રવિવાર, 23 ઑક્ટોબર, 2022

માલણપુરના રૂડીયા ડાઢાળા ની મેલડીએ આપ્યો પરચો, માં મેલડીએ ચિતા પર સુંવાડેલા મડદાંને સજીવન કર્યો,

 માલણપુરના રૂડીયા ડાઢાળા ની મેલડીએ આપ્યો પરચો,

માં મેલડીએ ચિતા પર સુંવાડેલા મડદાંને સજીવન કર્યો, પોલારપુર ગામની ઘટના

નમસ્કાર મિત્રો ,આજે આપણે માલણપુરના રૂડીયા ડાઢાળા ની મેલડીએ આપેલાચમત્કારિક પરચાની વાત કરીશુ, જેણે એક ચિતા પર સુવડાયેલા મડદા ને સજીવન કર્યો અને નવું જીવનદાન આપ્યું.  

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના માલણપુર ગામમાં ભગવતી માં મેલડીનો પરમ ઉપાસક એવો રૂડિયો ડાઢાળો માતાજીનો બનાધારી ભુવો થઇ ગયો જે માં મેલડી સાથે સાક્ષાત વેણે વાતો કરતો અને રૂડીયા ડાઢાળા ની મેલડી ભક્તોના ધાર્યા કામ પુરા કરે છે, એવાજ એક ચમત્કારીક પરચા ની વાત કરીએ તો ઘણા વરસો પહેલા માં મેલડીનો બનાધારી ભુવો એવો રૂડિયો ડાઢાળો હયાત હતો એ સમયની આ વાત છે, ધંધુકાથી બરવાળા તરફ જતા હાઈવે પર પોલારપુર ગામ આવેલું છે, આ ગામમાં એક વિધવા બાઈ તેના એકના એક દીકરા સાથે રહેતી હતી, નાની મોટી મજૂરી કરીને ગુજરાન ચલાવતી હતી. એવામાં કોઈ કારણસર દીકરાને ભયંકર બીમારી થાય છે, આજુબાજુના કોઈ હકીમ ડોક્ટરો કે વૈદ્યો બીમારી ને મટાડી નથી શકતા અને દીકરો મરણપથારીએ પડ્યો છેલ્લા શ્વાસ લઇ રહ્યો હોય છે, બાજુમાં બેઠેલી એની જનમ દેનારી જનેતાનો હાથ પકડીને દીકરો કહે છે કે "હે માં હું આ દુનિયા છોડીને જતો રહીશ પછી તારી સેવા ચાકરી કોણ કરશે, તારા ઘડપણ ની લાકડી કોણ બનશે,". ત્યાંતો માં પોતાના બાળકનું માથું ખોળામાં લઈને એને હિમ્મત આપતા એટલું બોલે છે કે "દીકરા તને કાંઈ નહિ થાય , માતાજી કાલે તને સારું કરી દેશે,". આમ આખી રાત માં એના દીકરાને ખોળામાં લઈને બેસી રહી , બીજે દિવસે સવાર થતા તો દીકરાની આંખો બંધ થઇ ગઈ, જનેતા આ જોઈને માથા પછાડે છે અને રોકકડ કરવા લાગી, બધા ભેગા થઈ ગયા, ગામની બીજી બાઈઓ આશ્વાસન આપે છે કે આતો ભગવાનના ઘરના તેડાં છે, એમાં કોઈનું ના ચાલે, ત્યારે ગામના બે ચાર ડાહ્યા માણસોએ દીકરાનો હાથ પકડીને તપાસ્યો તો નાડીના ધબકારા તો હજુ ચાલુ હતા,અને કહ્યું કે તમે બધા રડશો નહિ ,આ દીકરામાંતો હજુ જીવ લાગે છે, અને આટલું સાંભળતા તો દીકરાની જનેતા રોવાનું બંધ કરીને દીકરાને બથ ભરી દીધી, અને ખોડો પાથરીને બધા લોકો પાસે દીકરાના જીવનની ભીખ માંગતા બોલી કે બાપ આનો કોઈ ઉપાય બતાવોને ,મને કંઈક મદદ કરોને બાપ. એમાંથી ગામનો એક દેવીને માનવા વાળો માણસ બોલ્યો કે "હવે તો એકજ માત્ર ઉપાય છે, રાણપુર તાબાના માલણપુર ગામમાં રૂડિયો ડાઢાળો હાથમાં માળા નો ડેરખો લઇ દિવસ રાત "તું હી માં મેલડી" "તું હી માં મેલડી" "તું હી માં મેલડી " ના નામનું રટણ કરે છે ,ત્યાં જઈને રૂડા બાપા ને વાત કરી જુઓ અને જો રૂડા બાપા ની મેલડીની દોઢ જાર છૂટી ગઈ અને અહીંયા આવે અને મરતા બચાવે તો એ રૂડીયા ડાઢાળા ની મેલડીજ બચાવી શકે "

પછી કહેવાય છે કે આ ગામના બે માણસો ઘોડેસવાર થઇ માલણપુર રૂડા બાપા ને લેવા માટે નીકળે છે, અને માલણપુર ગામ ના ઝાંપે થઈને રૂડા બાપાની મેલડી ના મઢે પહોંચ્યા, અને ત્યાં જોયું તો રૂડા બાપા હાથમાં માળાનો ડેરખો લઈને માં મેલડીનું રટણ કરતા હોય છે, ત્યાં પાછળથી આવીને એક જણાએ કહ્યું કે "હે રૂડા દાદા",ત્યાંતો રૂડા દાદા એ આંખો ખોલીને પાછું વળીને જોયું અને કહ્યું કે "આવો બાપ ,જય માતાજી તમને, ક્યાંથી આવો છો ?,"  અમે બાપા પોલારપુર ગામથી આવીએ છીએ , તમને અને તમારી મેલડીને જોવા આવ્યા છીએ, હાતો જોઈ લ્યોને આ રહી મારી મેલડી, એમ નહિ બાપા પોલારપુર ગામના ચોકમાં આખું ગામ ભેગું થયું છે, ઓડ સમાજની એક વિધવા બાઈ ,એનો એકનો એક દીકરો મરણપથારીએ પડ્યો છે, અને ગામના વડીલોએ કહ્યું કે રૂડિયા ડાઢાળા ને લઇ આવો ,અને જો એની મેલડી આવે અને માથે હાથ મૂકી દે તો મોત ના મોંઢામાંથી ઉગારે તો તમારી મેલડી ઉગારે, બાપા તમને આજે લેવા માટે આવ્યા છીએ, 

ત્યાંતો રૂડા બાપાએ કહ્યું કે તમે જેમ મને કહો છો એ રીતે ઘૂટણીયા ભેર થઈને મારી મેલડીની સામે બે હાથ જોડીને કહો અને જો મારી મેલડી ડોઢ જાર આપે તો જ મારાથી અવાય બાકી ના અવાય,પછી તો બેય માણસોએ બે હાથ જોડીને માતાજીને અરજ કરી કે "હે માં અમે તો ચિઠ્ઠી ના ચાકર છીએ, હે માંડી હાલ આજે પોલારપુર ગામમાં અને રૂડા દાદાને રજા દે ."  અને રૂડા દાદાએ ગળામાંથી માળા કાઢી અને ડોઢ લેવા જ્યાં જાય ત્યાંતો માળાના મોતીમાંથી ગેબી આવાજ આવ્યો કે" હે દિકરા રૂડીયા જગતના કોઈ વૈધો ડોકટરો કે હકીમો આ દીકરાને સાજો નથી કરી શક્યા, પણ આજે હું મેલડી આ દીકરાને સાજો કરીશ, પણ રૂડીયા તારે મને લઇ જવી હોયતો ભલે એક ઘડી કે એક-બે દિવસ થાય પણ પોલારપુર ગામના પાણીનું એક ટીપું પણ તારી જીભ ઉપર ના મુકતો તો જ હું મેલડી આવું,"

ત્યાંતો રૂડા બાપા બોલ્યા કે માંડી હું વચને બંધાવું છું, માલણપુર ના સીમાડાની બહાર હું એક પાણીનું ટીપું પણ જીભ ઉપર નહિ મુકું પછી ભલેને મારો જીવ જાય" , ત્યારે મેલડી બોલી કે "જા આ દુનિયામાં કોઈ ના કરે એવું હું મેલડી કરી દઉંને તો જાણજે હું રૂડિયા ડાઢાળા તારી મેલડી નહિ,".

પછી તો રૂડા બાપા માં મેલડીને પગે લાગી ,ખભે લોબડી નાખી બને ઘોડેસવારો સાથે પોલારપુર ગામ આવવા નીક્યાં , હવે માં મેલડીને જગતમાં પરચા પૂરીને એનો મહિમા વધારવો હશે અને ભક્તો ની લાજ રાખવી હશે એટલે માં મેલડી રમત્યું માંડે છે, બરાબર એજ સમયે આ બાજુ પોલારપુર ગામમાં જનમ દેનારી જનેતા ના ખોળામાં રહેલા એકના એક દીકરાના પ્રાણ ખોળિયા માંથી નીકળી ગયો, આખા ગામમાં માતમ છવાઈ ગયું. પછી તો ગામલોકોએ ભેગા થઈને નનામી તૈયાર કરી, અને સ્મશાને લઇ ગયા, આ બાજુ બે ઘોડેસવારો રૂડા બાપાને લઈને પોલારપુરના ઝાંપે આવે છે, ઘોડેસવારોએ રૂડા બાપાને ઝાંપે ઉતાર્યા, ત્યાં ઝાંપામાં ઓટલે બેઠેલા એક વડીલે કહ્યું કે ભુવા લાગો છો, ક્યાંથી આવો છો ,અને ક્યાં જવું છે, ત્યારે રૂડા બાપા બોલ્યા કે હું માલણપુરથી આવું છું, ત્યાં વડીલે કહ્યું કે પેલો રૂડિયો ડાઢાળો માં મેલડીનો ભગત છે એ તમેજ?, હા હું પોતેજ, મારુ નામ રૂડિયો છે, તો તો બાપા તમારે અને તમારી મેલડીને આવવામાં  મોડું થઇ ગયું, હાલજ પેલા દીકરાને સ્મશાને લઇ ગયા,   ત્યાંતો રૂડીયા બાપાની નીચેથી જમીન સરકી ગઈ અને આંખો બંધ કરીને આકાશ તરફ નજર કરી અને કહ્યું કે અત્યાર સુધી મને પાવર હતો કે દુનિયા છેતરે પણ મારી મેલડી ના છેતરે, હે માંડી તારે આવુજ કરવું હતું તો મને દોઢ શું કામ આપ્યો, ત્યાંતો આકાશમાંથી ગેબી અવાજ આવ્યો કે "હે મારા રૂડિયા તું પોલારપુર ગામના સ્મશાને પેલા દીકરાને અગ્નિદાહ આપે એ પહેલા પહોંચી જા" પછી તો રુડીયો ડાઢાળો પેલા વડીલને લઈને સ્મશાન તરફ ઉતાવળા પગલે જાય છે, જેના પગલે પગલે માં મેલડી અને શ્વાસે શ્વાસે માં મેલડીનું રટણ ચાલુ છે, સ્મશાનમાં જ્યાં પહોંચ્યા અને જોયું તો લાકડાની ચિતા ,એની ઉપર દીકરાનું શબ મૂકેલું અને અગ્નિદાહ દેવાની તૈયારી , ગામના લોકોએ આ વડીલને પૂછ્યું કે હે કાકા તમે કોને લઈને આવ્યા, વડીલ બોલ્યા કે બે ઘોડેસવારો માલણપુર ગામમાં મેલડીમાંના ભુવાને લેવા ગયા હતા એ રુડીયો ડાઢાળો માં લેડીનો ઉપાસક છે, ત્યારે ગામના લોકોએ બે હાથ જોડીને કહ્યું કે તમને અને તમારી મેલડીને નમસ્કાર કરીએ છીએ, તમે આવ્યા તો ભલે આવ્યા, હવે તો જે થવાનું હતું એ થઇ ગયું ,એ દિવસે રૂડીયા ડાઢાળાએ માં મેલડીને ટકોર કર્યો કે હે માં મેલડી જો જોઈએ તો મારો પ્રાણ લઇ લે પણ આ દીકરાને સજીવન કર, ત્યાંતો મેલડી એ આવીને કહ્યું કે તારી કામણી ને ખોલીને માથે ઓઢી લે અને મને માં મેલડીને ત્રણ વાર હાદ કર, આવજે માં મેલડી ,આવજે માં મેલડી ,આવજે માં મેલડી, અને તારા અંગની અંદર હું મેલડી આવું ,અને અહીંથી ગળગળતી દોટ મૂક અને લાકડાની ચિતા  ઉપર જ્યાં દીકરાને સુવડાવ્યો છે એના જમણા પગના અંગુઠે બટકું ભર ,અને ભટકું ભરતાજ મરેલા મડદાને સજીવન ના કરું તો રૂડીયા તારી મેલડી નહિ , પછી તો માં મેલડીનો હુકમ છૂટ્યો અને રૂડીયા ડાઢાળાએ માથે લોબડી ઓઢીને તું આવજે માં મેલડી ,આવજે માં મેલડી એમ હાદ કર્યો ત્યાંતો સોળે કળાએ માં મેલડી રૂડીયા ડાઢાળાના કોઠે ખમ્મા ખમ્મા કરતી ધુણવા આવી, ત્યાં ગામલોકોએ કહ્યું કે  આ ભુવો ગાંડો થઇ ગ્યો લાગે છે, એતો ગાંડો પણ એની મેલડી પણ ગાંડી થઇ ગઈ લાગે છે, ગામનાએ જ્યાં આટલો ટકોર કર્યો અને ગળગળતી દોટ મૂકીને ચિતા ઉપર સુવડાયેલા દીકરાના જમણા પગ ના અંગુઠે બટકું ભર્યું ત્યાંતો લાકડાની ચિતા ઉપર સુવડાયેલું મડદું ઉભું થયું, પછીતો દીકરો ઉભો થઈને રૂડા બાપાને પગે લાગવા જાય, ત્યાંતો રૂડા બાપા બોલ્યા કે મને નહિ પણ માલણપુર માં બેઠેલી મેલડી ના મઢે આવજે ,અને તને પછી જો નાહકોરી પણ ફૂટવા દે તો મારા રુદિયા ડાઢાળાની મેલડી નહિ, પછી તો ગામલોકોએ ભેગા થઈને રૂડાબાપાનું અને દીકરાનું વાજતે ગાજતે  સામૈયું કરીને ગામમાં લાવ્યા, એ સમયે ગામના મુખીએ રાણીછાપનો સોનાનો સવા રૂપિયો રૂડા બાપાને ધર્યો ,ત્યાંતો રૂડા બાપા બોલ્યા કે રૂપિયો તો શું ,તમારા ગામના પાણીનું એક ટીપું પણ મને ના ખપે,મેં મેલડીને વચન આપેલું છે, પછી એ વિધવા બાઈને દીકરો આપ્યો અને પગપાળા ચાલતા રૂડા બાપા માલણપુર ગામ આવી ગયા,

 

ગુરુવાર, 20 ઑક્ટોબર, 2022

સિંહ કેવી રીતે બન્યો માંદુર્ગા નું વાહન, માં દુર્ગા અને સિંહ ની રોચક વાર્તા

 સિંહ કેવી રીતે બન્યો માંદુર્ગા નું વાહન,

માં દુર્ગા અને સિંહ ની રોચક વાર્તા 

નમસ્કાર મિત્રો , 

માં દુર્ગા  તેજ, શક્તિ અને સામર્થ્ય નું પ્રતીક છે, અને જંગલ નો રાજા સિંહ એમની સવારી છે, સિંહ આક્રમકતા અને શૌર્ય નું પ્રતીક છે, આ ત્રણેય વિષેશતાઓ માં દુર્ગાના આચરણમાં પણ જોવા મળે છે, સિંહની ગર્જના માં દુર્ગણોજ અવાજ માનવામાં આવે છે , સિંહ ની ગર્જના ની સામે સંસારના બધા અવાજો નબળા લાગે છે, તો ચાલો  જાણીયે કે કેમ સિંહ માં દુર્ગા નું વાહન છે, અને એની પાછળ શું કથા રહેલી છે, 

પૌરાણિક કથા પ્રમાણે એક વખત કૈલાશ પર્વત પર માતા પાર્વતી અને  ભગવાન શિવજી  સાથે બેઠા બેથ વાતો કરતા હતા અને મજાક કરતા હતા. મજાકમાં ને મજાકમાં ભગવાન શિવજીએ માતા પાર્વતીને કાળા કહીં દીધા. આથી માતા પાર્વતીને બહુજ ખોટું લાગ્યું અને કૈલાશ પર્વત છોડી અઘોર વનમાં તપ કરવા ચાલ્યા ગયા,માતા પાર્વતી તપસ્યામાં લિન હતા ત્યાંજ એક ખૂંખાર ભૂખ્યો સિંહ શોકારની શોધમાં ત્યાં આવી પહોંચ્યો અને માતા પાર્વતીને જોઈને ત્યાંજ ચુપચાપ બેસી ગયો, માતા પાર્વતીના પ્રભાવને કારણે એ ભૂખ્યો સિંહ પણ તપસ્યા કરી રહેલી માં પાર્વતી સાથે ત્યજવારશો સુધી બેસી રહ્યો, માતા પાર્વતિએતો જીદ પકડેલી કે જ્યાં સુધી ગોરી નહિ થાય ત્યાં સુધી ત્યાંજ બેસીને તપસ્યા કરશે, ત્યારે ભગવાન શિવજી પ્રગટ થયા અને માતા પાર્વતીને ગોરા થવાનું વરદાન આપીને જતા રહ્યા, ત્યારથી માતા પાર્વતી માં ગૌરી તરીકે ઓળખાયા ,પછી માં પાર્વતીએ નદીમાં સ્નાન કર્યું અને પછીજોયું તો એક ભૂખ્યો સિંહ એમની સામે જોઈ રહ્યો હતો, દેવી પાર્વતીએ અંતરમનથી જાણ્યું તો ખબર પડીકે આ સિંહ એમની સાથેજ વર્ષોથી તપસ્યામાં અહીંયા બેસી રહ્યો છે ,તો આ જોઈને માતા પાર્વતી સિંહ પર પ્રસન્ન થાય છે અને વરદાન સ્વરૂપે સિંહને વાહન બનાવી એની પર સવારી કરી, ત્યારથી સિંહમાં પાર્વતીનું વાહન કહેવાય છે,  અને ત્યારથી માં પાર્વતી શેરાવાલી કહેવાયા.


શનિવાર, 15 ઑક્ટોબર, 2022

લીંબજમાનો ઇતિહાસ , લેંબોચમાની પ્રગટયકથા,ચાણસ્માના દેલમાલ ગામના લીંમ્બચમાં નો ઇતિહાસ

 લીંબજમાનો ઇતિહાસ , લેંબોચમાની પ્રગટયકથા અને પરચાઓ નો  ઇતિહાસ

ચાણસ્માના દેલમાલ ગામના લીંમ્બચમાં નો ઇતિહાસ 


નમસ્કાર મિત્રો, આજે આપણે જગદંબા  લીંબજ માં ના ઇતિહાસની વાત કરીશું, હાલના પાટણ પરગણા ના ચાણસ્મા તાલુકામાં દેલમાલ ગામ આવેલું છે, આ ગામ પ્રાચીનકાળથી જ જગપ્રસિદ્ધ છે.

લોકવાયકા મુજબ કહેવાય છે કે આ ગામ બધા દેવ દેવીઓએ ભેગા થઈને બંધાવેલું હતું, સ્વયં બ્રહ્માજીએ આ ગામનું તોરણ બંધાવેલું, જે કીર્તિ તોરણ જેવું જ ભવ્ય છે, કૃષ્ણ ભગવાન હતા એ સમયની આ વાત છે, લીમ્બજપુરાણ માં જણાવ્યા પ્રમાણે એ સમયમાં આ ગામનું નામ કનકબંબા હતું, જે પાછળથી દેવમહાલ થયું અને તેમાંથી બન્યું દેલમાલ ,દેલમાલ એટલે દેવનગરી , ગામની ફરતેથી મળેલ શિલ્પ મૂર્તિઓ અને ખંડેરો ના અવશેષો તેની આજે પણ સાક્ષી પુરે છે, 

માતાજીના પ્રગટયકથાની વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના ભાઈ બલરામજીએ સાથે મળીને મામા કંસ નો નાશ કર્યો અને કંસના મલ્લોને બળદેવજીએ કુસ્તીમાં હરાવ્યા, એનાથી બલરામજીને પોતાની શક્તિ પર અભિમાન થયું , એટલે કૃષ્ણએ વિચાર કર્યો કે બલરામજીનું અભિમત તોળવું પડશે, અને ત્યાર પછી કૃષ્ણ અને બલરામજી ફરતા ફરતા દેલમાલ આવ્યા, અને દેલમાલ ગામના વડસાગર તળાવની પાળે રાત વાસો કર્યો,  

તે સમયમાં મોઢેરા ગામમાં મૂઢ બ્રાહ્મણો નો વસવાટ હતો, એમાં એક સોમેશ્વર નામનો બ્રાહ્મણ રહેતો હતો.તે મલ્લ્યુદ્ધમાં ઘણો પારંગત હતો, આ સોમેશ્વર બ્રાહ્મણ દરરોજ દેલમાલ ગામના વડસાગર તળાવમાં સ્નાન કરવા આવતો, એટલે દરરોજની જેમ તે દિવસે પણ વહેલી સવારે સોમેશ્વર વડસાગર તળાવમાં સ્નાન કરવા આવ્યો, ત્યાં તેને ભગવાન કૃષ્ણ અને બલરામજી મળ્યા , કૃષ્ણે સોમેશ્વર ને કહ્યું કે અમે બંને ભાઈઓ છીએ અને આ મારા મોટાભાઈ બલરામજી કુસ્તીમાં પારંગત છે, તેમની સાથે તમે કુસ્તી કરો, પછીતો કૃષ્ણે તેમના બળ નો લંગોટ સોમેશ્વરને આપ્યો અને કુસ્તીના અખાડામાં સોમેશ્વર અને બલરામજી વચ્ચે મલ્લ્યુદ્ધ થયું અને કૃષ્ણ ભગવાને લીલા કરી જેથી સોમેશ્વરે બલરામજીને હરાવ્યા અને બલરામજીનું અભિમાન તૂટ્યું, પછી કૃષ્ણે બલરામજીને સમજાવ્યા અને બન્ને એ પ્રસન્ન થઈને સોમેશ્વરને પોતાનો લંગોટ આપતા કહ્યું કે આ લંગોટ સાચવી રાખજો, એને પહેરીને કુસ્તી કરશો તો મલ્લવિદ્યામાં તમને કોઈ નહિ હરાવી શકે, અને કૃષ્ણએ સોમેશ્વરને દેવનગરી એવું આ દેલમાલ ગામ ભેટમાં આપ્યું, અને આ ગામમાં સહ પરિવાર સાથે વસવાટ કરવાનું કહ્યું, એટલે સોમેશ્વરે કહ્યું કે અહીંયા અમે એકલા કેવી રીતે રહીશું, એટલું સાંભળી કૃષ્ણે કહ્યું કે સામે પેલું ઝાડ છે એના થડ માં નજર તો કર, સોમેશ્વરે સામે રહેલા ઝાડના થડમાં નજર કરી તો એને એની કુળદેવી મોઢેશ્વરી માતંગી માતા દેખાઈ , પછી કૃષ્ણ બોલ્યા કે તું આ માતંગી માતાની સેવા પૂજા કરજે અને અહીંયા રહેજે, આમ સોમેશ્વર તેના કુટુંબ સાથે મોઢેરાથી પોતાનો ઉચાળો અને કુળદેવી માતંગી માતાનો દીવો સાથે લઈને દેલમાલમાં આવ્યો અને અહીંયાજ પોતાનું કુટુંબ વસાવ્યું ,કૃષ્ણ નું વરદાન મળવાથી અને મલ્લ વિદ્યા માં પારંગત હોવાથી પછીથી તેઓ જેઠી મલ્લો તરીકે જાણીતા થયા,અને ત્યારથી આ ગામનો વેરો કે વિઘોટી ભરાતો નહોતો, વર્ષો જતા ગામમાં જેઠીઓ ની વસ્તી વધી , સમય જતા એક વાર દુકાળ પડે છે અને જેઠીઓ ની મોટાભાગની વસ્તી કમાવવા માટે પરદેશ જતી રહી અને ગામ ખાલી થઇ ગયું, થોડા વર્ષો વીત્યા અને દુકાળ પૂરો થયો અને વતન યાદ આવ્યું એટલે કમાણી કરીને જેઠીઓ પાછા દેલમાલ આવ્યા, અને નવેસરથી દેલમાલ ગામ વસાવ્યું, જેથી માતંગી માતા મોઢેશ્વરી ની મૂર્તિ જમીનમાં દટાઈ ગઈ અને એની પર લીંબડો ઉગી ગયો, લોકો ભૂલી ગયેલા કે જમીન માં મૂર્તિ છે, પછી તો જે લીંબડો ઉગેલો એની લોકો પૂજા કરતા,  હવે માતાજીને લીંબડાના થડમાંથી બહાર આવવું હશે અને જગતમાં પરચાઓ પૂરીને મહિમા વધારવો હશે એટલે માતાજીએ સમય જતા દેવનગરી એવા દેલમાલ ની ભૂમિ પર રમત્યું માંડી,

ધીરે ધીરે સમય પસાર થયો અને ભારતવર્ષમાં મુગલ સામ્રાજ્ય છવાયું, , અને બરાબર દિલ્લી માં એ વખતે અકબર બાદશાહ નું રાજ ચાલતું હતું, એમનો કાયદો એવો હતો કે ભારતવર્ષ માંથી દર વર્ષે ગામે ગામથી ખંડણી ભરવાની , એના માટે દરેક ગામમાં અકબર બાદશાહે એના માણસો મુકેલા ,તેઓ ગામમાંથી ખંડણી ઉઘરાવીને દિલ્લી મોકલતા અને અકબર બાદશાહ દિલ્લીમાં બેઠો બેઠો આ બધાનો હિસાબ રાખતો , અકબરને ખબર પડી કે આ પાટણ પરગણા ના દેલમાલ ગામની વિઘોટી નથી આવી, એટલે અકબર બાદશાહ સિપાઈઓને લઈને આ દેલમાલ ગામ પહોંચ્યો, અને આદેશ આપ્યો કે જે કોઈ વેરો કે વિઘોટી ના ભરે એમને પકડી પકડી ને દિલ્લીની જેલમાં પુરી દેવા, આમ કહી અકબરે દેલમાલમાં તંબુ તાણ્યાં , એ વખતે ગામમાં અમથારામ ગંગારામ કરીને જેઠી મુખી હતા, તેઓ અકબર ને મળ્યા અને કહ્યું કે અમે જેઠી મલ્લ છીએ ,આ જમીન અમારા બાપદાદાઓને ભેટમાં મળેલી છે, એટલે અમે આનો વેરો કે વિઘોટી નહિ ભરીએ, આ સાંભળી અકબર બોલ્યો કે તમે કુસ્તીમા એટલાજ પારંગત હોવ તો મારા એકલમલ્લ ને હરાવી દો તો હું માનું કે તમે સાચા જેઠી મલ્લ છો.

 પછી તો મુખીએ આખુંય ગામ ભેગું કર્યું અને કહ્યું કે બાદશાહ અકબરનો એકલમલ્લ કોણ જાણે કેવો હશે ,આપણા પૂર્વજો મલ્લ્યુદ્ધ માંઘણા પારંગત હતા, પરંતુ આજે કોઈ એવો માથાભારે પહેલવાન ગામમાં રહ્યો નથી ,કોણ લડશે આ એકલમલ્લ પહેલવાન સામે, આ સાંભળી સભામાંથી એક લખમણ જેઠી ઉભો થયો અને કહ્યું કે મુખી તમે ચિંતા ના કરશો, હું કુસ્તી કરીશ અકબરના એકલમલ્લ સાથે ,મોઢેશ્વરી માતંગી માતા આપણી કુળદેવી છે, એમની પર વિશ્વાસ રાખો , ભગવાન કૃષ્ણ પર વિશ્વાસ રાખો, કૃષ્ણ ભગવાને આપણા બાપદાદાને એમના બળ નો લંગોટ આપેલો છે એ લંગોટપહેરીને હું કુસ્તી કરીશ, આમ લખમણ જેઠી કુસ્તી કરવા માટે તૈયાર થાય છે, બીજે દિવસે સવારે લખમણ જેઠી તૈયાર થઈને માતંગી માતા ને અરજ કરતા કહે છે કે "હે જેઠીઓ ની કુળદેવી મોઢેશ્વરી માં ,મારી લખાની લાજ રાખજે ,તારા જેઠીઓ ની લાજ રાખજે માંડી ," આટલું કહી લખમણ જેઠી કૃષ્ણના બળનો લંગોટ પહેરી ને અખાડા માં ઉતાર્યો, અને અક્કલમલ સાથે કુસ્તી શરુ કરી, અને લખા જેઠીએ અક્કલમલ્લને હરાવી દીધો, આ જોઈ અકબર બોલ્યો કે અક્કલમલ્લને ભલે હરાવ્યો અમારા દિલીના હાથીને હરાવે તો હું જાણું કે તમે સાચા જેઠી , પછી તો લખમણ જેઠી માતંગી માતાને યાદ કરીને અકબરના હાથી સામે લડાઈ કરે છે, એમાં પણ હાથી લખમણ  જેઠી ને હરાવી નથી શકતો , અકબર હજુ પણ માનતો નથી, એટલે ગામના અમુક લોકો અકબર પાસે ગયા અને કહ્યું કે અમારા બાપ દાદાને ભગવાન કૃષ્ણે એમના બળ નો લંગોટ આપેલો અને વરદાન આપેલું કે લડાઈ માં દેલમાલના જેઠીઓને કોઈ હરાવી નહિ શકશે , અમારા કુળદેવી મોઢેશ્વરી માતા અમારી સાથે છે,  એટલે તમે ખોટી મહેનત ના કરશો,

આ સાંભળી અકબર બોલ્યો કે તમારી મોઢેશ્વરી માતા ક્યાં છે, એટલે કહ્યું કે પેલો લીંબડો છે એમાં અમારી માતંગી માતા છે, અકબરે કહ્યું કે તો કાલે સવારે લીંબડો ઉખેડીને તમારી મોઢેશ્વરી માતા બતાવો, હું એમને પગે લાગીને જતો રહીશ અને આ દેલમાલ ગામની વેરો વિઘોટી માફ કરી દઈશ, પછીતો તાંબાના પત્ર પર કરાર થયો કે અકબર જે બોલ્યો તે પ્રમાણે જોગવાઈ કરશે, 

રાત્રે માતંગી મોઢેશ્વરી માતા લખમણ જેઠી ના સપને આવ્યા અને કહ્યું કે દીકરા લખા હું તારા બાપદાદા ની દેવી માતા મોઢેશ્વરી બોલું છું, કાલે સવારે લીંબડાને બાથ ભરીને ઉખાડી દેજે ,અને પછી ત્યાંથી તું જતો રહેજે અને જતા જતા પાછળ વળીને લમણો ના વારતો,"

બીજે દિવસે સવારે લખમણ જેઠી લીંબડા પાસે ગયો અને માતાજીને સમરીને લીંબડાને બાથ ભીડી, અડીખમ લીંબડાને ઉખાડવા માટે માતાજી લખમણને શક્તિ આપે છે જેથી લખા ની આખો લાલચોળ થઇ ગયેલી , લખાએ લીંબડો ઉખાડી દીધો અને અંદરથી સવા પાંચ ફૂટ ની આરસની માતાજીની મૂર્તિ નીકળી , લીંબડો ઉખાડીને માતા નીકળ્યા એટલે લીમ્બજ કહેવાયા, લોકો લેમ્બોચ માં તરીકે પણ જાણે છે,  લખમણ જેથી થોડો આગળ ગયો અને પાછળ શું થયું એ જોવા લમણો વાર્યો ત્યાંતો લખમણ જેઠી બળીને ખાખ થઇ ગયો, અકબર આ બધું જોઈને સ્તબ્ધ થઇ ગયો અને કરાર મુજબ દેલમાલ ની જમીન ને ખંડણી મુક્ત કરી, 

અને કહેવાય છે કે અહિયાંથીજ બીજા બધાજ લીમ્બજમાના દેવસ્થાને માતાજી ગયેલા અને પરચા પૂરીને અમર બેસણા કરેલા. તો આ હતી માં લીંબજ માં ની પ્રાગટ્ય કથા, માં લીંબજ સૌ ભક્તો ની મનોકામના પૂર્ણ કરે,

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...