ગુરુવાર, 24 નવેમ્બર, 2022

આયુ ના આગેવાન ખેતલીયા આપા નો ઇતિહાસ

આયુ ના આગેવાન ખેતલીયા આપા નો ઇતિહાસ 

નમસ્કાર મિત્રો, આજે આપણે આયુના આગેવાન એવા ખેતલીયા વીરના ઇતિહાસ વિશે જાણીશું, ખેતલીયા વીરના પરચાનીવાત કરીએ તો કળિયુગમાં ગામડે ગામડે ,શહેરોમાં જ્યાં જોવો ત્યાં દાદા ની દેરીઓ જ છે, ખેતલીયા વીર નો મહિમા અપરંપાર છે, દાદાને ધરતી પર કેમ આવવું પડ્યું ,એમનું પ્રાગટ્ય કેવી રીતે થયું એની વાત કરીએ,

સતયુગ સમયની આ વાત છે, ભગવાન ભોળાનાથ કૈલાશ પર્વત પર તપ કરી રહ્યા હતા,અને બીજી બાજુ પાતાળલોક માં એક ધનરવતી નામની નાગણી શિવજી નું વ્રત કરે છે, ભગવાન શિવજીની પૂજા -આરતી કરવા માટે તે નાગણી પાતાળલોકમાંથી કૈલાશ પર્વત પર આવે છે,  શિવજી તો સમાધિમાં ધ્યાન દઈને બેઠા હતા. ધનરવતી નાગણી શિવજીની આરતી ઉતારે છે અને આરતી  ઉતારતા ઉતારતા મનમાં એવી ઈચ્છા વ્યક્ત કરે છે કે "કદાચ ભગવાન શિવજી માતા પતિદેવ હોય તો," એવું થતા શિવજીની સમાધિ ખુલી ગઈ , અને સામે નજર કરી તો ધનરવતી નાગણી સામે આરતી લઈને ઉભી હતી., શિવજીએ નજર કરી ત્યાંતો આ નાગણી ને ઈચ્છા ફળ મળી ગયું.

પછી ધનરવતી ત્યાંથી પાતાળલોકમાં આવી ગઈ, કોઈને આ વાતની જાણ કરતી નથી,  થોડા દિવસો પછી ધનરવતી ને સારા દિવસો જવા લાગ્યા, નાગણી ને જોઈને નાગલોક માં વાતો થવા લાગી કે શિવજીની નજરનું ફળ લાગ્યું, પછી તો ધનરવતી નાગલોક છોડીને પૃથ્વીલોકમાં આવે છે, અને પોતાને રહેવાનો આશરો શોધે છે, ફરતા ફરતા એક ખેતરની વચ્ચે ખીજડી નું ઝાડ હતું, એની બાજુમાં એક રાફડી જોઈ, ત્યાં જઈને નાગણીએ વિસામો કર્યો, પછી તો નાગણી આ રાફડીએ જ રહેવા લાગી અને એમ કરતા કરતા 9 મહિના ને તેર દિવસ વીત્યા હશે, દિવાળી ના તહેવારો ચાલતા હતા બરોબર કાળીચૌદશ ની મધરાતે ખેતરના એ ખીજડી પાસેના રાફડીમાં એ ધનરવતી નાગણી ખેતલીયા વીરને જન્મ આપે છે, ખેતલીયા ના જન્મ ને વધાવવા દેવતાઓ આકાશમાંથી પુષ્પ વર્ષા કરવા લાગ્યા અને ખેતલીયા વીરને ફૂલડે વધાવ્યા, ચારેય ભુવનમાં ખબર પડી ગઈ કે ખેતલીયા વીર નો જન્મ થયો છે, દેવિયો પૃથ્વી લોકમાં આવે છે અને ખેતલીયા વીરને ફૂલડે વધાવીને આશીર્વાદ આપે છે કે માતા જેની નાગણી ને પિતા શંકર દેવ એવા મારા ખેતલીયા વીર ખમ્મા તને. સમયે સમયે દેવિયો ખેતલીયા વીર સાથે રમવા આવતા,

બરાબર એ સમયે લંકા માં રાવણ નું રાજ ચાલતું હતું, અને આ બાજુ દેવીઓ ખેતલીયા વીર સાથે રમતા હતા અને રમતા રમતા દેવીઓએ કહ્યું કે "હે મારા ખેતલીયા વીર ભગવાન શિવજીના હુકમથી અમે લંકાપતિ રાવણ ના વચને બંધાયા છીએ અને સાથે નવ ગ્રહો ને પણ એણે બાંધી રાખ્યા છે, ઝટ અમારી વ્હારે આવજે વીરા," 

અને જતા જતા નિશાની આપી કે સમુદ્ર તરફ નજર કરજે ત્યાં એક મોટી દીવાદાંડી દેખાશે એજ રાવણની લંકા.

એક દિવસ એવું બન્યું કે ખેતલીયા વીર લંકાની ધરતી તરફ પલાણ માંડે છે અને ત્યાં જઈને લંકાપતિ રાવણની પત્ની મંદોદરી બગીચામાં ફૂલ વીણતી હતી એના કોઠે ખેતલીયા વીર ધૂળના આવે છે, ધુણતી ધુણતી મંદોદરી રાવણ પાસે આવે છે અને એને કહે છે, " હે રાવણ હું તને નહિ છોડું, હું તને નહિ જવા દઉં," એટલું સાંભળતા રાવણ બોલ્યો કે "33 કોટી દેવીઓ તમે તો બધીજ અહીંયા છો તો આ કોણ ધૂણે છે,આ કોઈ ચુડેલ કે ડાકણ લાગે છે, "  

ત્યાંતો મંદોદરી ના કોઠે આવેલા ખેતલીયા વીર બોલ્યા કે " રાવણ હું ખેતલિયો બોલું છું,"

દેવિયો બોલી કે હે રાવણ અમે બધી દેવીઓ એકબીજાની સીમા ના ઓળંગી શકીએ એટલે અમે આનો જવાબ નહિ આપી શકીએ,"

પછી રાવણ જોગીને બોલાવે છે ,જોગી આવીને જુએ છે અને દેવીઓ ને વિંનતી કરે છે કે દેવીઓ તમે કંઈક કરીને ખેતલિયાને બોલાવડાવો, પછી દેવીઓએ કહ્યું કે વીરા ખેતલીયા તું રાવણ નું કાઠલું છોડી દે, રાવણનો પીછો મૂકી દે,અમે એના વચને બંધાયા છીએ"

ખેતલીય વીર બોલ્યા કે હું નહિ મુકું રાવણ ને, તમે વચને બંધાયા છો ,હું નહિ, આ જગતમાં મને કોઈ ઓળખતું નથી,"

અંતે રાવણે થાકીને 33 કોટી દેવાળું ને છુટા કર્યા, અને દેવીઓએ એને આશીર્વાદ આપતા કહ્યુ કે જ્યાં જ્યાં અમારી સ્થાપના થશે ત્યાં ત્યાં વીરા સ્થાપના પહેલા થશે, તને જમાડીનેજ અમે જમશું, તને રમાડીને જ અમે રમશું, આ અમારું વચન છે, તારા નિવેદ્ય થશે અને આ નવખંડ ધરતી પર તારા પરગટ પરચા ગવાશે, અને માનવીના ધાર્યા કામ પાર પડશે.

આમ આવા આશીર્વાદ સૌ દેવીઓએ આપ્યા અને ખેતલીયા વીર આયુના આગેવાન કહેવાયા, સમય જતા ખેતલીયા દાદાએ ભુજમાં જે ભુજીયો ડુંગર છે ત્યાં ફરી પરગટ પરચો પૂર્યો, આ ભુજીયા ભોરિંગ નો ઇતિહાસ આપણે બીજા વિડિઓમાં જાણીશું,   

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...