રવિવાર, 4 સપ્ટેમ્બર, 2022

ગદાધારી ભીમમાં કેમ હતું 10 હજાર હાથીઓનું બળ? gadadhari bhim ma kem hatu 10000 hathi jetlu bal?

ગદાધારી ભીમમાં કેમ હતું 10 હજાર હાથીઓનું બળ? 

gadadhari bhim ma kem hatu 10000 hathi jetlu bal? 

 

નમસ્કાર મિત્રો, આજે આપણે મહાભારત કાળના બાળવાન એવા ગદાધારી ભીમ ના બળ વિશે જાણીશું, શું તમે જાણો કે આ ગદાધારી ભીમમાં 10 હાજર જેટલા હાથીઓનું  બળ કેવી રીતે આવ્યું?

મિત્રો હસ્તિનાપુર નરેશ એવા પાંડુરાજાને પાંચ પુત્રો હતા જેને પાંડવ કહેવાતા હતા, આ પાંચેય પાંડવ ભાઈ ધર્મ અનુસાર તો પાંડુરાજાના જ પુત્રો હતા પરંતુ આ બધાય ભાઈઓ અલગ અલગ દેવતાઓના સંતાન હતા, જેમાં યુધિષ્ઠિર ભગવાન ધર્મરાજા ના પુત્ર હતા, અર્જુન દેવરાજ ઇન્દ્ર ના પુત્ર હતા, નકુલ સહદેવના અશ્વિનીકુમાર ના સંતાન હતા, અને ભીમ ભગવાન વાયુદેવના પુત્ર હતા,

મિત્રો ભીમ ના બળ વિશેની જાણ તો તેમના બાળપણથીજ થઇ ગયેલી, જયારે ભીમ 2-3 મહિનાના હતા ત્યારે તેમની માતા દેવી કુંતી તેમને ખોળામાં લઈને પાંડુરાજા સાથે કુટિરની બહાર બેઠા હતા,  એવામાં અચાનકજ ત્યાં એક ભયાનક વાઘ આવી ગયો, દેવી કુંતી વાઘને જોઈને ગભરાઈ ગઈ અને ભાગવા લાગી, અને ઉતાવળને કારણે ખોળામાં રહેલો ભીમ નીચે એક મોટા પથ્થર પર પડ્યા, અને પડતાની સાથેજ મોટા પથ્થરના નાના નાના ટુકડા થઇ ગયા અને ભીમને કાંઈ જ વાગ્યું નહિ,અને આ જોઈને દેવી કુંતી અને પાંડુરાજા અચરજ પામી ગયેલા, 

પાંડુરાજાના અવસાન બાદ દેવી કુંતી પાંચેય પાંડવોને લઈને હસ્તિનાપુર જાય છે, અને ત્યાં રમત રમતમાં ભીમ બધાય કૌરવ સાથે ખુબ મારપીટ કરતા અને એકેય કૌરવ આ ભીમનો સામનો ના કરી શકતા, એટલે બધાય કૌરવો કંટાળી ગયા અને દુર્યોધને એક દિવસ છુપાઈને ભીમના ભોજનમાં ઝેર નાખી દીધેલું, ઝેર વાળું ભોજન ખાવાથી ભીમ મુર્શિત થઇ ગયા અને દુર્યોધને ભીમને બાંધીને ગંગા નદીમાં નાખી દીધો, 

ભીમ બેભાન અવસ્થામાંજ નીચે નાગલોક પહોંચી ગયો અને ત્યાંના સાંપો ભીમને મારી નાખવા માટે ડંખ મારવા લાગ્યા, સાંપો ના દાખથી ભીમમાં શરીરમાં રહેલા ઝેરની અસર ખતમ થઇ ગઈ અને ભીમ હોશમાં આવ્યા, અને ચારેય બાજુ જોઈને બધા સાંપો ને મારવા લાગ્યો, સાંપો ગભરાઈને ભાગી ગયા અને જઈને બધી વાત નાગરાજ વાસુકિને કરી , પછી નાગરાજ વાસુકી તેમના સાથીઓ સાથે ભીમ પાસે આવ્યા, નાગરાજ વાસુકીનો એક આર્યક નામનો સાથી ભીમને ઓળખી ગયો, કેમકે આર્યક નાગ એ ભીમ ના નાના નો નાના હતો,એટલે આર્યકે નાગરાજને રોક્યા અને તેમની વિનંતીથી ભીમને નાગલોકના એ કુંડ નો રસ પીવડાવ્યો જે પીવાથી 10 હાજર હાથી જેટલું બળ પ્રાપ્ત થતું હતું, આ રીતેજ મહાબલી ભીમને 10 હાજર હાથી જેટલું બળ મળી ગયેલું,

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...