રવિવાર, 29 જાન્યુઆરી, 2023

માધાપર ના સીમાડા ની ખાખરાવાળી મેલડીમાતા ઈતિહાસ

માધાપર ના સીમાડા ની ખાખરાવાળી મેલડીમાતા ઈતિહાસ 

નમસ્કાર મિત્રો, આજે આપણે માધાપર ના સીમાડા માં બેઠેલી ખાખરાવાળી મેલડીમાં ના ઇતિહાસની વાત કરીશું, 

આજથી ઘણાય વર્ષો પહેલાની રજવાડાના સમયની આ વાત છે,  ભાખોડીયા કુળમાં એક રૂડા બાપા હતા, તેઓ માં મેલડીના પરમ ઉપાસક હતા, તેઓએ માં મેલડીને કહ્યું કે હે માં હવે આ ધરતી મને જાકારો આપે છે, દેશ જોયા પરદેશ જોયા પણ કંઈ જોવાનું બાકી હોય તો મેલામાં મેલો કામરૂ દેશ જોવાનો બાકી છે, આમ રૂડા બાપાને  મનમાં કામરૂ દેશ જવાની ઈચ્છા થઇ અને તેઓ કામરૂ દેશ જવા નીકળી પડ્યા.

ચાલતા ચાલતા તેઓ કામરૂદેશ ની સરહદે પહોંચ્યા ત્યાંતો માં મેલડી 7 વર્ષની નાની બાળકી નું રૂપ ધારણ કરીને કામરૂદેશની સરહદે ઉતરે છે. રૂડાઆપા ચાલ્યા જાય છે ત્યાં આ સાત વર્ષની બાળકીએ રૂડા આપા ને સાદ પડ્યો કે "અલ્યા રૂડીયા બેટા ,એક વાર સામું તો જો રૂડા "

રૂડા આપા એ સામું જોયું ત્યાં માં મેલડી બોલ્યા કે અલ્યા રૂડીયા તું આમ ક્યાં ચાલ્યો જાય છે. 

રૂડા આપા બોલ્યા કે મારો દેશે મને જાકારો આપ્યો છે, મને ના બોલવાના વેણ બોલીને મને મેણાં માર્યા છે. તેથી મનમાં વિચાર આવ્યો લાવને આ જગત માં બધા કહે છે કે કામરૂ દેશમાં જે માં મેલડી બેઠી છે, જે એની ભક્તિ કરે એના માં ધાર્યા કામ કરે છે, ત્યારે આ સાત વર્ષની દીકરીએ રૂડા આપણે કહ્યું કે "રૂડીયા તું અહીંથી પાછો વળી જા, અને ખભે જોળી લઇ લે, અને એ જોળી માં સવા વેતની નાગણી બનીને તારી ભેળા ના આવુંને તો રૂડીયા તારી મેલડી ના કહેવાઉં, પણ જોજે રૂડીયા તું મારી માં મેલડીનો થઈને જ રહેજે હો, અને આ જોળીને સદાય ખભે જ રાખજે, પણ રૂડીયા જોજે હો જે દિવસે તું આ જોળી ખભે થી ઉતારીશ તે દિવસે તારો અને મારો વ્યવહાર પૂરો થશે, ભલે માંડી ભલે, હું તને ક્યાંય નહિ મુકું, પછી તો માતાજી બોલ્યા કે જા રૂડીયા હું ભક્તોના ધાર્યા કામ પૂર્ણ કરીશ,

પછી તો રૂડા આપા ખભે જોળી લઈને ત્યાંથી માધાપર ગામ માં આવે છે, અને ત્યાંજ રોકાય છે. રૂડા આપા માં મેલડી સાથે પડદે વાતો કરે છે. માં મેલડી કહે કે કાલે સવારે રૂડા આમ નહીને આમ થશે અને એમજ થાય. રૂડા આપા કહે છે કે "હે માં, કોઈ ગરીબ આવે કે કોઈ દુખીયા આવે તો એની પાસેથી મારે લેવું શું ?" ત્યારે જોળી માંથી માં મેલડીએ કહ્યું કે જા રૂડીયા હું એક નાળિયેરની સામે કરોડોના કામ ના કરું ને તો હું તારી મેલડી નહિ, પછી તો સવાર સાંજ દુખીયાઓ માને પાળે આવે છે, સવાર હોય કે સાંજ દુખીયાઓ આવીને રૂડા આપા નો ડેલો ખખડાવે છે અને કહે છે કે હું આ જગ્યાએથી થી આવ્યો છું અને મારુ આટલું દુઃખ છે ત્યારે રૂડા આપા જોળી માં રહેલી મેલડીને અરજ કરે છે ત્યારે માં મેલડી બોલે છે કે જા રૂડા જે પણ દુખીયા હોય એને કહી દે કે જેમ આવ્યા છો એમનેમ પાછા જતા રહો અને તમારી ડેલીમાં પગ મુકો એ પહેલા હું કહ્યા વગર કામ ન કરી દઉં ને તો હું તારી મેલડી નહીં 

દુખીયાઓ માં ને પાળે આવે અને માં એમના દુઃખ દૂર કરતી જાય છે, આમને આમ સમય પસાર થાય છે, હવે માં ને કૈક વાત રાખવી હશે, દુખીયાઓ રૂડા આપા પાસે આવીને કહે છે અમારા દુખતો માં મેલડીએ દૂર કરી દીધા, પણ અમારે માં મેલડીનું શું કરવાનું છે, ત્યારે રૂડા આપા જોળી માં બેઠેલી માં મેલડીને પૂછે છે કે બોલ માંડી હવે શું કરવું મારે ,આ ભકતો ની બાધા પુરી કરવા માટે તારું કોઈ મઢ કે મંદિર નથી તો આ ભક્તો ક્યાં શ્રીફળ ચડાવે ?, ત્યારે માં મેલડી કહે છે કે ખમ્મા ખમ્મા મારા રૂડીયા, કોઈ ભક્ત ના ધાર્યા કામ થાય અને શ્રીફળ વધેરવા આવેને તો દુખીયાને એટલુંજ કહેજે કે જો નાળિયેર વધેરવું હોય તો ચોરાના ચોકે આવો અને મારા રૂડીયા ના માથા પર વધેરવાનું કહેજે ,રૂડા આપા કહે કે અરે માંડી આ શું બોલે છે? રોજ હજારો દુખીયા આવશે ને હજારો નારિયેર મારા માથા ઉપર ફોળે ને તો મારા રામ રમી જશે. 

ત્યારે માં મેલડી બોલ્યા  કે જા રૂડીયા દુખીયા આવે અને નાળિયેરનો ઘા કરે ને તારા માથા સુધી પહોંચે એ પહેલા નાળિયેર ને ફોળી ના નાખું તો રૂડીયા તારી મેલડી નહિ.

હવે રોજ સવારે રૂડા આપા માલઢોરને લઈને વગળે ચરાવવા જાય અને માં મેલડી ના વચન પ્રમાણે કે રૂડીયા જો આ જોળી ને તું ક્યાંય મુકીશ ને તો તારો અને માં મેલીડાનો વ્યવહાર પૂરો થશે, તેથી રૂડા આપા ઉઠતા બેઠતા ચાલતા ઊંઘતા સદાય જોળી એમની સાથે રાખતા ,પણ માં મેલડીને કંઈક વાત રાખવી હશે અને જગત માં પરચા પૂરીને એમનો મહિમા વધારવો હશે એટલે માં મેલડી લીલા કરે છે, 

એક દિવસ સવારે રૂડા આપા માલઢોર ને લઈને વગળે ચરાવવા જાય છે અને થોડા થાકી ગયા હોવાથી એક ખાખરાના ઝાડ નીચે આરામ કરવા જાય છે, જોળી ને ખાખરાના ઝાડની ડાલી પર ટીંગાળી ને નીચે સુઈ ગયા, થોડીક વાર પછી એમની આંખ ખુલી અને જોળી ને લેવા ગયા ત્યાંતો જોળીમાંથી આવાજ આવ્યો કે ખમ્મા ખમ્મા રૂડીયા ,રહેવા દે રૂડીયા મેં તને કીધું હતુંને કે જે દિવસે તું જોળી ક્યાંક નીચે મુકીશ કે કંઈક ટીંગાળીશને તે દિવસે તારો અને મારો વ્યવહાર પૂરો થશે, 

રૂડા આપા બોલ્યા કે પણ માંડી ક્યાં તારું માધાપર ને ક્યાં આ સીમાડો, ત્યારે જોળીમાંથી માં મેલડી કહે છે એક દિવસ ના સમયે જો અહીંયા હું 52 ગજ ની ધજા ના ફરકાવુંને, અને માધાપરના ચોકમાં હું સ્મશાનવાળી થઈને હું ખાખરાવાળી ના કહેવાઉં ને તો હું માં મેલડી નહિ. તે દિવસે માં મેલડીએ કહેલું કે "જા રૂડીયા માધાપર જ નહિ પણ પારકા ગામના પાદરમાં જો તને દુઃખ પડે અને કપરી કસોટી આવે અને તું મુખમાંથી ખાલી એટલાજ શબ્દ કાઢજે કે ક્યાં ગઈ મારી ખાખરાવાળી માં મેલડી ?, અને પળવાર માં આવીને હું તારા દુઃખને પી જાઉં ને તો તો જાણજે કે આ ખાખરાવાળી દેવી બોલી હતી." આમ માં મેલડીએ રૂડા આપણા ધાર્યા કામ કર્યા.ત્યારપછી માં મેલડી ખાખરાવાળી તરીકે જાગૃત થઇ.

હવે એક દિવસની વાત છે, ઘરે કોઈ પ્રસંગ રાખેલો અને એનું આમંત્રણ આપવા એક વાર રૂડા આપા અને એમના ભાઈ જાદવ બાપા બંને જણા ચાલતા ચાલતા પરગામ જાય છે, એક ગામ માં પહોંચે છે અને પાણી પીવા માટે કોઈકના ઘરનું ડેલું ખખડાવે છે, ઘરમાં એક મૂંગી દીકરી હતી, રૂડા આપા દીકરીને પાણી નું પુછે છે. ત્યાંતો દીકરીએ પોતે મૂંગી હોવાનો ઇસારો કર્યો, અને બને ને પાણી પાયું. રૂડા આપા ને લાગ્યું કે આ દીકરીએ આપણને પાણી પાયું છે મારે એનું ઋણ ના ભુલવું જોઈએ , રૂડા આપા માં મેલડી ને અરજ કરતા કહે છે કે ક્યાં ગઈ મારી ખાખરાવાળી માં મેલડી, "

ત્યાંતો નનામી બાળકીનું રૂપ ધારણ કરી માં મેલડી રૂડા આપણે કહે છે કે રૂડીયા તું ડેલી આગળ ઉભો રહે અને આ દીકરીને કહી દે કે ઓરડામાં ચાલી જાય, અને આ રૂડિયો બહારથી દીકરીએ પડકારો કરે કે ક્યાં ગઈ મૂંગી ,અને એ મૂંગી દીકરીને સામું પડકારો સામું પડકારો ના કરાવુંને તો હું તારી મેલડી ના કહેવાઉં .

આમ રૂડા બાપાએ ડેલીએ જઈને સાદ પડ્યો કે એ મૂંગી ,એ મૂંગી બેટા, આમ મૂંગી મૂંગી ના બે વાર પડકાર થયા. ત્યાંતો માં મેલડી મૂંગી દીકરીની જીભમાં બેસી ગઈ, અને સામે પડકાર કર્યો કે હા રૂડા બાપા. આવા પરચા છે માધાપરના સીમાડાની મારા ખાખરાવાળી માં મેલડી ના , જાય માં મેલડી માં....

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...