બુધવાર, 26 એપ્રિલ, 2023

ગોબરા ની મેલડી માં નો ઇતિહાસ

ગોબરા ની મેલડી માં નો ઇતિહાસ 

 નમસ્કાર મિત્રો, ગરીબ ગોબરની માં મેલડીમાં ના ઇતિહાસ ની વાત કરીશું,આ કળિયુગ માં મેલડી કેવીએ લીલાઓ કરે છે, જ્યાં જ્યાં માં મેલડીના ધૂળના ધડિમલા છે ત્યાં ત્યાં માં મેલડી માં હાજર હજુર બેઠા છે,માં પરચાઓ પુરે છે, માં મેલડીના ઘણાય બાનાધારી ભૂવાઓ થઇ ગયા, જેણે માં જગદંબા સાથે વેણે વાતો કરી, એવોજ એક માં મેલડીનો બનાધારી ભગત હતો - ગોબરો...., ગોબરો માતાજી સાથે સાક્ષાત વેણે વાતો કરતો અને રોજ માં ના ધૂપ દીપ કરીને માં ની સેવાપૂજા કરતો , અને માં મેલડીએ નવખંડમાં ગોબરનું નામ અમર કરી દીધું, 

આજથી આશરે 150 વર્ષ પહેલાનો આ ઇતિહાસ છે, ભાવનગર પરગણા માં ગોહિલવાડ ના ગોંદરે રાજપર નામનું ગામ આવેલું છે, માતાજીને કેમ ભજાય અને માં ની ભક્તિ કેવી હોય તે આ વાર્તા માં છે, રાજપર ગામમાં અઢારે વર્ણ રહેતા હતા, એમાં એક ગરીબ કુટુંબ રહેતું હતું, જેને ગરીબાઈ ભરડો લઇ ગયેલી, તૂટેલા છાપરા માં ખાવા મુઠી જાર ના મળે, 

ઘરમાં એક ડોસો- ડોશી એમના સાત દીકરા સાથે રહેતા હતા, માતાજી લીલાઓ કરે છે, અને સાતેય દીકરા નાના હતા ત્યારેજ માવતર એમને નોધારા મેલીને ગામત્રે ચાલ્યા જાય છે, નાના ભાઈઓની જવાબદારી સૌથી મોટા દીકરા ગોબરા પર આવે છે, જતા જતા એના બાપાએ એને માં મેલડીનો કરંડિયો આપેલો અને કહેલું કે માં ની રોજ સેવા પૂજા કરજે દીકરા, આમ ગોબરો રોજ મજૂરી કરવા જાય અને જ્યાં પણ જાય ત્યાં સાથે માં મેલડીનો કરંડિયો લેતો જાય, છૂટક છવાઈ મજૂરી કરતાં કરતાં એક દિવસ ગામના એક ખેડૂત પાસે જાય છે અને કહે છે હે બાપૂ મને તમારા ખેતરના શેઢે એક નાનું છાપરું બાંધવા દ્યોને, મારા છ નાના ભાઈઓ તમારા ઢોર ચરાવશે, છાણ-વાંસીદા કરશે, અને હું તમારા ખેતરમાં ખેતી કામ કરીશ, જેથી મને અને મારા છએ ભાઈઓને સાંજ પડતા રોટલો તો મળી રહે, ખેડૂત માની જાય છે અને પછી તો ગોબરો ખેડૂતને ત્યાં ખેતમજૂરી કરવા લાગે છે, 

એક દિવસની વાત છે, ખેતર ખેડતા ખેડતા બપોર થઇ એટલે તે શેઢે આવેલા એક ઠુમરી ના ઝાડ નીચે જઈને રોટલો ખાય છે અને તયાંજ થડના ટેકે સુઈ જાય છે, ત્યાંતો સપનામાં માં મેલડી આવે છે અને કહે છે કે "દીકરા ગોબરા હું તારા બાપદાદાની મુડી, કરંડીયામાં બેઠેલી માં મેલડી બોલું છું, દીકરા ગોબરા મને સાથે લઈને તું આમ ક્યાં સુધી ભટકીશ, મારે હવે ક્યાંક બેસવું છે દીકરા,એક કામ કર,તું આ ઠુમરીના ઝાડ નીચેં મારુ સ્થાપન કર દીકરા"  

આમ માં મેલડી ની મરજી પ્રમાણે ઠુમરીના ઝાડ નીચે ગોબરાએ માતાજીનું સ્થાપન કર્યું ,અને પછી તો માં નું ધ્યાન ધરે અને રોજ ધૂપ દીપ કરીને માં ની ભક્તિ કરતો, સમય જતા એના લગ્ન થયા અને બંને જણ માં ની સેવા કરતા હતા, 

ધીરે ધીરે સમય પસાર થાય છે અને એક દિવસ એવું બને છે કે , ગોબરા ની ગરીબાઈ દૂર કરવા માં મેલડી પરચાઓ પુરે છે, એવામાં રાજપર ગામને સીમાડેથી કાશી ના વિદ્વાન પંડિત રાજગોર બ્રાહ્મણો નીકળે છે, સાથે રાજદરબારનો ખજાનો છે, સાત સાત ઘડુલા સોના ચાંદીના દાગીના થી ભરેલા છે, તેઓ વિચાર કરે છે આ ગામને સીમાડે આપણે આ ચરુ ને દાટી દઈએ,અને વળતા પાછા અહિયાંથી લેતા જઈશું, આમ એક બોરડીના જારા પાસે ઊંડો ખાડો કરીને એમાં ચરુ દાટી દે છે અને ઉપર એક સિંદૂર વાળો પથ્થર મૂકી દે છે, પછી તો માં મેલડીએ લીલા કરી અને મધરાતે માં મેલડી ગોબરા ના સપને આવ્યા, અને કહ્યું કે દીકરા ગોબરા ઉભો થા, જા તારા છએ ભાઈઓને બોલાવ, અને સાંભળ રાજપરાના સીમાડે બોરડીના જારા પાસે  એક સિંદૂર વાળો પથ્થર દેખાય તો એની નીચે સોના ચાંદીથી ભરેલા ચરુ છે, હું મેલડી તને ખજાનો દેવા આવી છું દીકરા,"

ત્યાંતો ગોબરો રાજી થઇ ગયો અને સવાર પડતાંજ છએ ભાઈઓને સાથે લઇ ગયો અને સીમાડે જઈને સિંદૂર વાળો પથ્થર શોધ્યો અને ત્યાં ખોદીને જોયું ત્યાં તો એમાંથી ચરુ નીકળ્યા, એક પછી એક એમ સોના-ચાંદીના ભરેલા સાત ઘડા નીકળ્યા, ગોબરાએ સાતેય ઘડા પોતાના ભાઈઓને આપી દીધા અને કહ્યું કે ભાઈઓ આ બધી માયા તમારી છે, છ એ ભાઈઓ સંપીને વહેંચી લેજો, મારે કાંઈ નથી જોઈતું, મારે તો મારી માં જે આપે એ મહેનત મજૂરી કરીને ખાવું છે, અને પછી માં મેલડીની નિરાંતે ભક્તિ કરવી છે, 

આમ પોતાના છએ ભાઈઓની માયાથી ભરેલા ચરુ આપ્યા અને છએ ભાઈઓના ઘરે  લીલા લહેર થઇ ગયા, પાકા મોટા મકાન છે, આંગણે દૂઝણાં ઢોર છે, અને આ બાજુ ગોબરા પાસે માં મેલડીના એક કરંડિયા સિવાય બીજું કાંઈ નથી, ગોબરો અને એની પત્ની મહેનત મજૂરી કરીને ગુજરાન ચલાવે છે, અને રોજ સવાર સાંજ માં મેલડી ની ભક્તિ કરે છે,અને માં મેલડી સાથે ગોબરો  સાક્ષાત વેણે વાતો કરે છે ,

એવામાં એક દિવસ એવું બન્યું કે આંગણે બે મહેમાન મા મેલડીના મઢમાં પોતાનું દુઃખ લઈને આવે છે, ગોબરો મહેમાન ને માનભેર આગતા સ્વાગત કરીને ચા પાણી કરાવે છે , અને કહે છે કે બપોરનું ટાણું છે ,તમે રોટલા ખાઈને જ જજો ,પછી ગોબરની પત્નીએ ઘરમાં જે થોડો લોટ પડ્યો હતો એના બે રોટલા ઘડ્યા અને હાથમાં તાહળી લઈને ગામમાં પોતાની દેરાણી ના ઘરે છાછ લેવા જાય છે, પરંતુ છએ દેરાણીઓ એ કહ્યું કે આજે તો વલોણું ચલાવ્યું જ નથી,એટલે ગોબરાની પત્ની કહે છે કે તો તમારા ખાવામાંથી થોડી બે વાટકી છાછ આપી દ્યો ,ઘરે માં મેલડીના મઢે મહેમાન આવ્યા છે માટે, 

ત્યાંતો દેરાણી બોલ્યા કે મહેમાન જ્યાંના હોય યાના, એ અમારે ને મેલડીને કાંઈ લેવા દેવા નહિ હોં, એ જાઓ છાનામાના હાલતા થાઓ, 

ત્યાંતો ગોબરાની પત્ની બોલી કે ભલે બાપા જેવી તમારી મરજી, આમ કહી નેંહાકો નાખીને ત્યાંથી ઘરે પાછી આવી, અને મહેમાનોને રોટલો ને મરચું આપ્યા, ને મહેમાન સમજુ હતા એટેલે એમણે કહ્યું કે કાંઈ વાંધો નહિ બાપા જે હશે એ ખાઈ લેશું, આમ મહેમાને રોટલા ખાધા અને જતા રહ્યા.

ગોબરો આ બધું જોઈને ખુબ દુઃખી થયો અને ઓશિયાળું આંસુડું પાડીને કહ્યું કે હે માં મેલડી વહુઓ તો પારકી છે પણ મારી માં ના જણ્યા છ ભાઈઓ તો મારા પોતાના છે ,એમને પણ દયા ના આવી અમારી પર ,

માં મેલડીથી આ જોવાયું નહિ અને કરંડિયામાંથી માં મેલડી બોલી કે ગોબરા સાંભળ તારા એ છએ ભાઈઓ હવે એ તારા રહ્યા નથી, ઘરમાં છાછ હતી તો પણ આપી નહીં, એ મહેમાન ગરીબ ગોબરના નોહતા ,એ માતા મેલડીના મહેમાન હતા, તેઓએ મારુ મેલડીનું અપમાન કર્યું છે ગોબરા, અને જતા જતા એમ પણ કહ્યું હતું કે મારે ને મેલડી ને કાંઈ લેવા દેવા નહિ, તો ગોબરા તારે તારા ભાઈઓનું થઈને રહેવું છે કે મારુ મેલડી નું?

ત્યારે ગોબરાએ કહ્યું કે માંડી હું તો તારોજ છું અને તારોજ થઈને રહેવાનો છું,

, તો સાંભળ ગોબરા આજથી તારે તારા ભાઈઓ સાથે કાંઈ લેવાદેવા નથી,

 થોડો સમય પસાર થયો અને એક દિવસ માં મેલડી ગોબરના સાપને આવીને કહે છે કે હે દીકરા ગોબરા ,હું તારી દેવી મેલડી બોલું છું, દીકરા મને મેલડીને જમવાની ઈચ્છા થઇ છે, મને મેલડી ને જમાડ, મારે જમવું છે, મારા તાવ મંડાવ, "

ગોબરો કહે છે કે હે માંડી હું તમને જરૂર જમાડું પણ મને મારા ભાઈઓ પાસે જવા દ્યો, પછી માંડી જગતમાં કોઈને એમ ના થાય કે માતાજીના નિવેદ્ય કર્યા ને ભાઈઓને ના કીધું, માંડી તું રજા આપતી હોય તો ભાઈઓ પાસે જતાવું, પછી એમની જેવી મરજી, "

માતાજી કહે છે કે ભલે મારા ગોબરા ,પણ જોજે હો. . . 

આમ ગોબરો છ એ ભાઈઓને મળીને વાત કરે છે કે મારે માં મેલડીને જમાડવી છે, તમે છ એ ભાઈઓ વધારે કાંઈ ના આપો તો એક સવા સવા રૂપિયો જો આપો તો માતાજીના નિવેદ્ય કરવા છે , ગોબરા એ આજીજી કરી છતાં પણ તેઓ કહે છે કે અમારે ને મેલડીને કાંઈ લેવા દેવા નથી, આમ ભાઈઓ કોઈ માન્ય નહિ, કોઈએ આવકારો આપ્યો નહિ, 

ઝૂંપડી માં આવીને ગોબરાએ જોયું તો એક કોરી પછેડી પડી હતી એ લઈને હાટડીએ ગયો એમ વિચારી ને કે લાવને આનું કઈ આપે તો પાંચશેર ઘઉં લેતાઉ , 

આમ પછેડી લઈને ગોબરો હાટળીએ જાય છે, અને કહે છે કે લ્યો શેઠ આ નવી અને કોરે કોરી પછેડી, અને આના બદલામાં મને સવા પાંચશેર ઘઉં , એક શ્રીફળ અને એક અગરબત્તી નું પડીકું આપો, મારે માં મેલડીના નિવેદ્ય કરવા છે, અને મારા દાળી ના પૈસા આવશે એટલે બે ત્રણ દિવસ માં પછેડી છોડાવી જઈશ, પણ વાણિયો ભલો હતો એટલે એણે કહ્યું કે અરે ગોબરાભાઈ, આ પછેડીને મારે શું કરવી છે, તમારે જો માતાજીને જમાડવા હોયને તો આ સીધું સામાન લઇ જાઓ , અને પૈસા જયારે થાયને ત્યારે આપી જજો ,તમારા જેવા બાનાધારી સેવકને ના નો પડાય, 

આમ ગોબરો સીધું સામગ્રી લઈને ઘરે આવે છે અને માતાજીનો નવરંગો માંડવો નાખે છે, માતાજીના નિવેદ્ય થાય છે, 

બીજી બાજુ છ ભાઈઓને ઘેર માતાજી રમત્યું માંડે છે, અને સવા વેતની નાગણી બનીને છએ ભાઈઓ જ્યાં સુતા હતા ત્યાં આવીને એક પછી એક એમ છએ ભાઈઓને ડંખ દીધા, અને છએ ભાઈઓ ધરતી માથે ઢળી પડ્યા, ઘડીકમાંતો આખાય ગામમાં કાળો કકળાટ થઇ ગયો, ગામની સૌ વાડા વસ્તી ભેગી થઇ જાય છે, 

ગામનો એક માણસ ઝટ ગોબરાને જઈને વાત કરે છે કે "ગોબરા ભાઈ ઝટ ગામમા ચાલો ,મોટો અનર્થ થઇ ગયો, તમારા છએ ભાઈઓને નાગણીએ ડંખ દીધો છે,અને એમાંથી એકેય નથી રહ્યા "

આ સાંભળતાજ ગોબરો સ્તબ્ધ થઇ જાય છે અને ચોધાર આંસુડે રડવા લાગે છે, અને રડતા રડતા કરું પોકાર કરે છે કે અરે મારી માવડી ,અંતે તે તારું ધાર્યુંજ કર્યું, માંડી અમે તારા છોરુંડા છીએ, મારાથી નાના ભાઈઓ આ દુનિયા છોડી દે તો હું કયા મોઢે જીવું, મારા પણ પ્રાણ લઇ લે માંડી , અને "મારા ભઈલાઓ ,મારા ભઈલાઓ" કરતા કરતા પોક મૂકીને રડે છે, 

ગોબરો માતાજીના મઢે જાય છે અને માતાજી પાસે રજા માંગે છે, અને અરજ કરતા કહે છે કે હે માંડી મને મારા ભાઈઓના અંતિમ સંસ્કારમાં જવા દે નહીતો આ જગત કાલે સવારે મારી અને મારી માં મેલડી ની વાતું કરશે, અંતે માં મેલડી માની જાય છે અને કહે કે ભલે ગોબરા તું જા એમના ઘરે અને હું જાઉં ઝાંપાનાં ખીલ માં, 

આમ ગોબરો ભાઈઓ ના ઘરે આવે છે ભાઈઓના મોઢા જોઈએને માથા પછાડવા લાગે છે, ત્યાંતો ગોબરાને સંભળાય એ રીતે આકાશવાણી થાય છે અને માં મેલડી કહે છે કે ગોબરા ,હું ઝાંપાના ખીલ માં સવા વેંત ની નાગણી થઈને બેઠી છું, અને બીજા વિસામે તારા છએ ભાઈઓની નનામીના બંધન છોડાવી સજીવન કરું તો માનજે કે હું મેલડી બોલીતી, 

પછી તો છએ ભાઈઓની નનામી લઈને ઝાંપાના ખીલ પાસે આવે ને અને નનામી ને જ્યાં વિસામો દીધો, અને નનામીને હેઠી મૂકી ત્યાંતો છ એ છ નનામીના બંધન તૂટ્યા અને છ એ છ ભાઈઓ બેઠા થઇ જાય છે, અને ચારે બાજુ માં મેલડીનો જય જય કાર થાય છે, આમ માં મેલડીના પ્રતાપે છ એ ભાઈઓ સજીવન થયા, અને ગોબરા ની લાજ રાખી દીધી,

આ બધી માં મેલડી ની લીલા હતી, પછી તો છ એ ભાઈઓ અને તેમની પત્ની માં ની માફી માંગે છે અને બધાય માં મેલડી ના થઈને રહે છે, અને પછી તો માં મેલડીનો માંડવો નખાય છે, માં ના તાવા તળાય છે, ડાક ડમ્મર વાગે છે ,માતાજીના ભુવા ભક્તો ના ખમકારા થઇ રહ્યા છે, આમ સાતેય ભાઈઓ મળીને માતાજીના નિવેદ્ય કરે છે, 

પછી તો કહેવાય છે કે માતાજીની કૃપાથી બરોબર નવ મહિના ને તેર દિવસે ગોબરા ને ઘેર દીકરો જન્મ્યો, ચારેય બાજુ લીલાલહેર થઇ જાય છે, 

માં મેલડી કહે છે "ભૂખ્યો રાખું ,ભોંય સુંવાળું, શરીર ની પડી દઉં ખાલ, આટલું કરતા ના માને તો હું મેલડી કરી દઉં ન્યાલ,"

  

 

શુક્રવાર, 21 એપ્રિલ, 2023

રૂપાભાઇ ની મેલડી માં ની વાર્તા,

રૂપાભાઇ ની મેલડી માં ની વાર્તા,

 એક ગામમાં રૂપાભાઈએ માં મેલડીનો સાડા ત્રણ દિવસનો નવરંગો માંડવો નાખ્યો ,અને તેમના જ એકના એક દીકરાનું એજ દિવસે મૃત્યુ થાય છે, પછી માં મેલડીએ પરચો આપ્યો એ ખરેખર જોવા જેવો છે,

નમસ્કાર મિત્રો ,સ્વાગત છે તમારું એ વન ગુજરાતી યુ ટ્યૂબ ચેનલ માં...

નાના એવા પંખી ના માળા જેવા એક ગામની આ વાત છે, આ ગામમાં રૂપાભાઇ અને પત્ની બાલુબાઈ એમના એકના એક દીકરા દેવલાની સાથે રહે છે. રૂપાભાઇ  અને બાલુબાઈ બંને માં મેલડીના પરમ ભક્ત છે. 

હવે એક વખતની વાત છે, રૂપાભાઈને થયું કે લાવને માં મેલડીનો સાડા ત્રણ દિવસનો નવરંગો માંડવો નાખું, પછી તો કહેવાય છે કે રૂપાભાઈ એ ગામમાં જઈને વડીલોને વાત કરી, કે અરે ભાઈઓ મારે માં મેલડીનો માંડવો નાખવો છે, મારે તમારા પૈસા નથી જોઈતા પણ તમારો સાથ સહકાર જોઈએ છે, ત્યારે ગામલોકો કહે છે કે રૂપાભાઈ તમે જરાય મુંઝાશો નહિ ,અમે તમને તન-મન-ધનથી પૂરો સાથ સહકાર આપીશું, અને અડધી રાત્રે પણ અમારી જરૂર પડે તો અમને કહેજો, 

આમ સવાર પડતા રૂપાભાઈએ માતાજીના મઢ માં જઈને ધૂપદીપ કર્યા અને માતાજી પાસે રજા માંગી કે હે માં અમારે નવરંગો માંડવો નાખવો છે ,જો તું રજા આપતી હોય તો કંકોત્રી લખું ,પછી તો માતાજીએ ડોઢ આપીને રજા આપી, ચૈત્ર મહિનાની નવરાત્રીનો સમય નક્કી થયો , અને માં ના માંડવાની તૈયારી શરૂ થઇ, ગામેગામ કંકુ ચોખા સાથે વાયક મોકલ્યા, અને દિવસ આવ્યો માંડવો નાખ્યો,થાંભલી રોપાણી,  નિવેદ્ય કરીને માને જમાડે છે,

આખું ગામ ભેગું થઈને માં ના ગુણગાન ગાય છે, ડાક ડમ્મર વાગે છે અને ડાકલાના તાલે ભુવા ધૂણે છે , એવા સમયે રૂપાભાઈ એમના દીકરા દેવલાને  ધૂપ માટે છાણાં લેવા મોકલે છે, પછી તો દેવલો ઘણી પાછળ વાડામાં છાણાં લેવા જાય છે, આબાજુ ભુવા અને ભક્તો જમે છે, 

દેવલો વાડામાં જઈને છાણાં ના ઢગલા માંથી એક છાણું લીધું, બીજું છાણું લીધું, એમ કરતા જ્યાં પાંચમું છાણું લીધું, ત્યાંતો છાણાં ના ઢગલામાંથી ફૂંફાડા મારતો કાળોતરો નાગ નીકળ્યોઅને તેને ડંખ મારે છે, પછી તો દેવલાનું શરીર લીલું કાચ જેવું થઇ ગયું અને મડદું એમ જમીન પર ઢળી  અને એના પ્રાણ પંખેરું ઉડી ગયું, આ વાતની કોઈને ખબર નથી ,પણ થોડીકવાર પછી એની માતા બાલુબાઈ ત્યાં આવ્યા તો જોયું તો એમનો એકનો એક દીકરો મરેલો પડ્યો છે,  તે એના દીકરાને ઢસરડીને ને ઘરના પાછલા બારણાથી ઘરના ઓરડામાં લાવીને પલંગ ઉપર સુવડાવીને એની પર ચાદર ઓઢાડી દે છે, અને ઘરની ઓસરી માં આવીને ઉભી રહી જાય છે કે જાણે કાંઈ બન્યુંજ ના હોય,

ઓરડાનું બારણું પણ બંધ કરતા નથી કેમ કે કોઈને શંકા ના જાય, અને જો કોઈને ખબર પડે તો માં મેલડી ના માંડવાને કલંક લાગે, અને માં મેલડીના નામને ખોટ ના જાય એ માટે આ જનમ દેનારી જનેતા કાળજું કઠણ કરીને મન માંડવામાં ઉભી રહે છે, પછી તો સાંજ પાડવા આવી છે, મણિ આરતી નો સમય થયો છે, ત્યારે રૂપાભાઈ કહે છે કે અરે આપણો દેવલો ક્યાં ગયો? ત્યારે બાલુબાઈ તેના  હસતા મોઢે આખે છે કે આપણો દેવલો તમારી બેનને તેડવા માટે ગયો છે, મેંજ એને મોકલ્યો છે , કાલે સવારે આવી જશે. પછી માની આરતી કરી.

બીજો દિવસ થાય છે વળી રૂપાભાઈ કહે છે કે દેવલો હજુ સુધી કેમ ના આવ્યો, ત્યારે બાલુબાઈ કહે છે કે કાલે સવારે આવી જશે, આટલું સાંભળતાજ રૂપાભાઈ બોલ્યા કે તને કઈ સૂઝ પડે છે?, આવો રૂડો માતાજીનો નવરંગો માંડવો નાખ્યો હોય અને આપણા દીકરાને બહારગામ મોકલી દીધો, આવી ટકોર મારતા બાલુબાઈ થી રહેવાયું નહિ અને તેના પતિનો હાથ પકડીને ઓરડામાં લઇ જઈને કહ્યું કે પેલી ચાદર ની અંદર સૂતો છે ને એજ દેવલો, પછી તો રૂપાભાઈએ ચાદરને ઊંચી કરી ત્યાંતો પોતાના એકના એકદીકરા દેવલાનું મડદું પડ્યું છે, એમના પગ નીચેથી જમીન સરકી જાય છે, અને દળ દળ આંસુડાંની ધાર વહેવા લાગે છે, ત્યાંતો બાલુબાઈ બોલ્યા કે  અરે તમને મારા સોગંધ છે, તમારી અંહકમાંથી એક પણ આંસુડું પાડવા દેતા નહિ, અને આ ઓરડામાંથી બહાર નીકળો અને બહાર જઈને પણ કોઈને કહેતા નહિ નહીતો તમારી માં મેલડીના સોગંધ છે, આમ રૂપાભાઈ તેમની આંખમાં આવેલા આંસુ ને પી જાય છે, 

હવે સદા ત્રણ દિવસ ના માંડવાની આજે છેલ્લી રાત છે, હવે રૂપાભાઈ બહાર નીકળે છે, માણસોની મેદની ભરી છે, રાવળદેવ ડાક ડમ્મર વગાડે છે, અને ગામના આગેવાનો કહે છે કે "રૂપાભાઈહવે તમે જરાક તમારી વાણી અમને સંભળાવોને, તમે કંઈક બોલો રૂપાભાઈ..."

પછી ઓટ રૂપાભાઈ હાથમાં ડાક ડમ્મર લઈને ,બંને આંખો બંધ કરીને માં મેલડીને કરુણ પોકાર કરે છે કે "હે માંડી તું ક્યાં ગઈ માં,? " આટલું બોલતાંજ તેમના આંખોમાંથી બોર બોર જેવડા આંસુઓની ધારા વહે છે, આ આંસુ તેમનો દીકરો મૃત્યુ પામ્યો તેના ના હતા, પણ કાલે સવારે માંડવો પૂરો થશે અને દીકરાની સ્મશાન યાત્રા નીકળશે ત્યારે આ ગામલોકો જ કહેશે કે "તું શું રોજ મેલડી મેલડી કરતો હતો, તારી મેલડી જો સાચી હોય તો તે ક્યાં ગઈ? "

આમ મારી મેલડીને કોઈ ટકોર કરશેને તો તે મરાઠી સહન થશે નહિ માં, આમ મનમાં ને મનમાં વિચારીને તે રડે છે અને માં ને કરૂણ પોકાર કરીને કહે છે કે " મારુ તો આ જગતમાં કોઈ નથી માંડી ,તુજ મારો આધાર છે, ધણી નો ધણી તો તુજ છે માંડી, હે માં તું સૂકા લાકડાને પણ લીલા કરી નાખે છે,હે માં તું તો અંતરમનને જાણવા વાળી છો માં, 

લાજ રાખજે માંડી, જે માં પર અપાર શ્રદ્ધા અને વિશ્વાસથી બંધાયા હોય અને જે માં ની નિસ્વાર્થ ભાવે માં ની ભક્તિ કરે છે ,માં ની સેવા કરે છે, માં તેના વહાણ ને ક્યારેય ડૂબવા દેતી નથી, આવી માં જોગમાયા મેલડી ને તે કરું પોકાર કરે છે, કે હે માં જગત આખું ખૂટી જાય પણ તું ક્યારેય ખૂટતી નહિ માં, મને તારા પર પુરેપુરો વિશ્વાસ છે, હે માં તું કદી ખુટીશ નહિ માંડી, "આટલા શબ્દો બોલતાંજ તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે, અને રડતા રડતા કરે છે કે "ર ક્યાં ગઈ મારી આંધળા ની અંધ લાકડી, 

ત્યાંતો કરુણાની મૂર્તિ અને દયાનો સાગર માં ભગવતી જોગમાયા મહામાયા આ પોકારને સાંભળી જાય છે અને ગામલોકો જ્યાં બેઠા હતા ત્યાં સાવ એક નવ વર્ષની દીકરી ના ખોડીયે માં જાગૃત થાય છે, અને તે દીકરી ધુણતી ધુણતી , ખમ્મા ખમ્મા ના ખમકારા કરતી હજારો માણસોની મેદની વચ્ચેથી દોટ મૂકીને જ્યાં રૂપાભાઈ આંખો બંધ કરીને ડાક ડમ્મર વગાડે છે ત્યાં આવીને આ દીકરી તેના માથે હાથ મૂકીને કહે છે કે "ખમ્મા છે દીકરા તને ખમ્મા છે, "

આટલું સાંભળતાજ રૂપાભાઈની આંખો ખુલી જાય છે, અને દીકરીને બે હાથ જોડીને પ્રણામ કરે છે, અને કહે છે કે બોલો માંડી તમારે શું કહેવું છે, મરાઠી કોઈ અપરાધ થયો હોય તો મને માફ કરજે માંડી, અરે દીકરા મારે તને કાંઈ કહેવું નથી , પણ તારી પત્ની ને અહીં માંડવામાં લઇ આવ, મારે એને બે શબ્દ કહેવા છે, ત્યારે રૂપાભાઇ તેમની પત્ની બાલુબાઈ ને માંડવામાં લાવે છે, બાલુબાઈ દીકરીના પગમાં પડી જાય છે, અને કહે છે કે"હે માં ,તારે મને શું કહેવું છે માંડી,આજે ત્રણ ત્રણ દિવસ થયા, મેં અન્નજળ લીધું નથી, હે માં તારી ખાડે પગે અમે સેવા કરી છે, અમારાથી શું ભૂલ થઇ ગઈ છે માં, એટલું કહી બાલુબાઈ બેભાન થઇ જાય છે, હવે દીકરી બાલુબાઈ ના માથે હાથ મૂકીને કહે છે કે ખમ્મા છે દીકરી તને ખમ્મા છે ,તું તો ખરું સોનુ છે, તું તો પારસમણિ છે, ધન્ય છે તારી જનેતાને અને ધન્ય છે તારી ભક્તિને, 

બાલુબાઈના માથે હાથ મૂકીને એટલું કહ્યું ત્યાંતો તે ભાનમાં આવે છે, ત્યાંતો માં મેલડી બોલે છે અરે દીકરી તમારી આંખમાં આંસુ છે, ગામના માણસોને તો કઈ ખબર નથી, કોઈને પણ કઈ ખબર નથી ,પણ મને ખબર છે કે તને શું થયું છે, આ જગતના માણસો તો લખેલું વાંચે છે, પણ આ મેલડી વગર લખેલું વાંચું છું, અરે બાલુબાઈ આ તારા મનમાં પડેલી વાતને જો હું સૌને તો તો મને મેલડીને કોણ ઓળખે દીકરી, તે ત્રણ દિવસ થી અન્નજળ વગર મારી સેવા કરી છે, પણ તારો મેં આજ વિશ્વાસ જોયો છે કે માં નો માંડવો છે ને એના નામને ખોટ ના લાગે,તેને કલંક ના લાગે એટલે તું સતત ત્રણ દિવસ તારા ઓરડાની બહાર તું ઉભી રહી છે, તારા આવા તપથી હું તારા પર પ્રસન્ન થઇ છું, તું સતી છે દીકરી, પછી તો માં મેલડી ગામ લોકોને કહે છે કે જાઓ હવે રૂપાભાઇના દીકરાના શબને ઘરમાંથી હવે અહીંયા લઇ આવો, ત્યારે ગામલોકોને ખબર પડે છે કે તેમના દીકરાને ગુજરે ત્રણ દિવસ થઇ ગયા, 

આમ ગામલોકો દીકરાના શબને માંડવામાં લાવે છે, અને બધાની આંખો ભીની થઇ જાય છે, અને કહે છે તમે તો કેવા માવતર છો ,તમારો દીકરો ગુજરી ગયો છે તો પણ તમે બધાને જમાડો છો, ત્યાંતો માં મેલડીએ ખમ્મા ખમ્મા નો ખમકારો કરીને દીકરીએ રૂપાભાઈના દીકરા પર હાથ ફેરવ્યો છે, ત્યાંતો સૂકા લાકડામાં કુપન ફૂટે અને જળમાં ચેતન આવે ,મૂંગા બોલતા થાય એવી માં ની કૃપા થઇ , રાતના બે વાગ્યા હતા, અને માં મેલડીએ ક્ષણ વર્ણો વિલંબ કાર્ય વગર રૂપાભાઇના દીકરાને સજીવન કર્યો,   

 

 


રવિવાર, 16 એપ્રિલ, 2023

ભાણેજડા ગામની માં મેલડી માંની વાર્તા

ભાણેજડા ગામની માં મેલડી માંની વાર્તા .....

ભાણેજડા ગામની સત્ય ઘટના ......

નમસ્કાર મિત્રો, આજે આપણે સાયલા તાલુકા માં આવેલું પંખીના માળા જેવું નાનું એવું એક ભાણેજડાં ગામ છે, 

આ ગામનીજ એક સત્ય ઘટના છે જે ઘણાય વરસો પહેલાની છે, એ સમયે ભાણેજડાં ગામમાં માં મેલડીનો નવરંગો માંડવો હતો, સૌ ગામ લોકો રાત્રે જમી પરવારીને માં ના મઢમાં આવે છે, માતાજી ના ધૂપ દીપ થાય છે અને ડાકલાંના તાલે માં મેલડી ભુવાજીના કોઠે રમવા આવે છે, આખી રાત માતાજીના ડાકલા વાગે છે ,એમાં એક કોળી પટેલ નો દીકરો અને એક ભરવાડનો દીકરો છે તેઓ બંને પાક ભાઈબંધ છે, 

રાત્રે બંને ભાઈબંધ ઘરે સુવા જાય છે, જતા જતા બંને વાત કરે છે કે કાલે સવારે માતાજીનો માંડવો વધાવાઈ જાય, પછી આપણે વગળે ઢોર ચરાવવા જઈશું, 

આમ સવારે માં મેલડી માં નો માંડવો વધાવાય છે, માં ના પ્યાલા પીવડાવાય છે, અને આ બધું તે બાળકો જોવે છે, 

પછી બંને બાળકો એમના માલઢોરને લઈને વનવગડામાં ચરાવવા જાય છે, વગડામાં માલઢોર ચારે છે અને બંને બાળકોને એમ થાય છે કે આજે અપને એક રમત રમીયે, હું ભુવો બનું અને તું પઢીયાર બન, આજે અપને વનવગડામાં માં નો માંડવો નાખીયે,

પછી તો ભરવાડના છોકરાએ પોતાને માથે બાંધેલું હતું તે છોડીને ચાર નાના લાકડા લઈને તેની માથે છાંયો કરે છે, અને કોળી પટેલનો છોકરો તેની પાસે જે ડબલું હતું તે વગાડે છે,

ખોટેખોટા બને જન માં ભગવતી માં મેલડીનું નામ લઈને ધૂણે છે, ભરવાડનો છોકરો ધૂણે છે ત્યારે કોળી પટેલનો છોકરો તેને પૂછે છે કે તું કોણ બોલે છે, તો તે કહે છે કે હું મેલડી બોલું છું,

મળી તારે શું જોઈએ છે, તો કહે છે કે મને પ્યાલો પીવડાવ, હવે આ બને ભાઈબંધ જે રાત્રે માંડવામાં અને સવારે તેમણે જે જોયું હતું તેની રમત રમે છે, અને કોળી પટેલ નો છોકરો કહે છે કે કે અરે માં અહીંયા અમારી પાસે કાંઈ નથી, તેલ નથી ઘી નથી તો તારું ભાણું અમે કેવી રીતે કરીએ, તો કહે છે કે ગમે તે હોય મને દૂધ નો પ્યાલો પીવડાવ. આમ બંને જણામાં બાળક બુદ્ધિ હતો તેથી કોળી પટેલનો છોકરો શીરામણ માટે જે વાટકો લઇ ગયેલો એ લઈને સામે થોરની વાળ પાજે જઈને થોરના બે ચાર ડિંડલા કાપીને તેમાંથી દૂધનો વાટકો ભારે છે અને શીરામનમાં તેની માટે ખાવા જે ગોળ આપેલો એમાંથી ટુકડો ગોળ આ દૂધમાં નાખી દે છે, અને ભરવાડના દીકરા પાસે આવીને કહે છે કે જો તું માતા મેલડી હોયને તો આ દૂધ પી જ બાપ, 

પણ માતા નો દરેકના તન અને મનને જાણવા વળી છે, અંતરના પોકારને સાંભળનારી માં મેલડી લોઢાના દાંત વાળી માં ભગવતીએ સંગવી ગામમાં બેથેલ ઈમા મેલડી જોવે છે કે ઓહોહો જો આ ખોટાને ઓન ખરું ના કરી બતાવું તો હું મેલડી ના કહેવાઉં, મારા વેણ નો વધાવો કોઈ દિવસ ખોટો જાય નહિ, કદાચ  ખેલ માંડે તેને પણ આ સીમાડો વટવા દઉં ને તો હું માં મેલડી ના કહેવાઉં, 

માં ને રાજા ,પ્રજા, હિન્દૂ કે મુસલમાન સૌ કોઈ માને ,માં ના પરચાનો કોઈ પર નથી, આમ છોકરાએ દૂધનો પ્યાલો ઢાંકીને મુક્યો અને ખોટેખોટું ડાકલું વગાડ્યું, અને બીજો છોકરો ખોટેખોટું ધૂણે છે, માં જો તું મેલડી હોય ને તો આ દૂધ પી જા, ત્યાંતો ભરવાડનો છોકરો હાથમાં વાટકો લઈને સાચેજ ઘટક ઘટક ઘટક કરતો થોરના દૂધનો પ્યાલો પી જાય છે, અને પિતાની સાથેજ તેના મોઢામાંથી મંડ્યા ફીણ નીકળવા,અને તેની આંખો અધ્ધર ચડવા લાગી, ત્યારે બીજા છોકરાને  થયું કે આને હમણાં હવે કંઈક થઇ જશે એમ વિચારી તે ગામ તરફ દોડતો આવ્યો, ગામમાં ભરવાડના ના ઘરે જાય છે જ્યાં એનો ભાઈબંધ રહેતો હતો, એના આપા ને આખે છે કે તમારા દીકરાને કૈક થઇ ગયું છે જલ્દી ચાલો આપા, તમારો દીકરો ત્યાં વનવગડામાં પડ્યો છે,

હવે નેસડામાંથી માલધારી નીકળ્યા છે, અને તેની પાછળ પાછળ આખું ગામ જોવા ચાલ્યું છે કે આ છોકરાને શું થયું હશે, કોઈ જાનવર તો કરડી ગયું નાઈ હોયને?, 

અને આવીને જુએ છે તો દીકરાનું શરીર ઠંડુ બોર જેવું થઇ ગયું છે અને આંખો અઢાર ચડવા લાગી છે, આખુંય ગામ એક થઈને માં મેલડી સાથે એક્ટર માંડે છે અને કહે છે કે હે માં મેલડી આ ગામમાં અમે ટેરો માંડવો નાખ્યો હોય , તો તે મળી સિંધુરના પ્યાલા પીધા છે કે આ દીકરાના લોહીના પ્યાલા પીધા છે? તેનો હિસાબ તું અમને આજ માંડી, 

ત્યાંતો ગામમાંથી જે લોકો જોવા આવ્યા હતા એમાંથી એક તેર વર્ષની દીકરીના કોઠે માં મેલડી પ્રગટ થયા અને ખમ્મા ખમ્મા ના ખમકારા કરે છે, ગામલોકો ને થયું કે આ દીકરી તો ક્યારેય ધૂણતી નથી તો આજે આ દીકરી ખમ્મા ખમ્મા કેમ કરે છે, પછી તો ગામના પાંચેક વડીલ આગળ આવીને આ દીકરીને પૂછે છે કે કોણ છે તું કોણ બોલે છે, ત્યારે દીકરીના કોઠે ધૂણતી માં મેલડી બોલ્યા કે 

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...