ગુરુવાર, 3 નવેમ્બર, 2022

અનગઢ મહોણી મેલડી માઁ નો ઇતિહાસ

અનગઢ મહોણી મેલડી માઁ નો ઇતિહાસ


નમસ્કાર મિત્રો, આજે આપણે અનગઢ ની મહોણી મેલડી માઁ ના ઇતિહાસ ની વાત કરીશું, વડોદરા જીલ્લા માં આવેલું અનગઢ ગામ વડોદરા થી આશરે ૧૫ કીમી અને અમદાવાદ થી આશરે ૧૦૦ કિમી ના અંતરે મહીસાગર નદીને કિનારે આવેલું છે, અનગઢ ના નયનરમ્ય અને કુદરતી સૌંદર્ય થી ભરપુર એવા મહી નદીને કિનારે આવેલા મહોણી માતાના મંદિર માં કળિયુગ ની દેવી માં મેલડી હાથિયા ખડક પર હાજર હજૂર બેઠા છે ,અને ખડકવાડીમાં નામે પણ ઓળખાય છે, અને સૌ માઈ ભક્તોની મનોકામના માં પૂર્ણ કરી રહી છે, અહિયાં રવિવારે અને મંગળવારે ભારે સંખ્યા માં ભક્તો માં ના દર્શને આવે છે. મહીસાગર નદીની અંદર પાણીમાં માતાજી ની નાનકડી દેરી છે,અહિયાં માતાજી હાથિયા ખડક પર બિરાજમાન છે, જ્યાં શ્રદ્ધાળુઓ નાવ માં બેસીને દર્શન કરવા જાય છે અને અનેરો આનંદ અનુભવે છે, ગામલોકો ના કહેવા પ્રમાણે આ માતાજીનું મૂળ સ્થાનક છે. નદીને કિનારે અડીને પણ માતાજીનું નાનું મંદીર આવેલું છે, ત્યાં પણ ભાવિક ભક્તો માતાજીના દર્શન કરે છે.અને કિનારા પર ઉપરવાસ માં એક મંદીર બનાવેલું છે. જેનેઆશરે ૨૫ વર્ષ થયા.જ્યાં ભાવિક ભક્તો સીડી ચઢી ને માં ના દર્શન કરવા જાય છે.

લોકવાયકા અને ગામલોકો ના કહ્યા પ્રમાણે અનગઢ    મહોણી માતાના ઇતિહાસ ની વાત કરીએ તો આજથી ૪૦૦-૫૦૦ વર્ષ પહેલા ની રજવાડા ના સમય ની આ વાત છે, એ સમય માં અનગઢ ગામ ગોહિલ કુળના રાજપૂતો નું રજવાડું કહેવાતું. મહીસાગર નદી ને કીનારે વસેલા આ અનગઢના સામે કાંઠે મુસ્લિમો રહેતા હતા. એ સમયે મુસ્લિમોએ રાજપૂતો ને વાટકી વ્યવહાર અને દીકરીનો વ્યવહાર શરુ કરવાનું કહ્યું, જેમાં બન્ને સમાજની દીકરીઓ અરસ પરસ લેવડ દેવડ કરવાની વાત કરી એટલે ગોહિલ સમાજને આ વાતનું ખૂબ ખોટું લાગ્યું, અને ગોહિલોએ સામે કાંઠે રહેલા તમામ મુસ્લિમોને ખતમ કરવાનો પ્લાન કર્યો, પછી સામે કાંઠે રહેતા મુસ્લિમ ભાઈઓને આમંત્રણ આપ્યું અને તેમને આ કાંઠે લાવવા માટે ગોહીલોએ તેમના માણસો ને નાવ લઇને મોકલ્યા, મુસ્લિમ ભાઈનો બેસાડીને નાવિકો મહીસાગર નદીમાં અધવચ્ચે પહોંચ્યા ત્યાતો પ્લાન પ્રમાણે બધા નાવિકો પોતપોતાની નાવમાંથી પાણીમાં કુદી પડ્યા અને નાસી ગયા, અને પછી આ કાંઠે થી બીજા ગોહીલો નાવ લઈને ગયા અને બધા મુસ્લિમોને ઘેરી વળ્યા અને તલવારના ઘા ઝીંકીને બધા મુસ્લિમોને ખતમ કરી દીધાં, અંતમાં એક નાવમાં મુસ્લિમની નાનકડી બાળકી હતી તેને પણ ગુસ્સે ભરેલા ગોહિલે ઘા ઝીંક્યા ત્યાતો તે દીકરી ત્યાજ ફૂલનો ઢગલો થઈ ગઈ, એક બીજી લોકવાયકા પ્રમાણે આ મુસ્લિમ બાળકી ને મોતને ઘાટ ઉતર્યા બાદ તેનો મૃત દેહ તરતો તરતો આ હાથિયા ખડક પર આવ્યો અને તે ત્યાજ સતી થઈ ગઈ, આમ નદી વચ્ચે મળેલા મોત બાદ એ બાળકીને ના તો સ્મશાન માં કે માં તો કબ્રસ્તાન માં જગ્યા મળી માટે તે બાળકી મસાણી કહેવાઈ, અને તે દિવસથી આજ સુધી અનગઢ અને આજુબાજુના ગામમાં મહોણી મેલડી કહેવાઈ. ત્યારબાદ આવો ચમત્કાર જોઈને બધા ગોહિલો માતાજીને કગરી પડ્યા અને હાથિયા ખડકમાંથી ગેબી અવાજ આવ્યો કે ગોહિલો હું મહોણી મેલડી બોલું, તમને એકજ શરતે માફ કરું કે આજથી જાઓ આજથી મને તમારી કુળદેવી તરીકે પુજવી પડશે, ત્યારથી અનગઢ ના ગોહિલ રાજપૂતો  ઘરે ઘરે મહોની મેલડીની સવાર સાંજ ધૂપ દીપ કરીને સેવા પૂજા કરે છે. અને માં મેલડી એમની રક્ષા કરે છે, મિત્રો આ બધીજ માં મેલડીનો પરચો હતો ,એમને પરચો પૂરીને એમનો મહિમા વધારવો હશે એટલે માં મેલડી આવી લીલાઓ કરે છે જેથી ભક્તો ની માં પર અતૂટ શ્રદ્ધા બંધાયેલી રહે, હાલમાં દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શને આવે છે, અને આનંદ અનુભવે છે, જાય મહોણી મેલડી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...