બુધવાર, 1 માર્ચ, 2023

મનસાગરી મોમાઈ માં ની વાર્તા ।। રણ ની દેવી શ્રી મોમાઈ માં ની વાર્તા

મનસાગરી મોમાઈ માં ની વાર્તા ।। રણ ની દેવી શ્રી મોમાઈ માં ની વાર્તા 

નમસ્કાર મિત્રો, આજે આપણે મનસાગરી મોમાઈ માં ના પરચાની વાત કરીશું, 

ઘણાય વર્ષો પહેલાની રજવાડા ના સમયની આ વાત છે, સમયમાં કોઈરાજા માં ના ભક્ત હતા તો કોઈ રાજા માં ને  માનતા નહિ, પરંતુ જયારે કોઈ તેની કુળદેવીને ભૂલી જાય છે ,ત્યારે તેના કુળ પર માં કોપાયમાન થાય છે, અને એ રાજાનું પતન કરે છે, આવી માં ભગવતી તેની વસ્તી માટે કેટલુંય કરે છે પણ તેની વસ્તી જયારે માં ને યાદ ના કરે , કે માં ના ધૂપદીપ ,નિવેદ્ય ના કરે તો માં રાજી થતી નથી,

આવાજ એક રાજાની વાત કરીએ તો ત્રંબાવટી રાજ ની રાજગાદીએ રૂપસંગ નામે રાજા રાજ કરે છે, આ રાજાને 6 ભાઈઓ છે. આ સાતેય ભાઈઓ તેમની રાણીઓ સાથે સુખેથી રહેતા હતા, બધાજ ભાઈઓમાં એવોતો સંપ છે કે મહારાજનો પડ્યો બોલ તેના નાના ભાઈઓ ઝીલે છે, રાજ્યના ભંડાર અન્ન જળ અને જવેરાત થી ભરેલા છે. તેના રાજ્યમાં સમૃદ્ધિ છલકાય છે.

આ રાજા રૂપસંગ ની કુળદેવી ગઢપાવા ની જોગમાયા મહાકાળી છે, પણ અનેક વર્ષો ના વહાણ વીતી ગયા પણ કોઈ દિવસ રાજા રૂપસંગે તેની કુળદેવી મહાકાળી ના ગઢ નો દરવાજો ખોલીને માં ના ક્યારેય ધૂપદીપ કર્યા નથી કે માં ને કોઈ નાળિયેર વધેર્યું નથી,

હવે માં મઢમાં બેઠા બેઠા વિચાર કરે છે કે અરેરે મનવા તને આ કેવું અભિમાન છે, આજે તારું આ રજવાડું સુખ સમૃદ્ધિ થી છલકાય છે ,તારા બધા ભાઈઓ અને રાણીઓમાં કેવો સંપ છે, તો પણ તું મને ભૂલી ગયો છે, હવે માં થી સહન થતું નથી અને વિચારે છે કે હવે હું કાંઈ ના જાણું, મારી વસ્તી ના નસીબમાં જે થવાનું હોય તે થશે તેને હવે કોઈ રોકી શકશે નહિ.

માં ભગવતી ત્રંબાવટી નગરી માં રમત્યું માંડે છે, અને આ બાજુ રાજ્યમાં સાતેય ભાઈઓને કુબુદ્ધિ સૂઝે છે,  બીજે દિવસે સવારે રાજા રૂપસંગ હુકમ કરે છે કે અરે મારા ભાઈઓ ચાલો ઉભા થાઓ આજે આપણે આપણા જંગલમાં શિકાર કરવા જવાનું છે. તમારા તીર કામઠા અને ઘોડા ને તૈયાર કરો. હવે રાજા રૂપસંગ અને તેના છએ ભાઈઓ ઘોડા પર સવાર થઈને ઘોર જંગલમાં જાય છે.  હવે માં કરે એવું કોઈ ના કરે , આ ઘોર જંગલમાં હરણ સસલા શિયાળ ચારે બાજુ દોડતા દેખાય છે. આ વિશાળ વન નું રખોપુ રણ ની દેવી માં મનસાગરી મોમાઈ માં કરે છે , માં વન ના એકેય પ્રાણીઓ પર ઉની આંચ આવવા દેતી નથી, 

કુળ ની દેવીને જયારે કોઈ ના માને ત્યારે માતા બીજી દેવીને તેની કસોટી કરવા માટે મોકલે છે. 

આ બાજુ અબોલ જીવ વનમાં ચારો ચારે છે અને એક ભાઈ તેનું તિર ચલાવે છે, ત્યાંતો બધાજ હરણાં દોડતા જઈને માં મનસાગરી મોમાઈ પાસે આવે છે અને કહે છે કે અરે માવડી દયા કરો માંડી દયા કરો હે વન ની દેવી ,હે રણ ની દેવી ,હે માં મોમાઈ તમારા માં મોમાઈના જો આ વનને રખોપા હોય તો માંડી આજે અમારા પર કોઈ તીર ચલાવે છે માં, હે માં તુજ અમારા રખોપા કરે છે એટલેજ તો અમે આ વનમાં નિર્ભય થઈને ફરીયે છીએ, પણ આજે કોઈ શિકારી આવ્યો છે માંડી , 

આટલું સાંભળતાજ રણ ની દેવી તે પ્રાણીઓ પર હાથ મૂકીને કહે છે કે હું તમને કાંઈ નહિ થવા દઉં,

બીજે દિવસે સવારે ફરી સાતેય ભાઈઓ શિકાર કરવા આવે છે, એટલે પેલા હરણાંઓએ દોડતા માં મોમાઈ પાસે જઈને કહ્યું કે હે માંડી કાલે જે શિકારી આવ્યા હતા તે આજે ફરીથી આવ્યા છે.

ત્યારપછી માં મોમાઈ માં સાંઢણી નું રૂપ લઈને ચાલતા ચલતા પેલા સાતેય ભાઈઓની વચ્ચેથી રુમઝુમ રુમઝુમ કરતા પસાર થાય છે, એટલે રાજા રૂપસંગ ની નજર તેમના પર પડે છે અને બીજા છએ ભાઈઓને કહે છે કે આ સાંઢણી ની ફરતે ઘેરો કરો અને તેને જીવતી પકડીને મારા રજવાડામાં બાંધો ,આવી અદભુત સાંઢણી જો આપણા રજવાડામાં હોયને તો ચારેય બાજુ આપણી વાહ વાહ થાય, પછી તો સાંઢણી ચારેય બાજુ વનવગડા માં તે ફરે છે અને જેવી સાંઢણીને પકડવા જાય , તો તે પકડાતી નથી, આમ કરતા કરતા દિવસ આથમી ગયો અને માં વિચાર કરે છે કે હવે હું પકડાઈ જાઉં ,અને સાંઢણીના રૂપે મોમાઈ માં ત્યારે પકડાઈ જાય છે. 

કાળી અંધારી રાત હોવાથી રાજા રૂપસંગ કહે છે કે આજની રાત અહીંયાજ રોકાઈ જઈએ અને કાલે સવારે આપણે આ સાંઢણી લઈને આપણે રાજમહેલે માં જઈશું , આટલું કહી સાંઢણી ને એક ઝાડ ના થડે બાંધી દે છે. 

હવે રાતના ચાર પહોર છે ,એટલે રાજાએ નક્કી કર્યું કે રાતના પહેલા પહોરે 2 ભાઈ , બીજા પહોરે બીજા 2 ભાઈ અને ત્રીજા પહોરે બીજા 2 ભાઈ ચોકી કરશે અને ચોથા પહોરે હું રાજ રૂપસંગ એકલોજ ચોકી કરીશ, 

હવે પહેલા પહોરે બે ભાઈ ચોકી કરે છે ,અને માં મોમાઈએ એવડું મોટું રૂપ ધારણ કર્યું કે ચોકી કરતા બને ભાઈઓને સાંઢણી ના રૂપે જીવતાજ માં એ પોતાના ઉદર માં સમાવી લીધા, 

બીજો પહોર થતાંજ બીજા બે ભાઈઓને, ત્રીજા પહોરે બીજા 2 ભાઈઓને મોમાઈ માં જીવતાજ ઉદર માં સમાવી લે છે,    

ચોથો પહોર થાય છે અને રાજા રૂપસંગ જુએ છે તો એકેય ભાઈ દેખાતો નથી, એટલે એને લાગ્યું કે બધા ભાઈઓ મને છેતરીને જતા રહ્યા છે, અને સવાર પડતાજ રૂપસંગ તે સાંઢણીને દોરીને રાજમહેલ તરફ આવે છે, પણ આ બાજુ રજવાડા ના સીમાડે પહોંચ્યા ત્યાંજ ત્રંબાવટી ના સીમાડે મોમાઈ માં રાજા રૂપસંગને પણ ગળી જાય છે. 

હવે માં મોમાઈ માં લીલાઓ કરે છે અને સાંઢણીનાં રૂપમાં સાતેય ભાઈઓને ઉદર માં સમાવીને ત્રંબાવટી નગર માં પહોંચ્યા અને ત્યાં જઈને મોમાઈમાં સાંઢણી ના રૂપમાંથી રૂપ બદલીને રાજા રૂપસંગ નું રૂપ ધારણ કરે છે ,અને રાજસભામાં આવીને રાજગાદી પર બેઠા, 

અને બેઠા બેઠા હુકમ કર્યો કે મારા છએ ભાઈઓ મને એકલો મૂકીને જતા રહ્યા છે ,જાઓ જાઓ એમની છ રાની અને મારી એક રાની એમ સાતેય રાણીઓના લોચન કાઢીને એક થાળમાં મુકો, સિપાઈઓ રાજાનો હુકમ થતા સાતેય રાણીઓના લોચન કાઢીને સોના ના થાળમાં મૂકીને ભરી સભામાં લાવે છે, પછી મોમાઈ માં ખળખળ દાંત કાઢીને સાતેય રાણીઓના લોચન ને પગથી કચડીને ફોડી નાખે છે, 

વળી પાછો હુકમ કરે છે કે જાઓ બધી જ રાણીઓને એક અંધારી કોટડીમાં કુવામાં ઉતારી દો અને કોટડી ના માથે સીસા નું રેણ કરાવો ,

હવે એ કુવામાં એક બારી હતી ત્યાંથી તેમને ક્યારેક ક્યારેક ખાવાનું આપે છે, માતાજી લીલા કરે છે અને સાતેય રાણીઓને 2-4 મહિનાનો ગર્ભ રહ્યો છે, હવે દિવસો વીતતા જાય છે અને સાતેય આંધળી રાણિયો ભૂખ તરસ થી વલખા મારે છે. એવામાં એમક રાણીના ઉદર માંથી એક બાળકનો જન્મ થાય છે ,અને પેલી બીજી રાણિયો બાળકને બટકા ભરીને ખાઈ જાય છે. 

એમાંથી એક મોટી રાની સમજુ હતી ,તે પર માટી ખાતી નથી , હવે દિવસો વીતતા બધા બાળકોનો જન્મ થાય છે અને બધાજ આમજ મરી જાય છે,  હવે જે સમજુ રાણી હતી તે પણ એક બાળકને જન્મ આપે છે, અને બારીમાંથી એક સિપાઈને કહે છે કે અરે ભાઈ મારા આ બાળકને અહીંથી જીવતું બહાર કાઢો, અને રાજા રૂપસંગને જઈને એટલુંજ કહેજો કે આ તમારું જ સંતાન છે, એને શું ગુનો કર્યો છે ,

આમ સિપાઈઓ દોડતા રાજા રૂપસંગની સભામાં આવે છે, જ્યાં રાજાના રૂપે આ મોમાઈ બેઠા છે, ત્યાં આવીને કહે છે કે હે મહારાજ કુવામાં મહારાણીએ કુંવરને જન્મ આપ્યો છે, તમારી રજા હોય તો તેને બહાર કાઢીયે,

રાજા રૂપસંગ રજા આપે છે અને સિપાઈઓ રાજકુંવરને બહાર કાઢે છે ,ધીરે ધીરે દિવસો પસાર થાય છે અને કુંવર પંદરેક વર્ષ નો થાય છે ત્યારે મોમાઈ માં કુંવર ની પરીક્ષા કરે છે, અને કહે છે કે હે કુંવર તારે ગમે ત્યાંથી મારા માટે સત નું એક કરહલુ શોધી લાવવાનું છે, જો તું સત નું કરહલુ લાવે તો રાજતિલક નહીતો મોત ની સજા.

પછી તો રાજકુંવર તેની તલવાર અને કાળી કામળી લઈને ઘોડા પર સવાર થઇને જંગલ તરફ જાય છે, તેને કઈ સૂઝતું નથી કે ક્યાં જાઉં અને ક્યાંથી લાવું સત નું કરહલુ. 

આમ ફરતા ફરતા રાત થઇ અને જંગલમાં જ ઘોડાને એક ચંદન ના ઝાડે બાંધે છે અને ત્યાંજ આરામ કરે છે, 

તે અડધી નિંદ્રા માં હતો ત્યાંજ ઝાડ પર એક હંસ અને હંસલી વાતો કરતા હતા તે સંભળાય છે, 

આ હંસ અને હંસલી પણ આંધળા છે, હંસ હંસલીને કહે છે કે અરે હંસલી  આપણો તો સાચા મોતીનો ચારો હોય છે, પણ આપણે બંને આંધળા છીએ, 

ત્યારે હંસલી કહે છે કે અરે હંસારાજા તમને ખબર છે કે આપણા માં એક એવો ગુણ છે કે આપણું ચરક કોઈ આંધળાની આંખમાં આંજે તો એનો અંધાપો દૂર થઇ જાય છે, 

હવે આ બધી વાત પેલો રાજકુંવર સાંભળે છે અને તેને તેમની મદદ કરવાની ઈચ્છા થાય છે., 

રાજકુંવર ધીરે ધીરે ઝાડ પર ચડીને હંસ અને હંસલીને તેના ખોળામાં બેસાડે છે અને કહે છે કે તમે જરાય મુંઝાશો નહિ હું તમને કાંઈ કરીશ નહિ ,તમારી આંખોનો અંધાપો હું દૂર કરીશ, પછી એક ડાળ પર પડેલું તેમનું ચરક લઈને હંસ અને હંસલી ની આંખમાં આંજે છે, અને થોડી વારમાંતો તેમની આંખોની રોશની પાછી આવી જાય છે,

પછી તો હંસલી રાજકુંવર ને પોતાનો ભાઈ બનાવે છે અને પૂછે છે કે અહીંયા જંગલ માં કેવું આવવું પડ્યું , ત્યારે રાજકુંવર કહે છે રાજાએ મને ગમે ત્યાંથી સત નું કરહલુ શોધી લાવવાનું કહ્યું છે, પણ મને એના વિષે કઈ ખબર નથી, હંસલી બોલી કે તમે ચિંતા કારસો નહિ ,અમ્મર ચાર દીકરા છે તે ચારેય જણા ચારેય દિશામાં ચારો ચરવા ગયા છે, 2 દિવસ પછી પાછા આવવા છે, એમને ખબર જ હશે કે સાત નું કરહલુ ક્યાં મળશે, 

આમ રાજકુંવર ત્યાંજ રોકાયો અને જયારે પેલા ચારેય હંસ ચારો ચરીને પાછા આવે છે ત્યારે એમને પૂછે છે તો એમાંથી જે હંસ ઉત્તર દિશામાં ગયેલો એ કહે છે કે ઉત્તર દિશામાં હેમાળો છે ત્યાં સતનું કરહલુ છે ,

પછી તો હંસ પોતાની પીઠ પર રાજકુંવર ને બેસાડીને ઉત્તરદિશામાં લઇ જાય છે અને સાત નું કરહલુ લઈને રાજકુંવર પાછો રાજદરબારમાં આવે છે, માં મોમાઈ આ જોઈને પ્રસન્ન થાય છે અને તેનું રાજતિલક કરે છે, તો મિત્રો આ હતો માં મોમાઈ માં ના ચમત્કાર નો ઇતિહાસ.    

 

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...