બુધવાર, 14 ડિસેમ્બર, 2022

 લાખણેચી માં નો ઇતિહાસ ,લાખિયા ધરે બિરાજમાન માં લાંખણેચી...

 લાખણેચી માં નો ઇતિહાસ ,લાખિયા ધરે બિરાજમાન માં લાંખણેચી...

  નમસ્કાર મિત્રો, આજે આપણે લાખનેચી માં ના ઇતિહાસ ની વાત કરીશું, ગુજરાત ના સાબરકાંઠા જિલ્લામાં ધનસુરા તાલુકા માં આવેલા ધામેણીયા ગામમાં લાખિયા ધરા પરબિરાજમાન લાખનેચી માં નું  ભવ્ય મંદિર આવેલું છે. રબારી સમાજ ના ઘાંઘોળ શાખના રબારી ની કુળદેવી માં લાખનેચી ધામેણીયા કેવી રીતે આવ્યા એના ઇતિહાસ ની આજે વાત કરીશું. 

ઘણાય વર્ષો  પહેલા ની આ વાત છે, રાજસ્થાન ના મારવાડ પ્રદેશના જેસલમેર માં બ્રાહ્મણો રહેતા હતા, એમાં એક વિદ્યા નામનો બ્રાહ્મણ હતો એને એક દીકરી હતી જેનું નામ લાખુબા હતું, અને એક દીકરો હતો એનું નામ લક્ષમણ હતું, લાખુબા સ્વયં જગદંબા નો અવતાર હતા. બ્રાહ્મણ ના ઘરે એક ગાય હતી, તેઓ ગાયની રોજ સેવા પૂજા કરતા , અને તેમને એક વ્રત હતું કે ગાયને દોહીને શિવજીને પહેલા દૂધ ચડાવવાનું પછીજ જમવાનું,

ધીરે ધીરે લાખુબા પંદરેક વરસ ના થયા હશે એ વખત ની વાત છે,  ગાય રોજ રાત્રે જેસલમેર ના વગળામાં ચરવા જતી હતી, અને સવારે શિવજીની આરતી થાય તે પહેલા તે ઘરે પાછી આવી જતી, પરંતુ એક દિવસ રાત્રે ગાય વગળામાં ચરતી હતી અને શિકારીએ ના કરવાનું કર્યું, શિકારીએ હરણ સમજીને બંદૂકનો ભડાકો કર્યો અને ગાય મરી ગઈ, આ બાજુ આરતી નો સમય થઇ ગયો અને દિવસ ઉગી ગયો પણ ગાય ઘરે પાછી આવી નહિ, લાખુબા રાહ જોઈ જોઈને થાક્યા કે ગાય કેમ આવી નહિ, એટલે એમને ભાઈ લક્ષમણ ને વગળા માં શોધવા મોકલ્યા, લક્ષમણે વગડામાં જઈને જોયું તો ગાય મરેલી પડી હતી,  

એણે ઘરે આવીને કહ્યું કે બહેન ગાય તો મળી પણ મરેલી મળી, લાખુબા રડવા લાગ્યા અને ઓરતો કર્યો કે હે ભગવાન ભોળાનાથ આજે તારા વ્રત માં ભંગ પડ્યો, લાખુબાએ તો મનમાં એકજ વિચાર કર્યો કે આ ગાય મરી ગઈ, સાથે હું પણ સતી થઇ જાઉં. 

આમ લખુબાએ સૌ કુટુંબ કબીલાને બોલાવ્યા અને ગાયની સાથે સતી થવાનું નક્કી કર્યું. અને કહ્યુ કે હું ગાયની સાથે ચિતા પર બેસીસ અને તમે ક્યાંયથી અગ્નિદાહ ના આપતા ,મારા જમણા પગના અંગુઠામાંથી થશે અને ચિતા સળગાવીશ. 

આમ સૌ વાજતે ગાજતે દીકરીને લઈને સ્મશાનમાં જવા નીકળ્યા, ગામની સૌ વાડા વસ્તી જોવા ભેગી થઇ ગઈ, સ્મશાને જતાં રસ્તામાં એમને એક ભાઠી રાજપૂત મળે છે , ભાઠી રાજપુર પૂછે છે કે " આ દીકરીને તમે ક્યાં લઇ જાઓ છો, આ દીકરી સાથે શું કરશો? "

એટલે બ્રાહ્મણ બોલ્યા કે આ દીકરી સતી થાય છે એટલે અમે એને જીવતી ચિતા પર બેસાડવા માટે સ્મશાનમાં લઇ જઈએ છીએ, આ સાંભળીને ભાઠી રાજપૂત બોલ્યો કે આ દીકરી સતી છે એ વાતની શું ખાતરી?, સત ના પરચા વગર આ દીકરીને ચિતા પર બેસાડતા નહિ . પછી લાખુબા બોલ્યા કે ભાઠી દરબાર તારે સતીનો પરચો જોવો હોય તો હું  બતાવી દઉં. તું  હાલને હાલ ઘરે જા અનેઘરે જે પેટી પડી છે, એને ઉઘાડીને જોજે એમાં ઘી નો દીવો ,ફૂલનો દળો અને એક પાણી વાળું નારિયેળ પડ્યું હોય તો એમ જાણજે કે હું વિદ્યા બ્રાહ્મણ ની દીકરી લાખી સતી છું.

આટલું સાંભળતા ભાઠી રાજપૂત બોલ્યો કે તમે અહીંયાજ ઉભા રહો ,હું પાછો ના આવું ત્યાં સુધી તમે આ દીકરીને ચિતા પર બેસાડતા નહિ , પછી તો ભાઠી રાજપૂતે ઘરે જઈને પેટી ખોલીને જોયું તો અંદર ઘીનો દીવો સળગતો હતો , બાજુમાં ફૂલનો દળો અને એક પાણીવાળું નારિયેળ પડેલું, આટલું જોઈને ભાઠી રાજપૂત સમજી ગયો કે આ સતી જ છે, અને મેં માતાજીના સત ના પારખા લીધા છે એટલે એ મને કોઈ શ્રાપ આપે એ પહેલા એમના પગમાં પડીને કગરી પડું , આમ વિચારી ભાઠી રાજપૂત લાખુબા પાસે આવીને કગરી પડ્યો અને બોલ્યો કે હે માં મેં તમારા સત ના પારખા કર્યા છે એટલે મને માફ કરી ને આશીર્વાદ આપજો..

એટલે લાખુબા બોલ્યા કે હે રાજપૂત તે સારું કર્યું કે તે મારું આટલું પારખું લીધું કે જેથી જેસલમેર ની વસ્તી ને હું સતી છું એવી ખબર પડી ગઈ. જા રાજપૂત તને હું માફ કરું છું, પણ તારે મારું એક વચન પાડવું પડશે. 

તારા ઘરે માં લક્ષ્મી કુળદેવી છે એની સાથે આ લાખી નો દીવો કરજે એટલે લક્ષ્મી અને લાખી બે થઈને લાખનેચી નામ રાખજે .આજથી હું લાખણેચી ભાઠી હરજીની કુળદેવી થઈને બેસું છું. ભાઠી રાજપૂત બોલ્યો કે ભલે માંડી ,પણ માંડી  હું તારા નૈવેદ્ય ક્યારે કરું.

માં એ કહ્યુ કે મારે ઘઉં નું ભાણું જોઈએ, નવરાત્રીની આઠમે ઘઉંનું સવા પાંચેસર નું નૈવેદ્ય કરજે, અને જેને ખોળે પહેલો દીકરો હોય એની બાબરી ઉતારે એ  દિવસે પાંચ રૂપિયા અને ઘઉંનું સવા પાનસેરનું નૈવેદ્ય કરજો, આ તારા માથે મારા માટેનું કરવઠું છે. 

આ કહી લાખુબા પલાંઠી વાળીને  ચિતા પર બેસી ગયા . જમણા પગે આગ પ્રગટ થઇ અને માતાજી સતી થઇ ગયા.

તે દિવસથી લાખણેચી માં ભાઠી રાજપૂતના વંશજ ઘાંઘોળ રબારીની કુળદેવી છે. 

ત્યાર પછી ધીરે ધીરે સમય પસાર થાય છે અને એક વખત જેસલમેરની ધરતી પર ભયંકર દુકાળ પડ્યો, પાકા પીપળાના પાન ખરી પડે એમ જેસલમેરના ઢોર ટપોટપ મરવા લાગ્યા .જેસલમેરની વસ્તી પોતપોતાના માલઢોરને લઈને પરદેશ અન્નપાણી ની શોધમાં નીકળી પડે છે. ભાઠી રાજપૂતના વંશજ એવા ઘાંઘોળ રબારી કુળદેવી લાખણેચી માં ને પૂછે છે કે "હે માં અહિયાં તો ભયંકર દુકાળ પડ્યો છે, અમે કયા પ્રદેશમાં જઈએ? "

માં લાખાનેચી માં ધુણવા આવે છે અને કહે છે કે "તમે માલઢોર લઈને ગુજરાત માં ચાલો"   

કહેવાય છે કે ભાઠી રાજપૂત ફરતા ફરતા ગુજરાત માં સાબરકાંઠા માં આવ્યા,ત્યાં ધનસુરા પાસે ધામેણીયા ગામ છે ત્યાં પહોંચ્યા, ત્યાં રાજપૂતોએ પડાવ નાખ્યો , ઢોર ને ચરવા ઘાસ મળ્યું પણ ત્યાં પીવા પાણી ના મળ્યું, એટલે ભાઠી રાજપૂતે માતાજીને પોકાર કર્યો કે" હે માં અહીંયા ચરવા મળ્યું પણ પીવા પાણી નથી, હે માં તારા કહેવાથી અમે ગુજરાતમાં આવ્યા ,અમારી ભેળા જેસલમેરથી લાખણેચી સાથે આવી હોય તો ક્યાંક પાણીનો અસરો આપજે માંડી,"

માતાજી વ્હારે આવે છે અને ત્યાં એક ટેકરી હતી એની બીજી બાજુ વાત્રક નદી નો ફાંટો જતો હતો , માતાજી લીલા કરે છે અને ટેકરી નીવચ્ચેથી પાણીની ધાર થાય છે. બધા ભાઠી રાજપૂત માલધારી ઢોરને લઈને ધરા પર આવ્યા અને ધરાઈને પાણી પીધું, આમ અહીંયા ધરા પર પાણી ની ધાર કરીને માલધારીને ધરાઈને પાણી પાયા અને માલધારીને પરગટ પરચો આપ્યો એટલે તે દિવસથી લાખિયા ધરાની માં લાખણેચી એવું નામ પડ્યું. ઘાંઘોળ રબારીએ લાખિયા ધરા પર લાખણેચી માં ની સ્થાપના કરી, અને રબારીએ ત્યાંજ વસવાટ કર્યો, 

ધીરે ધીરે સમય પસાર થયો અને દુકાળ ઉતરી ગયો, પ્રદેશ માં સારો વરસાદ થયો. એટલે અમુક રબારીઓ પાછા પોતાના પ્રદેશમાં ચાલ્યા ગયા, અમુક રબારીઓ પાટણ પહોંચ્યા અને તેમાંથી અમુક જણાએ વિચાર કર્યો કે આપણે જેસલમેર નથી જઉં, અહીંયા ગુજરાત માં વસવાટ કરીએ. એમાં બૂરો અને સૂરો નામના બે ભાઈઓ હતા. બુરા એ જે ગામ વસાવ્યું એનું નામ બોરસણ પડ્યું અને સુરાએ જે ગામ વસાવ્યું એનું નામ સુણસેર પડ્યું. 

ધીરે ધીરે રબારી સમાજ મોટો થયો, અને આજુબાજુના ગામોમાંપણ વસવાટ કર્યો, આ બાજુ ધામેણીયા ગામમાં એક વખત એવું બન્યું કે વણઝારાની પોઠ્યો ફરતા ફરતા લાખિયા ધરા ની ધરતી પર આવે છે. અને ત્યાં પડાવ નાખ્યો. એમાંથી એક વણઝારી ધરા પર કપડાં ધોવા જાય છે, ત્યારે ગામના એક ઠાકોર ભાઈએ કહ્યું કે માતાજીના ધરે ના ન્હાતા , પણ વણઝારી ના માની . અને માતાજીના ધરે નાહવા પડી ,ધરા માં જેમ કોઈ ખેંચીને અંદર લઇ જતું હોય એમ પાણીમાં જવા લાગી, વણઝારી બૂમો પાડવા લાગી ,વણઝારાઅને આજુબાજુના લોકો એને  બચાવવા બે હાથ પકડીને જોરથી ખેંચે છે. વણઝારી બહાર તો આવી ગઈ પણ એ કમરમાંથી રાંગળી થઇ ગઈ, એને ઉપાડીને ધામેણીયા ગામના રાંગણી માં ના મંદિરે લાવ્યા, રાંગણી માં નો ભુવો ધૂણીને બોલ્યો કે મારો રાંગણીકે જોગણી માતાનો કોઈ પ્રકોપ નથી. પણ બીજા કોઈ દેવીનો કોપ છે, 

પછી તો માં લાખણેચી પરચો આપે છે, પેલા ઠાકોર ભાઈ ના બાપા નરસંગા વીરના ભુવા હતા, તે ધૂણ્યાં અને કહ્યું કે તમે આને ધરા પર લાખણેચી મા ના સ્થાનકે લઇ જાઓ, લાખુંમાં નો એક ચંદરવો લાવો, એક નારિયેળ ,અને સવા સેર દૂધ અને સવા સેર ચોખાની ખીર બનાવો અને ચડાવો .તમે માતાજીને કગરી પડજો, એ આ બાઇનું જીવનદાન  આપશે.

આમ કહ્યા પ્રમાણે બધું કરે છે અને વણઝારી સાજી થઇ જાય છે,  પરંતુ એ દિવસથી ધરા માંથી પાણી આવતું બંધ થઇ ગયું ,

સમય જતા આજુબાજુમાં રહેતા બધાય ઘાંઘોળ શાખના રબારીઓ ભેગા થયા અને મોટું મંદિર બનાવડાવ્યું. હાલમાં જેસંગભાઈ માતાજીના ભુવાજી છે.તેઓ માતાજી સાથે સાક્ષાત વેને વાતો કરે છે અને સૌ માઈ ભક્તોની મનોકામના પુરી કરે છે.

ગુરુવાર, 8 ડિસેમ્બર, 2022

 સલીમ ની મેલડી નો ઇતિહાસ,

નમસ્કાર મિત્રો, આજે આપણે સુરેન્દ્રનગર ના મહેતા માર્કેટના સ્મશાનમાં બેઠેલી મસાણી મેલડી ના પરચાની વાત કરીશું.માં મેલડીએ સલીમ પઠાણ નામના મુસલમાનને પ્રગટ પરચો આપ્યો, 

સલીમ પઠાણ જુના કપડાનો બસકો લઈને બજારમાં બેસીને વેપાર કરે અને જે થોડીક કમાણી થાય એમાંથી પોતાના ઘરનું ગુજરાન ચલાવતો, ધીરે ધીરે ધંધો ઠપ થવા લાગ્યો અને સલીમ ને માથે ઘણું દેવું થઇ જાય છે, તે બજારમાંથી બસકો લઈને નીકળે તો એને મનમાં ડર રહેતો કે હમણાં કોઈ લેણિયાત આવશે ને મને પકડીને બે થપાટ મારશે, 

લેણિયાતો ઘરે આંટા મારવા લાગ્યા, એની પત્ની ખોટા જવાબ આપી આપીને કંટાળે છે, એટલે સલીમ કહે છે કે કાલથી હું બજાર જઈશ ત્યાંથી ઘરે નહિ આવું, પણ તમારૂ ગુજરાન ચલાવવા માટે જે 5-25 રૂપિયાની જરૂર પડેતો એક દીકરાને સ્મશાને મોકલી દેજે , હું સ્મશાનમાં જ હોઈશ ત્યાંથી હું પૈસા આપી દઈશ, 

બીજે દિવસે સલિમ બાજુના ગામોમાં વેપાર કરીને સુરેન્દ્રનગર ની સ્મશાનમાં રોકવા જાય છે, સ્મશાનમાં જઈને જુના કપડાનો બસકો બાજુમાં મુક્યો, એક બાજુ ત્રણેક શબ સળગે છે, અને બીજી બાજુ માં મેલડીના ફોટા આગળ એક અખંડ દીવો બળતો હતો ત્યાં જઈને સલીમે માં મેલડીને મુસલમાન હોવા છતાં દંડવત પ્રણામ કર્યા, જેમ હાથમાંથી લાકડી પડે એમ બે હાથ ઊંચા કરીને તે માં મેલડી આગળ ઢળી પડ્યો, અને તે રડતા રડતા બોલ્યો કે હે અમ્મા, દયાની સાગર તારી પાસે રૂપિયા માંગવા તો નથી આવ્યો, પણ માંડી, હું જીવું ત્યાં સુધી મારી બાંધી મુઠી રાખજે, હે માંડી ,મારા કુરાનમાં લખ્યું છે કે ક્યાંય જન્નત ના મળે એને અમ્મા ના ચરણ માં જન્નત મળે, માંડી હું જાતનો પઠાણ છું, પણ માં મને ખબર છે કે તારા પગ જે પકડી લે તેને જન્નત મળી જાય છે બાપ, આમ રાતના એક વાગે સલીમ મનમાં ઓરતો કરે છે કે માં તું માં છે ,તારા ચરણો માં જન્નત છે, દુનિયાને મળે, તો તારા સલીમ ને જન્નત નહિ મળે, આમ કહેતા કહેતા દળ દળ આંસુડાં પડવા લાગ્યા અને સલીમ ના હાથમાં માં મેલડીનો ફોટો હતો, એ ફોટામાં માં મેલડીના પગ પર સલીમના આંસુડાં પડ્યા, ત્યાં તો સ્મશાનમાંથી લોઢાના દાંત વાળી માં મેલડી જાગી , અનેફોટામાંથી અવાજ આવ્યો કે "સલીમ , તારે જન્નત જોઈએ છે ને ?, તો સાંભળ ,હું એક મસાણી મેલડી બોલું છું,  દુનિયામાં તને કોઈ આશરો ના આપેને, અને તારી પાછળ કદાચ કોઈ 5-25 લેણિયાત પડી જાય, તો એકવાર દોડીને મારા સ્મશાનમાં આવી જજે અને મારા સમસાનની અંદર મારા જુના માટીના તાવા પડ્યા છે, તું અમ્મા બોલીને તાવા ને માથે ટોપી ઓઢે એમ ઓઢી લેજે અને દુનિયામાં તને કોઈની નજરે દેખાવા દઉં તો હું મસાણી મેલડી નહિ, 

પછી તો સલિમ ને લાગે કે પાછળ કોઈ લેનિયત ચાલ્યો આવે છે, ત્યારે સલીમ સ્મશાનમાં જઈને મેલડી નું નામ ,અમ્મા બોલીને તાવો માથે ઊંધો કરી દે, એટલે સલીમ ને કોઈ ભાળતું નહોતું, અને લેણિયાત જતા રહે ત્યારે તાવો પાછો મૂકી દે, પછી સલીમ બોલ્યો કે હે માં આમ દુનિયાથી સંતાઈને કેટલા દિવસ જીવીશ, ત્યારે માં મેલડી બોલી કે સલીમ તારે માથે કદાચ કરોડો રૂપિયાનું દેવું હોયને તો સવા વર્ષની અંદર તારું દેવું હું ભરી દઈશ, તું ક્યાંય જતો નહિ ,કોઈને કાંઈ કહેતો નહિ,અને સવા વર્ષની અંદર જેટલા લેણિયાત છે એની સામે મળ, અને તે એમ કહે કે હે સલીમ, તારી માં આવીને પૈસા આપી ગઈ, બીજો મળે ને કહે કે હે સલીમ તારી માં આવીને પૈસા આપી ગઈ, સલિમ સવા વર્ષમાં તારું કરજ ના ભરી દઉં તો હું મેલડી નહિ, 

   પછી તો સલીમ ને મેલડી ની માયા લાગી ગઈ, અને માં મેલડીએ સલીમનું દેવું ભરી દીધું, સમય જતા સલિમને લકવો થાય છે અને અડધું અંગ કામ નથી કરતુ, અંતે સલિમ એક વાર માં મેલડીને સ્મશાને દર્શન કરવા આવે છે ત્યારે સલીમ બોલ્યો કે હે માં મારે બીજું કઈ નથી જોઈતું ,પણમારી દીકરી જે સલમા છે, એ એક વાર નિકાહ પઢી જાય ત્યાં સુધી ખોળિયાને ખાલી ના થવા દેતી, ત્યારે માં મેલડી બોલી કે સલીમ જ આજે લોઢાના દાંત વળી મસાણી મેલડી તારા વચને બંધાવું છું, કે તારી દીકરીના નિકાહ પઢાઇને તારી દીકરીની જાનની વિદાય થઇ જાય એ પછી તને ત્રણ દિવસ જીવતો ના રાખું તો હું મસાણી મેલડી નહિ,  

બુધવાર, 7 ડિસેમ્બર, 2022

 આઈ શ્રી નાગબાઈ માં ની પ્રગટયકથા અને ઇતિહાસ

 આઈ શ્રી નાગબાઈ માં ની પ્રગટયકથા અને ઇતિહાસ 

નમસ્કાર મિત્રો, આજે આપણે આઈ શ્રી નાગબાઇમાં ની પ્રગટયકથા ની વાત કરીશું ,જૂનાગઢના ગિરનારની ગોદમાં આવેલા મોણીયા ગામમાં આઈ શ્રી નાગબાઇમાનું મંદિર આવેલું છે, જ્યાં માં નાગબાઇએ અનેક પરગટ પરચા પૂરેલા છે.

માં નાગબાઇના પ્રાગટ્યની વાત કરીએ તો આજથી આશરે 600 વર્ષ પહેલાનો આ ઈતિહાસ છે, ગિરનારની ગોદમાં એક ધનફુલીયા નામના ગામમાં હરજોગ ચારણ તેની પત્ની સાથે નેસડામાં રહેતો હતો, બંને જણ પવિત્ર જીવન જીવનારા સુખીસંપન્ન હતા. પરંતુ એમને શેર માટીની ખોટ હતી, એક વખત એવું બન્યું કે અઘોરી સાધુઓની એક જમાત બલૂચિસ્તાનથી ચાલતી ચાલતી ગરવા ગઢ ગિરનારની પદયાત્રા કરવા માટે જાય છે, તેઓ બલૂચિસ્તાનની હિંગોળ નદી થી આવેલા, અને તેઓ માતા હિંગળાજ ના પરમ ઉપાસક હતા, સાધુઓની જમાતમાં એક સાધુ ઝાઝી ભાંગ પી ગયા હોવાથી એને ખુબ માથું દુખે છે. એવામાં ચાલતા ચાલતા તે આ ચારણના નેસડે આવે છે. સાધુએ ચારણની પત્ની પાસે પીવા દહીં માગ્યું, ચારણની પત્નીએ એક તાંસળી ભરીને સાકરવાળું દહીં આપ્યું, અને સાધુને પેટમાં ટાઢક થતા માથાનો દુખાવો દૂર થયો એટલે એમણે કહયું કે દીકરી માંગ તારે શું જોઈએ છે, દીકરી કહે છે કે મારે કઈ નથી જોઈતું ,માતાજીની દયાથી અમારે ઘણાય માલઢોર છે, પરંતુ અમારે ઘેર શેર માટીની ખોટ છે, સાધુ માં હિંગળાજનાં પરમ ઉપાસક હતા એટલે તેઓએ માતાજીને અરજ કરી, અને માતાજીએ કહ્યું કે કહીદે દીકરીને કે હું હિંગળાજ એના ઘેર નાગબાઇના રૂપે અવતરીશ, ત્યારપછી સાધુ ચારણ ની પત્નીને કહે છે કે હે દીકરી તારે ત્યાં આજથી અગિયાર મહિને એક દીકરી જન્મ લેશે તેનું નામ નાગબાઈ રાખજે ,કેમકે આ અઘોરી નાગા બાવા એ તને વચન આપ્યું છે, 

આમ સમય જતા હરજોગ ચારણ ને ઘેર માં એ અવતાર લીધો અને એના આંગણામાં પગલીયો પાડીને એનું વાંઝિયા મેણું દૂર કર્યું. હવે માંને સૌરાષ્ટ્ર ની ધારા પર પરગટ પરચા પૂરીને એમનો મહિમા વધારવો હશે, એટલે ઉંમર થતા આઈ નાગબાઇના લગ્ન જૂનાગઢના મોણીયા ગામમાં કરે છે, અષ્ટ સીધી નવ નિધિ માં ના ચરણોમાં રમે છે. આઈ નાગબાઈ માં મોણીયામાં પરગટ પરચાઓ પુરે છે, 

એક વખત એવું બન્યું કે કુતુબુદ્દીન ઘોરી મોણીયા માં ગોવાળો સાથે મારઝૂડ કરીને ગાય-ભેંસોનું ખાડુ વાળીને લઇ જાય છે. ગોવાળિયા આઈ નાગબાઈને આવીને કહે છે ,અને નાગબાઈ એ કહ્યું કે ગોવાળો ચિંતા ના કરશો, લો આ ભેળિયો ખખેરું, કુત્તુબુદ્દીન જ્યાં સૂતો હશે ને ત્યાં તે હેઠો પડશે, આમ આઈ નાગબાઇએ ભેળિયો ખનખેર્યો ત્યાંતો રાજમાં કુતુબુદીન જ્યાં સૂતો હતો ત્યાંથી હેઠો પડ્યો અને હાથે પગે બેડીયું આપોઆપ લાગી ગઈ, રાજના લોકોને આંખે અંધારા આવવા લાગ્યા , રાજના લોકો સમજી ગાયકે માં ની માફી મંગાવી જોઈએ, આપણે દેવીનો અપરાધ કર્યો છે, અને કુતુબુદી ગાય-ભેંસોનું ખાડુ પાછું મોણીયા લાવ્યો અને આઈ નાગબાઇની માફી માંગી,

કહેવાય છે કે આઈ નાગબાઈ સુરજદેવના પરમ ઉપાસક હતા. રોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરીને પૂજા કરતા હતા, એક દિવસ સૂરજદેવે પ્રસન્ન થઈને એમને એક સુરજપખો અસ્વ વરદાન રૂપે આપ્યો,

 તે સમયમાં જૂનાગઢમાં રા'માંડલિક રાજ કરતો હતો જેને રા'ગંગાજળીયો કહેતા કેમકે તે રોજ સવારે કાવડ દ્વારા લાવેલા તાજા ગંગાજળથી સ્નાન કરતો અને કહેવાય છે કે તેના સ્નાન કરેલા ગંગાજળથી વીઘા વાજા નામના ચારણના કોઢ મટી ગયેલા. આવો પવિત્ર ગંગાજળીયો ગરવા ગિરનાર પર રાજ કરતો હતો, આઈ નાગબાઇમાં ના દીકરાનો દીકરો નાગાર્જન રા'મંડલીકનો પાક્કો ભાઈબંધ હતો. નાગાર્જન એને મળવા આવે નહિ ત્યાં સુધી રા'માંડલિકને કહુંબાનો નશો થાય નહિ.

બીજી બાજુ જૂનાગઢમાં નરસિંહ મહેતા ભગવાન કૃષ્ણ ની ભક્તિમાં તરબોળ હતા, એવામાં રા'મંડલિકને કોઈએ કહ્યું કે નરસિંહ મહેતા ઢોંગ ધતિંગ કરે છે અને કહે છે કે મને ભગવાન આપોઆપ મળ્યા એવો દાવો કરીને પ્રજાને ગેરમાર્ગે દોરે છે. અને પછી કહેવાય છે કે રા'માંડલિક નરસિંહ મહેતાને જેલમાં પુરી દે છે અને ઇતિહાસના કહેવા પ્રમાણે ભગવાન કૃષ્ણ નરસિંહ મહેતાની લાજ રાખે છે અને ખુદ ભગવાન કૃષ્ણએ આવીને નરસિંહ મહેતાને હાથોહાથ હાર પહેરાવેલો, રા'માંડલિક નરસિંહ મહેતાના પગમાં પડે છે, નરસિંહ મહેતા કહે છે કે રાજા હું તમને શ્રાપ નથી આપતો પણ તમારા કારણે મારા હરિને વૈકુંઠ માંથી ધક્કો ખાવો પડ્યો એટલે મારો હરિ એનો બદલો જરૂર લેશે. 

આમ કરતા કરતા એક વાર રાજના અમુક માણસો રાજાને નાગાર્જન વિરુદ્ધ કાન ભંભેરે છે, એટલે રા'માંડલિક નાગાર્જન પાસે સુરજપખો અસ્વ માંગે છે. નાગાર્જન અસ્વ આપવાની ના પાડે છે, રા'મંડલિકને આ વાતનું ખોટું લાગી જાય છે ને બંનેની ભાઈબંધી વચ્ચે તિરાડ પડે છે, નાગાર્જન વળતો ઘરે જતો હતો ત્યારે રા'મનડલીકનો પિતરાય ભાઈ રા'વિકો રસ્તામાં મળે છે. વ્યવહારમાં કાંઈક વાંધો પડેલો એટલે રા.વિકો રામંડલીકના સામે બહારવટિયે નીકળેલો. રા'વિકાએ અસ્વ ના વખાણ કર્યા એટલે નાગાર્જને અસ્વ રા'વિકાને આપી દીધો, આ બાજુ રા'મંડલિકને જાણ થતા તે સિપાઈને મોકલીને નાગબાઇને અને નાગાર્જનને નેસડો ખાલી કરવાનો હુકમ કરે છે. આઈ નાગબાઇ સિપાઈને કહે છે કે ગરવા ગિરનાગના ઘણી રા'ગંગાજળિયાનો જીવ એટલો બધો ટૂંકો થઇ ગયો?, 

રા'માંડલિક ને જાણ થતા તે પોતે મોણીયા ગામ જાય છે, રા'માંડલિક પહેલા જયારે જયારે મોણીયા આવતા ત્યારે સૌપ્રથમ આઈ નાગબાઈને મળવા જતા, એટલે આઈને લાગ્યું કે રા' અહીંયા આવશે, 

પણ બન્યું એવું કે રા'માંડલિકે ગામના ઝાંપેથીજ હુકમ કરી દીધો કે મારુ મોણીયા કેમ ખાલી કર્યું નથી, અમારા ઘોડાને દૂધ પાવા છે, નેહડા માંથી દૂધ મોકલો, સિપાઈઓ કહેવા આવ્યા એટલે આઈ નાગબાઈ બોલ્યા મંડલીકના ઘોડાને થોડા ઘણા દુધે નહિ થાય, ગામના પાદરમાં અવેડાની પાસે વડલો છે. એ વડલાની વડવાઈઓમાંથી દૂધની શેરો ફૂટશે, અને તમે જશો ત્યાં સુધી અવેડો દૂધથી ભરાઈ જશે,

આમ સિપાઈઓ જઈને જુએ છે તો વડલાની વડવાઈઓમાંથી દૂધની શેરો ફૂટી, આખો વડલો દુધે વરસવા લાગ્યો અને આખો અવેડો દૂધથી છલોછલ ભરાઈ ગયો, સિપાઈઓ આવું જોઈને સમજી ગયા કે આ કોઈ દૈવી શક્તિનો ચમત્કાર છે, પણ રા'મંડલોક કઈ સમજતો નથી. 

બીજી બાજુ આઈ નાગબાઈ નેહડામાં વાત કરે છે કે ચારણોના નેહડામાં રાજપૂત આવે તો એને વધાવવો પડે, એનું સામૈયું કરવું પડે, આમ કહી સૌ બહેનો દીકરીઓ રા'માંડલિકને વધાવવા પાદરે આવે છે, રા'મંડલિકને તિલક કરવા જાય છે ત્યાંતો તે મોઢું ફેરવી દે છે, અને ત્યારે આઈ નાગબાઈ બોલ્યા કે દીકરી આજે રા,માંડલિક નથી ફર્યો પણ એનો દી ફરી ગયો છે, પછી તો સમય જતા રા'માંડલિક ની દશા ફરી અને તે ગાંડો થઇ ગયો, ગરવા ગિરનારનો ઘણી રા'ગંગાજળિયો તે સમયે જૂનાગઢની બજારમાં ઉકરડા વીંખવા લાગ્યો, પોતાની દિન દશાનું કઈ ભાન રહેતું નથી અને મોહમ્મદ બેગડાએ જૂનાગઢ પર ચડાઈ કરીને એને પરાજિત કરી દીધો, 

રા'મંડલિકને શ્રાપ આપીને આઈ નાગબાઈને બહુ દુઃખ થયું એટલે તે પ્રાયશ્ચિત કરવા માટે હેમાળો ગાળવા નીકળી પડે છે, સાગા સબંધી અને ઉપાસકો બધાય આઈને વળાવવા આવ્યા, એક હરિજન અને એની પત્ની આઈ ની સાથે ગયા, પછી તો કહેવાય છે કે આઈ નાગબાઇએ પોતાના શરીરને હિમગિરિના બરફમાં સમાવી દીધું, આજે તમે મોણીયા ગામે જાઓ તો ત્યાં આઈ નાગબાઇનું મંદિર છે, હરિજન અને તેની પત્ની ની ખામ્ભલિ આઈ ના ખોળામાં છે. મોણીયા વાળી માં આઈ નાગબાઈ સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...