અમરનાથ મહાદેવ નો સંપૂર્ણ ઇતિહાસ
નમસ્કાર મિત્રો, આજે અપને ભગવાન અમરનાથ મહાદેવના ઇતિહાસ વિષે વાત કરીશું, અમરનાથ એ હિન્દુઓનું એક મહત્વ નું તીર્થધામ છે.અમરનાથ ગુફા ભગવાન શિવના પ્રમુખ ધાર્મિક સ્થળોમાનું એક છે. અમરનાથને તીર્થોનું તીર્થ કહે છે, કેમકે અહીં જ ભગવાન શિવે માં પાર્વતીને અમરત્વનું રહસ્ય સમજાવ્યું હતુ.
પુરાણોમાં જણાવ્યા અનુસાર એક વાર માતા પાર્વતીએ ભગવાન શિવ ને આશ્ર્ચર્ય સાથે સવાલ કર્યો કે" હે પ્રભુ, આવું કેમ ?, તમે અજર અમર છો, અને મારે દરેક જન્મ પછી એક નવાં જ સ્વરૂપમાં આવી અને ફરીથી વર્ષો સુધી કઠોર તપસ્યા કરીને તમને પ્રાપ્ત કરવાના હોય છે, જયારે મારે તમનેજ પ્રાપ્ત કરવાના હોય છે તો મારી આટલી બધી કઠોર પરીક્ષા અને તપશ્ચર્યા કેમ, અને પ્રભુ તમારા અમર થવાનું કારણ?,એનું રહસ્ય શું છે?"
મહાદેવ ને પહેલાતો સતી પાર્વતીને આ ગૂઢ રહસ્ય જણાવવું યોગ્ય ના લાગ્યું,પણ સતી પાર્વતીની હઠ આગળ તેમની એક ના ચાલી, અને ત્યારે ભગવાન ભોળાનાથને સતી પાર્વતીને પોતાની સાધનાની અમર કથા જણાવવી પડી ,એને અપને અમરત્વની કથા તરીકે ઓળખીએ છીએ, ભગવાન શિવે સતી પાર્વતીને એકાંત અને ગુપ્ત સ્થાન પર આ અમરત્વની કથા સંભળાવવાનું વિચાર્યું, જેથી આ કથા કોઈ જીવ કે વ્યક્તિ કે પશુ પક્ષી પણ સાંભળી ના શકે, જો આ કથા કો ઇસામ્ભલિ લે તો તે અમર થઇ જાય,આ કારણે ભગવાન શિવ સતી પાર્વતીને લઈને એક ગુપ્ત સ્થાન પર જવા નીકળ્યા, સૌ પ્રથમ ભગવાન શંકરે પોતાની સવારી નંદીને પહેલગામ છોડી દીધા ,તેથી આજે પણ બાબા અમરનાથની યાત્રા પહેલગામથી શરૂ કરવાનો મહિમા છે.
આગળ જતા શિવજીએ પોતાની જટા માંથી ચંદ્રદેવ ને ચંદનવાડીમાં મૂકી દીધા અને ત્યારબાદ ગંગાજીને પંચતરણી માં, અને કંઠ આભૂષણ શાર્પને જ્યાં છોડ્યા તે જગ્યાનું નામ શેષનાગ પડાવ પડ્યું છે, ત્યારબાદ યાત્રામાં આગળનો પડાવ ગણેશ ટોપ આવે છે ,જેને મહાગુણોનો પર્વત પણકહેવામાં આવે છે, ત્યારબાદ પિસ્સુ જંતુઓને જ્યાં મુખ્ય તે પડાવ પિસ્સુ ઘટી તરીકે ઓળખાય છે, ત્યારબાદ જીવનદાયિની એવા પાંચ તત્વને પણ પોતાનાથી અલગ કરી દીધા, અને ભગવાન શિવ અને પાર્વતીજી એક ગુપ્ત ગુફામાં જતા રહ્યા, અને આ ગુફામાં કોઈ વ્યક્તિ ,કે પાસું પંખી આવી ના શકે તે માટે મહંસદેવે પોતાના ચમત્કારથી ગુફાની ચારે બાજુ આગ લગાડી દીધી, પછી ભોલાનાર્હ સતી પાર્વતી અમરત્વની કથા સંભળાવવાની શરૂ કરી, કથા સાંભળતા સાંભળતા સતી પાર્વતીને ઊંઘ આવી ગઈ અને તે સુઈ ગયા, તેની જાણ મહંસદેવને થઇ નહિ, અને શિવજીએતો અમર કથા કહેવાનું ચાલુજ રાખ્યું, ત્યારે બે કબૂતર આ કથા સાંભળી રહ્યા હતા, અને વચ્ચે વચ્ચે ઘુ ઘુ નો અવાજ કાઢી રહ્યા હતા એટલે ભોળાનાથનીમ થયું કે સતી પાર્વતી કથા સાંભળે છે અને વચ્ચે વચ્ચે હોંકારો આપે છે, આ રીતે બે કબૂતરોએ કથા સાંભળી લીધી, જયારે આખી કથા પુરી થી ત્યારે શિવજીનું ધ્યાન માતા પાર્વતી તરફ ગયું તો જોયું કે પાર્વતી તો સુઈ ગયા હતા, તો આ કથા કોણ સાંભળતું હતું, ત્યારે શિવજીની નજર પેલા બે કબુતરો પર પડી ,અને ભગવાન શંકર ક્રોધિત થઇ ગયા, અને તેમને મારવા ઉતાવળા થયા, ત્યારે તે કબૂતરોએ ભોળાનાથને કહ્યું કે હે પ્રભુ અમેતો તમારી પાસેથી અમર થવાની કથા સાંભળી છે, અને હવે જો તમે અમને મારી નાખશો તો પછી આ અમરકથા ખોટી સાબિત થશે, આ સાંભળી મહાદેવે બને કબુતરોને જીવતા રહેવા દીધા. અને તેમને આશીર્વાદ આપ્યા કે તમે સદાયને માટે અહીંયા શિવ અને પાર્વતી ના પ્રતીક એરૂપે નિવાસ કરશો, ત્યારથી અમરનાથમાં આ અજર અમર કબુતરો ની જોડી સદા ને માટે રહે છે, આજે પણ આ કબૂતરોના દર્શન ભક્તોને અહીં થાય છે, અને આ રીતે આ ગુફા અમર થવાની સાક્ષી બની ગઈ, અને તેનું નામ અમરનાથ ગુફા પડી ગયું.જ્યાં ગીફ ની અંદર ભગવાન ભોળાનાથ બરફના શિવલિંગના રૂપમાં બિરાજમાન છે, અને આ પવિત્ર ગુફામાં માતા પાર્વતી અને ગણેશના બીજા બીજા જુદા જુદા નિર્મિત બરફના પ્રતિરૂપોમાં દર્શન થાય છે.
આ અમરનાથ ગુફાની સૌથી પહેલી ખબર સોળમી સાતબધી ના પૂર્વાર્ધમાં એક મુસલમાન ભરવાડને પડી હતી. તે ફરતો ફરતો જયારે અહીંથી નીકળ્યો ત્યારે તેને એક સાધુ મળ્યા અને આ સાધુએ તેને કોલસાથી ભરેલી એક થેલી આપી, આ કોલસાની થેલી લઇ ભરવાડ ઘેર આવ્યો ,ઘરે પહોંચીને બોરી ખોલીને જોયું તો બોરીમાં રહેલા કોલસા સોનાના સિક્કામાં બદલાઈ ગયા, તે ગોવાળ પાછો એ જગ્યાએ આવ્યો જ્યાં પેલા સાધુ મળ્યા હતા, જોયુંતો ક્યાંય સાધુ દેખાય નહિ ,પણ એને એક ગુફા દેખાઈ, તે ગુફાની અંદર ગયો ને જોયુંતો ભગવાન ભોળાનાથ એક બરફના બનેલા શિવલિંગના રૂપમાં સ્થાપિત હતા, પછી તો ભરવાડે આ વાતની જાણ સૌ લોકોને કરી આ રીતે અમનાથ ગુફાની શોધ થઇ હતી.
આજે પણ આ અમરનાથ મહાદેવના દર્શન કરવા લખો લોકો આવે છે, અમરનાથ ગીફની યાત્રાને છડી મુબારક યાત્રા પણ કહેવામાં આવે છે,
જમ્મુ કાશ્મીરમાં આવેલું આ તીર્થધામ શ્રીનગર શહેરથી ઉત્તર-પૂર્વ દિશામાં 135 km દૂર સમુદ્રતટથી 13,600 ફૂટ જેટલી ઊંચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે.
અમરનાથ હિન્દુઓનું એક મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામ જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર શહેરથી ઉત્તર-પૂર્વ દિશામાં ૧૩૫ કિલો મીટર દૂર સમુદ્રતટ કરતાં ૧૩,૬૦૦ ફૂટ જેટલી ઊઁચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે. આ ગુફાની લંબાઈ (અંદર તરફની ઊંડાઈ) ૧૯ મીટર અને પહોળાઈ ૧૬ મીટર જેટલી છે. ગુફા ૧૧ મીટર જેટલી ઊંચી છે.[૧] અમરનાથ ગુફા ભગવાન શિવના પ્રમુખ ધાર્મિક સ્થળોમાનું એક છે. અમરનાથને તીર્થોનું તીર્થ કહે છે કેમકે અહીં જ ભગવાન શિવે માઁ પાર્વતીને અમરત્વનું રહસ્ય સમજાવ્યું હતું
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો