શનિવાર, 6 મે, 2023

કાળીયા દેવીપૂજક માં મેલડીમાં ની વાર્તા

કાળીયા દેવીપૂજક  માં મેલડીમાં ની વાર્તા  

     નમસ્કાર મિત્રો આજે આપણે કાળીયા દેવીપૂજક ની માં મેલડી માં ના ઇતિહાસ ની વાત કરીશું., વાદળ સાથે વાતો કરે એવો ગઢ ગિરનાર, આ ગિરનાર ની તળેટી માં નવનાથ ના બેસણા છે, આવા ગિરનાર ની તળેટી માં નાનું એવું મજેવડી ગામ આવેલું છે.

     ઘણાય વર્ષો પહેલાની આ વાત છે, એ સમયે કેટલાક દેવીપૂજકનો કબીલો ફરતા ફરતા આ મજેવડી ગામ આવે છે, અને આ ગામના ઝાંપા માં દંગડું નાખે છે, આ દેવીપૂજક ના કબીલા માં એક કાળિયો દેવીપૂજક રહેતો હતો, કાળિયો બાપદાદાએ આપેલી માં મેલડીમાના રોજ ધૂપ દીપ કરતો અને રૂડા કરંડીયાની સેવાપૂજા કરતો, એને સંતાન માં માત્ર એક દીકરી જ હતી, કાળીયો અને એની પત્ની દીકરીને ખુબજ લાડકોડથી ઉછેરે છે, ધીરે ધીરે સમય પસાર થાય છે અને દીકરી મોટી થતા એનું સગપણ વિસાવદર ગામમાં નક્કી કરે છે, સગાઈ થયે 2 વર્ષ વીતે છે ત્યાંતો ઘડિયા લગ્ન લેવાય છે અને દીકરી પરણી ને એના સાસરિયામાં આવે છે, 

    સમય જતા દીકરીને સારા દિવસો રહે છે, અને કાળીયાને સમાચાર મળે છે કે દીકરીનો સીમંતનો પ્રસંગ આવે છે, સીમંત ના પ્રસંગને ચાર પાંચ દિવસની વાર છે ત્યારે કાળીયાની પત્ની કહે છે કે સીમંતના પ્રસંગમાં દીકરીને કંઈકતો સોનાનું આપવું પડશે ને ?, હવે ઘરમાંતો ફૂટી કોળી પણ ન હતી એટલે કાળીયો અને એની પત્ની મૂંઝાય છે કે દાગીના માટેના પૈસા લાવવા ક્યાંથી?

જયારે સીમંતના બે દિવસ બાકી હોય છે ત્યારે રાત્રે કાળીયો ખાટલામાં સૂતો સૂતો વિચારતો હતો કે પૈસા ક્યાંથી લાવું, એને ઊંઘ આવતી નહોતી એટલે તે ઉભો થઇ એના ફળીયામાં રહેલા માં ના ધૂળના ધડિમલે જઈને માં ભગવતી માં મેલડી ને બે હાથ જોડીને પગે લાગે છે, અને નાનકડી દેરીમાં મેલડીમાં નું નાનું એવું લાકડાનું ફળું હતું એને જમણા હાથેથી ઉપાડીને માં ને કહે છે કે "હે માંડી, મારા બાપદાદાની રૂડા કરંડીયાની દેવી, તુજ અમારા નિર્ધનીયા નું નાણું છો, હવે તો માંડી તારોજ એક આધાર છે, આખું જગત ખૂટી જાય પણ તું ક્યારેય ખુટીશ નહિ માંડી," આટલું કહીને માં નું ફળું પાઘડી માં રાખીને બાંધી દે છે,

સવારે કાળીયો એની પત્નીને કહે છે કે હું દીકરીના ઘરેણાં લેવા માટે જૂનાગઢ જાઉં છું, આમ કહીને મજેવડીથી તે જૂનાગઢ જાય છે, માં ભગવતી માં મેલડી તેની સાથે સાથે છે, 

જૂનાગઢમાં એક સોનીની દુકાને જઈને કહે છે કે શેઠ જય માતાજી, હું મજેવડીથી આવું છું, મારુ નામ કાળીયો છે, મારે દાગીના લેવા છે, પછી તો નાના મોટા અમુક દાગીના જોઈને નક્કી કરે છે અને શેઠ કહે છે કે એટલા પૈસા થયા કાળીયા, ત્યારે કાળીયાની આંખમાંથી દળ દળ આંસુડાં પડે છે, અને કાળીયો બે હાથ જોડીને કહે છે, શેઠ મારી પાસે પૈસા નથી, દયા કરો મારા પર શેઠ દયા કરો, " ત્યાં તો શેઠે કહ્યું કે પૈસા વગરતો હું તને દાગીના નહિ આપું, અરે શેઠ મારી વાત તો સાંભળો ,મારી એકના એક દીકરીનો કાલે સીમંતનો પ્રસંગ છે, મારી પર દયા કરો, તમારો ઉપકાર હું જિંદગીભર નહિ ભૂલું શેઠ, જો તમને મારા પર વિશ્વાસ આવતો હોય..... એટલું કહીને પાઘડી ના આંટા ખોલીને તેમાંથી સવા ત્રણ ઇંચ નું માતાજીનું લાકડાનું ફળું હાથમાં લઈને શેઠના ત્રાજવામાં મૂકે છે, અને કહે છે કે "આ લ્યો શેઠ, મારા પર વિશ્વાસ ના હોય તો આ મારા બાપની દેવી માં મેલડી છે, તેના પર વિશ્વાસ રાખો શેઠ ,આ તો મારા વડવાઓની કમાણી છે તેને હું તમારા ત્યાં આને ગીરવે મુકવા આવ્યો છું શેઠ, આના પર ભરોસો રાખો, ત્યારે શેઠ કહે છે કે અરે કાળીયા મારા ત્રાજવાંમાંથી તારી દેવીને લઇ લે, અમે એને ના સાચવી શકીએ ,અમારાથી તે રખાય નહિ કાળીયા, પણ જો તું તારી દીકરી માટે તારી દેવીને ગીરવે મુકવા નીકળ્યો છોને તો હું તારા પર વિશ્વાસ કરું છું ,પણ આજથી બાર મહિને તારે મને આ દાગીનાના પૈસા આપી દેવા પડશે, 

હવે કાળીયો દાગીના લઈને સાથે માતાના ફળાને પાઘડી માં વિટાળીને હરખાતો હરખાતો મજેવડી આવે છે, અને ઘરે આવીને દાગીના એની પત્નીને આપે છે, એની પત્ની પૂછે છે કે તમે આ દાગીના કેવી રીતે લાવ્યા, ત્યારે કાળિયો પાઘડી ખોલીને તેમાં રહેલું માં મેલડીનું ફળું દેખાડીને કહે છે કે આ તો મને મારી બાપની દેવી માં મેલડીએજ દાગીના અપાવ્યા છે, આમ કહીંને માં ના ફળાને ધૂળના ધડિમલા માં પાછું મૂકી દે છે, 

પછી તો બીજે દિવસે સીમંત નો પ્રસંગ પૂરો કરી બધા ઘેર પાછા આવે છે, પછી તો રોજ કાળિયો અને એની પત્ની કોઈ ખેડૂતના ખેતરમાં જઈ કાળી મજૂરી કરે છે ,અને શેઠને આપવા માટે તેમાંથી બે પાંચ પૈસા રોજ બચાવે છે, 

હવે માં મેલડીને કંઈક વાત રાખવી હશે, અને બાર મહિના માં એકજ મહિનો બાકી રહ્યો છે, અને કાળીયાને માંદગી ઘેરી વળી છે, ઘરમાં ખાવાં ધાન રહ્યું નથી, આમ કરતા કરતા પંદર દિવસ વીતી જાય છે, અને એક દીવસ મધરાતે માં મેલડી મઢમાંથી નીકળીને કાળીયા ના ખાટલા પાસે આવીને કહે છે કે "અરે કાળીયા તું સૂતો છો કે જાગસ દીકરા ?"

આટલા શબ્દો સાંભળતાજ કાળીયાની આંખો ખુલી જાય છે અને માં મેલડી કહે છે કે " અરે દીકરા, મને ભૂલી ગયો કે છું, તારા બાપની દેવી, તારી ભક્તિની દેવી માં મેલડી તને જગાડવા આવી છું દીકરા, ઉઠ કાળીયા ઉઠ, હવે તું મારી વાત સાંભળ, મૃત્યુ તો સનાતન સત્ય છે ,જે જીવ જન્મ્યો છે તેને કાલે જવાનુંજ છે, નામ તેનો નાશ છે, તારી માન્દગીએ તને ઘેરી લીધો છે, અને તારે સોનીને પૈસા આપવામાં હવે પંદર દિવસજ બાકી રહ્યા છે, પણ કાળીયા આ પંદર દિવસમાંથી તેરમા દીવસે તારું મૃત્યુ થવાનું છે, અરે કાળીયા આ હું માં મેલડી બુલુ છું, પણ તે સોનીને મારી હાજરીમાં વચન આપ્યું છે કે બાર મહિને હું તમને તમારા પૈસાની ભરપાઈ કરી દઈશ, તેની હું સાક્ષી છું કાળીયા, હવે બાર મહિનામાં બે દિવસ બાકી હશે ત્યારે તારું પ્રાણ પંખેરું ઉડી જશે કાળીયા, "

ત્યારે કાળીયો માં મેલડીને કહે છે "અરે મારા બાપની દેવી આ તું શું બોલે છે, હવે તું કૈક રસ્તો સુઝાડ માંડી, હવે હું શું કરું માં? મેં શેઠને વચન આપ્યું છે ,પૈસા આપ્યા વગર મારુ મૃત્યુ થશે તો મારી સદ્દગતિ નહિ થાય માં,"

ત્યારે માં મેલડી કાળીયાને કહે છે કે "તું કાલે સવારે અહીંથી ઉભો થઈને જૂનાગઢ સુધી જય શકે એટલી શક્તિ હું તને આપું છું, મારુ ફળું લઈને તું મને ગીરવે મૂકી દેજે, હવે બીજો કોઈ રસ્તો નથી કાળીયા,"

માં ને હવે કંઈક વાત રાખવી હશે અને જગતમાં પરચા પૂરીને માંને કયાંક બેસણા કરવા હશે, એટલે એટલું કહી પળવારમાંજ અગનગોળો બનીને માં અંતરધ્યાન થઇ જાય છે, 

હવે બીજે દિવસે સવાર પડે છે અને પંદર દિવસથી પથારી વશ હતો એ કાળિયો ઉભો થાય છે, અને ચાલતા ચાલતા જૂનાગઢ સોનીની દુકાને આવે છે, 

શેઠ કાળીયાને જોઈને ઓળખી જાય છે અને વિચારે છે કે આ કાળિયો જ છે , હજુ તેના વચન પાલનમાં પંદર દિવસ બાકી છે, આ કાળિયો તો વાંચનનો ઘણો પાકો નીકળ્યો, "

આમ કાળિયો શેઠને બે હાથ જોડીને કહે છે કે શેઠ તમારો ઉપકાર હું જિંદગી ભર નહિ ભૂલું, પણ શેઠ તમને આપવા માટે મારી પાસે પૈસા તો નથી પણ કાલે સપનામાં માં મેલડીએ મને આવીને કીધું હતું કે કાળીયા આજથી તેરમા દિવસે તારું મૃત્યુ થશે, એટલે તમારા પૈસાતો મારાથી અપાશે નહિ, પણ શેઠ મારી પાસે મારા બાપની દેવી માં મેલડીનું ફળું છે તેને હું તમારી પાસે ગીરવે મુકવા આવ્યો છું, જો હું મરી જઈશ તો તમારા પૈસા આપ્યા વગર મારા આત્માને શાંતિ નહિ મળે શેઠ ,તેમ કહીને પાઘડીમાંથી લાકડાનું ફળું આપતા કહે છે કે શેઠ મારી મેલડીને તમારી પાસે રાખીને જાઉં છું, માં મેલડી તમારા ધાર્યા કામ કરશે , આજથી પંદર દિવસે મારુ મૃત્યુ થશે, પણ જો શેઠ કદાચ હું જીવી જઈશ તો મારીદેવી માં મેલડીને હું પાસી લઇ જઈશ, અને કદાચ મારુ મૃત્યુ થશેને તો મને કડવા વેણ કહેજો પણ મારા વડવાને કડવા વેણ કહેશોને તો મારી દેવી સહન નહિ કરી શકે શેઠ, હું સાચું કહું છું કે ખોટું તેની તમારે ખાતરી કરવી હોયને તો આજથી તેરમા દિવસે વહેલી સવારે મજેવડી ગામમા આવીને ઉભા રહેજો અને તમને જો કોઈ નનામી દેખાયને તો એમ માનજો કે આ કાળિયો હવે રહ્યો નથી, અને આવું ના બનેને તો હું મારી મેલડીને આવીને લઇ જઈશ શેઠ, શેઠને હવે કાળીયાની વાત પર વિશ્વાસ આવે છે, અને માં નું ફળું લઈને સોના ચાંદીના રાખવાના પટારામાં મૂકી દે છે, 

દિવસો વીતે છે અને તેરમા દિવસે શેઠ તેના દીકરા ને લઇ ને મજેવડી ગામ પહોંચે છે, અને જુએ છે કે ચાર કાંધિયા એક નનામીને લઈને ઝાંપે આવે છે, ઝાંપામાં વિસામો લે છે અને માં મેડીને નારિયેળ આપે છે ત્યાં શેઠ કોઈને પૂછે છે કે કોણ ગુજરી ગયું છે ભાઈ?,ત્યારે એ ભાઈ કહે છે કે ભાઈ એક ગરીબના ઘર પર આભ તૂટી પડ્યું છે, એ ઘરનો મોભી કાળિયો મરણ પામ્યો છે, ત્યાંતો શેઠની આંખોમાંથી આંસુડાં પડવા લાગે છે અને વિચારે છે કે મારી આખી જિંદગી હું જીવીશ ત્યાં સુધી આવા સાચાબોલા માણસ મને જોવા નહિ મળે, 

પછી તો શેઠ ઘેર આવીને માં મેલડીના ફળા ની સ્થાપના કરીને એની પૂજા કરે છે, માં મેલડીની તેની પર કૃપા થાય છે, અને શેઠના ધાર્યા કામ માં પુરા કરે છે, ધીરે ધીરે સમય પસાર થાય છે અને શેઠનું પણ એક દિવસ મૃત્યુ થાય છે, 

શેઠ ના ગયા પછી તેમનો દીકરો ખોટી સંગતે ચડી જાય છે, અને ચોરી કરવા લાગે છે, પૈસા ના મળે તો ઘરમાંથી વસ્તુની ચોરી કરે, એક વાર એને પૈસા ના મળતા માં ના મઢમાં રાખેલા સોના ચાંદીના સત્તર પર તેની નજર પડે છે,અને સત્તારની ચોરી કરીને તે વેચી નાખે છે, 

હવે માં મેલડી કરે એવું કોઈ ના કરે, દીકરાના દાદીમા હતા એ માં ના રોજ ધૂપ દીપ કરતા અને તે દિવસે સવારે જયારે માં ના મધમાં આવીને જુએ છે તો સત્તર નથી, એમના હાથમાંથી દીવો પડી જાય છે અને ધ્રુજતા અવાજે માં ને બે હાથ જોડીને કહે છે કે હે કાળીયા ની દેવી ,તારું મંડાણ માંડવા વાળો મારો દીકરો અને કાળીયો તો આ દુનિયા માં રહ્યા નથી , મને એમ થાય છે કે તુંય આ દુનિયા છોડીને ચાલી ગઈ કે છું, તને બેસાડવા વાળો કાળિયાનો વડવો કોઈ દુબળો હશે કે શું, આવી માં મેલડીને ટકોર કરે છે, કાળીયો માં મેલડીને ગીરવે મુકવા આવ્યો હતો ત્યારે કીધું હતું કે મને કડવા વેણ કહેશોને તો મારી માં સહન કરશે, પણ મારા વડવાને કોઈ કડવા વેણ કહેશેને તો માં મેલડીથી સહન નહિ થાય બાપ....

આમ ડોશીમા આટલા શબ્દ બોલે ત્યાંતો સવા ત્રણ ઇંચના લાકડાના ફળા માંથી માં મેલડી જાગે છે ,

ફરી વાર ડોશીમાં કહે છે કે હે માડી તું દુબળી હોય કે તારા મંડાણ માંડવાવાળા દુબળા હશે, કે તારો કાળીયો કે કાળિયાનો વડવો દુબળો હશે, આ તારા સત્તરને કોણ ચોરી ગયું હશે માં, 

આજથી સાડા ત્રણ દિવસમાં મને કાંતો ચોર આપ નહીતો એ ચોરની લાશ આપ, આવું કહી ડોશીમા ની આંખોમાંથી આંસુડાંની ધારા વહે છે, 

હવે એક દિવસ એવુ બને છે કે સવાર પડતા શેઠનો પંદર વર્ષનો દીકરો ભાઈબંધ સાથે નાહવા જાય છે, અને આ બાજુ મઢ માંથી માં મેલડી સવા વેંત ની નાગણી બનીને સડસડાટ તળાવની પાળે જઈને કિનારે ફેણ ચડાવીને બેઠી છે, આ આજુ ડોશીમા હાલતને ચાલતા માં મેલડીને ટકોર કરે છે કે હે માં આજે છેલ્લો દિવસ છે, તું ચોરને લાવ કાંતો ચોરની લાશને લાવ, અને તું મારુ આટલું કામ કરે તો હું તારો સવામણ નો તાવો ચડાવીશ દેવી ,આવી માં ની માનતા રાખે છે.

 આ બાજુ નાગણી તળાવ માં શેઠનો દીકરો જ્યાં નાહતો હતો ત્યાં પાણીમાં સડસડાટ જઈને તેના જમણા પગના અંગુઠે થડાક કરતો ડંખ મારે છે અને છોકરો ઉભો રહી જાય છે, અને કહે છે કે મને કંઈક કરડ્યું છે, બધા તેને તળાવની બહાર લાવીને કિનારે સુવડાવે છે, ત્યાંતો એના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું છે, 

માં મેલડી કહે છે "કે આ જગતમાં કદાચ નાગના ડંખેલા સાડા ત્રણ દિવસ સુધી જીવી જાય, પણ હું કાળી કરંડીયાની સવા વેંતની નાગણી કોઈને જમણા પગના અંગુઠે ડંખ મારુ અને એનો ડાબો પગ જો ઉપડવા દઉંને તો હું માં મેલડી ના કહેવાઉં ,"

પછી તો બધાજ છોકરા તેને તેના ઘરે લાવે છે ત્યાંતો એનું પ્રાણ પંખેરું ઉડી જાય છે, આખું ઘર હૈયાફાટ રુદન કરે છે, દીકરાની સ્મશાન યાત્રાની તૈયારી થાય છે, ત્યાંતો નનામીને બંધ ધડા ધડ તૂટવા લાગે છે, ત્રણ વાર બંધ બાંધે છે પણ ત્રણ વાર માં મેલડીની નજર ફરે છે અને તૂટી જાય છે, 

હવે કેટલાક દેવીપૂજકો ત્યાં આવેલા હતા તે માં ના આ ખેલને જુએ છે અને તે પારખી જાય છે નક્કી આ માં મેલડીનો જ ખેલ છે, પછી તો તે માં મેલડી સાથે વેણે વાતો કરે છે અને કહે છે કે હે માં આ તારોજ ખેલ છે ને, ત્યારે માં કહે છે કે હા દીકરાઓ આ મારોજ ખેલ છે, 

પણ માં તું એનું પરમાણ આપ તો જ આ જગત તને માને માંડી, હે માંડી તું નાની એવી કોઈ દીકરીના ખોળિયે આવ, તો તને માનશે, 

પછી તો ટોળામાંથી એક નવ વર્ષની દીકરી ખમ્મા ખમ્મા ના ખમકારા કરતી દીકરાના શબ પાસે આવીને ઉભી રહી ,અને કહ્યું કે હું કાળીયાની માં મેલડી બોલું છું ,માં મેલડી ડોશીમાંને કહે છે કે તું મને રોજ ટકોર કરતી હતીને કે દેવી તું દુબળી , કે તારો કાળીયો કે કાળિયાનો વળવો દુબળો લાગે છે, તો લે આ તારા સત્તરનો ચોરનાર ,અને હું એની લાશને પણ લઈને આવી છું, હવે મને ટકોર કરતી નહિ, કાળીયો દુબળો નથી કે એનો વળવો પણ દુબળો નથી, 

પછી તો ડોશીમા સ્તબ્ધ થઇ જાય છે અને દેવીપૂજકો કહે છે કે ખમ્મા કર માડી ખમ્મા કર, તું પાછી વળી જ માંડી, ભૂલચૂકને માફ કરી દે માંડી,

 ત્યારે માં નાની દીકરી ના મુંખેથી કહે છે કે તમે ટકોર કરો કે કડવા વેણ કહો તો હું સહન કરી લઉં, પણ મારુ મંડાણ માંડવા વાળાને  કે એના વડવાને કોઈ કડવા વેણ કહેને તો હું સહન ના કરી શકું, ત્યારે ડોશીમા કહે છે કે હે માંડી તું ખરેખર ન્યાય લાવી માંડી, તે ખરેખર તારો ગુનેગાર હતો, તે એને સજા આપી છે માંડી, પરંતુ માંડી મારો દીકરો તો નથી અને એના દીકરાને પણ તે આજે ન્યાય માં લઇ લીધો માં, 

ત્યારે માં મેલડી કહે છે કે હે બાઈ તું મેલડીને નથી ઓળખતી હજુ, મેં ન્યાયમાં એક દીકરો લીધો છે પણ તારી આ વહુને સારા દિવસો જાય છે, એની કૂખેથી એકના બદલે બે જોડિયા દીકરા જન્મે તો માનજે આ માં મેલડીએ આપ્યા હતા, આ મારુ માં મેલડીનું વચન છે,

પછી તો સ્મશાન યાત્રા નીકળવાનમિ તૈયારી થાય છે ત્યાંતો મેલડી કહે છે કે હે બાઈ ઉભી રહે,  જીવતાનું તો સૌ ખાય ,પણ મરેલાનું ખાઉને તો હું માં મેલડી કહેવાઉં, અરે બાઈ તે કીધું હતુંને કે ચોરને લઇ આવુંને તો તું સવા મણનો તાવો કરીશ, તો લાવ મારો તાવો, જ્યાં સુધી તું મારો તાવો નહિ કરેને ત્યાં સુધી હું મડદા ને અગ્નિ અડવા દઉંને તો તો હું કાળીયાની મેલડી ના કહેવાઉં, 

પછી તો ડોશીમા માતાજીનો તાવો કરે છે અને પછી દીકરાના અગ્નિસંસ્કાર થાય છે,

તો આ હતો કાળીયા ની માં મેલડી માં નો ઇતિહાસ,

બુધવાર, 3 મે, 2023

ઝોંપડી માં ની વાર્તા અને ઇતિહાસ, લંકા ની લાડી અને ઘોઘા નો વર,

 ઝોંપડી માં ની વાર્તા અને ઇતિહાસ, લંકા ની લાડી અને ઘોઘા નો વર,

નમસ્કાર મિત્રો આજે આપણે માં ઝોંપડી માં ની ઉત્પત્તિ ની વાર્તા જાણીશું, વિશાળ હૃદય વાળી માં ભગવતી માં મહામાયા માં મેલડી ને કોઈ સાચા હૃદય થી પોકાર કરેને તો માં તેના એક બોલે તેના એકાવન કાર્ય કરનારી  દયાની દેવી છે, અને માં નો કોઈ ચાળો કરેને તો કાળા કરંડિયા ની કાળી નાગણી કોઈને છોડતી નથી હો., 

કહેવાય છે ઉજ્જૈન ના રાજા વીર વિક્રમ ના રખોપા કરવા ચાર જોગણીઓ અને જહુ ઝોપડીએ શિપ્રા નદીને કાંઠે માતા મેલડી સહીત બેસણા કર્યા, ચાર જોગણીની ત્યાં આજે પૂજા થાય છે, અને સાથે સાથે સતી સિકોતર એવા માં હરસિધ્ધિ માં પણ ત્યાં સાક્ષાત બિરાજેલા છે, અને તેની સાથે દેવોના દેવ મહાદેવ ,ભૂતનાથ મહાકાલેશ્વર ભભૂતધારી પણ ત્યાં હાજરાહજૂર બેઠા છે, 

હવે એવી એક દંતકથા છે કે લંકાપતિ રાજા રાવણ ના ઘેર એક દીકરી નો જન્મ થાય છે, ત્યારે વિધાતા ત્યાં લેખ લખવા આવે છે, ત્યારે વિધાતા લેખ લખે છે કે તારી આ દીકરી ના લગ્ન એક વાસીદા વાળનાર એક રૂખીના દીકરાની સાથે થશે, ત્યારે રાવણ કહે છે કે હે વિધાતા દેવી મારી દીકરીના લેખમાં શું તમે આવું લખ્યું છે?  ત્યારે વિધાતા કહે છે કે હા રાવણ ,તે વસીદા કરનાર રૂખીનો એક્નો એક દીકરો છે, તેનું નામ ભીમો છે, તેની સાથે તારી દીકરીના લગ્ન થશે, 

ત્યારે રાવણ ક્રોધે ભરાઈને કહે છે કે "હું તો લંકાપતિ રાવણ છું, તેત્રીશ કોટી દેવતા , અને નવ ગ્રહોને મારા ઢોલીએ બાંધનાર હું કહું એમજ થાય, તારા લેખને હું અવળા ના કરુંને તો તો હું લંકાપતિ રાવણ ના કહેવાઉં,,,"

ત્યારે કહેવાય છે કે વિધાતાના લેખમાં મેખ મારવા લંકાપતિ રાવણે સીપાઈઓને સૂચના આપી કે જાઓ જલ્દી ભીમાને પકડીને જલ્દી મારી સામે હાજર કરો, અને એના જમણા પગનો અંગુઠો નિશાની રૂપે કાપીને એને મારીને એક લાકડાની પેટીમાં પૂરીને દરિયામાં નાખી દો,  

આમ રાવણનો હુકમ થતાંજ ભીમાને પકડીને રાવણ સમક્ષ હાજર કર્યો અને એના જમણા પગનો અંગુઠો કાપી નાખવામાં આવે છે, પછી ચોકીદારને એમ થાય છે કે જીવ હત્યા નું પાપ કેમ કરવું, તેથી તેને જીવતો નદીમાં નાખી દે છે, અને ભીમો તરતો તરતો દરિયામાં જાય છે, અને ત્યાંથી ઘોઘા બંદરે આવે છે, ઘોઘા બંદરમાં રાજાને ઘેર તેનું પાલન પોષણ થાય છે, આ બાજુ રાવણની દીકરી પણ મોટી થાય છે, હવે તેના લગ્ન આ ઘોઘા બંદરના રાજાના દીકરા સાથે થાય છે, ત્યારે રાવણને એમ છે કે આ જ ઘોઘા બંદરના રાજા નો દીકરો છે, આવીતો વિધાતાની વિચિત્રતા છે, ત્યારે માં વિધાતા આવીને કહે છે કે અરે દસાનન્ન આ દીકરાની મોજડી તું હવે કાઢ, અને તેના જમણા પગનો અંગુઠો જો અને જો તે કપાયેલો હોયને તો માનજે તે જે નિશાન પડ્યું હતું તે આ જ છે,

ત્યારે ભગવતી કહે છે કે અરે રાવણ તું મને ઓળખી ના શક્યો, આ રુદ્ર નોજ એક અવતાર છે, અને તારે ઘેર જન્મ લેનાર દીકરી જાનકીનો જ અવતાર છે, તું તેમને ઓળખી ના શક્યો, પછી તો રૂખીના દીકરાને ઝાંપે ઉતારો છે, ત્યાં માં ફૂલનો દળો બનીને બેસી ગયા છે, અને ત્યાં માંએ સમાધિ લીધી, અને માતાજીએ કહ્યું કે આજથી હું અહીંયા ઝાંપે બેઠી છું, એટલે આજથી હું ઝાંપડી માં તરીકે ઓળખાઈશ, આમ ઝાપડીમાં /  ઝોપડીમાં ના ત્યાં બેસણા થયા છે, 

માં ના તો અનેક સ્થાને બેસણા છે, માં તો કાળી નાગણી બનીને અનેક પરચાઓ પુરે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે, બોલો ઝોપડી માં તકી જય,.....    

મંગળવાર, 2 મે, 2023

છડો હું હતો છોકરો છેક છોટો .....


 છડો હું હતો છોકરો છેક છોટો .....

 પિતા પાળી પોષી મને કીધો મોટો ...

                                     રૂડી રીતથી રાખતા રાજી રાજી......

                              ભલા કેમ આભાર ભૂલું પિતાજી.....

મને સારી શિક્ષા શિખાવી સુધાર્યો......

વળી આપી વિદ્યા વિવેકે વધાર્યો.....

                                    ભલી વાતના ભેદ્ય સીધા દીધાજી.......

                              ભલા કેમ આભાર ભૂલું પિતાજી.....

હતો બાળ હું આજ સુધી અજાણ્યો.......

ઉરે આપનો ગુણ એકે ન આણ્યો....

                            હવે હું થયો જાણીતો આજ આ જી.....

                            ભલા કેમ આભાર ભૂલું પિતાજી.....

મને દેખી અત્યંત આનંદ લેતા,

મુખે માગી વસ્તુ મને લાવી દેતા;

                        પૂરો પાડ તે  તો ભૂલે પુત્ર પાજી,

                        ભલા કેમ આભાર ભૂલું પિતાજી.....

ભણાવી ગણાવી કીધો ભાગ્યશાળી,

તથા તુચ્છ જેવી બુરી ટેવ ટાળી;

                          જનો મધ્ય જેની રહી કીર્તિ ગાજી,

                          ભલા કેમ આભાર ભૂલું પિતાજી.....

                          ભલા કેમ આભાર ભૂલું પિતાજી.....

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...