મંગળવાર, 7 માર્ચ, 2023

ગુંજાર ગામના ભોરૂડા ભરવાડ ની માં મેલડી ની વાર્તા

 ગુંજાર ગામના ભોરૂડા ભરવાડ ની માં મેલડી ની વાર્તા  

નમસ્કાર મિત્રો, આજે આપણે ગૂંજાર ગામની માં મેલડી ના ઇતિહાસ ની વાત કરીશું, ધંધુકા -રાણપુર હાઈવે પર ધંધુકાથી સાતેક km દૂર ગુંજાર ગામ આવેલું છે,

થોડાક વર્ષો પહેલાની આ વાત છે, ગુંજાર ગામના ટીંબે ભરવાડો ની વસ્તી રહે છે, એમાં મોટાભાઈ ભરવાડના કુટુંબ માં રાઘા ભગત નામના ભરવાડ રહેતા હતા ,જેઓ પાંચેક ગાયો રાખતા હતા , એમાંથી બે ગયો વિયાવાની હતી, 

રાઘા ભગત રોજ સવારે ગાયોને વગડા માં ચારવા લઇ જાય અને સાંજ પડે એટલે પાછા આવીને ગાયોને વાડા માં પુરી દેતા, 

પરંતુ એક વાર એવું બને છે કે જે બે ગયો વિયાવાની હતી તે પાછી આવતી દેખાતી નથી, તે આમ તેમ શોધવા નીકળે છે, ફરતા ફરતા એક વાડા માં જોયું તો ત્યાં ધૂળના ધડિમલા પાસે આ બે ગયો બેઠેલી જોઈ , એ ધૂળ ના ધડિમલાની અંદર માં મેલડી બેઠી હતી, રાઘા ભગતે નજીક જઈને જોયું તો ગાયોના પગમાં એક સળી ગયેલુ નારિયેળ પડ્યું હતું, જે માં મેલડીની દેરી માંથી કોઈએ બહાર કાઢી દીધેલું, 

પછી રાઘા ભગતે તે નારિયેળ હાથમાં લઈને પોતાની પાઘડીથી માતાજીનની બેઠક ને સાફ કરી અને બે હાથે નારિયેળ મુકતા કહ્યું  કે આ 60 ઘરનો ટીંબો છે, પણ તારું કોઈ નથી અહીંયા, 

આટલું કહી રાઘા ભગત તો ત્યાંથી ચાલતા થયા પણ દેરી ની અંદર બેઠેલી માં મેલડી એની સામે ટગર ટગર જોઈ રહી કે "રાઘલા , દુનિયાની માલીપા મારુ કોઈ નથી ને, પણ એકવાર તને જો મારો ના બનાવું તો હું મેલડી નહિ બાપ, "

પછી તો કહેવાય છે કે મેઘલી અંધારી રાતનો 12-1 નો ટકોરો થયો, અને ત્યાં તો ધૂળના ધડિમલામાંથી સળી ગયેલા નારિયેળ માંથી નનામી બાળકી એવી માં મેલડી સવા વેતની નાગણી બની, અને ગુંજાર ની ઉભી બજારમાંથી પસાર થાય છે, પાવલી જેવડી માં મેલડી ફેણ માંડીને ,જીબના લબકારા કરતી કરતી માં મેલડી મોટાભાઈ  ભરવાડના ચોકની અંદર આવે છે, અને જે તૂટેલ ફાટેલ ખાટલાની અંદર રાઘા ભગત સુતા હતા એ ખાટલાના પાયેથી માં મેલડી ચડી અને ઓશીકે જઈને નાની એવી બાળકીનું રૂપ લઇ રાઘા ભગતના કપાળે માં મેલડીએ હાથ મુક્યો, 

રાઘા ભગત તો ગાઢ નિંદ્રા માં સુઈ ગયેલો પણ માં મલડીએ કપાળે હાથ ફેરવીને એટલું કહ્યું કે "રાઘલા, મને મેલડીને ટકોરો મારી ગ્યો છો ને ,તું કહે છે કે 60-60 ઘરનો ટીંબો છે ને તું અહીં એકલી વાડા માં રખડે, પણ વાઘલા દુનિયાની માલીપા એક વાર તારા આંગણે દોઢિયા ત્રિશુલ ના ખોળું ને તો તો રાઘલા હું બારિયાની મેલડી નહિ બાપ,"  

એટલું કહી માં મેલડી ઝડપભેર વીજળી વેગે પાછી વાડામાં જઈને સળી ગયેલા નારિયેળમાં સમાઈ ગયી, 

થોડાક દિવસો પસાર થાય છે, અને રાઘા ભગતની પત્ની થોડા મંદ બુદ્ધિના હતા એટલે ઘરમાં કકળાટ થતા  રાઘા ભગતે તેમની પત્નીને નેસડા માંથી જાકારો આપી દીધો, આમ તેમની પત્ની પિયરે રિસામણે ચાલ્યા ગ્યા અને અહીંયા રાઘા ભગત એકલા ગાયો ચારે અને દિવસો પસાર કરે, પણ રાત પડેને રોજ માં મેલડી સપનામાં આવે,  આવું આઠેક દિવસ ચાલ્યું પછી રાઘા ભગત વિચાર કરે છે કે હવે મારી પત્ની તો અહીંયા નથી રહી ,તો ખાલી ઘર રાખીને મારે શું કરવું ,એમ વિચારી પોતાના ભત્રીજા ગેલા ભાઈને પોતાનું મકાન વેચાતું આપવાનું નક્કી કરે છે, ગેલા ભાઈ બોલ્યા કે બાપા ખાલી પંદરેક દિવસની મને મુદત આપો પછી હું તમારું ઘર વેચાતું લઇ લઈશ, પછી તો માં મેલડી રોજ સપનામાં આવીને રાઘા ભગતને કહેવા લાગી કે હે રાઘલા તારે મને મેલડીને જોવી હોય તો એક વાર તારા નેસડામાં મને માં મેલડીને બોલાવતો ખરો બાપ, 

પરંતુ રાઘા ભગતે સપનાને ધ્યાન માં ના લીધું, પણ એક દિવસ તો માં મેલડીએ ટાપલી મારીને એટલું કહ્યું કે "એય ઉભો થા રાઘલા" ત્યાંતો રાઘા ભગત ઉભો થઇ ગયો, પછી તો સવારે પોતાના નેસડા માં રહેતા કાળા આપા માં આદ્યશક્તિના બાનાધારી ભુવા હતા એમને જઈને કહ્યું કે "હે આપા, મને રોજ સપનાની અંદર માથે ચૂંદડી ઓઢીને એક નાનકડી દીકરી આવે છે, મને શાંતિથી સુવા પણ નથી દેતી, દરરોજ રાત્રે મને ટાપલી મારીને જગાડે "   

પછી તો કાળા આપાએ ડોકમાંથી માળા કાઢી અને ત્રણ અગરબત્તી કરીને આદ્યશક્તિનું નામ લઇ ડોઢ જાર લીધીને ત્યાંતો માળાના મોતીમાંથી મારી આદ્યશક્તિ કહે છે કે હે મારા કાળા, મારુ શું કામ પડ્યું બોલ,

ત્યારે કાળા આપાએ માતાજીને પૂછ્યું કે આ રાઘા ભગતને સપનામાં એક દીકરી આવે છે અને એને સુવા નથી દેતી ,એનું શું કારણ હશે માંડી, 

ત્યારે આદ્યશક્તિ બોલ્યા કે હું કહું એમ મારી વસ્તી કરશો?, તો કે હા , 

તો જા કાળા અહીંથી જઈને ગામમાં એક અવાવરા વાડામાં જે મેલડી છે ને ત્યાં જઈને એના ઓટલે એક નારિયેળ અડાડી ,અને નારિયેળ ને લાવી રાઘા ભગતના મકાનના નેવે બાંધી દેજે , જો આજે તું નારિયેળને નેવે બાંધી દે તો એમ માનજે કે એ મેલડીને નેવે બાંધી છે, અને પછી જો એ મારા રાઘલા ના સપનામાં આવેને તો તો હું તારી આદ્યશક્તિ નહિ,  

પછી તો કાળા આપા માં આદ્યશક્તિ એ કહ્યા પ્રમાણે વાડા માં જઈને માં મેલડી ના ઓટલે નારિયેળ અડાડી રાઘા ભગતના મકાનનાં નેવે બાંધી દે છે, 

બરાબર એવા દિવસોમાં નેસડામાં એવું બન્યું કે એ સમયે ત્યાં લીંબડી સ્ટેટ નો હુકમ ચાલતો હતો એટલે નેસડાના પાંચેક માલધારી જુવાનિયા કોઈ કારણસર વાંકમાં આવે છે અને એમને કારાગૃહ માં પુરી દે છે, આ જોઈને નેસડાની વસ્તી કાળાઆપાને પૂછવા લાગી કે તમે આ મેલડીનું એક નારિયેળ  અહીંયા બાંધ્યું ત્યાંતો અમારા ફળિયામાંથી પાંચ જુવાનિયાઓને કારાગૃહ ની સજા થઇ, આપા આ તમારી રજા, તમારો હુકમ અને માતા શક્તિ બોલીતી તો આ શું થયું ફળિયામાં?

ત્યારે કાળા આપા, રાઘા ભગત અને ગેલા ભાઈ આદ્યશક્તિને અરજ કરતા કહે છે કે માંડી તું બોલીતી કે મેલડીનું નારિયેળ બાંધવાથી રાઘા ભગતના સપને દીકરી નહિ આવે, માંડી સપનું તો બંધ થઇ ગ્યું ,પણ અમારા ફળિયામાંથી પાંચ જુવાનિયાઓને કારાગૃહ ની સજા થઇ છે એનું શું કારણ? માંડી લીંબડી સ્ટેટે એમને ત્રણ દિવસની જ મુદત આપી છે, ત્રણ દિવસ પુરા થશે પછી તારા પાંચેય બાળકોને સજા થશે, 

અને કહેવાય છે કે ત્યારે રાતના એકના ટકોરે મારી આદ્યશક્તિ મેલડી બોલી કે હે બાઈ મેલડી, સાંભળ આજે મારી વસ્તી તને કાળી કરવા બેઠી છે, અને તારામાં જો તારાપણું હોયને તો મારી શક્તિની વસ્તી લીંબડીની જેલમાં પુરાણી છે, એને છોડાઈ આવ,

ત્યારે માં મેલડી નારિયેળની અંદરથી બોલી હતી કે કાળા ભુવા ,તારી શક્તિ ને કહે કે આજે મને મેલડી ને રજા આપે , જો લીંબડી ની જેલમાંથી તારા પાંચેય પાંચ ને જો નિર્દોષ ના છોડાઈ લાવું તો તો હું મેલડી નહિ બાપ..

પછી તો આદ્યશક્તિએ માં મેલડીને રજા આપી ત્યાંતો રાઘા ભગતના નેવે બાંધેલા નારિયેળમાંથી માં મેલડી સવા વેતની નાગણી બનીને આકાશી વેગે લીંબડી સ્ટેટ માં જાય છે, અને પાંચેયને નિર્દોષ છોડાવીને પાછી આવે છે, 

પછી તો ભોરૂડા ભરવાડો વાતને વિસરી જાય છે, અને પંદરેક દિવસ થયા એટલે રાઘા ભગત ગેલા ભાઈને મકાન વેચી દે છે, પણ મકાનના નેવે પેલું મેલડીનું નારિયેળ એમનેમ રહ્યું , એટલે માં મેલડી રાઘ ભગતના સપને આવીને એટલું બોલી કે રાઘલા તે મકાન વેચી દીધું, તો મને માં મેલડીને પણ વેચી નાખી બાપ, 

કોઈ ના કરે એવું મેલડી કરે, એટલે રાધા ભગતે કહ્યું કે મેલડી ખરેખર તું અહીં આવી હોયને તો મારી મંદ બુદ્ધિની બાઈતો રિસામણે જતી રહી છે, ભાઈઓના ઘરના રોટલા કેટલા દિવસ હું ખાઉં .

ત્યારે મેલડી બોલી કે "તો જા રાઘલા આજથી સાડા ત્રણ દિવસ થાય અને માથે હેલ સાથે જો બીજી બાઈ લાવી દઉં તો એમ માનજે હું બારૈયાની મેલડી બોલી હતી, 

અને કહેવાય છે કે એ વખતે હેલ સાથે બાઈ લાવેલા, 

પછી તો મેલડી બોલી કે રાઘલા તે મને નેવે ભલે રાખી પણ જો હવે ગેલા ના ડોકમાં મારા નામની માળા ના પહેરાવું તો હું બારૈયા ની મેલડી ના કહેવાઉં બાપ, 

આમ દિવસો પસાર થવા લાગ્યા અને એક દિવસ ગેલાભાઈ ના સપના માં આવીને માં મેલડીએ એટલું કહ્યું કે હે ગેલિયા, તે આ જે મકાન લીધું છે ને ,એને નેવે હું મેલડી છું, મને મેલડીને પુંજ,  એકવાર નેવેથી હેઠી ઉતારી મને મેલડીને તું ઉજડી કર, પછી દુનિયાની માલીપા તું જોઈ લે હું મેલડી તને શું ના આપું,

પછી કહેવાય છે કે કરવઠા પ્રમાણે એક દિવસ ગામલોકો ખોડિયારમાંના મંદિરે ફુલેરું દેવા જાય છે, ફુલેરું દઈને પાછા આવીને આદ્યશક્તિ ના મઢ માં જ્યાં ગામલોકો ઉભા રહ્યા ત્યાં તો મૈયાભાઈના કોઠે હાકલા પોકારા કરતી માં મેલડી ધુણવા આવે છે, 

કાળા આપા એ પૂછ્યું કે તું કોણ બોલે છે, એટલે માં મેલડી બોલી કે "હે ભુવા તારી શક્તિ ના બોલનો તોલ કરીને તે મને નેવે લટકાડી હતીને એ હું બારૈયાની મેલડી બોલું છું બાપ, હે ગેલિયા મને મેલડીને ગોખલો કરીને એક વાર ધડિમલે બેસાડ, અને તારી વગડે રખડતી વસ્તીને અમલદાર અને બોર્ડર ના સૈનિક ના બનવું તો હું મેલડી નહિ ," 

અને કહેવાય છે કે માં મેલડીની કૃપાથી ગેલા આપા ના દીકરા ગભા ભાઈ આર્મીના સૈનિક બન્યા, અને બીજા દીકરા રાહુલભાઈ કલેક્ટર થયા, અને ત્રીજા દીકરા મેહુલ ભાઈ ગામના તલાટી બની ગયા, 

આમ મેલડી કરે એવું કોઈ ના કરે અને માં મેલડી આપે એવુંય કોઈ ના આપે, પછી તો માં મેલડીનો નવરંગો માંડવો નાખે છે અને ડાકલા ના તાલે મૈયા ભાઈના ખોરીએ માં મેલડી સોળેય કળાયે રમવા આવે છે,   


      

 

રવિવાર, 5 માર્ચ, 2023

નાથા કોળી ની મેલડી ।। ઝાંપાવાડી માં મેલડી માં નો ઇતિહાસ ।। દીકરી ના પોકાર ની મેલડી માં

નાથા કોળી ની મેલડી ।। ઝાંપાવાડી માં મેલડી માં નો ઇતિહાસ ।। દીકરી ના પોકાર ની મેલડી માં

નમસ્કાર મિત્રો ,આજે અપને ઝાંપાવાડી માં મેલડી માં ના ઇતિહાસ ની વાત કરીશું, 

ઘણાય વર્ષો પહેલાની આ વાત છે, જૂનાગઢ માં ગરવો ગઢ ગિરનાર છે, ગિરનારની બાજુમાં  નાનું એવું રળિયામણું હાંકરોડા ગામ આવેલું છે. આ ગામમાં એક નાથો કોળી રહેતો હતો. તેના ઘરમાં ગરીબાઈ ભરડો લઇ ગયેલી, ઘરમાં બે પૈસા પણ નથી, પરંતુ એની મિલ્કતમાં નાનું એવું ઝૂંપડું છે અને એની ફરતે કાંટાની વાળ છે, આ ઝુંપડા ના છાપરે માં નો નાનો એવો કરંડિયો લટકે છે. અને તેમાં માં મેલડી નું ફળું છે, બસ આજ એની મિલકત છે.

ઘરમાં તેની પત્ની, આંઠ વર્ષની દીકરી અને નવ વર્ષનો તેનો ભાઈ રહે છે. સવાર પડે એટલે નાથો હાથમાં કુહાડો લઈને વન વગડા માં રોજ લાકડા કાપવા જાય, અને લાકડાને બજારમાં વેચીને એમાંથી જે બે ચાર પૈસા મળે એમાંથી એની પત્ની અને એના બાળકોના પેટ ભરે.

જે કઈ મળે એમાંથી બટકું ખાઈ ને પાણી પી ને દિવસો વિતાવે છે,

એક દિવસની વાત છે, રોજની જેમ તે હાથમાં કુહાડો લઈને વનવગડા માં લાકડા કાપવા જાય છે, લાકડાને શોધતા શોધતા તે 2-4 ગાઉ દૂર જતો રહે છે અને ત્યાં તેની નજર એક મોટા બાવળ પર પડે છે, આ જોઈને તે રાજી થઇ જાય છે અને માં મેલડી નો આભાર માનતા કહે છે કે હે માંડી આજે તો તે તારા છોરુંડા પર કૃપા કરી દીધી, આટલા મોટા બાવળ ના લાકડાંમાંથી મારે દસેક દિવસનું ગુજરાન તો ચાલી જ જશે, ત્યાં સુધી મારે આમ તેમ ભટકવું પણ નહિ પડે, 

એટલું વિચારીને તે બાવળના એક ડાળ પર ચડીને કુહાડાના ઘા કરવા લાગ્યો , પણ નાથા ને ખબર નથી કે આ બાવળમાં એક કાળોતરો નાગ રહેતો હતો, નાથો કુહાડાના ઘા બાવળની ડાળ પર કરતો જાય છે  ત્યાંતો બાવળના થડના પોલાણમાંથી એક કાળોતરો નાગ ઉપર ચડે છે, અને નાથાના પગના અંગુઠે ફડાક કરતો ફેણ ચડાવી ડંખ મારે છે. અને નાથો કોળી આમ જ્યાં નીચે નજર કરે છે ત્યાંતો તે મોટો કાળોતરો નાગ જુએ છે. આ નાગને જોઈને તેના હાથમાંથી કુહાડો નીચે પડી જાય છે અને તે ડરી ગયો હોવાથી તેનું શરીર ઢીલું પડી જાય છે અને તે ઝાડ પરથી નીચે પડે છે, શરીરમાં હજુ તાકાત હતી એટલે મુઠી વાળીને બધી તાકાત એકઠી કરીને વિચાર કર્યો કે લાવને હજુ દોડીને મારા ઝૂંપડે પહોંચી જાઉં, મારે મરતા પહેલા મારી પત્ની અને બાળકોને જોવા છે, 

આમ નાથો વનવગડા માં અથડાતો પડતો ઉભો થતો થતો તેના ગામના ઝાંપે આવે છે, ત્યાંતો એનું શરીર લીલું કાચ જેવું થઇ જાય છે, રગે રગમાં નાગનું ઝેર પ્રસરીને મોઢામાંથી ફીણ નીકળી જાય છે અને નાથો પોતાના દેહને ઝાંપામાંજ પડતો મૂકે છે,

ઝાંપે બેઠેલા વડીલો જોઈ ગયા કે અરે આતો નાથો છે, બધા દોડતા નાથા પાસે આવે છે, નાથો હજુ શ્વાસ લઇ રહ્યો હતો, એટલે બધાએ પૂછ્યું કે નાથા શું થયું તને, નાથો બોલ્યો કે મને એક કાળોતરો નાગ કરડ્યો છે. માટે મરતા પહેલા મારી પત્ની અને બાળકો ને જોવા છે , મારા ઝૂંપડે લઇ જાઓ બાપા, એટલું સાંભળીને વડીલો નાથા ને ઉંચકીને તેના ઝૂંપડે લાવે છે, 

અહીંયા ઝૂંપડામાં એની પત્ની રોટલો ઘડતી ઘડતી બહાર આવીને જોવે છે તો નાથો અધમરી અવસ્થામાં હતો ,આ જોઈને તેની પત્ની દોડતી નાથા પાસે આવીને પૂછે છે કે શું થયું છે તમને. 

ત્યાંજ નાથો બોલ્યો કે તું મારુ એક કામ કર, પેલા કરંડિયા ને નીચે ઉતારી ને એનું ઢાંકણું ખોલીને જો તો મારી મેલડી એમાં છે કે ક્યાંક ચાલી ગઈ છે, મને માં પર વિસ્વાસ તો છે જ કે માં મેલડી નું જે બની જાય છે એને માં મેલડી ક્યારેય કમોતે મરવા દેતી નથી. જો મરવા દે ને તો એ માં મેલડી ના કહેવાય, 

 ત્યાંતો એની પત્ની કહે છે કે માં ક્યાંય જાય, અહીં માં તો કરંડિયામાં બેઠી છે, નાથો કહે છે કે મારા છોકરા ક્યાં છે, એની પત્ની કહે છે કે બાળકો તો નિશાળે ગયા છે, ત્યાંતો નાથો બોલ્યો કે મારા બાળકોને બોલાવો , મારે એમના મોઢા જોવા છે, પણ આટલું બોલતા તો એના પ્રાણ પંખેરું ઉડી જાય છે, એનું ખોરીયું ખાલી થઇ જાય છે, 

તેની પત્ની માથા પછાડી ગાંડી તુર બને છે, આસ પડોસ ના માણસો ભેગા થઇ જાય છે ,અને તેની પત્નીને લઈને એને એક બાજુ બેસાડે છે અને નાથા ની સ્મશાન યાત્રા ની તૈયારી થાય છે, 

આ બાજુ બેઉ બાળકો નીશાળેથી  છૂટીને હસતા રમતા ઘરે આવે છે,અને આવીને જુએ છે તો તેમના બાપુનું શબ પડ્યું છે, બંને બાળકો એકધારું શબ ની સામું જોઈજ રાખે છે, તે કઈ બોલી શકતા નથી,

ગામના માણસો બંને બાળકોને ઝૂંપડામાં પુરીને દરવાજો બંધ કરી દે છે, અને નાથાની સ્મશાન યાત્રા નીકળે છે, 

ત્યાંતો દરવાજા ની તિરાડમાંથી દીકરી જુવે છે અને કહે છે કે ભાઈ આપણા બાપુને આ બધા ક્યાં લઇ જાય છે, ત્યારે ભાઈ બહેનને રડતી બંધ કરતા કહે છે કે બહેન જયારે આપણા ઘરે બા બાપુ રડતા ત્યારે બાપુ રિસાઈને ચાલ્યા જતા ત્યારે એમને ગામના લોકો મનાવીને ઘેર પાછા લાવતા, પણ બહેન હવે આપણા બાપુ કાયમ માટે રિસાઈને ચાલ્યા ગયા છે, તે હવે કોઈ દિવસ પાછા નહિ આવે, તેમને કોઈ મનાવીને લાવે તેમ નથી, 

બહેન કહે છે કે કોઈક તો એવું હશેને કે આપણા બાપુને મનાવીને પાછા લઇ આવે, ત્યારે ભાઈ કહે છે કે આપણા બાપુને મનાવવા માટે એક જ રસ્તો છે બહેન, અહીંથી ઉભી બજારે ગામના ચોક માંથ ઇથાઇ ગામના ઝાંપે જા , કે જ્યાં તોરણ બાંધેલા છે ,અને ત્યાં એક અડીખમ પથ્થર ઉભેલો છે, તે પથ્થર પર એક સિંધુરીયું ત્રિશુલ દોરેલું છે, એ કૈક કરે તોજ આપણા બાપુ પાછા આવે , બીજું તો કોઈ આ દુનિયામાં તેમને પાછા લાવવા વાળું નથી, 

ત્યારે દીકરી દરવાજા પર માથા પછાડે છે એટલે બધા માણસો તેને બહાર કાઢે છે, કે છેલ્લી વાર તે તેના બાપનું મોઢું જોઈ લે, ત્યારે ભાઈ બહેન બહાર નીકળે છે અને દીકરી તો ઝડપથી કૂદીને ગામનો ચોક વટાવી પેલો સિંધુરીયો પથ્થર જ્યાં પડેલો છે ત્યાં આવીને આઠ વર્ષની દીકરી ગોઠણ વાળીને પોતાની ચૂંદડીનો છેડો પાથરીને હે માવડી, હે માવડી ના પોકાર કરે છે, અને ત્યાં સામેથી નાથાની સ્મશાન યાત્રા આવતી દેખાય છે, ઝાંપા પાસે શબયાત્રા આવી ત્યાંજ દીકરી બોલી કે હે માં મારા બાપુ તો ચાલ્યા ગયા, હવે તુજ કૈક કરી શકે તેમ છો માં, માં મને જવાબ આપ , પણ તેને કઈ જવાબ મળતો નથી. 

ત્યારે દીકરી ને એમ થયું કે આ પથ્થરમાં તો કઈ નથી, પછી તો દીકરી ઉભી થઇ અને દસ ડગલાં પાછળ ચાલીને ઉભી રહી અને આકાશ સામે નજર કરી, આંખો બંધ કરીને બધી તાકાત ભેગી કરીને દોટ મૂકીને માં મેલડીના સિંદૂરિયા પથ્થર જેમ કોઈ શ્રીફળનો ઘા કરે એમ પોતાના દેહનો  ત્યાં ઘા કર્યો, એનું કપાળ પથ્થર પર દોરેલા ત્રિસુલ સાથે ભટકાયું અને એનું કપાળ ફૂટી ગયું, કપાળમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી અને આ લોહી જેવું માંના દોરેલા ત્રિશુલ પર પડ્યું ત્યાંતો ત્રિશુલમાંથી લોઢાના દાંતની કકડાટી મારતી માં મેલડી જાગી, અને પથ્થરમાંથી ખમ્મા ખમ્મા નો ખમકારો થયો, પછી તો દીકરી પાછી ગોઠણ વાળીને પોતાનો ખોળો પાથરીને બેસી ગઈ અને કોણ બોલે છે એમ કહેવા લાગી, પથ્થરમાથી ગેબી અવાજ આવ્યો કે બેટા હું માતા મેલડી બોલું છું,  શું જોઈએ છે તને , 

માડી મારો ભાઈ એમ કહે છે મારા બાપુ હંમેશા માટે રિસાઈને ચાલ્યા ગયા છે, અને કહે છે કે એમને તમારા વગર બીજું કોઈ મનાવીને પાછા નહિ લાવી શકે, માટે તમેજ માંડી મારા બાપુને મનાવીને પાછા લાવોને, 

ત્યારે માં મેલડીએ કહ્યું કે દીકરી થોડીક વાર બાજુમાં જતી રે, તો દીકરી બોલી કે કેમ માંડી ,

ત્યારે માં મેલડી બોલ્યા કે દીકરી આ ગામમાં જેટલી માતાઓ બેઠી છે એને ભક્તો હસતા મોઢે જમાડે છે, પણ હું એકજ એવી માતા છું કે લોકો મને રડતા મોઢે જમાડે છે, શ્રીફળ નો છૂટો ઘા કરે મારી પર, 

દીકરી બાજુમાં ઉભી રહી જાય છે અને કહે છે કે મારા બાપુને તમે મનાવીને બેઠા કરો,  

પછી તો માં મેલડી બોલ્યા કે બેટા જયારે એક નારિયેળ નો ઘા કરે-ફૂટી જાય , બીજા નારિયેળ નો ઘા કરે-ફૂટી જાય ,  ત્રીજા નારિયેળ નો ઘા કરે -ફૂટી જાય, પણ ચોથું નારિયેળ જયારે કાંધીયાના હાથમાંથી છૂટે એટલે આ પથ્થરમાંથી એક ખાંડુળી સરી લઇ નાનકડી બાળકીનું રૂપ લઈને હું બહાર નીકળીશ, અને બેટા એ ચોથું નારિયેળ મારા પથ્થરની માથે આવે અને ફટ દઈને ફૂટે એ પહેલા જો મારી ખાંડુળી સરી લઈને તારા બાપના નમામી ના બંધ ના તોડી નાખું તો હું તારી મેલડી નહિ,

 પણ દીકરી મને માત્ર તું જ જોઈ શકીશ, અહીંયા રહેલા બીજા કોઈ મને નહિ જોઈ શકે, 

પછી તો કાંધીયા ના હાથમાંથી ચોથું નારિયેળ જ્યાં છૂટ્યું ત્યાં તો માં મેલડી પથ્થરમાંથી ખાંડુળી સરી લઈને બહાર નીકળી, અને નારિયેળ ફૂટે ના ફૂટે એ પહેલા નનામી ના બંધ ને તોડી નાખ્યા, અને મરી ગયેલા મડદા ના કપાળની માથે માં ભગવતીએ નાની એવી બાળકીના રુપે આવીને હાથ મૂકીને પાછા પથ્થરમાં સમાઈ ગયા.

ત્યાંતો હડપભેર નનામી માંથી નાથો કોળી બેઠો થયો, આ જોઈ ને સમશાન યાત્રા માં સાથે આવેલા લોકોમાંથી અડધા તો ખેપટિયાં લેતા દોડવા લાગ્યા, 

 આમ નાથો કોળી સજીવન થયો અને એની દીકરી પોતાના બાપને બાથે વળગી પડી.

નાથા કોળિયે કીધું કે બેઠા આ બધું શું થયું, એટલે પાસે ઉભેલા લોકોએ કહ્યું કે નાથા તારું ખોરીયું તો ખાલી થઇ ગ્યું તું , એટલે તને નાનામીમાં સુવડાવી સ્મશાનમાં લઇ જતા હતા, પણ આ ચમત્કાર કેવી રીતે થયો એ તો તારી દીકરી નેજ ખબર, 

એટલે દીકરી બોલી કે બાપુ પથ્થર ની અંદર બેઠેલી માં મેલડીએ કર્યું છે આ બધું, અને ત્યારે દીકરીએ ફરીથી ખોળો પાથરીને એટલુંજ કહ્યું કે માંડી મને દર્શન આપ્યા તો મારા બાપુને પણ દર્શન આપને, મારા બાપુને તારા દર્શન ક્યારે થશે?,

ત્યારે નાની એવી ખાંડુળી સરી લઈને પથ્થર પર માં મેલડી ઉભી રહી, અને કહ્યું કે હે નાથા આજથી તારી ગરીબાઈને હું મેલડી પી જાઉં છું, પણ જા જા , ક્યારેય તને જો દુઃખ પડેને તો તું એટલુંજ બોલજે  "ક્યાં ગઈ મારા ઝાંપા ના ખીલ વળી મેલડી?"

આટલું બોલે અને તારી દીકરીના ખોળિયે ના આવું તો જગતની માલીપા મને માં મેલડી ને કોઈ ના ઓળખે,

 

બુધવાર, 1 માર્ચ, 2023

મનસાગરી મોમાઈ માં ની વાર્તા ।। રણ ની દેવી શ્રી મોમાઈ માં ની વાર્તા

મનસાગરી મોમાઈ માં ની વાર્તા ।। રણ ની દેવી શ્રી મોમાઈ માં ની વાર્તા 

નમસ્કાર મિત્રો, આજે આપણે મનસાગરી મોમાઈ માં ના પરચાની વાત કરીશું, 

ઘણાય વર્ષો પહેલાની રજવાડા ના સમયની આ વાત છે, સમયમાં કોઈરાજા માં ના ભક્ત હતા તો કોઈ રાજા માં ને  માનતા નહિ, પરંતુ જયારે કોઈ તેની કુળદેવીને ભૂલી જાય છે ,ત્યારે તેના કુળ પર માં કોપાયમાન થાય છે, અને એ રાજાનું પતન કરે છે, આવી માં ભગવતી તેની વસ્તી માટે કેટલુંય કરે છે પણ તેની વસ્તી જયારે માં ને યાદ ના કરે , કે માં ના ધૂપદીપ ,નિવેદ્ય ના કરે તો માં રાજી થતી નથી,

આવાજ એક રાજાની વાત કરીએ તો ત્રંબાવટી રાજ ની રાજગાદીએ રૂપસંગ નામે રાજા રાજ કરે છે, આ રાજાને 6 ભાઈઓ છે. આ સાતેય ભાઈઓ તેમની રાણીઓ સાથે સુખેથી રહેતા હતા, બધાજ ભાઈઓમાં એવોતો સંપ છે કે મહારાજનો પડ્યો બોલ તેના નાના ભાઈઓ ઝીલે છે, રાજ્યના ભંડાર અન્ન જળ અને જવેરાત થી ભરેલા છે. તેના રાજ્યમાં સમૃદ્ધિ છલકાય છે.

આ રાજા રૂપસંગ ની કુળદેવી ગઢપાવા ની જોગમાયા મહાકાળી છે, પણ અનેક વર્ષો ના વહાણ વીતી ગયા પણ કોઈ દિવસ રાજા રૂપસંગે તેની કુળદેવી મહાકાળી ના ગઢ નો દરવાજો ખોલીને માં ના ક્યારેય ધૂપદીપ કર્યા નથી કે માં ને કોઈ નાળિયેર વધેર્યું નથી,

હવે માં મઢમાં બેઠા બેઠા વિચાર કરે છે કે અરેરે મનવા તને આ કેવું અભિમાન છે, આજે તારું આ રજવાડું સુખ સમૃદ્ધિ થી છલકાય છે ,તારા બધા ભાઈઓ અને રાણીઓમાં કેવો સંપ છે, તો પણ તું મને ભૂલી ગયો છે, હવે માં થી સહન થતું નથી અને વિચારે છે કે હવે હું કાંઈ ના જાણું, મારી વસ્તી ના નસીબમાં જે થવાનું હોય તે થશે તેને હવે કોઈ રોકી શકશે નહિ.

માં ભગવતી ત્રંબાવટી નગરી માં રમત્યું માંડે છે, અને આ બાજુ રાજ્યમાં સાતેય ભાઈઓને કુબુદ્ધિ સૂઝે છે,  બીજે દિવસે સવારે રાજા રૂપસંગ હુકમ કરે છે કે અરે મારા ભાઈઓ ચાલો ઉભા થાઓ આજે આપણે આપણા જંગલમાં શિકાર કરવા જવાનું છે. તમારા તીર કામઠા અને ઘોડા ને તૈયાર કરો. હવે રાજા રૂપસંગ અને તેના છએ ભાઈઓ ઘોડા પર સવાર થઈને ઘોર જંગલમાં જાય છે.  હવે માં કરે એવું કોઈ ના કરે , આ ઘોર જંગલમાં હરણ સસલા શિયાળ ચારે બાજુ દોડતા દેખાય છે. આ વિશાળ વન નું રખોપુ રણ ની દેવી માં મનસાગરી મોમાઈ માં કરે છે , માં વન ના એકેય પ્રાણીઓ પર ઉની આંચ આવવા દેતી નથી, 

કુળ ની દેવીને જયારે કોઈ ના માને ત્યારે માતા બીજી દેવીને તેની કસોટી કરવા માટે મોકલે છે. 

આ બાજુ અબોલ જીવ વનમાં ચારો ચારે છે અને એક ભાઈ તેનું તિર ચલાવે છે, ત્યાંતો બધાજ હરણાં દોડતા જઈને માં મનસાગરી મોમાઈ પાસે આવે છે અને કહે છે કે અરે માવડી દયા કરો માંડી દયા કરો હે વન ની દેવી ,હે રણ ની દેવી ,હે માં મોમાઈ તમારા માં મોમાઈના જો આ વનને રખોપા હોય તો માંડી આજે અમારા પર કોઈ તીર ચલાવે છે માં, હે માં તુજ અમારા રખોપા કરે છે એટલેજ તો અમે આ વનમાં નિર્ભય થઈને ફરીયે છીએ, પણ આજે કોઈ શિકારી આવ્યો છે માંડી , 

આટલું સાંભળતાજ રણ ની દેવી તે પ્રાણીઓ પર હાથ મૂકીને કહે છે કે હું તમને કાંઈ નહિ થવા દઉં,

બીજે દિવસે સવારે ફરી સાતેય ભાઈઓ શિકાર કરવા આવે છે, એટલે પેલા હરણાંઓએ દોડતા માં મોમાઈ પાસે જઈને કહ્યું કે હે માંડી કાલે જે શિકારી આવ્યા હતા તે આજે ફરીથી આવ્યા છે.

ત્યારપછી માં મોમાઈ માં સાંઢણી નું રૂપ લઈને ચાલતા ચલતા પેલા સાતેય ભાઈઓની વચ્ચેથી રુમઝુમ રુમઝુમ કરતા પસાર થાય છે, એટલે રાજા રૂપસંગ ની નજર તેમના પર પડે છે અને બીજા છએ ભાઈઓને કહે છે કે આ સાંઢણી ની ફરતે ઘેરો કરો અને તેને જીવતી પકડીને મારા રજવાડામાં બાંધો ,આવી અદભુત સાંઢણી જો આપણા રજવાડામાં હોયને તો ચારેય બાજુ આપણી વાહ વાહ થાય, પછી તો સાંઢણી ચારેય બાજુ વનવગડા માં તે ફરે છે અને જેવી સાંઢણીને પકડવા જાય , તો તે પકડાતી નથી, આમ કરતા કરતા દિવસ આથમી ગયો અને માં વિચાર કરે છે કે હવે હું પકડાઈ જાઉં ,અને સાંઢણીના રૂપે મોમાઈ માં ત્યારે પકડાઈ જાય છે. 

કાળી અંધારી રાત હોવાથી રાજા રૂપસંગ કહે છે કે આજની રાત અહીંયાજ રોકાઈ જઈએ અને કાલે સવારે આપણે આ સાંઢણી લઈને આપણે રાજમહેલે માં જઈશું , આટલું કહી સાંઢણી ને એક ઝાડ ના થડે બાંધી દે છે. 

હવે રાતના ચાર પહોર છે ,એટલે રાજાએ નક્કી કર્યું કે રાતના પહેલા પહોરે 2 ભાઈ , બીજા પહોરે બીજા 2 ભાઈ અને ત્રીજા પહોરે બીજા 2 ભાઈ ચોકી કરશે અને ચોથા પહોરે હું રાજ રૂપસંગ એકલોજ ચોકી કરીશ, 

હવે પહેલા પહોરે બે ભાઈ ચોકી કરે છે ,અને માં મોમાઈએ એવડું મોટું રૂપ ધારણ કર્યું કે ચોકી કરતા બને ભાઈઓને સાંઢણી ના રૂપે જીવતાજ માં એ પોતાના ઉદર માં સમાવી લીધા, 

બીજો પહોર થતાંજ બીજા બે ભાઈઓને, ત્રીજા પહોરે બીજા 2 ભાઈઓને મોમાઈ માં જીવતાજ ઉદર માં સમાવી લે છે,    

ચોથો પહોર થાય છે અને રાજા રૂપસંગ જુએ છે તો એકેય ભાઈ દેખાતો નથી, એટલે એને લાગ્યું કે બધા ભાઈઓ મને છેતરીને જતા રહ્યા છે, અને સવાર પડતાજ રૂપસંગ તે સાંઢણીને દોરીને રાજમહેલ તરફ આવે છે, પણ આ બાજુ રજવાડા ના સીમાડે પહોંચ્યા ત્યાંજ ત્રંબાવટી ના સીમાડે મોમાઈ માં રાજા રૂપસંગને પણ ગળી જાય છે. 

હવે માં મોમાઈ માં લીલાઓ કરે છે અને સાંઢણીનાં રૂપમાં સાતેય ભાઈઓને ઉદર માં સમાવીને ત્રંબાવટી નગર માં પહોંચ્યા અને ત્યાં જઈને મોમાઈમાં સાંઢણી ના રૂપમાંથી રૂપ બદલીને રાજા રૂપસંગ નું રૂપ ધારણ કરે છે ,અને રાજસભામાં આવીને રાજગાદી પર બેઠા, 

અને બેઠા બેઠા હુકમ કર્યો કે મારા છએ ભાઈઓ મને એકલો મૂકીને જતા રહ્યા છે ,જાઓ જાઓ એમની છ રાની અને મારી એક રાની એમ સાતેય રાણીઓના લોચન કાઢીને એક થાળમાં મુકો, સિપાઈઓ રાજાનો હુકમ થતા સાતેય રાણીઓના લોચન કાઢીને સોના ના થાળમાં મૂકીને ભરી સભામાં લાવે છે, પછી મોમાઈ માં ખળખળ દાંત કાઢીને સાતેય રાણીઓના લોચન ને પગથી કચડીને ફોડી નાખે છે, 

વળી પાછો હુકમ કરે છે કે જાઓ બધી જ રાણીઓને એક અંધારી કોટડીમાં કુવામાં ઉતારી દો અને કોટડી ના માથે સીસા નું રેણ કરાવો ,

હવે એ કુવામાં એક બારી હતી ત્યાંથી તેમને ક્યારેક ક્યારેક ખાવાનું આપે છે, માતાજી લીલા કરે છે અને સાતેય રાણીઓને 2-4 મહિનાનો ગર્ભ રહ્યો છે, હવે દિવસો વીતતા જાય છે અને સાતેય આંધળી રાણિયો ભૂખ તરસ થી વલખા મારે છે. એવામાં એમક રાણીના ઉદર માંથી એક બાળકનો જન્મ થાય છે ,અને પેલી બીજી રાણિયો બાળકને બટકા ભરીને ખાઈ જાય છે. 

એમાંથી એક મોટી રાની સમજુ હતી ,તે પર માટી ખાતી નથી , હવે દિવસો વીતતા બધા બાળકોનો જન્મ થાય છે અને બધાજ આમજ મરી જાય છે,  હવે જે સમજુ રાણી હતી તે પણ એક બાળકને જન્મ આપે છે, અને બારીમાંથી એક સિપાઈને કહે છે કે અરે ભાઈ મારા આ બાળકને અહીંથી જીવતું બહાર કાઢો, અને રાજા રૂપસંગને જઈને એટલુંજ કહેજો કે આ તમારું જ સંતાન છે, એને શું ગુનો કર્યો છે ,

આમ સિપાઈઓ દોડતા રાજા રૂપસંગની સભામાં આવે છે, જ્યાં રાજાના રૂપે આ મોમાઈ બેઠા છે, ત્યાં આવીને કહે છે કે હે મહારાજ કુવામાં મહારાણીએ કુંવરને જન્મ આપ્યો છે, તમારી રજા હોય તો તેને બહાર કાઢીયે,

રાજા રૂપસંગ રજા આપે છે અને સિપાઈઓ રાજકુંવરને બહાર કાઢે છે ,ધીરે ધીરે દિવસો પસાર થાય છે અને કુંવર પંદરેક વર્ષ નો થાય છે ત્યારે મોમાઈ માં કુંવર ની પરીક્ષા કરે છે, અને કહે છે કે હે કુંવર તારે ગમે ત્યાંથી મારા માટે સત નું એક કરહલુ શોધી લાવવાનું છે, જો તું સત નું કરહલુ લાવે તો રાજતિલક નહીતો મોત ની સજા.

પછી તો રાજકુંવર તેની તલવાર અને કાળી કામળી લઈને ઘોડા પર સવાર થઇને જંગલ તરફ જાય છે, તેને કઈ સૂઝતું નથી કે ક્યાં જાઉં અને ક્યાંથી લાવું સત નું કરહલુ. 

આમ ફરતા ફરતા રાત થઇ અને જંગલમાં જ ઘોડાને એક ચંદન ના ઝાડે બાંધે છે અને ત્યાંજ આરામ કરે છે, 

તે અડધી નિંદ્રા માં હતો ત્યાંજ ઝાડ પર એક હંસ અને હંસલી વાતો કરતા હતા તે સંભળાય છે, 

આ હંસ અને હંસલી પણ આંધળા છે, હંસ હંસલીને કહે છે કે અરે હંસલી  આપણો તો સાચા મોતીનો ચારો હોય છે, પણ આપણે બંને આંધળા છીએ, 

ત્યારે હંસલી કહે છે કે અરે હંસારાજા તમને ખબર છે કે આપણા માં એક એવો ગુણ છે કે આપણું ચરક કોઈ આંધળાની આંખમાં આંજે તો એનો અંધાપો દૂર થઇ જાય છે, 

હવે આ બધી વાત પેલો રાજકુંવર સાંભળે છે અને તેને તેમની મદદ કરવાની ઈચ્છા થાય છે., 

રાજકુંવર ધીરે ધીરે ઝાડ પર ચડીને હંસ અને હંસલીને તેના ખોળામાં બેસાડે છે અને કહે છે કે તમે જરાય મુંઝાશો નહિ હું તમને કાંઈ કરીશ નહિ ,તમારી આંખોનો અંધાપો હું દૂર કરીશ, પછી એક ડાળ પર પડેલું તેમનું ચરક લઈને હંસ અને હંસલી ની આંખમાં આંજે છે, અને થોડી વારમાંતો તેમની આંખોની રોશની પાછી આવી જાય છે,

પછી તો હંસલી રાજકુંવર ને પોતાનો ભાઈ બનાવે છે અને પૂછે છે કે અહીંયા જંગલ માં કેવું આવવું પડ્યું , ત્યારે રાજકુંવર કહે છે રાજાએ મને ગમે ત્યાંથી સત નું કરહલુ શોધી લાવવાનું કહ્યું છે, પણ મને એના વિષે કઈ ખબર નથી, હંસલી બોલી કે તમે ચિંતા કારસો નહિ ,અમ્મર ચાર દીકરા છે તે ચારેય જણા ચારેય દિશામાં ચારો ચરવા ગયા છે, 2 દિવસ પછી પાછા આવવા છે, એમને ખબર જ હશે કે સાત નું કરહલુ ક્યાં મળશે, 

આમ રાજકુંવર ત્યાંજ રોકાયો અને જયારે પેલા ચારેય હંસ ચારો ચરીને પાછા આવે છે ત્યારે એમને પૂછે છે તો એમાંથી જે હંસ ઉત્તર દિશામાં ગયેલો એ કહે છે કે ઉત્તર દિશામાં હેમાળો છે ત્યાં સતનું કરહલુ છે ,

પછી તો હંસ પોતાની પીઠ પર રાજકુંવર ને બેસાડીને ઉત્તરદિશામાં લઇ જાય છે અને સાત નું કરહલુ લઈને રાજકુંવર પાછો રાજદરબારમાં આવે છે, માં મોમાઈ આ જોઈને પ્રસન્ન થાય છે અને તેનું રાજતિલક કરે છે, તો મિત્રો આ હતો માં મોમાઈ માં ના ચમત્કાર નો ઇતિહાસ.    

 

 


ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...