શુક્રવાર, 17 ડિસેમ્બર, 2021

ઓડ નાં ટેકરા ની મા મેલડી નો ઈતિહાસ (ઓડ ના ટીંબા ની મેલડી),oad na tekra ni meldi no itihas ,baherampura ni meldi

Oad na tekra vadi maa meldi no itihash

ઓડ નાં ટેકરા ની મા મેલડી નો ઈતિહાસ (ઓડ ના ટીંબા ની મેલડી)

નમસ્કાર મિત્રો આજે આપણે ઓડ ના મેલડી માં નો ઇતિહાસ જાણીશું.

આશરે ૨૦૦ વર્ષ પહેલાંની આ વાત છે. અમદાવાદ થી પંદરેક કિલોમીટર દૂર એક ઊંચો ટીંબો(ટેકરો) આવેલો છે. કહેવાય છે કે આ ટીંબા પાસે પાંત્રીસેક ઓડ રોકાણ હતા અને તેમને ત્યાં તેમના બાપ દાદા ના દેવી માં મેલડી માને બેસાડ્યા હતા. આ ઓડ ના ટીંબા પરથી જ આ ગામ નું નામ ઓડ રાખવામાં આવ્યુ, આ ગામ અમદાવાદ જિલ્લા ના દસક્રોઈ તાલુકા માં આવેલું છે, જે અમદાવાદ નાં કમોદ રીંગ રોડ સર્કલ થી પાંચેક km દૂર આવેલું છે. હાલમાં જે સચાણા ગામ છે તે ગામ ના દાદુભા વાઘેલા ની જે મેલડી છે એજ ઓડ ના તળાવ ની મેલડી છે. આ તળાવ ઓડે જ ખોદયું હતું. આ તળાવ ને કાંઠે માં મેલડી ના મંડાણ છે.

એમાં એક વખત ની વાત છે.અમદાવાદ ની બજાર માણેકચોક માં એક વાઘા નામનો કંસારો રહેતો હતો અને તેની ત્યાં દુકાન હતી, તે તાંબા પીત્તળ ના વાસણો વહેંચે. પથ્થર એટલા પીર કર્યા છતા પણ તેમને કોઈ સંતાન હતું નહીં. ઘણી માનતાઓ રાખી હોવા છતા એમને કોઈ સંતાન ન થયું. એક દિવસ એક અજાણ્યા ગાડાં વાળાએ એને કહ્યું કે ભલા માણસ આ શહેર ની બહાર ૧૫-૨૦ કિલોમીટર દુર એક ટીંબો છે.ત્યાં ઓડ ની માતા મેલડી બેઠી છે. ત્યાં તમે એક વાર જઈ એનો દીવો તમે એકવાર જોઈ લ્યો અને એની માનતા માનો. અને જો ઓડ ની મેલડી દીકરો ના આપે તો બાપ મેલડી તેનો ધર્મ હારી જાય. 

આ ગાડાં વાળા ના કહેવાથી બીજે દિવસે રવિવાર હતો એટલે વાઘલા કંસારા એ તેની પત્ની ને કહ્યું કે આપણી ૫૦ વર્ષ ની ઉંમર થઈ ગઈ છતા કોઈ સંતાન નથી. કોઈકની દેવીએ આપણને ટહુકો કર્યો છે, હુકમ થયો છે.

એક ગામડા ગામ ના ગાડાં વાળો મને કહી ને ગયો છે કે ઓડ ના ટેકરા વાડી માતા દીકરો દેશે, આમજો તું કહેતી હોય તો આજે રવિવાર છે, હાલને આપણે મેલડી ના ધામ માં જઈએ જો મા મેલડી આપણું સાંભળે અને આપણે ત્યાં સંતાન ની પ્રાપ્તિ થાય. આમ કહી વાઘલો કંસારો ગાડું જોડીને તેની પત્ની ને લઈને ચાલી નીકળે છે. રસ્તા માં વેપારીઓ પુછે છે કે ક્યાં જાઓ છો? તો વાઘલો કહે છે કે ઓડ ના ટીંબે મા મેલડી માં પાસે દીકરો લેવા જઉં છું. વાઘલો કંસારો ઓડ ના કબીલા માં જઈને ઊભો રહ્યો અને કહે છે કે તમારી માતા ક્યાં છે. ત્યારે ઓડ ની વસ્તી કહે છે કે અમારી માતા તો તળાવ ના કાંઠે બેઠી છે. વળી પુછે છે કે તમારા ભુવા ક્યાં છે તો કહે છે કે અમારા ભુવા તો મઢે બેઠા છે. શું કામ છે તમારે, ત્યારે વાઘલો કહે છે કે હું વેપારી છું, અમારે સવા શેર માટી ની ખોટ છે. મને તો બહાર ગામ ના કોઈ ગાડાં વાળાએ કહ્યું કે ઓડ ના ટીંબા વાળી માતા પાસે જઈ ખોળો પાથરજે, મા તમને દીકરો દેશે, એટલે આજે ૫૦ વર્ષે હું એક આશા લઈને આવ્યો છું

વાઘલો માં મેલડી ના મઢ માં જ્યાં ભુવા બેઠા હતા ત્યાં જઈને કહે છે કે જો માં મેલડી દિકરો દેતી હોય , ત્યાં તો મઢ માં ભૂવાએ હાકલ કરી, ખમ્મા ખમ્મા ,હું ઓડ ની મેલડી છું, હવે આપતા પાછી પડું તો મારો ધર્મ લજાય.

મારાં વાઘલા, તું કંસારો છો ને , હા માડી

દીકરો લેવા આવ્યો છે , તો કહે હા

તો એક કામ કર, તારી પત્નિ ને કહે કે ખોળો પાથરીને બેસી જય,

પછી કહેવાય છે કે વાઘલા ની પત્ની ખોળો પાથરી ને બેસે છે ત્યાં તો ભુવાના હાથ માંથી એક જાર નો દાણો ખોળા માં પડ્યો. 

પછી મેલડી બોલ્યા કે "મારા તળાવ માથી એક અંજલી ભરી પાણી પી લે ,પણ એ પહેલાં આ જાર નો દાણો ખાઈ લેજે, દાણો ચાવ્યા પછી પેટ માં જાય,અને પછી જો ૯૯૯ રૂંવાડા બેઠા થાયને તો માનજે કે માં મેલડી નો દીવો પેટ મા થયો છે." 

પછી વાઘલાં ની પત્નીએ તળાવ મા જઈને અંજલી લીધી ત્યા તો મેલડી ની હાકલ પડવા લાગી , ખમ્મા ખમ્મા વાઘલા, હું ઓડ ની મેલડી છું, મડદા ને પણ સજીવન કરું છું, એવી હું મેલડી છું, અરે વાઘલા એમાં પાછો પડતો નહી,    મને , દેવી ને દેતાય આવડે છે અને દેવી ને લેતાય આવડે છે, જો કોઈ ભૂવો પને પ્રેમથી જમાડે ને તો હું એનું લેણું બાકી નથી રાખતી. હે વાઘા કંસારા તું કોઈ દિવસ મારો રવિવાર કે મંગળવાર ચૂકતો નહીં. હા માડી હું નહિ ચૂકુ. નહીતો મને માડી ને દેતાય આવડે છે ને લેતાય આવડે છે. પછી મને ફટ ન કહેતો.

આમ વાઘા એ માનો માંડવો નાખ્યો.અને માં ને જમાડ્યા.

આમ કરતાં કરતાં દિવસો વીતતાં ગયાં અને મહિના વિતતા ગયા. એક મહિનો ,બે મહિના આમ થતાં થતાં નવ મહીના પુરા થયા. વાઘલો કંસારો ઓડ ના ટિંબે આવીને માં મેલડી નો દીવો કરી જાય, રવિવાર અને મંગળવાર જરાય ભૂલેજ નહી, 

બરાબર નવ મહિના ને નવ દિવસે વાઘલાં કંસારા ને ઘેર દીકરો દીધો. દેવ જેવો દિકરો જ્યારે સવા મહીના નો થાય છે, ત્યારે વાઘલાએ ગાડું જોડ્યું, વાઘલા ની પત્ની એ દીકરાને ખોળા માં લીધો છે, એની પત્નીએ કોરી નવી સાડી પહેરી છે, વાઘલાએ પણ નવા કોરા કપડા પહેર્યા છે.

સાથે માં મેલડી ની સવા શેર સુખડી બનાવી, સવા શેર નો તાવો કર્યો અને સવા શેર જાર નો ખીચડો બનાવ્યો છે. આ બધું લઈને વાઘલો કંસારો માં ને જમાડવા ઓડ ના ટિંબે જાય છે. બરાબર માં ને જમાડે છે ત્યાંજ તેની વહુએ ઓહોકારો કર્યો કે " ઓહોહો ઠેઠ અમદાવાદ ના પાદર માંથી આ ઓડ ના ટીંબા સુધી માતાજી પાસે રોજ આવવું પડે છે, હે દેવી આ રવિવાર અને મંગળવારે તું અમને અહીં સુધી બોલાવે છે ! પણ આજે હું ખોળો પાથરું છું કે આ ઓડ ના ટીંબે થી મારા કંસારા ના ઘેર આવને. તને કંસારા ની વહુ બેલાવે છે."      જ્યારે ગૂગળ ના ધૂપ થયા અને તાવો થયો ત્યાં તો ભૂવાએ હાકલ કરી - ખમ્મા ખમ્મા મારા વાઘલા, મે તને દીકરો દીધો એટલે મે તને આંગળી આપી ત્યાં તો તે મારો બોચો પકડ્યો છે. તે મારો મઢ માંગ્યો. વાઘલો કહે છે કે મે કંઈ નથી કીધું. તો પૂછ તારી વહુ ને. વાઘલા એ તેની વહુ કે પૂછ્યું શું છે આ બધું? તેની વહુ કહે છે કે મેં ખોળા માં છોકરો રમાડતા રમાડતા  એક ઓશિયાળું આંસુડું પાડી ને માં મેલડી ને ઠપકો આપ્યો - "માડી અમારે અહીંયા સુધી આવવું પડે છે , અમને જે બટકું રોટલો મડશે એમાંથી અમે તમને જમાડીશું, હાલો માં અમારા કંસારા ની દુકાન માં બેશો . " આમ માં ને મેં ટકોર કરી હતી. મેલડી માં એ કહ્યું કે સાંભળ્યું મારા વાઘલા . તો વાઘલો કહે છે હશે માડી માફ કરી દે.

ના ના મારા વાઘલા  તારી વહુએ અશિયાળુ આંસુડું પાડ્યું ને એટલે જ હું મેલડી તૈયાર છું. મારો ઓડ નો ટિંબો મને વ્હાલો છે. પણ ખોળા ની અંદર એક કોડિયું મારા નામનું , મારો ચકલો ચંદરવો અને મારો એક તાવો આટલું લઇ એક સુંડલા ની અંદર મુકી સુંડલો ગાડાં માં મૂકીને લઇ જાઓ તમારા કંસારા ની દુકાન માં. હું આવીને મંડાણ માંડીશ. પણ જોજે વાઘલા, મારી એક શરત છે, બોલ માડી બોલ , 

આમ માતા મેલડીએ વાઘલા કંસારાને કીધું "મે તને જે કરંડિયો દીધો છે ને તે સુંડલા ને તું ક્યાંય નીચે મુકતો નહિ. આ સુંડલો તું  જે જગ્યાએ નીચે મુકીશ હું એ જ જ્ગ્યાયે બેસી જઈશ. પછી તું માનજે કે હું તારી દુકાન સુધી નહિ આવી શકું. આ હું ઓડ ની મેલડી બોલું છું, સંભાળ બાપ, મને મેલડી ને ઓળખી લેજે હો . જો લઇ જઈશ તો 52 પેઢી સુધી તારું નામ કરી દઈશ અને જો અંતરિયાળ રહી જઈશ તો જિંદગી આખી ભીખ માંગીશ ને તોય તારી પાસે નહીંજ આવું. જો તારા માં મને લઇ જવાની ત્રેવડ હોય, અને જો તું લઈ ગયો તો માનજે 52 પેઢી તારી યાદ કરશે.પણ મારા શબ્દ ને તું ઓળખજે હો, ક્યાંક મને મૂકી દીધીને તો તો પછી તારી પેઢી મથી મથી થાકશે તો પણ મારુ મંડાણ ખોટું નહિ પડે. જ્યાં બેઠીને ત્યાંજ હું સાચી. વાઘલા કંસારાએ કહ્યું ના મુકું માં હું તમને ક્યાંય નીચે નહિ મુકું. તો કહે હવે બેસ ગાડાં માં અને મૂક તારા ખોળા માં તાવો. અને હું તારી સાથે જ છું. તારા ખોળા માં જ બેઠી છું એમ માનજે. આમ ગાડું તો હાલતું થયું.

 વૈશાખ નો ધોમ ધખતો તડકો છે, અને બરાબર હાલની તારીખ માં જ્યાં માતાજી નું મંદિર છે ત્યાં લીંબડો અને બાજુ માં વડલો  છે. અને તેની બાજુ માં જ એક બોરડી નું ઝાડ છે. અને ફરતે લીલા ઝાડવાંઓ નો પાર નથી. તડકો ખુબજ લાગવાથી  છોકરો જોરજોરથી રડે છે. કંસારા ની વહુ ના ખોળા માં સવા મહિનાનો છોકરો કજીએ ચડ્યો છે અને છાનો રહેતો જ નથી. કંસારા ની વહુ એ કહ્યું કે અહીંયા ઘડીક ઉભા રહોને ,ઘણા ઝાડવા છે તો બળદો ને પણ થોડો વિસામો થાય અને છાંયડા માં થોડી ટાઢક થાય તો છોકરોય છાનો રહી જાય. ટોપલા માં થોડી સુખડી પડી છે તો આપણે તે ખાઈ ને , થોડું પાણી પીને પછી આગળ જઈએ. વાઘલો  કહે છે કે કઈ વાંધો નહિ . 

આમ કહી ગાડાંવાળા એ ગાડાંમાંથી બળદ છોડ્યા અને વાઘલા ની વહુ ત્યાં ઝાડ નીચે છોકરા ને ઘવડાવવા બેઠી , છતાં પણ છોકરો છાનો રહેતો નથી અને છોકરા એ રડવાનું ચાલુ જ રાખ્યું. હજુ પણ ટોપલો તો કંસારા ના ખોળામાં જ હતો. હવે માં મેલડી ભાન ભુલાવે છે. છોકરો રોતો હતો. શેઠાણી હવે છાનું રાખવાનું મથી મથી ને થાકી ગઈ છે પણ છોકરો છાનો રહેતોજ નથી. કંસારો હવે ભાન ભૂલ્યો, કારણ કે એને માતા કરતા છોકરા માં માયા લાગી. અને તરતજ તાવો નીચે મૂકીને તેડી લીધોને ત્યાંજ કહેવાય છે કે મેલડી માં બોરડી ના ઝાડ નીચે નાગણી સ્વરૂપે પ્રગટ થઈને બેસી ગયા. તરત જ વાઘલા ની આંખ ઉઘડી ગઈ, તરત જ માં મેલડી ના શબ્દો યાદ આવ્યા. ત્યાં તો માતા બોલ્યા "વાઘલા, હવે ચાલ્યો જા,મને તે સામેથી બોલાવી ને અહીંયા અંતરિયાળ જ મૂકી દીધી , હું મારી ઓળ ની વસ્તી ને નોધારી મૂકી ને આવી હતી. હવે તારે ને મારે છેટું પડી ગયું છે. અને તારે આવવું હોય તો અહીંયા આવજે, હું અહીજ બેઠી છું, અહીંથી ક્યાંય દુર નહિ જાઉં. માણેકચોક છેટું પડી ગયું છે. અહીંયા મારુ ત્રણ ઈંટ નું દેરું બાંધી ને દીવો કર." અને જતા જતા કહેવાય છે કે ત્યાં માં નું મંડાણ થયું.

 સરકાર બદલાણી અને સમય બદલાયો, ગામ બહેરામપુરા ને ત્યાં હાલની તારીખ માં પણ એક વડની મેલડી બેઠી છે. ભેગી લાલબાઈ ને ફુલબાઈ પણ બેઠી છે. એ હોંકારો કરીને કહેતી હોય કે આ વાઘલા જેવા કોઈ દુખિયારા જો મારા બહેરામપુરા ના ચોક માં આવે ને એમના દૂખ ભાગીને ભુકાના કરું ને તો તો મારી મેલડી નું મંડાણ મટી જાય. કદાચ કોઈને કશુંક શંકટ પડેને તો બહેરામપુરા ના ચોક ની મેલડી ને યાદ કરજો. મેલડી માં તેના ભક્તો ને આપતા પાછી નહિ પડે. માં મેલડી સૌ ભક્તો ની મનોકાના પુરી કરે છે 


આવા ઇતિહાસ જોવા અમારી યૂટ્યૂબ ચૅનલ

 A ONE GUJARATI 

 પર વિઝિટ કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...