શનિવાર, 15 ઑક્ટોબર, 2022

લીંબજમાનો ઇતિહાસ , લેંબોચમાની પ્રગટયકથા,ચાણસ્માના દેલમાલ ગામના લીંમ્બચમાં નો ઇતિહાસ

 લીંબજમાનો ઇતિહાસ , લેંબોચમાની પ્રગટયકથા અને પરચાઓ નો  ઇતિહાસ

ચાણસ્માના દેલમાલ ગામના લીંમ્બચમાં નો ઇતિહાસ 


નમસ્કાર મિત્રો, આજે આપણે જગદંબા  લીંબજ માં ના ઇતિહાસની વાત કરીશું, હાલના પાટણ પરગણા ના ચાણસ્મા તાલુકામાં દેલમાલ ગામ આવેલું છે, આ ગામ પ્રાચીનકાળથી જ જગપ્રસિદ્ધ છે.

લોકવાયકા મુજબ કહેવાય છે કે આ ગામ બધા દેવ દેવીઓએ ભેગા થઈને બંધાવેલું હતું, સ્વયં બ્રહ્માજીએ આ ગામનું તોરણ બંધાવેલું, જે કીર્તિ તોરણ જેવું જ ભવ્ય છે, કૃષ્ણ ભગવાન હતા એ સમયની આ વાત છે, લીમ્બજપુરાણ માં જણાવ્યા પ્રમાણે એ સમયમાં આ ગામનું નામ કનકબંબા હતું, જે પાછળથી દેવમહાલ થયું અને તેમાંથી બન્યું દેલમાલ ,દેલમાલ એટલે દેવનગરી , ગામની ફરતેથી મળેલ શિલ્પ મૂર્તિઓ અને ખંડેરો ના અવશેષો તેની આજે પણ સાક્ષી પુરે છે, 

માતાજીના પ્રગટયકથાની વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના ભાઈ બલરામજીએ સાથે મળીને મામા કંસ નો નાશ કર્યો અને કંસના મલ્લોને બળદેવજીએ કુસ્તીમાં હરાવ્યા, એનાથી બલરામજીને પોતાની શક્તિ પર અભિમાન થયું , એટલે કૃષ્ણએ વિચાર કર્યો કે બલરામજીનું અભિમત તોળવું પડશે, અને ત્યાર પછી કૃષ્ણ અને બલરામજી ફરતા ફરતા દેલમાલ આવ્યા, અને દેલમાલ ગામના વડસાગર તળાવની પાળે રાત વાસો કર્યો,  

તે સમયમાં મોઢેરા ગામમાં મૂઢ બ્રાહ્મણો નો વસવાટ હતો, એમાં એક સોમેશ્વર નામનો બ્રાહ્મણ રહેતો હતો.તે મલ્લ્યુદ્ધમાં ઘણો પારંગત હતો, આ સોમેશ્વર બ્રાહ્મણ દરરોજ દેલમાલ ગામના વડસાગર તળાવમાં સ્નાન કરવા આવતો, એટલે દરરોજની જેમ તે દિવસે પણ વહેલી સવારે સોમેશ્વર વડસાગર તળાવમાં સ્નાન કરવા આવ્યો, ત્યાં તેને ભગવાન કૃષ્ણ અને બલરામજી મળ્યા , કૃષ્ણે સોમેશ્વર ને કહ્યું કે અમે બંને ભાઈઓ છીએ અને આ મારા મોટાભાઈ બલરામજી કુસ્તીમાં પારંગત છે, તેમની સાથે તમે કુસ્તી કરો, પછીતો કૃષ્ણે તેમના બળ નો લંગોટ સોમેશ્વરને આપ્યો અને કુસ્તીના અખાડામાં સોમેશ્વર અને બલરામજી વચ્ચે મલ્લ્યુદ્ધ થયું અને કૃષ્ણ ભગવાને લીલા કરી જેથી સોમેશ્વરે બલરામજીને હરાવ્યા અને બલરામજીનું અભિમાન તૂટ્યું, પછી કૃષ્ણે બલરામજીને સમજાવ્યા અને બન્ને એ પ્રસન્ન થઈને સોમેશ્વરને પોતાનો લંગોટ આપતા કહ્યું કે આ લંગોટ સાચવી રાખજો, એને પહેરીને કુસ્તી કરશો તો મલ્લવિદ્યામાં તમને કોઈ નહિ હરાવી શકે, અને કૃષ્ણએ સોમેશ્વરને દેવનગરી એવું આ દેલમાલ ગામ ભેટમાં આપ્યું, અને આ ગામમાં સહ પરિવાર સાથે વસવાટ કરવાનું કહ્યું, એટલે સોમેશ્વરે કહ્યું કે અહીંયા અમે એકલા કેવી રીતે રહીશું, એટલું સાંભળી કૃષ્ણે કહ્યું કે સામે પેલું ઝાડ છે એના થડ માં નજર તો કર, સોમેશ્વરે સામે રહેલા ઝાડના થડમાં નજર કરી તો એને એની કુળદેવી મોઢેશ્વરી માતંગી માતા દેખાઈ , પછી કૃષ્ણ બોલ્યા કે તું આ માતંગી માતાની સેવા પૂજા કરજે અને અહીંયા રહેજે, આમ સોમેશ્વર તેના કુટુંબ સાથે મોઢેરાથી પોતાનો ઉચાળો અને કુળદેવી માતંગી માતાનો દીવો સાથે લઈને દેલમાલમાં આવ્યો અને અહીંયાજ પોતાનું કુટુંબ વસાવ્યું ,કૃષ્ણ નું વરદાન મળવાથી અને મલ્લ વિદ્યા માં પારંગત હોવાથી પછીથી તેઓ જેઠી મલ્લો તરીકે જાણીતા થયા,અને ત્યારથી આ ગામનો વેરો કે વિઘોટી ભરાતો નહોતો, વર્ષો જતા ગામમાં જેઠીઓ ની વસ્તી વધી , સમય જતા એક વાર દુકાળ પડે છે અને જેઠીઓ ની મોટાભાગની વસ્તી કમાવવા માટે પરદેશ જતી રહી અને ગામ ખાલી થઇ ગયું, થોડા વર્ષો વીત્યા અને દુકાળ પૂરો થયો અને વતન યાદ આવ્યું એટલે કમાણી કરીને જેઠીઓ પાછા દેલમાલ આવ્યા, અને નવેસરથી દેલમાલ ગામ વસાવ્યું, જેથી માતંગી માતા મોઢેશ્વરી ની મૂર્તિ જમીનમાં દટાઈ ગઈ અને એની પર લીંબડો ઉગી ગયો, લોકો ભૂલી ગયેલા કે જમીન માં મૂર્તિ છે, પછી તો જે લીંબડો ઉગેલો એની લોકો પૂજા કરતા,  હવે માતાજીને લીંબડાના થડમાંથી બહાર આવવું હશે અને જગતમાં પરચાઓ પૂરીને મહિમા વધારવો હશે એટલે માતાજીએ સમય જતા દેવનગરી એવા દેલમાલ ની ભૂમિ પર રમત્યું માંડી,

ધીરે ધીરે સમય પસાર થયો અને ભારતવર્ષમાં મુગલ સામ્રાજ્ય છવાયું, , અને બરાબર દિલ્લી માં એ વખતે અકબર બાદશાહ નું રાજ ચાલતું હતું, એમનો કાયદો એવો હતો કે ભારતવર્ષ માંથી દર વર્ષે ગામે ગામથી ખંડણી ભરવાની , એના માટે દરેક ગામમાં અકબર બાદશાહે એના માણસો મુકેલા ,તેઓ ગામમાંથી ખંડણી ઉઘરાવીને દિલ્લી મોકલતા અને અકબર બાદશાહ દિલ્લીમાં બેઠો બેઠો આ બધાનો હિસાબ રાખતો , અકબરને ખબર પડી કે આ પાટણ પરગણા ના દેલમાલ ગામની વિઘોટી નથી આવી, એટલે અકબર બાદશાહ સિપાઈઓને લઈને આ દેલમાલ ગામ પહોંચ્યો, અને આદેશ આપ્યો કે જે કોઈ વેરો કે વિઘોટી ના ભરે એમને પકડી પકડી ને દિલ્લીની જેલમાં પુરી દેવા, આમ કહી અકબરે દેલમાલમાં તંબુ તાણ્યાં , એ વખતે ગામમાં અમથારામ ગંગારામ કરીને જેઠી મુખી હતા, તેઓ અકબર ને મળ્યા અને કહ્યું કે અમે જેઠી મલ્લ છીએ ,આ જમીન અમારા બાપદાદાઓને ભેટમાં મળેલી છે, એટલે અમે આનો વેરો કે વિઘોટી નહિ ભરીએ, આ સાંભળી અકબર બોલ્યો કે તમે કુસ્તીમા એટલાજ પારંગત હોવ તો મારા એકલમલ્લ ને હરાવી દો તો હું માનું કે તમે સાચા જેઠી મલ્લ છો.

 પછી તો મુખીએ આખુંય ગામ ભેગું કર્યું અને કહ્યું કે બાદશાહ અકબરનો એકલમલ્લ કોણ જાણે કેવો હશે ,આપણા પૂર્વજો મલ્લ્યુદ્ધ માંઘણા પારંગત હતા, પરંતુ આજે કોઈ એવો માથાભારે પહેલવાન ગામમાં રહ્યો નથી ,કોણ લડશે આ એકલમલ્લ પહેલવાન સામે, આ સાંભળી સભામાંથી એક લખમણ જેઠી ઉભો થયો અને કહ્યું કે મુખી તમે ચિંતા ના કરશો, હું કુસ્તી કરીશ અકબરના એકલમલ્લ સાથે ,મોઢેશ્વરી માતંગી માતા આપણી કુળદેવી છે, એમની પર વિશ્વાસ રાખો , ભગવાન કૃષ્ણ પર વિશ્વાસ રાખો, કૃષ્ણ ભગવાને આપણા બાપદાદાને એમના બળ નો લંગોટ આપેલો છે એ લંગોટપહેરીને હું કુસ્તી કરીશ, આમ લખમણ જેઠી કુસ્તી કરવા માટે તૈયાર થાય છે, બીજે દિવસે સવારે લખમણ જેઠી તૈયાર થઈને માતંગી માતા ને અરજ કરતા કહે છે કે "હે જેઠીઓ ની કુળદેવી મોઢેશ્વરી માં ,મારી લખાની લાજ રાખજે ,તારા જેઠીઓ ની લાજ રાખજે માંડી ," આટલું કહી લખમણ જેઠી કૃષ્ણના બળનો લંગોટ પહેરી ને અખાડા માં ઉતાર્યો, અને અક્કલમલ સાથે કુસ્તી શરુ કરી, અને લખા જેઠીએ અક્કલમલ્લને હરાવી દીધો, આ જોઈ અકબર બોલ્યો કે અક્કલમલ્લને ભલે હરાવ્યો અમારા દિલીના હાથીને હરાવે તો હું જાણું કે તમે સાચા જેઠી , પછી તો લખમણ જેઠી માતંગી માતાને યાદ કરીને અકબરના હાથી સામે લડાઈ કરે છે, એમાં પણ હાથી લખમણ  જેઠી ને હરાવી નથી શકતો , અકબર હજુ પણ માનતો નથી, એટલે ગામના અમુક લોકો અકબર પાસે ગયા અને કહ્યું કે અમારા બાપ દાદાને ભગવાન કૃષ્ણે એમના બળ નો લંગોટ આપેલો અને વરદાન આપેલું કે લડાઈ માં દેલમાલના જેઠીઓને કોઈ હરાવી નહિ શકશે , અમારા કુળદેવી મોઢેશ્વરી માતા અમારી સાથે છે,  એટલે તમે ખોટી મહેનત ના કરશો,

આ સાંભળી અકબર બોલ્યો કે તમારી મોઢેશ્વરી માતા ક્યાં છે, એટલે કહ્યું કે પેલો લીંબડો છે એમાં અમારી માતંગી માતા છે, અકબરે કહ્યું કે તો કાલે સવારે લીંબડો ઉખેડીને તમારી મોઢેશ્વરી માતા બતાવો, હું એમને પગે લાગીને જતો રહીશ અને આ દેલમાલ ગામની વેરો વિઘોટી માફ કરી દઈશ, પછીતો તાંબાના પત્ર પર કરાર થયો કે અકબર જે બોલ્યો તે પ્રમાણે જોગવાઈ કરશે, 

રાત્રે માતંગી મોઢેશ્વરી માતા લખમણ જેઠી ના સપને આવ્યા અને કહ્યું કે દીકરા લખા હું તારા બાપદાદા ની દેવી માતા મોઢેશ્વરી બોલું છું, કાલે સવારે લીંબડાને બાથ ભરીને ઉખાડી દેજે ,અને પછી ત્યાંથી તું જતો રહેજે અને જતા જતા પાછળ વળીને લમણો ના વારતો,"

બીજે દિવસે સવારે લખમણ જેઠી લીંબડા પાસે ગયો અને માતાજીને સમરીને લીંબડાને બાથ ભીડી, અડીખમ લીંબડાને ઉખાડવા માટે માતાજી લખમણને શક્તિ આપે છે જેથી લખા ની આખો લાલચોળ થઇ ગયેલી , લખાએ લીંબડો ઉખાડી દીધો અને અંદરથી સવા પાંચ ફૂટ ની આરસની માતાજીની મૂર્તિ નીકળી , લીંબડો ઉખાડીને માતા નીકળ્યા એટલે લીમ્બજ કહેવાયા, લોકો લેમ્બોચ માં તરીકે પણ જાણે છે,  લખમણ જેથી થોડો આગળ ગયો અને પાછળ શું થયું એ જોવા લમણો વાર્યો ત્યાંતો લખમણ જેઠી બળીને ખાખ થઇ ગયો, અકબર આ બધું જોઈને સ્તબ્ધ થઇ ગયો અને કરાર મુજબ દેલમાલ ની જમીન ને ખંડણી મુક્ત કરી, 

અને કહેવાય છે કે અહિયાંથીજ બીજા બધાજ લીમ્બજમાના દેવસ્થાને માતાજી ગયેલા અને પરચા પૂરીને અમર બેસણા કરેલા. તો આ હતી માં લીંબજ માં ની પ્રાગટ્ય કથા, માં લીંબજ સૌ ભક્તો ની મનોકામના પૂર્ણ કરે,

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...