ગુરુવાર, 27 જુલાઈ, 2023

ઇન્દ્રોડા ની માં વિહત મેલડી નો ઇતિહાસ

 ઇન્દ્રોડા ની માં વિહત મેલડી નો ઇતિહાસ 

નમસ્કાર મિત્રો ,આજે આપણે ઇન્દ્રોડા ગામના માં વિહતમાંના ઇતિહાસ વિષે વાત કરીશું, 

ઘણાય વર્ષો પહેલાની આ વાત છે, એ સમયે ગાંધીનગર ના પીપળજ ગામમાં દેઉસણા ના બાર શાખ ના રબારીઓ આવીને વસવાટ કરેલો, અને તે વખતે દેઉસણા ના જીવણ બારની માતા વિહત મેલડી પણ તેમની સાથે આવ્યા અને પીપળજ ગામમાં આવીને વસ્યા,

સમય જતા પીપળજ ગામના બાર રબારી ને ઘેર એજ દીકરી હતી એ દીકરીનું સગપણ ગાંધીનગર પાસે આવેલા બોરીજ ગામના લુણી શાખના રબારી ના ઘરમાં કરેલું, સામી થતા દીકરીના લગ્ન કરીને એને બોરીજ ગમે વળાવી.તે દિરકી માતા વિહત મેલડી ની જયોત સાથે બોરીજ ગામ લઇ ગઈ અને  માતાજીની સેવા પૂજા કરવા લાગી, સમય જતા માતાજીએ લૂણી રબારીઓને ઘણા પરચા આપ્યા , પછી તો કહેવાય છે કે બોરીજ માં લૂણી રબારીઓએ માતા વિહત મેલડી ની સ્થાપના કરી લૂણી રબારીઓના ધાર્યા સૌ કામ માં પાર પાડવા લાગી, 

સમય જતા એમના બે દીકરામાંથી એક દીકરો જીવરાજ લૂણી બોરીજમાંથી ઇન્દ્રોડા આવીને વસ્યા અને એમની સાથે માં વિહત મેલડી બોરિજથી ઈન્દ્રોડા આવીને વસ્યા, જીવરાજ લૂણી ના દીકરા ભગવાન લુણી, અને ભગવાન લૂણી ના દીકરા માધા લૂણી ને માતા વિહત મેલડી ધુણવા આવે છે,

એક વખતની વાત છે , મધ લૂણી અને એમના ભાઈબંધ લાલો લૂણી વિચારે છે કે ચાલો આપણે ઇડરવાડ માં ભુવાપણી કરવા જઈએ, અને ઇડરવાડમાં મેઢાસરમાં ભુવાપણી કરવા ગયા, આખી રાત ડાક ડમ્મર વાગ્યા અને ધૂણ્યાં, ઘડીક આરામ કર્યો  અને પરોડીએ ઉઠીને લાલા લુણી હાથમાં લોટો લઈને ગામના પાદર તરફ જાય છે, વચ્ચે એક દરબારનું ઘર હતું, એ દરબાર લાલા લુણી ને ઘરમાં લઇ જઈને કહ્યું કે લાલા લુણી તમારા માતા ને બતાઓ તો આ ઘરની બહાર નીકળવા દઉં, આમ માથાભારે દરબારે લાલા લુણી ને ઘરમાં પૂર્યા, પછી દરબારે બાજુમાં પડેલી એક સાંકળ ના આંકડા છુટા કરી દીધા અને લાલ લુણીને આપી અને કહ્યું કે તારી માતા જબરી હોય તો આ સાંકળ ના આંકડા મેં તોડી નાખ્યા છે એ બધા સરખા કરી દે અને પહેલા જેવી સાંકળ થઇ જાય તો તમારી માતા સાચી ,નહીતો હું આજે તમને છોડવાનો  નથી,પછી તો લાલા ભુવા ને માથે પરસેવો વળ્યો અને માં વિહત મેલડી નેબે હાથ જોડીને અરજી કરી કે હે માં ,મારા દેઉસણા ના જીવન બારની વિહત જો સમયસર નહિ આવે તો   મને આ દરબાર જીવતો નહિ મેલે, 

આમ તે દિવસે લાલા લુણી ની વાત સાંભળી માતા એના કોઠે હાકોટો કરીને ધુણવા આવી અને સાંકળ ના આંકડા હાથમાં પકડે ત્યાંતો એક પછી એક  ફટોફટ જોડાવા લાગ્યા અને સાંકળ દરબાર તરફ છૂટી ફેંકી અને કહ્યું કે અલ્યા દરબાર હું વિહત બોલું છું, લે લે આ સાંકળ તારી છે કે બીજી છે, તે દિવસે માં દરબાર ને હાકોટો કરીને બોલી કે દરબાર હું તને મેલું નહિ, અને મેલું તો દેઉસણા ના પાદરનું દેરું નહિ,પછી તો દરબાર બે હાથ ને ત્રીજું માથું નમાવીને કગરી પડ્યો કે માં મારી ભૂલ થઇ ગઈ, આજ પછી હવે કોઈ દેવ કે ભુવાનું પારખું નહિ લઉ,

પછી માં બોલી કે હે દરબાર આજથી તું મને એક વેણ આપ કે આજથી કોઈ રબારી કે ગમે તે દેવના ભુવાનું  પારખું નહિ લે, કોઈ દેવની મશ્કરી કરે નહિ એવું મને વેણ આપજે.

સમય જતા માધા લૂણી ને એક દીકરો હતો , જેનું નામ કાળો હતું, 

માતાજીની અસીમ  કૃપાથી કાળાભાઈ ને બે દીકરા થયા ,ગફુલભાઈ અને બળદેવભાઈ ,જેમાં બળદેવભાઈ મોટા .  એક વખત કાળા લૂણી ને ધુણવા બેસાડયા ,પરંતુ માતાજી એમના કોઠે ના આવતા એમના દીકરા બળદેવ લુણી ના કોઠે માતા વિહત ધુણવા આવી, અને માતાજીએ કહ્યું કે હું માધા લુણી ની વિહત આવી છું, હું દેઉસણા ના બારનું દેરું બોલું છું લ્યા, પછી તો બળદેવભાઈને ગાદીમાં લાવીને બેસાડ્યા, અને ત્યાં સભામાં લાલા લુણી પણ બેઠા હતા તેઓ બોલ્યા કે હે માં જો તું મારી લુણી ની વિહત બળદેવને ધૂણવા આવી હોય તો હું માંગુ એ ધીજ આપવી પડશે, તોજ તને જાણશું, ત્યારે માં વિહત કહે છે કે જાઓ તમે કોઈ એક નદીનું નામ વિચારો અને હું ના કહી દઉં તો હું માધા લુણી ની વિહત ના કહેવાઉં લ્યા, "

પછી તો સભામાંથી બે લોકો બહાર જઈને મહીસાગર નદીનું નામ નક્કી કરે છે, અને સભામાં આવીને બેઠા, ત્યાંતો બળદેવના કોઠે ધુણતા માં વિહત બોલ્યા કે રબારીઓ મને મહીસાગર નદી દેખાય છે, આમ ત્યારે બલદેવ લુણીને પ્યાલો પાયો, અને ત્યારથી બલદેવ લૂણી ની ભુવાપણી ચાલુ થઇ, 

એક વખતની વાત છે, બલદેવ લૂણી ભુવાપણી કરવા વાણીયાની સાથે ઢેબર તળાવે જાય છે, તેમની સાથે શેડફા ના કનુ ભુવાજી પણ હતા , ત્યાં એક બાઈ રહેતી હતી જે કામરૂદેશ ની મેલી વિદ્યાની પારંગત હતી, તે જાતની કુંભાર હતી,  આમ આ ત્રણેય જણા ઢેબર તળાવે ઉતર્યા , એટલે પેલી કુંભાર ની બાઈ ત્યાં આવીને બલદેવ ભુવાને કહ્યું કે ભુવાજી ચેતન થઈને ઉંઘજો, રાત્રે જેટલું ચેતવું હોય એટલું ચેતજો, રાત્રે હું તમારી જીભ કાપી લેવાની છું, પરંતુ બલદેવ ભુવાને મનમાં વિશ્વાસ હતો કે વડની દેવી વિહત જો મારી સાથે આવી હશેને તો મને આંચ આવવા દેશે નહિ, એમ કહીને ત્રણેય ત્યાંજ રાતવાસો કરે છે, રાત્રે પેલી બાઈએ કામરૂદેશની મેલી વિદ્યાથી બળદેવ ભુવા પર જાદુ કર્યો અને એમની જીભ બંદ થઈ ગઈ,પછી તો એમનાથી કઈ બોલાયું નહિ એટલે ત્રણેય જણા ગભરાઈ ગયા, પછી બલદેવ ભુવા મનમાં માં ને અરજ કરે છે કે હે મારી દેઉસણા ના પાધરની દેવી મારી રક્ષા કરજો, અને કહેવાય છે કે એ દિવસે વિહતમાં બળદેવ ભુવાની સન્મુખ આવેલા અને કહ્યું કે બળદેવ તમે શુખ શાંતિથી ઊંઘી રહો, હું પોહંચુ છું પેલા કુંભારની બાઈ ના ઘેર, અને દિવસ ઉગે ને એને કગરતી લઈને તારા પગે પાડું તો એની પાસે એક વેણ લઇ લેજો કે જગતમાંથી કોઈ ભુવા આ ઢેબરે આવે તો કોઈ પર આવી મેલી વિદ્યા ના કરતી, 

આમ કહી વિહત માં બાઈ ના ઘેર જાય છે અને આખી રાત એ બાઈને ધૂણાવી અને આખી રાત એને ઊંઘવા દીધી નહિ , દિવસ ઉગતા એ બાઈ બળદેવ ભુવા પાસે આવીને કગરી પડી, અને ભુવાજીએ કહુય કે તું મને એક વેણ આપ કે હવે પછી ક્યારેય આવી મેલી વિદ્યા નહિ કરે, આમ એ બાઈને વચને બાંધી દીધી ને માફ કરી, 

હાલમાં માં વિહતના મઢમાં બળદેવ ભુવાજીની ભુવાપણી ચાલુ છે,      

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...