પરબ વાવડી -પરબ ધામ નો ઇતિહાસ, સંત દેવીદાસ અને અમરબા નો ઇતિહાસ
નમસ્કાર મિત્રો,
આજે આપણે સત દેવીદાસ અને અમરબા ના એવા પરબધામના ઇતિહાસ ની વાત કરીશું, જૂનાગઢ જિલ્લાથી 40 km અને ભેંસાણ તાલુકાથી 4 km ના અંતરે માં આવેલા આ પરબ ધામમાં સૌરાષ્ટ્ર જ નહિ પણ આખાય ગુજરાત માંથી લોકો સત દેવીદાસ ના દર્શને આવે છે ,અને મંદિર માં "સત દેવીદાસ - અમર દેવીદાસ "નો નાદ ગુંજી ઉઠે છે. મિત્રો સૌરાષ્ટ્ર ની ભૂમિ માં જલારામ ભગત નું વીરપુર, ગીગા ભગતનું સતાધાર અને દેવીદાસ બાપુ નું પરબધામ માનવ સેવાનો સંદેશો આપતા જીવતા જાગતા સ્થાન છે.
આજથી 350 વર્ષ પહેલા ની આ વાત છે ,મુંજયાસર ગામમાં જીવા રબારી અને તેમની પત્ની સાજણબાઈ રહેતા હતા, એમને કોઈ સંતાન હતું નહિ, ગિરનારમાં ગધેસંગ ડુંગર પર જેરામદાસ બાપુની મઢી હતી .જીવા આ જેરામદાસ બાપુની સેવા કરવા જતા,.એવામાં એક વખત ગુરુ પૂર્ણિમા ના દિવસે જીવા ભગત જેરામદાસ બાપુના પગ દબાવતા હતા. ત્યારે જેરામદાસે જીવ ભગત ને વાચા આપ્યુ કે જ જીવ તારા ઘરે એક દીકરા નો જન્મ થશે, પણ દીકરો દઈ અને દીકરો લેવાની શરતે હું તને દીકરો આપું છું. અને કહ્યું કે એને પરણાવજે અને દીકરાના ઘેર દીકરો થાય ત્યારે એને ભેખ ના રાસ્યતે રમતો મૂકી દેજે, આમ જેરામબાપુના આશીર્વાદથી જીવ રબારી ના ઘરે એક દીકરાનો જન્મ થાય છે. એનું નામ દેવો રાખવામાં આવે છે, જે બીજું કોઈ નહિ પણ સાત દેવીદાસ પોતે હતા .
સમય જતા એના લગ્ન થાય છે અને એના ઘરે પણ બે દીકરાનો જન્મ થયો, પછી તો દેવા રબારી ને સંસારના રંગ ફીકા લાગવા અને ગિરનારની સામે ડગલાં માંડ્યા, અને આખાય ગિરનાર ની પરિક્રમા કરવા લાગ્યો, એક નહિ બે નહિ પણ અઢાર અઢાર વખ એને પરિક્રમા કરી. અઢારમી વખત પરિક્રમા પૂર્ણ કરી એ દિવસે મધરાતે લોહલંગરી નામના સંત મળ્યા હતા, આ સંતે દેવા ને કપાળે તિલક કર્યું અને કહ્યું કે દેવા તું તો દેવો નો દાસ છે, તારા નશીબમાં તો ઘણીબધી દુખીયાઓની સેવા કરવાનું લખાયું છે ,અને સંતે આદેશ આપતા કહ્યું કે" દેવીદાસ અહીંથી 10 ગાઉ દૂર મહાભારત કાળના સમયના સુરભંગ ઋષિ નો એક આશ્રમ આવેલો છે, સમય જતા ત્યાં દત્ત મહારાજે ધૂણી ધખાવેલી, પરંતુ સમય જતા હાલમાં તે વેરાન અને જર્જરિત હાલતમાં છે, માટે તું ત્યાં જઈને ધૂણી ધખાવીને આશ્રમને ચેતનવંતુ કર, અને ત્યાં નિરાધારને આશરો ભૂખ્યા અને રોટલો આપીને લોકસેવા કર. ભૂખ્યા ને ભોજન આપવું એજ પરમ ધર્મ છે.
આમ સત દેવીદાસ ત્યાંથી વેરાન પડેલા આ સુરભંગ ઋષિના આશ્રમ માં આવ્યા અને જોયું તો એ સમયે અહીંયા મંદિર કે દેવમુર્તિ જેવું કંઈ નહોતું, ખાલી એક લીંબડા નીચે ઓલવાઈ ગયેલો મેકરણ કાપડી નો ધુણો અને ત્રિશુલ હતા.અને બાજુમાં અણઘડાયેલા જર્જરિત હાલતમાં છપરા વગરની ત્રણ ઓરડી હતી. અને જોતા જાને એવું લાગતું હતું કે આ અવાવરી જગ્યાએ વર્ષો સુધી માનવજાત ફરકી જ ના હોય. દેવીદાસ બાપુએ આજ આશ્રમને સફાઈ કરીને ફરી સજીવન કર્યો અને ધુણા માં અગ્નિ પ્રગટાવીને લીંબડાની ડાળે ધરમ ની ધજા ફરકતી કરી. અને ગુરુ ની આજ્ઞા પ્રમાણે આજુબાજુના ગામોમાંથી ભોજન લાવવા માટે કાવડ ચાલુ કરી દીધા અને ભૂખ્યાઓને અને દુકાળ પીડિતો ને ભોજન કરાવા લાગ્યા, ઇતિહાસ ના પાનાં ઉલટાવીયે તો જાણવા મળે છે કે આજથી 350 વર્ષ પહેલા 18મી સદીમાં કચ્છ અને સિંધ પ્રદેશમાં ભયંકર દુષ્કાળ પડેલો, ભૂખ્યા માલઢોર ટપોટપ મરવા પડેલા, અને માણસોનેય પણ ખાવાના વલખા, એટલે અન્નપાણી ની શોધમાં કેટલાય કુટુંબ કબીલાઓ માલઢોરને લઈને આમ તેમ ગામે ગામ ભટકતા રહેતા હતા, તે સમયે દેવીદાસ બાપુએ નિરાધાર ને આશરો આપેલો અને અન્નદાન પણ શરુ કરેલું.
એ સમયમાં રગતપીત થયો હોય એને માણસો કુદરતને ભરોસે મારવા છોડી દેતા, કોઈ એને બોલાવતું નહિ ,પણ આતો સત દેવીદાસ , જગત કહેતું કે આ માણસ ગાંડો થઇ ગયો છે પોતે પણ મારવાનો,આમ તેઓ રગતપીત થી પીડાતા લોકોને લીંબડાના પાણીથી નવડાવતા અને નવું જીવનદાન આપતા આમ તેમનો સેવાયજ્ઞ અવિરત ચાલુ જ રહ્યો , તે જ સ્થાન ને આજે સત દેવીદાસ ના પરબધામ તરીકે ઓળખાય છે. જ્યાં કોઈને નથી પૂછાતો ધર્મ કે નથી પૂછાતી નાત-જાત, આ ધામનો ઇતિહાસ જ કઠોર સેવાનો રહ્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો