનાના હારની માંગણી કરે છે, દરબાર સમજી જાય છે કે આ એજ વાદણ છે જે નાગને પકડવા આવી છે, એટલે દરબાર નાગ પાસે આવીને કહે છે કે હે નાગદેવ હવે અમે શું કરીએ, એટલે નાગ કહે છે કે રાણીને કહેજો કે હારના ટુકડે ટુકડા કરી દે , એ ટુકડા કરશે એટલે હું એમાંથી ઉડી જઈશ, હે દરબાર તમે મને આશરો આપ્યો છે એટલે ભુજ પર સદાય મારી અમી છાયા રહેશે. હું તમારા કુળમાં પુજાઇશ, અને તમારું અખંડ રાજ્ય રાખીશ, આ મારા ભુજીયા નાગનું તમને વચન છે, અને હા દરબાર તમારા રાજ્યમાં લોકોને કહેજો કે જેટલા ગાદલા ગોદડા હોય એને પાણીમાં બોળીને ભુજના ડુંગર પર નીતરવા નાખે, હું અહીંથી ઉડીને સીધો બહુજન ડુંગરે જઈશ. અને તેમાં સંતાઈ જઈશ, અને જયારે વાદણ મોરલી વગાડશે એટલે હું ઝેરના ફુંફાડા મારીશું, ત્યારે ડુંગરના ઝાડવા સળગીને ખાખ થઇ જશે, અને આ જંગલ સળગશે એમાં કેટલાય જાનવર બાળીને મરી જશે તો એનું પાપ મને લાગશે, તેથી ગાદલા ગોદડાં નીતરતા મુકશો તો પછી વાદણ છેને હું છું.

ત્યારપછી રાણીએ ગળામાંથી હાર કાઢીને તેના ટુકડા કરીને વાદણ ના ખોળામાં ઘા કરે છે,ત્યાંતો નાગ ત્યાંથી ઉડીને ભુજના ડુંગર પર જઈને બેસી જાય છે, હવે વાદણ તેની મેલી વિદ્યાના ઘા કરે છે. અને નાગદેવતા ઝેરના ફૂંફાડા મારે છે. હવે ખરા ખરીનો ખેલ જામ્યો છે અને ભુજના ડુંગર ડોલવા લાગે છે. અંતે વાદણ હારીને કહે છે કે ખમૈયા કરો બાપ ખમૈયા કરો, હે મારા વીરા ખમૈયા કરો ,હવે સાચા હૃદય થી વાદણ નાગદેવતાનું સ્મરણ કરે છે. વાદણ કહે છે કે મારા વાદી ને સજીવન કરો, હે મારા દેવ તું જીત્યો અને હું હારી ગઈ, મારી ભૂલને તમે ક્ષમા કરો.

ત્યારે ભુજના ડુંગરમાંથી દેવાસીદાદા ભુજના ડુંગરા ડોલાવતા બહાર નીકળે છે. નવકુળનો નાગ 5 ફેણ ચડાવી ફૂંફાડા મારતો નીચે ઉતરે છે. અને બધાની ની સામે જુએ છે, દરબાર સવા સેર સાકર દૂધમાં પલાળીને નાગદેવને પીવડાવે છે, અને નાગદેવ તે પ્યાલો પી ને વાદણ ના ધણીનો ડંખ ચૂસીને સજીવન કરે છે. અને ત્યાંથી પાછા ભુજીયા ડુંગરમાં જઈને અંતઃધ્યાન થઇ જાય છે. કહેવાય છે કે હાલમાં પણ નાગપંચમીના દિવસે દાદા દૂધ પીવા આવે છે.

ગુરુવાર, 24 નવેમ્બર, 2022

આયુ ના આગેવાન ખેતલીયા આપા નો ઇતિહાસ

આયુ ના આગેવાન ખેતલીયા આપા નો ઇતિહાસ 

નમસ્કાર મિત્રો, આજે આપણે આયુના આગેવાન એવા ખેતલીયા વીરના ઇતિહાસ વિશે જાણીશું, ખેતલીયા વીરના પરચાનીવાત કરીએ તો કળિયુગમાં ગામડે ગામડે ,શહેરોમાં જ્યાં જોવો ત્યાં દાદા ની દેરીઓ જ છે, ખેતલીયા વીર નો મહિમા અપરંપાર છે, દાદાને ધરતી પર કેમ આવવું પડ્યું ,એમનું પ્રાગટ્ય કેવી રીતે થયું એની વાત કરીએ,

સતયુગ સમયની આ વાત છે, ભગવાન ભોળાનાથ કૈલાશ પર્વત પર તપ કરી રહ્યા હતા,અને બીજી બાજુ પાતાળલોક માં એક ધનરવતી નામની નાગણી શિવજી નું વ્રત કરે છે, ભગવાન શિવજીની પૂજા -આરતી કરવા માટે તે નાગણી પાતાળલોકમાંથી કૈલાશ પર્વત પર આવે છે,  શિવજી તો સમાધિમાં ધ્યાન દઈને બેઠા હતા. ધનરવતી નાગણી શિવજીની આરતી ઉતારે છે અને આરતી  ઉતારતા ઉતારતા મનમાં એવી ઈચ્છા વ્યક્ત કરે છે કે "કદાચ ભગવાન શિવજી માતા પતિદેવ હોય તો," એવું થતા શિવજીની સમાધિ ખુલી ગઈ , અને સામે નજર કરી તો ધનરવતી નાગણી સામે આરતી લઈને ઉભી હતી., શિવજીએ નજર કરી ત્યાંતો આ નાગણી ને ઈચ્છા ફળ મળી ગયું.

પછી ધનરવતી ત્યાંથી પાતાળલોકમાં આવી ગઈ, કોઈને આ વાતની જાણ કરતી નથી,  થોડા દિવસો પછી ધનરવતી ને સારા દિવસો જવા લાગ્યા, નાગણી ને જોઈને નાગલોક માં વાતો થવા લાગી કે શિવજીની નજરનું ફળ લાગ્યું, પછી તો ધનરવતી નાગલોક છોડીને પૃથ્વીલોકમાં આવે છે, અને પોતાને રહેવાનો આશરો શોધે છે, ફરતા ફરતા એક ખેતરની વચ્ચે ખીજડી નું ઝાડ હતું, એની બાજુમાં એક રાફડી જોઈ, ત્યાં જઈને નાગણીએ વિસામો કર્યો, પછી તો નાગણી આ રાફડીએ જ રહેવા લાગી અને એમ કરતા કરતા 9 મહિના ને તેર દિવસ વીત્યા હશે, દિવાળી ના તહેવારો ચાલતા હતા બરોબર કાળીચૌદશ ની મધરાતે ખેતરના એ ખીજડી પાસેના રાફડીમાં એ ધનરવતી નાગણી ખેતલીયા વીરને જન્મ આપે છે, ખેતલીયા ના જન્મ ને વધાવવા દેવતાઓ આકાશમાંથી પુષ્પ વર્ષા કરવા લાગ્યા અને ખેતલીયા વીરને ફૂલડે વધાવ્યા, ચારેય ભુવનમાં ખબર પડી ગઈ કે ખેતલીયા વીર નો જન્મ થયો છે, દેવિયો પૃથ્વી લોકમાં આવે છે અને ખેતલીયા વીરને ફૂલડે વધાવીને આશીર્વાદ આપે છે કે માતા જેની નાગણી ને પિતા શંકર દેવ એવા મારા ખેતલીયા વીર ખમ્મા તને. સમયે સમયે દેવિયો ખેતલીયા વીર સાથે રમવા આવતા,

બરાબર એ સમયે લંકા માં રાવણ નું રાજ ચાલતું હતું, અને આ બાજુ દેવીઓ ખેતલીયા વીર સાથે રમતા હતા અને રમતા રમતા દેવીઓએ કહ્યું કે "હે મારા ખેતલીયા વીર ભગવાન શિવજીના હુકમથી અમે લંકાપતિ રાવણ ના વચને બંધાયા છીએ અને સાથે નવ ગ્રહો ને પણ એણે બાંધી રાખ્યા છે, ઝટ અમારી વ્હારે આવજે વીરા," 

અને જતા જતા નિશાની આપી કે સમુદ્ર તરફ નજર કરજે ત્યાં એક મોટી દીવાદાંડી દેખાશે એજ રાવણની લંકા.

એક દિવસ એવું બન્યું કે ખેતલીયા વીર લંકાની ધરતી તરફ પલાણ માંડે છે અને ત્યાં જઈને લંકાપતિ રાવણની પત્ની મંદોદરી બગીચામાં ફૂલ વીણતી હતી એના કોઠે ખેતલીયા વીર ધૂળના આવે છે, ધુણતી ધુણતી મંદોદરી રાવણ પાસે આવે છે અને એને કહે છે, " હે રાવણ હું તને નહિ છોડું, હું તને નહિ જવા દઉં," એટલું સાંભળતા રાવણ બોલ્યો કે "33 કોટી દેવીઓ તમે તો બધીજ અહીંયા છો તો આ કોણ ધૂણે છે,આ કોઈ ચુડેલ કે ડાકણ લાગે છે, "  

ત્યાંતો મંદોદરી ના કોઠે આવેલા ખેતલીયા વીર બોલ્યા કે " રાવણ હું ખેતલિયો બોલું છું,"

દેવિયો બોલી કે હે રાવણ અમે બધી દેવીઓ એકબીજાની સીમા ના ઓળંગી શકીએ એટલે અમે આનો જવાબ નહિ આપી શકીએ,"

પછી રાવણ જોગીને બોલાવે છે ,જોગી આવીને જુએ છે અને દેવીઓ ને વિંનતી કરે છે કે દેવીઓ તમે કંઈક કરીને ખેતલિયાને બોલાવડાવો, પછી દેવીઓએ કહ્યું કે વીરા ખેતલીયા તું રાવણ નું કાઠલું છોડી દે, રાવણનો પીછો મૂકી દે,અમે એના વચને બંધાયા છીએ"

ખેતલીય વીર બોલ્યા કે હું નહિ મુકું રાવણ ને, તમે વચને બંધાયા છો ,હું નહિ, આ જગતમાં મને કોઈ ઓળખતું નથી,"

અંતે રાવણે થાકીને 33 કોટી દેવાળું ને છુટા કર્યા, અને દેવીઓએ એને આશીર્વાદ આપતા કહ્યુ કે જ્યાં જ્યાં અમારી સ્થાપના થશે ત્યાં ત્યાં વીરા સ્થાપના પહેલા થશે, તને જમાડીનેજ અમે જમશું, તને રમાડીને જ અમે રમશું, આ અમારું વચન છે, તારા નિવેદ્ય થશે અને આ નવખંડ ધરતી પર તારા પરગટ પરચા ગવાશે, અને માનવીના ધાર્યા કામ પાર પડશે.

આમ આવા આશીર્વાદ સૌ દેવીઓએ આપ્યા અને ખેતલીયા વીર આયુના આગેવાન કહેવાયા, સમય જતા ખેતલીયા દાદાએ ભુજમાં જે ભુજીયો ડુંગર છે ત્યાં ફરી પરગટ પરચો પૂર્યો, આ ભુજીયા ભોરિંગ નો ઇતિહાસ આપણે બીજા વિડિઓમાં જાણીશું,   

સોમવાર, 21 નવેમ્બર, 2022

પેથિયાની મેલડી ને ડોસલીયો વાદી લૂંટવા આવ્યો,

પેથિયાની મેલડી ને ડોસલીયો વાદી લૂંટવા આવ્યો,

નમસ્કાર મિત્રો ,આજે અપને પેઠીએ ભુવા ની માં મેલડીના પરચાની વાત કરીશું,

આજથી ઘણા વર્ષો પહેલાની આ વાત છે જયારે ડોસલીયો વાદી માં મેલડીના દેરા લૂંટવા મંડ્યો, કોઈના મઢની અંદરથી માતા હોય એ લઈને જતો રહે, કોઈના કંડીયા માંથી માતા લઈને ભાગી જાય, જે લોકો ઘર ના હોય તેઓ ગાડામાં ઉચાળા લઈને ફરતા અને સાથે કંડિયામાં દેવીઓ લઈને ફરતા આ સમયનીઆ વાત છે. 

ડોશાળીયો વાદી ફરતો ફરતો ઝાલાવાડ માં આવે છે ,અને આજનું ભગતનું જે ગામ છે સાયલા એની બાજુમા રામપરા ગામના પાદરમાં પેથીઓ અને પુંજડી દુબળા હુબડા બળદ નું ગાડું લઈને રાતવાસો  કરવા રહેલા,ત્યાં એક માણસે આવીને કહ્યું કે પેથીએ આ તારા ગાંડા માં કંડિયો છે એમાં તું કઈ કઈ દેવીને લઈને ફરે છે, ત્યારે પેથિયાએ કહ્યું કે આ કંડિયો મારી માતા મેલડી નો છે, ગામના માણસે કહ્યું કે તુ ને પુંજડી આ ગામ છોડી તારો કંડિયો લઈને ભાગવું હોય એટલું ભાગજો, કેમકે ડોસલીયો વાદી દેવિયો ના બાના ને લૂંટતો લૂંટતો ચાલ્યો આવે છે,અને આ ડોસલીયો વળી મંત્ર તંત્ર નો એટલો બધો જાણકાર છે કે એ ખાલી અહિયાંથી પસાર થાય તો એને ખબર પડી જાય કે કોની પાસે દેવી છે, કોના મઢમાં છે, કોના કંડિયામાં છે, 

એટલું સાંભળતાજ પેથીઓ અને પુંજડી ઉચાળાની સાથે માં મેલડીનો કંડિયો લઈને ભાગ્યા, ભાગતા ભાગતા 2-3 ગામ વટાવ્યા ત્યાંતો દિવસ ઉગવા આવ્યો, બળદ થાકીને બેસી ગયા ,એટલે પેથીયો બોલ્યો કે "બળદો તો થાકીને બેસી ગયા છે, હવે તે ચાલશે નહિ, અને અપને બે પગપાળા તો કેટલું ચાલી શકીયે?, હમણાં ડોસલીયો વાદી આવી પહોંચશે અને મારી માં મેલડીએ ને લઇ જશે, લાવને છેલ્લી વાર મારી માતાને સવા મુઠી કડુકો ખવડાવી દઉં,"

પછીતો બળદને ગાડાંમાંથી છોડી ગાડાં ની નીચેથી માટીનો તાવો કાઢ્યો અને ત્રણ પથ્થર પર તાવો મુક્યો, એમાં તેલ રેડીને નીચે આગ સળગાવી અને તેલ ગરમ થાય ના થાય ત્યાંતો તાવો ફાટી ગ્યો. પેથિયાએ ઊંડો નિઃસાસો નાખ્યો, કે મારા નસીબ કેવા કહેવાય કે હમણાં ડોસલીયો વળી આવી જાસેને મારી માતાને ભૂખી અહીંથી લઇ જશે, છેલ્લી ઘડીએ હું મારી માતાને ખવડાવી ના શક્યો, પેથિયાએ માં મેલડીને યાદ કરીને નીચે બેસીને બે પગ લાંબા કર્યા અને  તાવા ના બે ટુકડાને પગથી દબાવીને રાખ્યા અને પુંજડીને કહ્યું કે એમાં તેલ રેડ અને તાવાની નીચે અગ્નિ સળગાવ, પુંજડીએ કહ્યા પ્રમાણે કર્યું અને આગ સળગાવીને એક પછી એક પુરી તરવા લાગ્યા, તાવો તળાઈ રહ્યો હતો ત્યાં  ડોસલીયો વાદી ત્યાં આવીને ઉભો રહ્યો,અને કહ્યું કે "પેથિયા, તું તારી દેવીને લઈને ભાગી ભાગીને ક્યાં જઈશ, દેખાડ તારી દેવી મને દેખાડ ,"

પછી તો માટીના ધુપેલિયામાં દેતવા લઈને ડોસલીયા વાળીને એટલું કહ્યું કે "આ કંડિયામાં રહી મારી માતા મેલડી, થોડીક વાર રહી જાઓ, મને છેલ્લી વાર એને જમાડી લેવા દે ,પછી તારે દેવીને લઇ જવી હોય તો લઇ જજે,"  એટલું કહી પેથીયો ગુગળ નો ગાંઠિયો ને તેલનો તરસિયો હાથમાં લઈને મેલડીનો કંડિયો ખોલ્યો,  તાવો જમાડે છે, અને માતાજીને સમરીને કહે છે કે હે માં અમેતો ગરીબ છીએ પણ માં તુંય ગરીબ? એટલું કહીને એક બે ને ત્રણેક ઓશિયાળા આંસુ પડ્યા ત્યાંતો કંડીયા માં સવા એક વેંતનું લાકડાનું ફળું હતું એમાંથી લોઢાં દાંતની કાકડાટી મારીને માતા મેલડી બોલી કે "હે પેથિયા, મને મેલડીને તાવો જમાડયોને, મને મેલડીને હવે પાણી પા, એક બે ને ત્રણ અંજલિ પાણીની ભરીને પેથીયાએ પાણી પીવડાવ્યું ત્યાંતો મેલડી કંડિયામાંથી બોલી "પેથિયા ,,,,, ત્રણ અંજલિ મેં મેલડીએ પીધી, હવે ચોથી અંજલિ ભર, ડોસલીયો વાદી સામે ઉભો છે,આમ અંજલિનો ઘા કર, એને પછાડીને ના મારી નાખું તો તારી મેલડી નહિ, "      

સોમવાર, 14 નવેમ્બર, 2022

અમરનાથ મહાદેવ નો સંપૂર્ણ ઇતિહાસ

 અમરનાથ મહાદેવ નો સંપૂર્ણ ઇતિહાસ 

નમસ્કાર મિત્રો, આજે અપને ભગવાન અમરનાથ મહાદેવના ઇતિહાસ વિષે વાત કરીશું, અમરનાથ એ હિન્દુઓનું એક મહત્વ નું તીર્થધામ છે.અમરનાથ ગુફા ભગવાન શિવના પ્રમુખ ધાર્મિક સ્થળોમાનું એક છે. અમરનાથને તીર્થોનું તીર્થ કહે છે, કેમકે અહીં જ ભગવાન શિવે માં પાર્વતીને અમરત્વનું રહસ્ય સમજાવ્યું હતુ.

પુરાણોમાં જણાવ્યા અનુસાર એક વાર માતા પાર્વતીએ ભગવાન શિવ ને આશ્ર્ચર્ય સાથે સવાલ કર્યો કે" હે પ્રભુ, આવું કેમ ?, તમે અજર અમર છો, અને મારે દરેક જન્મ પછી એક નવાં જ સ્વરૂપમાં આવી અને ફરીથી વર્ષો સુધી કઠોર તપસ્યા કરીને  તમને પ્રાપ્ત કરવાના હોય છે, જયારે મારે તમનેજ પ્રાપ્ત કરવાના હોય છે તો મારી આટલી બધી કઠોર પરીક્ષા અને તપશ્ચર્યા કેમ, અને પ્રભુ તમારા અમર થવાનું કારણ?,એનું રહસ્ય શું છે?" 

મહાદેવ ને પહેલાતો સતી પાર્વતીને આ ગૂઢ રહસ્ય જણાવવું યોગ્ય ના લાગ્યું,પણ સતી પાર્વતીની હઠ આગળ તેમની એક ના ચાલી, અને ત્યારે ભગવાન ભોળાનાથને સતી પાર્વતીને પોતાની સાધનાની અમર કથા જણાવવી પડી ,એને અપને અમરત્વની કથા તરીકે ઓળખીએ છીએ, ભગવાન શિવે સતી પાર્વતીને એકાંત અને ગુપ્ત સ્થાન પર આ અમરત્વની કથા સંભળાવવાનું વિચાર્યું, જેથી આ કથા કોઈ જીવ કે વ્યક્તિ કે પશુ પક્ષી પણ સાંભળી ના શકે, જો આ કથા કો ઇસામ્ભલિ લે તો તે અમર થઇ જાય,આ કારણે ભગવાન શિવ સતી પાર્વતીને લઈને એક ગુપ્ત સ્થાન પર જવા નીકળ્યા, સૌ પ્રથમ ભગવાન શંકરે પોતાની સવારી નંદીને પહેલગામ છોડી દીધા ,તેથી આજે પણ બાબા અમરનાથની યાત્રા પહેલગામથી શરૂ કરવાનો મહિમા છે. 

આગળ જતા શિવજીએ પોતાની જટા માંથી ચંદ્રદેવ ને ચંદનવાડીમાં મૂકી દીધા અને ત્યારબાદ ગંગાજીને પંચતરણી માં, અને કંઠ આભૂષણ શાર્પને જ્યાં છોડ્યા તે જગ્યાનું નામ શેષનાગ પડાવ પડ્યું છે, ત્યારબાદ યાત્રામાં આગળનો પડાવ ગણેશ ટોપ આવે છે ,જેને મહાગુણોનો પર્વત પણકહેવામાં આવે છે, ત્યારબાદ પિસ્સુ જંતુઓને જ્યાં મુખ્ય તે પડાવ પિસ્સુ ઘટી તરીકે ઓળખાય છે, ત્યારબાદ જીવનદાયિની એવા પાંચ તત્વને પણ પોતાનાથી અલગ કરી દીધા, અને ભગવાન શિવ અને પાર્વતીજી એક ગુપ્ત ગુફામાં જતા રહ્યા, અને આ ગુફામાં કોઈ વ્યક્તિ ,કે પાસું પંખી આવી ના શકે તે માટે મહંસદેવે પોતાના ચમત્કારથી ગુફાની ચારે બાજુ આગ લગાડી દીધી, પછી ભોલાનાર્હ સતી પાર્વતી અમરત્વની કથા સંભળાવવાની શરૂ કરી, કથા સાંભળતા સાંભળતા સતી પાર્વતીને ઊંઘ આવી ગઈ અને તે સુઈ ગયા, તેની જાણ મહંસદેવને થઇ નહિ, અને શિવજીએતો અમર કથા કહેવાનું ચાલુજ રાખ્યું, ત્યારે બે કબૂતર આ કથા સાંભળી રહ્યા હતા, અને વચ્ચે વચ્ચે ઘુ ઘુ નો અવાજ કાઢી રહ્યા હતા એટલે ભોળાનાથનીમ થયું કે સતી પાર્વતી કથા સાંભળે છે અને વચ્ચે વચ્ચે હોંકારો આપે છે, આ રીતે બે કબૂતરોએ કથા સાંભળી લીધી, જયારે આખી કથા પુરી થી ત્યારે શિવજીનું ધ્યાન માતા પાર્વતી તરફ ગયું તો જોયું કે પાર્વતી તો સુઈ ગયા હતા, તો આ કથા કોણ સાંભળતું હતું, ત્યારે શિવજીની નજર પેલા બે કબુતરો પર પડી ,અને ભગવાન શંકર ક્રોધિત થઇ ગયા, અને તેમને મારવા ઉતાવળા થયા, ત્યારે તે કબૂતરોએ ભોળાનાથને કહ્યું કે હે પ્રભુ અમેતો તમારી પાસેથી અમર થવાની કથા સાંભળી છે, અને હવે જો તમે અમને મારી નાખશો તો પછી આ અમરકથા ખોટી સાબિત થશે, આ સાંભળી મહાદેવે બને કબુતરોને જીવતા રહેવા દીધા. અને તેમને આશીર્વાદ આપ્યા કે તમે સદાયને માટે અહીંયા શિવ અને પાર્વતી ના પ્રતીક એરૂપે નિવાસ કરશો, ત્યારથી અમરનાથમાં આ અજર અમર કબુતરો ની જોડી સદા ને માટે રહે છે, આજે પણ આ કબૂતરોના દર્શન ભક્તોને અહીં થાય છે, અને આ રીતે આ ગુફા અમર થવાની સાક્ષી બની ગઈ, અને તેનું નામ અમરનાથ ગુફા પડી ગયું.જ્યાં ગીફ ની અંદર ભગવાન ભોળાનાથ બરફના શિવલિંગના રૂપમાં બિરાજમાન છે, અને આ પવિત્ર ગુફામાં માતા પાર્વતી અને ગણેશના બીજા બીજા જુદા જુદા નિર્મિત બરફના પ્રતિરૂપોમાં દર્શન થાય છે. 

આ અમરનાથ ગુફાની સૌથી પહેલી ખબર સોળમી સાતબધી ના પૂર્વાર્ધમાં એક મુસલમાન ભરવાડને પડી હતી. તે ફરતો ફરતો જયારે અહીંથી નીકળ્યો ત્યારે તેને એક સાધુ મળ્યા અને આ સાધુએ તેને કોલસાથી ભરેલી એક થેલી આપી, આ કોલસાની થેલી લઇ ભરવાડ ઘેર આવ્યો ,ઘરે પહોંચીને બોરી ખોલીને જોયું તો બોરીમાં રહેલા કોલસા સોનાના સિક્કામાં બદલાઈ ગયા, તે ગોવાળ પાછો એ જગ્યાએ આવ્યો જ્યાં પેલા સાધુ મળ્યા હતા, જોયુંતો ક્યાંય સાધુ દેખાય નહિ ,પણ એને એક ગુફા દેખાઈ, તે ગુફાની અંદર ગયો ને જોયુંતો ભગવાન ભોળાનાથ એક બરફના બનેલા શિવલિંગના રૂપમાં સ્થાપિત હતા, પછી તો ભરવાડે આ વાતની જાણ સૌ લોકોને કરી આ રીતે અમનાથ ગુફાની શોધ થઇ હતી. 

આજે પણ આ અમરનાથ મહાદેવના દર્શન કરવા લખો લોકો આવે છે, અમરનાથ ગીફની યાત્રાને છડી મુબારક યાત્રા પણ કહેવામાં આવે છે,

જમ્મુ કાશ્મીરમાં આવેલું આ તીર્થધામ શ્રીનગર શહેરથી ઉત્તર-પૂર્વ દિશામાં 135 km દૂર સમુદ્રતટથી 13,600 ફૂટ જેટલી ઊંચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે. 

 અમરનાથ હિન્દુઓનું એક મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામ જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર શહેરથી ઉત્તર-પૂર્વ દિશામાં ૧૩૫ કિલો મીટર દૂર સમુદ્રતટ કરતાં ૧૩,૬૦૦ ફૂટ જેટલી ઊઁચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે. આ ગુફાની લંબાઈ (અંદર તરફની ઊંડાઈ) ૧૯ મીટર અને પહોળાઈ ૧૬ મીટર જેટલી છે. ગુફા ૧૧ મીટર જેટલી ઊંચી છે.[૧] અમરનાથ ગુફા ભગવાન શિવના પ્રમુખ ધાર્મિક સ્થળોમાનું એક છે. અમરનાથને તીર્થોનું તીર્થ કહે છે કેમકે અહીં જ ભગવાન શિવે માઁ પાર્વતીને અમરત્વનું રહસ્ય સમજાવ્યું હતું

શુક્રવાર, 11 નવેમ્બર, 2022

શક્તિમાં ની સંપૂર્ણ પ્રાગટ્ય કથા, દિઘડીયા, પાટડી અને ધામા ગામે માં શક્તિ ના બેસણા કેવી રીતે થયા એનો ઇતિહાસ.

શક્તિમાં ની સંપૂર્ણ પ્રાગટ્ય કથા, દિઘડીયા, પાટડી અને ધામા ગામે માં શક્તિ ના બેસણા કેવી રીતે થયા એનો ઇતિહાસ.

નમસ્કાર મિત્રો, જુગ જૂની ઝાલાવાડ, અને એનો જુગ જૂનો ઇતિહાસ, એવા ઝાલાવાડ પંથકમાં આવેલા પાટડી માં બિરાજમાન ઝાલા વંશની જન્મદાત્રી શક્તિમાની પ્રાગટ્ય કથા ની વાત કરીશું, પ્રાચીન લીકવાયકા મુજબ રાજા હરપાળદેવને પૂરણ પરચા પૂર્યા અને બાબરા ભૂતને વશમાં કર્યો તેમજ એક જ રાતમાં જેમને 2300 ગામના તોરણ બાંધ્યા એવી જગત જનની શક્તિમાં ના ઇતિહાસ નીવાત કરીએ તો આજથી આશરે 800 વર્ષ પહેલાનો આ  ઇતિહાસ છે,

રજવાડાના એ સમયની વાત છે, ભગવાન શિવનો અંશ કહેવાય એવા રાજા હરપાલદેવ મકવાણા રાજસ્થાન મા મલેસ્તો ને યુદ્ધમાં હરાવીને રાજપાટ માં આરામ કરી રહ્યા હતા,એ વખત રાત્રે હરપાલ દેવના સપનામાં એમના કુળદેવી મર્મરા દેવી આવે છે, અને હરપાળદેવને કહે છે કે દીકરા હરપાળા રાજસ્થાનની ધરતી તને હવે જાકારો આપે છે, અહીંના તારા અન્નજળ પુરા થયા , તું હવે રાજસ્થાનની ધરતી છોડીને ગુજરાત તરફ જા, જા તારા રાજના તોરણ માં સકત બંધાવશે અને નવખંડ ધરતીમાં તારું નામ અમર થાશે, આ મારું વચન છે,  

આમ રાજા હરપાળદેવ સો એક સિપાઈઓને લઈને ગુજરાત તરફ આવે છે, ફરતા ફરતા તે પાટણ પરગણામાં એના મિત્ર કરણસિંહ વાઘેલા ને ત્યાં પહોંચ્યા, એ સમયે પાટણમાં વાઘેલા રાજપૂત વંશનું શાસન ચાલતું હતું અને કરણ વાઘેલા ત્યાંના રાજા હતા. તે દયાળુ અને પ્રજાપ્રેમી હતા, રાજા હરપાળદેવ પાટણ પહોંચ્યા ત્યાંતો કરણસિંહ વાઘેલા એ એમનું ભાવભીનું સન્માન કરીને ઉતારો આપ્યો, પછી તો દિવસ આથમ્યો અને રાત પડતાંજ પાટણની જાણે આખી સકલ બદલાઈ ગઈ, દિવસે ધમધમતું પાટણનું બજાર રાત પડતાજ ભેંકાર સુમસામ થઇ ગયું, એવામાં કોઈ સિપાઈએ નગારા ઉપર દાંડીનો ઘા કરીને કહ્યું કે ".......

આવો અવાજ હરપાળદેવે પોતાના ઉતારા ઉપર સાંભળ્યો, ત્યારે હરપાળદેવ પેલા સિપાઈ ને પાસે બોલાવીને પૂછે છે કે ભાઈ શેનો હાદ પાડે છે?, ત્યારે પેલા સિપાઈએ કહ્યું કે "આજે બાબરા ભૂતને બાકડા દેવા જવાનો દિવસ છે, અને જે માણસ બાકડા લઈને જાય છે તે પાછો આવતો નથી,એને પણ બાબરો ભૂત ભરખી જાય છે અને આજે એક વિધવા બ્રાહ્મણી ના દીકરાનો વારો છે," પછી હરપાળદેવે સિપાઈને કહ્યું કે જાઓ જઈને કરણસિંહ વાઘેલા ને કહો કે આજે બાબરા ભૂતના બાકડા લઈને બ્રહ્માણી ના દીકરાને બદલે હું પોતે જઈશ, અને પાછો આવીને કરણસિંહ વાઘેલા ને મળીશ, પછી તો નક્કી થયા મુજબ રાજા હરપાળદેવ રથમાં બાબરા ભૂતના બાકડા લઈને મર્મરા દેવીને યાદ કરીને પાટણની સ્મશાને પહોંચે છે, ત્યાં બાબરો ભૂત આવે છે અને કહે છે, "લાવ મારા બાકડા લાવ, માણસ ગંધાય ,માણસ ખાઉં ,બોલ કોણ છે તું, લાવ મારા બાકડા લાવ..."

પછી તો હરપાળદેવે રથમાંથી ઉતરીને બાબરા ભૂત સાથે લડાઈ કરી,પછી  હરપાળદેવે  મર્મરા દેવીને યાદ કર્યા ત્યાંતો પાટણ ના સ્મશાનની ધરતીમાંથી એક હાથ બહાર આવ્યો, બાબરો ભૂત તે જોતાજ ડરીને એક બાજુ ધ્રૂજવા લાગ્યો અને ગેબી અવાજ આવ્યો, "રાજા હરપાળદેવ ,હું તને બચાવવા જોગણી આવી છું, તારે મને ભોગ આપવો પડશે, "

પછી તો કહેવાય છે કે હરપાળદેવની માતા પરીક્ષા લે છે, હરપાળદેવે તલવારથી પોતાના શરીરના ટુકડા કાપી કાપીને માતાજીના હાથમાં ધર્યા અને પોતાનું મસ્તક કાપવા જઈ રહ્યા હતા ત્યાં માતાજી પ્રસન્ન થયા અને કહ્યું કે "થોભીજા દીકરા, હું તને મરવા નહિ દઉં, હું મર્મરા દેવી તારી પર પ્રસન્ન છું, અને માંગ દીકરા જે જોઈતું હોય તે માંગી લે " પછી હરપાળદેવ બોલ્યા કે "હે માં આપવુંજ હોય તો એવું આપો કે આ બાબરો ભૂત મારી વસમાં થઇ જાય." માતાજી બોલ્યા "તથાસ્તુ બેટા ,આજથી બાબરો ભૂત તમારી વસમાં થશે, અને તમે જે કહેશો તે બાબરા ભૂતને કરવું પડશે," 

આમ માતાજીના કહ્યા પ્રમાણે બાબરો ભૂત હરપાળદેવના વસમાં થઇ ગયો પછી માતાજીએ બીજું વરદાન માંગવા કહ્યું,.....

હરપાળદેવ બોલ્યાકે "માતાજી આપવુંજ હોય તો એવું આપો કે મારા ઘેર શક્તિ પુત્રો નો જન્મ થાય." 

પછી માતાજી બોલ્યા "...

પછી આખી રાત સ્મશાનમાં વિતાવ્યા પછી બીજે દિવસે રાજા હરપાળદેવ પાટણમાં પગ મૂકે છે ત્યાંતો આખાય પાટણ પરગણામાં ખબર પડી ગઈ કે હરપાળદેવે બાબરા ભૂતને વસમાં કરી લીધો છે, આ વાત સાંભળીને કરણ વાઘેલા ખૂબ જ ખુશ થયા ને હરપાળ દેવને કહે છે કે "હે હરપાળ દેવ તમે તો અમારા પાટણની લાજ રાખી છે, અમને બાબરા ભૂતના ત્રાસથી બચાવ્યા છે, જાઓ હરપાળ દેવ આજ રાતથી કાલ સવાર સુધીમાં તમે જેટલા ગામના તોરણ બાંધશો એટલા ગામ તમારા,"

પછી તો સાંજ પડી ને હરપાળ દેવે બાબરા ભૂત અને મા શક્તિ સાથે મળીને એક જ રાતની અંદર 2300 ગામના તોરણ બાંધ્યા અને સવાર પડતા છેલ્લું તોરણ દિઘડિયા ગામ બાંધ્યું હતું, આમ હરપળ દેવે એક જ રાતમાં 2300 ગામના તોરણ બાંધ્યા, એ વખતે પાટણ ના 2300 જ ગામ હતા,

છેલ્લું તોરણ દીઘડિયા બાંધ્યું ત્યાંતો દિવસ ઉગી ગયેલો, માં શક્તિ એ બાજુમાં નદીમાં સ્નાન કરીને અહીંયા વિશામો કર્યો, જે હાલ શક્તિધામ દીઘડીયા મંદિરથી ઓળખાય છે, આજે દીઘડીયા ગામમાં શક્તિમાં નું મોટું મંદિર આવેલું છે 

કરણદેવ વાઘેલાના પત્ની હરપાળ દેવના ધર્મના માનેલા બેન હતા એટલા માટે એમણે 2300 ગામમાંથી 500 ગામ કાપડાના કરીને પાછા આપ્યા. આમ રાજા હરપાળ દેવ 1800 ગામના રાજા બન્યા,

પછી તો માતાજી એ કયા પ્રમાણે હરપાળ દેવ રાજસ્થાનમાં જઈને પ્રતાપસિંહ સોલંકી ની દીકરી એવી સકતબા સાથે વિવાહ કરે છે, અને ગુજરાત પાછા આવીને પાટડીમાં એમની રાજગાદી સ્થાપિત કરે છે,

ધીરે ધીરે સમય પસાર થાય છે એવામાં એક વાર હરપાળદેવ બેઠાં બેઠાં વિચાર કરે છે કે માં એ મને જે કંઈ કીધું છે તે બરાબર હશે!, સાચું હશે કે કેમ આવી શંકા જાગી ગઈ , એટલું વિચારે છે ત્યાતો માં શક્તિના હાથમાંથી અને પગમાંથી કંકુ ખરવા લાગ્યું અને કંકુનો ઢગલો થવા લાગ્યો , અને માં શક્તિની અંદર સિંહણ નું રૂપ દેખાયુ,આવું રૂપ જોઈને રાજા હરપાળદેવ ની શંકાનું સમાધાન થઇ ગયું, પછીતો દસેક વર્ષ વીત્યા હશે અને રાજા હરપાળદેવના આંગણે ત્રણ ત્રણ દીકરા રમે છે,પછી માં શક્તિ વિચાર કરે છે કે હવે આ રાજાનું કામ અહીંયા પૂરું થયું, એટલે હવે મારે અહિયાંથી જવું જોઈએ, પણ જતા જતા હું કંઈક પરગટ પરચો આપતી જઉં તો આ જગત મને યાદ રાખે, આમ શક્તિમાને પરચા પૂરીને જગતમાં મહિમા વધારવો હશે ,અને ક્યાંક અમર બેસણા કરવા હશે એટલે પાટડીની ધરતી પર માતાજી રમત્યું માંડે છે, અને પરગટ પરચો પુરે છે ,અને બને છે એવું કે એક દિવસ હરપાળદેવના ત્રણ કુંવરો અને એક ચારણનો દીકરો આમ ચારેય જણા ગેડીદળે રમતા હોય છે, ત્યાંતો રાજના હાથીખાનામાંથી મંગળા નામનો હાથી ગાંડોતુર થઈને ભાગમ ભાગ કરે છે, સિપાઈઓ હાથીને પકડવા પાછળ દોળે છે, હાથી અનેક માણસોને હળફેટે લેતો લેતો આમતેમ ભાગે છે, રાજમાં સીધારેય તરફ ભાગો ભાગો ના હાદ પડે છે, અને આ બાજુ રાજના ઝરૂખામાં માં શક્તિ જુએ છે તો તેમના કુંવારો નીચે બગીચામાં રમતા હતા એટલે એમણે માયા કરી અને ઝરૂખામાંથી ઉભા ઉભા માતાજીએ હાથ લંબાવ્યો, ચારણ ના દીકરાને ટાપલી મારીને બચાવી લીધો, ત્યારથી તેઓ ટાપરીયા ચારણ કહેવાય અને ત્રણેય કુંવરોને હથેળીમાં ઝાલી લીધા,એટલે મકવાણા રાજપૂત ત્યારથી ઝાલા રાજપૂત કહેવાયા, 

 આમ ચારેય જણાને માતાજીએ બચાવી લીધા અને આખાય રાજમાં માં શક્તિ ના ચમત્કારની ખબર પડી ગઈ અને સૌને માતાજી ના દર્શન થઇ ગયા, આ બાજુ રાજા હરપાળદેવને માં શક્તિએ આપેલું વચન યાદ આવે છે કે માતાજીએ કીધેલું કે જયારે જગત ને જાણ થઇ જશે કે હું આદ્ય શક્તિ જગદંબા પોતે છું ત્યારે આ નવખંડ ધરતી છોડીને હું ચાલી જઈશ," આ વાતની જાણ થઇ ત્યાંતો રાજા હરપાળદેવ ઝરુખા તરફ દોટ મૂકે છે , માં શક્તિ પાટડીનું રાજ છોડીને ચાલી જવા દડદડતી દોટ મૂકે છે, પાછળ રાજા હરપાળદેવ દોળે છે, અને કહેવાય છે કે હાલનું જે ધામા ગામ છે ત્યાં પરમશક્તિ આદ્યશક્તિ મીઠાના ઢગલામાં સમાઈ ગયા, આ બધી માતાજીની જ લીલા હતી,  વિક્રમ સંવત 1171 ,ચૈત્ર વદ તેરસ નો દિવસ હતો અને ઇતિહાસના તે દિવસે માં આદ્યશક્તિ ધામાની ધરતી માં અદ્રશ્ય થઇ ગયા, 

હાલમાં શક્તિમાંની પ્રાગટ્યભૂમિ પાટડી અને સમાધિ સ્થળ ધામા માં દર વર્ષે ચૈત્ર વદ તેરશના રોજ ઝાલા કુળનો વંશજ પોતાના પરિવારજનો સાથે પાટડી અને ધામા માં શક્તિમાના દર્શન કરવા અચૂક જાય છે. અને પાટડી માં જે ટોડલે રાજા હરપાળદેવે અને શક્તિમાતાએ પ્રથમ તોરણ બાંધ્યું હતું એ ટોડલા પાટડીનાં ભવ્ય ભૂતકાળની ગવાહી પૂરતા આજે પણ પાટડી માં અડીખમ ઉભા છે 

હાલમાં પાટડી ,ધામા, દિઘડીયા ,સનાળા માં માં શક્તિના અમર બેસણા છે અને ત્યાં હજારો લાખો માઈ ભક્તો માં ના દર્શને આવે છે. અને જગદંબા સૌની મનોકામના પૂર્ણ કરે છે,

ગુરુવાર, 3 નવેમ્બર, 2022

અનગઢ મહોણી મેલડી માઁ નો ઇતિહાસ

અનગઢ મહોણી મેલડી માઁ નો ઇતિહાસ


નમસ્કાર મિત્રો, આજે આપણે અનગઢ ની મહોણી મેલડી માઁ ના ઇતિહાસ ની વાત કરીશું, વડોદરા જીલ્લા માં આવેલું અનગઢ ગામ વડોદરા થી આશરે ૧૫ કીમી અને અમદાવાદ થી આશરે ૧૦૦ કિમી ના અંતરે મહીસાગર નદીને કિનારે આવેલું છે, અનગઢ ના નયનરમ્ય અને કુદરતી સૌંદર્ય થી ભરપુર એવા મહી નદીને કિનારે આવેલા મહોણી માતાના મંદિર માં કળિયુગ ની દેવી માં મેલડી હાથિયા ખડક પર હાજર હજૂર બેઠા છે ,અને ખડકવાડીમાં નામે પણ ઓળખાય છે, અને સૌ માઈ ભક્તોની મનોકામના માં પૂર્ણ કરી રહી છે, અહિયાં રવિવારે અને મંગળવારે ભારે સંખ્યા માં ભક્તો માં ના દર્શને આવે છે. મહીસાગર નદીની અંદર પાણીમાં માતાજી ની નાનકડી દેરી છે,અહિયાં માતાજી હાથિયા ખડક પર બિરાજમાન છે, જ્યાં શ્રદ્ધાળુઓ નાવ માં બેસીને દર્શન કરવા જાય છે અને અનેરો આનંદ અનુભવે છે, ગામલોકો ના કહેવા પ્રમાણે આ માતાજીનું મૂળ સ્થાનક છે. નદીને કિનારે અડીને પણ માતાજીનું નાનું મંદીર આવેલું છે, ત્યાં પણ ભાવિક ભક્તો માતાજીના દર્શન કરે છે.અને કિનારા પર ઉપરવાસ માં એક મંદીર બનાવેલું છે. જેનેઆશરે ૨૫ વર્ષ થયા.જ્યાં ભાવિક ભક્તો સીડી ચઢી ને માં ના દર્શન કરવા જાય છે.

લોકવાયકા અને ગામલોકો ના કહ્યા પ્રમાણે અનગઢ    મહોણી માતાના ઇતિહાસ ની વાત કરીએ તો આજથી ૪૦૦-૫૦૦ વર્ષ પહેલા ની રજવાડા ના સમય ની આ વાત છે, એ સમય માં અનગઢ ગામ ગોહિલ કુળના રાજપૂતો નું રજવાડું કહેવાતું. મહીસાગર નદી ને કીનારે વસેલા આ અનગઢના સામે કાંઠે મુસ્લિમો રહેતા હતા. એ સમયે મુસ્લિમોએ રાજપૂતો ને વાટકી વ્યવહાર અને દીકરીનો વ્યવહાર શરુ કરવાનું કહ્યું, જેમાં બન્ને સમાજની દીકરીઓ અરસ પરસ લેવડ દેવડ કરવાની વાત કરી એટલે ગોહિલ સમાજને આ વાતનું ખૂબ ખોટું લાગ્યું, અને ગોહિલોએ સામે કાંઠે રહેલા તમામ મુસ્લિમોને ખતમ કરવાનો પ્લાન કર્યો, પછી સામે કાંઠે રહેતા મુસ્લિમ ભાઈઓને આમંત્રણ આપ્યું અને તેમને આ કાંઠે લાવવા માટે ગોહીલોએ તેમના માણસો ને નાવ લઇને મોકલ્યા, મુસ્લિમ ભાઈનો બેસાડીને નાવિકો મહીસાગર નદીમાં અધવચ્ચે પહોંચ્યા ત્યાતો પ્લાન પ્રમાણે બધા નાવિકો પોતપોતાની નાવમાંથી પાણીમાં કુદી પડ્યા અને નાસી ગયા, અને પછી આ કાંઠે થી બીજા ગોહીલો નાવ લઈને ગયા અને બધા મુસ્લિમોને ઘેરી વળ્યા અને તલવારના ઘા ઝીંકીને બધા મુસ્લિમોને ખતમ કરી દીધાં, અંતમાં એક નાવમાં મુસ્લિમની નાનકડી બાળકી હતી તેને પણ ગુસ્સે ભરેલા ગોહિલે ઘા ઝીંક્યા ત્યાતો તે દીકરી ત્યાજ ફૂલનો ઢગલો થઈ ગઈ, એક બીજી લોકવાયકા પ્રમાણે આ મુસ્લિમ બાળકી ને મોતને ઘાટ ઉતર્યા બાદ તેનો મૃત દેહ તરતો તરતો આ હાથિયા ખડક પર આવ્યો અને તે ત્યાજ સતી થઈ ગઈ, આમ નદી વચ્ચે મળેલા મોત બાદ એ બાળકીને ના તો સ્મશાન માં કે માં તો કબ્રસ્તાન માં જગ્યા મળી માટે તે બાળકી મસાણી કહેવાઈ, અને તે દિવસથી આજ સુધી અનગઢ અને આજુબાજુના ગામમાં મહોણી મેલડી કહેવાઈ. ત્યારબાદ આવો ચમત્કાર જોઈને બધા ગોહિલો માતાજીને કગરી પડ્યા અને હાથિયા ખડકમાંથી ગેબી અવાજ આવ્યો કે ગોહિલો હું મહોણી મેલડી બોલું, તમને એકજ શરતે માફ કરું કે આજથી જાઓ આજથી મને તમારી કુળદેવી તરીકે પુજવી પડશે, ત્યારથી અનગઢ ના ગોહિલ રાજપૂતો  ઘરે ઘરે મહોની મેલડીની સવાર સાંજ ધૂપ દીપ કરીને સેવા પૂજા કરે છે. અને માં મેલડી એમની રક્ષા કરે છે, મિત્રો આ બધીજ માં મેલડીનો પરચો હતો ,એમને પરચો પૂરીને એમનો મહિમા વધારવો હશે એટલે માં મેલડી આવી લીલાઓ કરે છે જેથી ભક્તો ની માં પર અતૂટ શ્રદ્ધા બંધાયેલી રહે, હાલમાં દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શને આવે છે, અને આનંદ અનુભવે છે, જાય મહોણી મેલડી

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...