ગુરુવાર, 20 ઑક્ટોબર, 2022

સિંહ કેવી રીતે બન્યો માંદુર્ગા નું વાહન, માં દુર્ગા અને સિંહ ની રોચક વાર્તા

 સિંહ કેવી રીતે બન્યો માંદુર્ગા નું વાહન,

માં દુર્ગા અને સિંહ ની રોચક વાર્તા 

નમસ્કાર મિત્રો , 

માં દુર્ગા  તેજ, શક્તિ અને સામર્થ્ય નું પ્રતીક છે, અને જંગલ નો રાજા સિંહ એમની સવારી છે, સિંહ આક્રમકતા અને શૌર્ય નું પ્રતીક છે, આ ત્રણેય વિષેશતાઓ માં દુર્ગાના આચરણમાં પણ જોવા મળે છે, સિંહની ગર્જના માં દુર્ગણોજ અવાજ માનવામાં આવે છે , સિંહ ની ગર્જના ની સામે સંસારના બધા અવાજો નબળા લાગે છે, તો ચાલો  જાણીયે કે કેમ સિંહ માં દુર્ગા નું વાહન છે, અને એની પાછળ શું કથા રહેલી છે, 

પૌરાણિક કથા પ્રમાણે એક વખત કૈલાશ પર્વત પર માતા પાર્વતી અને  ભગવાન શિવજી  સાથે બેઠા બેથ વાતો કરતા હતા અને મજાક કરતા હતા. મજાકમાં ને મજાકમાં ભગવાન શિવજીએ માતા પાર્વતીને કાળા કહીં દીધા. આથી માતા પાર્વતીને બહુજ ખોટું લાગ્યું અને કૈલાશ પર્વત છોડી અઘોર વનમાં તપ કરવા ચાલ્યા ગયા,માતા પાર્વતી તપસ્યામાં લિન હતા ત્યાંજ એક ખૂંખાર ભૂખ્યો સિંહ શોકારની શોધમાં ત્યાં આવી પહોંચ્યો અને માતા પાર્વતીને જોઈને ત્યાંજ ચુપચાપ બેસી ગયો, માતા પાર્વતીના પ્રભાવને કારણે એ ભૂખ્યો સિંહ પણ તપસ્યા કરી રહેલી માં પાર્વતી સાથે ત્યજવારશો સુધી બેસી રહ્યો, માતા પાર્વતિએતો જીદ પકડેલી કે જ્યાં સુધી ગોરી નહિ થાય ત્યાં સુધી ત્યાંજ બેસીને તપસ્યા કરશે, ત્યારે ભગવાન શિવજી પ્રગટ થયા અને માતા પાર્વતીને ગોરા થવાનું વરદાન આપીને જતા રહ્યા, ત્યારથી માતા પાર્વતી માં ગૌરી તરીકે ઓળખાયા ,પછી માં પાર્વતીએ નદીમાં સ્નાન કર્યું અને પછીજોયું તો એક ભૂખ્યો સિંહ એમની સામે જોઈ રહ્યો હતો, દેવી પાર્વતીએ અંતરમનથી જાણ્યું તો ખબર પડીકે આ સિંહ એમની સાથેજ વર્ષોથી તપસ્યામાં અહીંયા બેસી રહ્યો છે ,તો આ જોઈને માતા પાર્વતી સિંહ પર પ્રસન્ન થાય છે અને વરદાન સ્વરૂપે સિંહને વાહન બનાવી એની પર સવારી કરી, ત્યારથી સિંહમાં પાર્વતીનું વાહન કહેવાય છે,  અને ત્યારથી માં પાર્વતી શેરાવાલી કહેવાયા.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...