marida dham na meldi maa no itihas
મરીડા ગામ ના મેલડી માં ના મંદિર નો ઈતિહાસ
નમસ્કાર દોસ્તો
આપણું ગુજરાત એટલે ભક્તિ આસ્થા અને શ્રદ્ધા નું સ્થાન. જ્યારે પણ કોઈ વ્યક્તિ પર આપત્તિ આવી પડે, દુઃખ આવી પડે ત્યારે તેઓ પોતાના આરાધ્યદેવ તેમજ માતાજીની માનતા માનતા હોય છે. કોઈ શ્રીફળ વધેરવાની, પેંડા કે ચોખા ચડાવવાની, કંકુ અબીલ કે ધજા ની બાધા, કોઈ નકોડા ઉપવાસ ની, કોઈ ચાલીને જવાની, તો કોઈ લોકો એકાદ વસ્તુ નહીં ખાવાની માનતા માને છે. પરંતુ ગુજરાતમાં એક જગ્યાએ એવું મંદિર આવેલું છે, જ્યાં કોઈ લોકો વસ્તુ નહીં પરંતુ કચરા-પોતા કરવાની માનતા માને છે. આ મંદિરમાં જ્યારે પણ કોઈ ભક્તની માનતા પૂરી થાય ત્યારે તેઓ આ મંદિરમાં આવે છે, અને મંદિરના કચરા-પોતા કરે છે. તો આજની વાર્તા માં તમને એ મંદિરના રોચક ઇતિહાસ વિશે જણાવીશું.
આ મંદિર છે ખેડા જિલ્લા ના નડિયાદ થી લગભગ સાતેક km નાં અંતરે આવેલા મરિડા ગામનાં રાજરાજેશ્વરી મેલડી માં નું.
આમાં બિરાજેલા મેલડી માં ના દર્શન કરવા હજારો ની સંખ્યા માં શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે. અને હા આ મંદિર પૌરાણિક કે કોઈ ખાસ ઇતિહાસ ના ધરાવતું હોવા છતાં પણ અહીંયા ભક્તો ની ભીડ જામે છે, માં મેલડી માં ના દર્શન કરીને લોકો ધન્ય થાય છે. કહેવાય છે કે માતાજી ના દર્શન માત્ર થીજ બધી તકલીફો દૂર થઈ જાય છે.
આ મંદિર બનાવવા પાછળ એક રહસ્ય છુપાયેલું છે. કહેવાય છે કે મરીડા માં રાજભા નામના એક વ્યક્તિ ને વિચાર આવ્યો કે ગામ માં મેલડી માં નું મંદીર તો હોવુજ જોઈએ. તેમણે પોતાની ઇચ્છા ગામલોકો ને કહી,તો ગામનાં લોકો એ પણ આ ઈચ્છા ને વધાવી લીધી કે વાત સાચી છે, આપણે આ ગામ માં મેલડી માતાજી નું એક મંદિર બનાવવું જોઈએ. ગામનાં લોકોએ જગ્યા પણ નક્કી કરી લીધી, પણ સવાલ એ હતો કે માતાજી ની પ્રતિમા ક્યાંથી લેવી,શું બનાવડાવી કે પછી કોઈ જગ્યાએ થી તૈયાર લેવી!
પરંતુ થયું એવું ગામના લોકોને જ એવો સંકેત મળ્યા કે માતાજીની મૂર્તિ રાજસ્થાન ના જયપુરમાં એક સ્થાને પડેલી છે તે જ મુર્તિની સ્થાપના તમે આ મંદિરમાં કરજો
પછી માતાજીએ જ્યારે આવા સંકેતો આપ્યા ત્યારે ગામના કેટલાક લોકો જયપુર ગયા અને માતાજીએ જે જગ્યા સુચવી હતી ત્યાં જ ગયા તો સાચે જ તે જગ્યાએ માતાજીની મૂર્તિ હતી, જેના પર એક કપડું ઢાંક્યું હતું. એ કપડાં નીચે જ આ મૂર્તિ હતી. જે પ્રમાણે માતાજીએ સંકેતો આપ્યા હતા e પ્રમાણે મૂર્તિ મળતા ભક્તો પણ સમજી ગયા કે આ માતાજીની આજ્ઞા છે જેથી આ જ મુર્તિની સ્થાપના આપણે આપણા મરીડા ગામ ના મંદિરમાં કરીશું. જેમ જેમ લોકોને માતાજીના આ ચમત્કાર ની વાત ખબર પડતી ગઈ તેમ તેમ લોકો મરીડા ગામ માં આવવા લાગ્યાં.આખરે ૨૦૦૩ માં આ મંદિર માં માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, અને આ મૂર્તિ ની સ્થાપનાં રંગે ચંગે કરવામાં આવી.
અહિયાં આ મંદિર બનાતાજ દૂર દૂર થી ભાવિકો આવવા લાગ્યાં અને ધીમે ધીમે માતાજી ના ચમત્કાર થી લોકો ને માતાજી પર શ્રદ્ધા પણ બેસવા લાગી. હવે થયું એવું કે ઘણા લોકો માનતા પૂરી થયા બાદ અહીંયા આવતા હતા, અને તેઓ મંદિર ની સાફ સફાઈ કરવા લાગ્યા હતા. સ્ત્રી હોય કે પુરુષ, આ મંદિર માં આવતા દરેક લોકો મંદિર ની સાફ સફાઈ કરતાં હતાં, પોતા કરતા હતા, કચરો સાફ કરતા હતા. ધીરે ધીરે આ પ્રથા પડતી ગઈ અને પછી થયું એવું કે લોકો મંદિર મા એવી માનતા માનવા લાગ્યા કે જો તેમની માનતા પૂરી થશે તો તેઓ આ મંદિર માં આવીને કચરા પોતા કરશે. ધીરે ધીરે લોકો ની માનતા પૂરી થવા લાગી, અનેક માન્યતા બંધાઈ ગઈ કે જો કોઈ વ્યક્તિ ની માનતા પૂરી થાય તો તેઓ આ મરીડા ધામ માં આવીને કચરા પોતા કરે .
આજે પણ જો તમે આ નડિયાદ ની બાજુમાં આવેલા મરીડા ગામ ના રાજરાજેશ્વરી શ્રી મેલડી માતાજી ના મંદિરે જશો તો કોઈ ને કોઈ ભક્ત તમને કચરા પોતા કરતો જરૂર જોવા મળશે.
તો આ હતી વાત મરીડા ગામ ના રાજરાજેશ્વરી મેલડી માં ની .
આવા ઇતિહાસ જોવા અમારી યૂટ્યૂબ ચૅનલ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો